By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    UNSCમાં ભારતને મોટી સફળતા, પાકિસ્તાનનો પરાજય થયો, ચીને પણ મૌન સાધ્યું
    3 hours ago
    કેલિફોર્નિયામાં એર સ્ટેશન નજીક યુએસ નેવી એફ-35 ફાઇટર જેટ ક્રેશ થયું
    5 hours ago
    ચીનમાં બાળકના જન્મ પર રૂપિયા 1.30 લાખની સહાય: વન ચાઈલ્ડ નીતિએ જન્મદર અડધો કર્યો
    1 day ago
    ‘મેડે-મેડે’, બોઇંગ 787-8, યુએસ ફ્લાઇટનું ટેક ઓફ થયાના થોડા જ સેકન્ડમાં એન્જિન ફેલ થઈ
    1 day ago
    રશિયામાં 8.8ની તીવ્રતાના ભૂકંપથી પેસિફિક સુનામીનું એલર્ટ જાહેર: જાપાન, અમેરિકા ભયમાં
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર : કુલ 77% વાવણી પૂર્ણ
    3 minutes ago
    દિલ્હી-રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર: નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ, સ્કૂલો બંધ
    6 minutes ago
    BRICSના લીધે ટ્રમ્પે ભારત પર લાદ્યો 25% ટેરિફ
    8 minutes ago
    ઈરાન – રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની ભારતને સજા: ટ્રમ્પે 6 કંપની પર પ્રતિબંધ લગાવ્યો
    14 minutes ago
    રાત-દિવસ બેલ્ટથી મારતા, ભોજન ન આપતા, સાધ્વી પ્રજ્ઞાએ જેલમાં અસહ્ય યાતના ભોગવી
    17 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ઓલરાઉન્ડર્સ રેન્કિંગ્સમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર-1
    46 seconds ago
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    1 day ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    3 days ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    5 days ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચંપક ચાચા ખૂબ મોટા પ્રેંકસ્ટર…. મુનમુન દત્તા
    3 hours ago
    ‘અવતાર 3’નું જોરદાર ટ્રેલર રિલીઝ, ફરી એકવાર પેન્ડોરાની જાદુઈ દુનિયામાં લઈ જશે
    1 day ago
    તારક મહેતા શૉના સેટ પર ટોર્ચર……..જેનિફર મિસ્ત્રીએ પ્રોડક્શન હાઉસની પોલ ખોલી
    1 day ago
    ‘સૈયારા’ની જોડી IMDBના ટોપ 10 સેલિબ્રિટિઝની યાદીમાં સામેલ
    3 days ago
    ફિલ્મ વોર 2નું ટ્રેલર રીલીઝ, બંને સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    2 days ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    3 days ago
    શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો
    3 days ago
    શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
    6 days ago
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    2 days ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક જૈનકથા અને કથાઓનું કૌવત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > એક જૈનકથા અને કથાઓનું કૌવત
AuthorNaresh Shahધર્મ

એક જૈનકથા અને કથાઓનું કૌવત

Khaskhabar Editor
Last updated: 2021/09/04 at 4:35 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

રાજન, તમે આ ઐશ્ર્વર્ય ભોગવ્યાં પછી નરકમાં જવાના છો એટલે તેમણે તમને જીવી લો કહ્યું,
હું હજુ શરીરના બંધનથી મુક્ત થયો નથી એટલે મારો મોક્ષ્ થયો નથી, એ વાસ્તે તેણે મને મરો કહ્યું 

-નરેશ શાહ

શ્રેણિક મહારાજાના રાજગૃહના પવિત્ર ઉપવનમાં આજે નાનકડી ધર્મસભા ભરાઈ હતી. ભગવાન મહાવીરની ઉપસ્થિતિથી વાતાવરણ વધુ દિવ્ય બની ગયું હતું. તેમની આસપાસના વિશિષ્ઠ આસનો ઉપર રાજ દરબારના ગૂણીજનો બિરાજમાન હતા. તરત નજરે ચડતી વ્યક્તિ હતા મહામંત્રી અભયકુમાર. દરબારીઓ સહીત નગરના અનેક પ્રજાજનો તીર્થંકર મહાવીરની ઉપદેશવાણી અને ધર્મઆદેશ સાંભળવા એકઠા થયા હતા ત્યારે જ નગરજનોમાં સામેલ થયેલાં એક વૃદ્ઘ મહારાજા શ્રેણિકનો સામે જોઈને બોલ્યાં : સમ્રાટ, તમે જીવતાં રહો. બધા સ્તબ્ધ. પરંતુ એ ખખડેલ વૃધ્ધે તો હજુ શરૂઆત કરી હતી. તેમણે તીર્થંકર મહાવીર સામે હાથ જોડીને કહ્યું : તમે મરી જાવ

Contents
રાજન, તમે આ ઐશ્ર્વર્ય ભોગવ્યાં પછી નરકમાં જવાના છો એટલે તેમણે તમને જીવી લો કહ્યું, હું હજુ શરીરના બંધનથી મુક્ત થયો નથી એટલે મારો મોક્ષ્ થયો નથી, એ વાસ્તે તેણે મને મરો કહ્યું -નરેશ શાહ

ર0ર1ની સાલ હોત તો લોકોએ એ વૃધ્ધનું માથું ભાંગી નાખ્યું હોત પણ એ મહાવીર-કાળ હતો. મહાવીર જેવા પુણ્યાત્માની ઉપસ્થિતિમાં કોઈ અવિવેક કેમ થાય ? તમામ લોકો સમસમીને એ વૃધ્ધને જોઈ રહ્યા હતા. વૃધ્ધે મહામંત્રી અભયકુમાર તરફ જોઈને કહ્યું : મહામંત્રી તમે ઈચ્છો તો જીવો, ઈચ્છો તો મરો
હવે હદ થઈ ગઈ હતી. જો કે જાણે કામ પુરું થયું હોય તેમ સભામાંથી નીકળતાં વૃધ્ધે એક ગરીબ ક્સાઈ જેવી વ્યક્તિની તરફ જોયું અને બોલ્યાં : તમો જીવો પણ નહીં, મરો પણ નહીં

- Advertisement -

એ વૃધ્ધ સભામાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે પ્રજાજનો એ વૃધ્ધને ચસકેલ સ્વભાવનો ગણાવા લાગ્યા તો કોઈએ મહારાજા શ્રેણિક તરફ જોઈને ગુસ્સો વ્યક્ત ર્ક્યો : આ બુઢૃાની ધરપકડ કરીને સજા કરો… રાજા શ્રેણિકે તીર્થંકર મહાવીર સમક્ષ્ા નજર કરી. તેમના ચહેરા પર પરમ શાંતિ હતી, પરમ સત્ય પામી ગયા હોય તેવી શાંતિ. મહારાજાએ પૂરા આદરથી મહાવીરને વૃધ્ધના શબ્દોનો ગૂઢાર્થ સમજાવવા કહ્યું ત્યારે તીર્થંકરે સમજાવ્યું કે, એ વૃધ્ધ નહોતા. દેવ હતા અને તેમના શબ્દો બક્વાશ નહોતાં, પણ તેમાં જીવનનું સત્ય હતું. રાજન, તમે આ ઐશ્ર્વર્ય ભોગવ્યાં પછી નરકમાં જવાના છો એટલે તેમણે તમને જીવી લો કહ્યું. હું હજુ શરીરના બંધનથી મુક્ત થયો નથી એટલે મારો મોક્ષ્ા થયો નથી. એ વાસ્તે તેણે મને મરો કહ્યું. મહામંત્રી અભયકુમાર ઈમાનદારીથી, તમારી સુચનાનો અને સુશાસનનો અમલ કરાવી રહ્યાં છે એટલે તેમને અહીં પણ સ્વર્ગ છે, ઉપર પણ તેમને સ્વર્ગ મળવાનું છે. આ કારણે અભયકુમારને તેમણે ઈચ્છો તો જીવો, ઈચ્છો તો મરો કહ્યું…
પણ પેલી વ્યક્તિને તો તેમણે કહ્યું કે જીવો પણ નહીં અને મરો પણ નહીં, આવું કેમ કહ્યું ?

કારણકે એ ગરીબ છે અને ક્સાઈ તેનું કર્મ છે. એ અહીં પણ નર્કને જીવી રહ્યો છે અને મૃત્યુ પછી પણ તેને નર્ક જ મળવાનું છે એટલે તેને જીવવા-મરવાથી કોઈ ફરક પડવાનો નથી તીર્થંકર મહાવીરે પેલાં વૃધ્ધના વેશમાં આવેલાં દેવની વાણીને એનાલાઈઝ કરી ત્યારે આખી ધર્મસભા ચક્તિ થઈ ગઈ. બધા વિચારવા માંડયા કે પેલાં વૃધ્ધ આપણી સામે જોઈને શું બોલ્યાં હોત ?

- Advertisement -

આ બોધકથા જેવી લાગતી જૈન કથા છે. જૈનધર્મ, તેની ફિલસૂફી તેમજ આચારવિચારોએ આખી પૃથ્વીને કોઈકને કોઈક રીતે પ્રભાવિત કરી છે, કારણકે તેની ધરોહર હજારો વરસ જૂની પણ જાનદાર છે. આપણા વેદોમાં જૈન તીર્થંકરોના ઉલ્લેખ છે. ડૉ. રાધાકૃષ્ણને ઈન્ડિયન ફિલોસોફી (વોલ્યુમ : એક, પાનું: ર87) માં લખ્યું છે કે જૈન પરંપરાનો – જૈન ધર્મનો ઉદય ૠષભદેવથી થયો હોવાનો ઉલ્લેખ મળે છે. ઈસવીસન પૂર્વેની પ્રથમ શતાબ્દીમાં જૈનોના પ્રથમ તીર્થંકર ૠષભદેવની પૂજા થતી હોવાના પ્રમાણો મળ્યાં છે (આજે ચોવીસમા તિર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિ છે ) જૈન ધર્મની વિશિષ્ઠતાઓ, વૈજ્ઞાનિક અભિગમ અને તેની યુનિવર્સલ વેલ્યૂ વિશે તો અવારનવાર અઢળક લખાતું રહ્યું છે પણ જૈનકથાઓએ તીર્થંકરોના આદેશ, ઉપદેશ અને આદર્શ વિચારોના પ્રસાર-પ્રચાર થકી આખી દુનિયાને અનેક રીતે પ્રભાવિત કરી છે. જૈન-આગમોમાં મહારાજ શ્રેણિકના પુત્ર અભયકુમારની બુદ્ઘિચાતુરીથી જે કથાઓ છે તે હરિયાણામાં લોક્સાહિત્યમાં અલગ નામથી પ્રસિદ્ઘ છે. જૈમિની સ્ટૂડિયોએ તેના પરથી એક ફિલ્મ પણ બનાવી હતી. ઈતિહાસના પ્રોફેસર ડૉ. ઓ. પી. જાયસ્વાલનો અભ્યાસ તો એવું કહે છે કે જૈન કથાઓના બોધ તેમજ દાર્શનિક તત્વ એટલા ચોટદાર રહ્યાં છે કે ભારતની બહાર આરબ, ચીન, લંકા, યુરોપ સુધી મૂળરૂપે અથવા તો બદલાયેલાં સ્વરૂપે પહોંચી ગઈ છે. ચોખાના પાંચ દાણાવાળી જૈન કથા થોડા અલગ સ્વરૂપે બાઈબલમાં વાંચવા મળે છે તો આશ્ર્ચર્ય ભલે થાય, પણ અલિફ લૈલાની વાર્તાઓનો મૂળ આધાર પણ જૈન કથાઓ જ રહી છે. અસિફ લૈલામાં એક યુવતી બાદશાહની મલ્લિકા બનીને રોજ એક વાર્તા કહે છે અને એ રીતે પોતાનો જીવ બચાવે છે. જૈન કથામાં કનકમંજરી આ રીતે વાર્તા કહીને પોતાના પતિ-રાજાને છ મહીના સુધી પોતાની પાસે રોકી રાખે છે અને યુદ્ઘને ટાળે છે…

આ લેખની શરૂઆતમાં તમે વાંચી એ પણ એક જૈન કથા જ છે. ધ્રુવકુમારના હિન્દી પુસ્તક જૈનધમ કી કહાનિયાં માં આવી અનેક કથા છે. કથાઓમાં લોકોને આકર્ષવાનું લોહચુંબક હોય છે અને તેના ટવિટ તેમજ અંતમાં એક આવતી ચોટ. જે સામાન્ય વ્યક્તિને પણ સરળતાથી બોધ પાસઓન કરી આપે છે.

ગમે કે ન ગમે, પણ જૈન કથા હોય કે બોધ કથા, એ કોઈપણ સાધુ-સાધ્વી, બાપુ, બાબા, જોગી, જતિ, મુનિ, પ્રિસ્ટ, મૌલવી, મૌલાના કરતાં વધુ અસરદાર રીતે લોકોને સત્યપ્રેમી, સૌમ્ય અને સાત્વિક બનાવી શક્તી હોય છે. ખાત્રી ન થતી હોય તો મહાવીર સ્વામીની જૈન કથા ફરી વાંચી જાવ. નવા નવા સૂચિતાર્થો તમને પણ મળશે

You Might Also Like

નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન

વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક

શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સાથે વહીવટી છબરડો

આશિકી ઉર્ફે આસક્તિનું એનાલિસિસ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જગદીશભાઈ, આપની સેવાને સો – સો સલામ
Next Article એકાગ્રતાનો ભંગ કરનાર પરિબળો બહારથી નહીં પણ આપણી ભીતરમાંથી જ આવે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ICC ઓલરાઉન્ડર્સ રેન્કિંગ્સમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર-1

Khaskhabar Editor Khaskhabar Editor 49 seconds ago
ગુજરાતમાં મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર : કુલ 77% વાવણી પૂર્ણ
દિલ્હી-રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર: નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ, સ્કૂલો બંધ
BRICSના લીધે ટ્રમ્પે ભારત પર લાદ્યો 25% ટેરિફ
રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી નરેન્દ્ર આરદેશણાના આશીર્વાદથી સુનીલ દેત્રોજા ડેપ્યુટી લાયબ્રેરિયન બન્યાં
ઈરાન – રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની ભારતને સજા: ટ્રમ્પે 6 કંપની પર પ્રતિબંધ લગાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ધર્મ

વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ધર્મ

શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?