By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    23 hours ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    2 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    3 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    22 hours ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    23 hours ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    23 hours ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    23 hours ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૈનમ-કામદાર નવરાત્રીમાં ખેલૈયાઓની પરિવારનાં સભ્યોની માફક કાળજી રખાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જૈનમ-કામદાર નવરાત્રીમાં ખેલૈયાઓની પરિવારનાં સભ્યોની માફક કાળજી રખાશે
રાજકોટ

જૈનમ-કામદાર નવરાત્રીમાં ખેલૈયાઓની પરિવારનાં સભ્યોની માફક કાળજી રખાશે

Khaskhabar Editor
Last updated: 2024/09/30 at 11:50 AM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

જૈનમ-કામદારના હિતેશભાઇ મહેતા, વિભાશભાઇ શેઠ, હેમલભાઇ શાહ, ચેતનભાઇ કામદાર, ભાવિનભાઇ ઉદાણી, બકુલેશભાઇ મહેતા, જીતુભાઇ લાખાણી તથા પારસભાઇ શેઠ, અમીષભાઇ દેસાઇ, જુગલભાઇ દોશી ખાસ-ખબરની કાર્યાલયની મુલાકાતે આવ્યા હતાં.

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

જૈનમ દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. હાલનાં વર્તમાન સમયમાં માત્ર વડીલો જ નહી પણ મહિલાઓ, યુવાનો અને બાળકોમાં પણ અનેક શારીરીક મુશ્કેલીઓનાં ઘણાં દાખલાઓ જોવા મળે છે. હાલની આરામદાયક લાઈફસ્ટાઈલનાં કારણે અચાનક શારિરીક શ્રમ કરવાનો થાય ત્યારે કોઈકને તકલીફ પડવાની શકયતા બનતી હોય છે. નવરાત્રીનું પર્વ શરૂ થઈ રહયુ છે ત્યારે નવરાત્રી દરમ્યાન કલાકો સુધી અથાગ શ્રમ કરવાથી કોઈપણ ખેલૈયાને કોઈપણ જાતની મુશ્કેલી પડે તો એવા સમયે કોઈનો જીવ જોખમમાં ન મુકાય તેવી પરિવારનાં સભ્યની જેમ ખેલૈયાઓની ચિંતા કરતા જૈનમ ગ્રુપ દ્વારા ઈમરજન્સીનાં સમયે જયારે એક-એક મિનીટ કિંમતી હોય છે ત્યારે કોઈનાં જીવ પર જોખમ ન થાય તે માટે અદ્યતન અને તમામ સુવિધાઓ સાથેની હોસ્પિટલ રાસોત્સવનાં ગ્રાઉન્ડ ખાતે ઉભી કરવામાં આવશે. સ્ટ્રેચર, ઓકિસજન, મેડીકલ સાધનો સાથે ડોકટરોની ટીમ ખડેપગે રહેશે. મેડીકલ ઓફિસર નર્સિંગ સ્ટાફ અને જરૂરી ઈકવીપમેન્ટસ સાથેની હોસ્પિટલમાં ખેલૈયાઓને પડતી નાની-મોટી તમામ તકલીફોનું નિદાન કરવામાં આવશે.

હાઈ-રિસ્ક ઈમરજન્સી સમયે કોઈ વ્યકિતને હોસ્પિટલે ખસેડવાની નોબત આવે તો તે માટે પણ સ્થળ પર એક એમ્બ્યુલન્સ સતત તહેનાત રહેશે. આ એમ્બ્યુલન્સને કોઈ જાતની અડચણ ન આવે અને સમય બગાડયા વગર ગ્રાઉન્ડની બહાર પહોંચી શકે તે માટે ગ્રીન કોરીડોર પણ ઉભો કરવામાં આવશે. કોઈની મહામુલી જીંદગી બચાવી શકવામાં જૈનમ નિમીત બની શકશે તો આ પહેલનો આરંભ કરવાન સંતોષ થશે તેમ જૈનમનાં આયોજકો જીતુ કોઠારી, સુજીત ઉદાણી અને જયેશ વસાએ જણાવ્યુ છે.

જૈનમ દ્વારા આયોજીત જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવ 2024માં અનેક પ્રકારની વ્યવસ્થા સમયે રાસોત્સવનાં ખેલૈયાઓ પણ જૈનમનાં પરિવારજનો જ છે તેવી ચિવટ રાખી ઈમરજન્સીનાં સમયે કોઈને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે માં જગદંબાને પ્રાર્થના કરવા સાથે કદાચ જો આવી સ્થિતી બને ત્યારે તેને પહોંચી વળવા માટે કટીબધ્ધ જૈનમ દ્વારા આઈ.સી.યુ. યુનિટ હોસ્પિટલ ગયા વર્ષની માફક આ વર્ષે પણ તૈયાર કરવાનાં છીએ. જૈનમ પરિવારનાં જ સભ્ય અને આઈ.એમ.એ. રાજકોટનાં પ્રેસીડેન્ટ ડો. પારસભાઈ ડી. શાહ એ આ વ્યવસ્થા અંગે વિશેષમાં માહિતી આપતા જણાવ્યુ છે કે, જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવનાં ગ્રાઉન્ડ ઉપર કોઈપણ હોસ્પિટલમાં હોય છે. તેવુ આઈ.સી.યુ. યુનિટનું માઈક્રો સાઈઝ સેટ-અપ ખડુ કરવામાં આવશે.

- Advertisement -

ગરબાનાં ગ્રાઉન્ડ પર ઈમરજન્સી સમયે દર્દીને આસાનીથી પહોંચાડી શકાય તેવા સ્થાન ઉપર આ ઈમરજન્સી મેડીકલ સેન્ટર માટે એક અલાયદો ટેન્ટ બનાવવામાં આવશે જેમાં બે બેડ, કુલર, 2… પંખા, વ્હીલચેર, સ્ટ્રેચર સહિતની દર્દીને બેસવા, તપાસવા માટેની સુવિધા હશે. મેડીકલ ઈકવીપમેન્ટમાં સ્ટેથોસ્કોપ, પલ્સ ઓકસીમીટર, ઈ.સી.જી. મશીન, ગ્લુકોમીટર, ડેફીબ્રીલેટર, બી.પી. માપવા માટેનું મશીન, મલ્ટીપર્પઝ મોનીટર ઉપલબ્ધ હશે. હૃદય સબંધી હુમલા, છાતીનાં દુ:ખાવા, અચાનક બેભાન થઈ જવા જેવા કિસ્સામાં જૈનમનાં ડેડીકેટેડ કાર્યકર્તાઓને બેઝીક સી.પી.આર. ટ્રેનીંગ આપવામાં આવશે. ઈમરજન્સી સમયે દર્દીને સુગર, પલ્સ, બી.પી., ઓકસીજન માપી જરૂર પડયે ઈન્જેકશન, દવા વિગેરે પણ મળી શકશે. દરરોજ હાજર સ્પેશ્યાલીસ્ટ સીનીયર ડોકટર દ્વારા માર્ગદર્શન અને સારવાર આપી જરૂર જણાયે આગળ રીફર કરી સ્થળ ઉપર સ્ટેન્ડ ટુ રહેનાર એમ્બ્યુલન્સમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવશે.

ડીહાઈડ્રેશન થવા, સુગર લેવલ ઘટી જવા જેવા કિસ્સામાં દર્દીને હાજર બેડમાં ઈન્ટ્રાકેથ દ્વારા બ્લડ સેમ્પલ લઈને જરૂર પડયે ગ્લુકોઝ કે સલાઈનનાં ડોઝ (બાટલા) ચડાવવાની સુવિધા ઉપલબ્ધ હશે. યોગ્ય વેન્ટીલેશન માટે પંખા તેમજ કુલર રાખવામાં આવશે. રમત દરમ્યાન ખેલૈયાઓને વાગી જાય, ઈજા થાય, મોચ આવી જવા જેવા સમયે સ્થળ ઉપર જ જરૂર પડયે ટાંકા લેવા, પટાપીંડી કરવા પેઈનકીલર અને ધનુરનાં ઈન્જેકશનો હાજર રાખવમાં આવશે તેમ ડો. હિરેનભાઈ કોઠારીએ માહિતી આપતા જણાવ્યુ છે. શિવ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનાં સહયોગથી રોજ મેડીકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, આયાબેન વિગેરે ખડે પગે રહેશે. દરરોજ એમ.બી.બી.એસ.થી ઉપરની ડીગ્રી ધરાવતા એકસપર્ટ ડોકટરો નવરાત્રી દરમ્યાન રાત્રે 8 થી 12 સુધી ઉપલબ્ધ રહેશે. આ તકે એકસપર્ટ ડોકટરોની ટીમમાં તજજ્ઞ ડોકટરો ડો. પારસભાઈ ડી. શાહ, ડો. હિરેનભાઈ કોઠારી, ડો. રાજુભાઈ કોઠારી, ડો. અમિતભાઈ હપાણી, ડો. શ્રેણીક દોશી, ડો. જયભાઈ તુરખીયા તેમજ ફીઝીયોથેરાપીસ્ટ ડો. દેવાંશી કોઠારી કે જેઓ જૈનમ પરિવારનાં સભ્યો પણ છે. તેઓ પોતાની સેવાનો લાભ આપવાનાં છે. પંચનાથ હોસ્પિટલનાં સહયોગથી એમ્બયુલન્સ રોજ ગરબાનાં શરૂ થી અંત સુધી સ્ટેન્ડ ટુ રહેશે. એમ્બ્યુલન્સને બહાર નિકળવા માટે કોઈ અડચણ ન પડે તે માટે એક ખાસ ગ્રીન કોરીડોર બનાવવામાં આવશે.

આમ જોવા જઈએ તો એક મીની હોસ્પિટલ કે જયાં કોઈપણ સામાન્ય થી લઈને ગંભીર પરિસ્થિતીને પહોંચી વળવા માટે સજજ સેટ-અપ ખડુ કરવામાં આવશે જયાં મીની આઈ.સી.યુ. યુનિટ, મેડીકલ સાધનો, દવાઓ, તજજ્ઞ ડોકટરો, મેડીકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, સ્ટ્રેચર, બેડ, એમ્બ્યુલન્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે.

આમ કોઈનું મહામુલુ જીવન જયારે અજુકતી પરિસ્થિતીમાં દાવ પર લાગેલ હોય ત્યારે આયોજક જૈનમ પરિવાર ઈશ્વરનાં સંકેતરૂપે એક માધ્યમ બની જો કોઈની જીંદગી બચાવી શકવામાં નિમીત બની શકે તો આનાથી રૂડુ બીજુ શું હોઈ શકે તેવી લાગણી આયોજક એવા જૈનમ પરિવાર દ્વારા વ્યકત કરવામાં આવી છે. આમ જૈનમ રાસોત્સવમાં તમામ વ્યવસ્થાનું માઈક્રો પ્લાનીંગ અને તમામ બાબતોને વણીને જે આયોજન કરવામાં આવી રહયુ છે તેની સરાહના અન્ય સમાજનાં લોકો દ્વારા થઈ રહી છે.

જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવમાં ડૉકટર ટીમ
ડૉ. રાજુ કોઠારી, ડૉ. અમીત હપાણી, ડૉ. હિરેન કોઠારી, ડૉ. પારસ ડી. શાહ, ડૉ. શ્રેણીક દોશી,
ડૉ. જય તુરખીયા, ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. દેવાંશી કોઠારીની અવિરત સેવા આપશે

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

TAGGED: jainam kamadar navratri, navratri, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીવન Undo કે Restoreનો વિકલ્પ આપતું નથી..!
Next Article નેપાળમાં ભારે વરસાદની અસર બિહારના વિસ્તારોમાં જોવા મળી: નદીઓ બની હિંસક, અનેક ગામોનો સંપર્ક વિહોણા થયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?