By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    4 hours ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    3 hours ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    3 hours ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    4 hours ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    4 hours ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જીવન Undo કે Restoreનો વિકલ્પ આપતું નથી..!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > જીવન Undo કે Restoreનો વિકલ્પ આપતું નથી..!
Author

જીવન Undo કે Restoreનો વિકલ્પ આપતું નથી..!

Khaskhabar Editor
Last updated: 2024/09/30 at 11:44 AM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

આપણે ટચ ટેકનોલોજી સાથે જીવતાં શીખી ગયાં છીએ પરંતુ સ્પર્શની અનુભૂતિને અનુભવવાનું ભૂલતાં જઇએ છીએ. સમયની સાથે દોડ લગાવી રેસમાં ઉતરેલો માણસ માનવીય હુંફ કરતા મશીનની સતર્કતાનો આગ્રહી બનતો જાય છે. ભૂતકાળના અફસોસ અને ભવિષ્યની ચિંતાને લઈને સતત ભાગતા રહેવાની આદતે માણસને વર્તમાનમાં જીવવાનું ભુલાવી દીધું છે. આ દોડ બાળપણની માર્કશીટમાં આવતા અંકો અને ગ્રેડથી શરૂ થાય છે, જે આગળ જતા રૂપિયા, નોકરી પછી પ્રેયસી કે પ્રિયપાત્રને મેળવવાની ધેલછા સુધી પહોંચે ત્યાં જીવન 25/30ટકા જીવાઈ ગયું હોય છે..! પછી શરૂ થાય છે કુટુંબના ભરણ પોષણ અને સંતાનોના ભવિષ્યની સુરક્ષા માટેની દોડ, ઘરની જવાબદારીઓ અને પોતાની વધતી ઉંમર અને કથળતા સ્વસ્થ્યને પહોંચી વળવાનાં નિષ્ફળ પ્રયત્નો..! આ બધું મેળવી લે ત્યાં સુધીમાં લગભગ 60 ટકા જેટલું જીવન વિતી ચૂક્યું હોય છે.! હવે કદાચ દોડ પૂરી થઈ જાય પરંતુ સતત જીવનના લક્ષ્યાંકોમાં શ્રેષ્ઠોતમ રીતે ઉતીર્ણ થવાની હોળમાં ઉતરેલી જિંદગી હવે ખાલી પડી જાય છે. સતત વ્યસ્તતા વચ્ચે વિતાવેલું જીવન નિરાંત આપે છે,નિરવતા આપે છે, અને એકાંકી પણું પણ આપે છે.પરંતુ જીવનમાં આવેલી આ નિરાંત હાશકારો આપવાને બદલે હાયકરો આપતી થઈ જાય છે અને પછી શરૂ થાય છે જો અને તો ની કે ગણતરીઓ.!

- Advertisement -

લાકડાના પુલ ઉપરથી અતિશય વેગ થી પસાર થતી ટ્રેન જતી રહ્યા પછી પણ પુલ નો થડકાટ તરત શાંત થતો નથી. બસ એવું જ કંઇક હોય છે જીવન નું..!જીવન માં અચાનક આવેલી નિરાંત ને મન પચાવી શકતું નથી.સતત કાર્યશીલ રહેતું વ્યક્તિ સમયાંતરે નિષ્ક્રિય બની જાય એ પછીની મનોદશા આનંદદાયક ન રહેતા પીડાકારક બની રહે છે.જીવનના આ તબક્કાએ પહોચ્યા પછી નિર્ધારિત કરેલા સફળતાના ધ્યેયને પહોંચી વળવા જે સમય ગુમાવ્યો તેનો અફસોસ એ સમયે સિદ્ધ કરેલ સફળતાના શિખર કરતા અનેક ગણો વધારે હોય છે.ભૂતકાળમાં થયેલી ભૂલો,ગુમાવેલા સંબંધો,અને પરિવાર વચ્ચે જીવી શકાય હોત તેવી નાની નાની પરંતુ મૂલ્યવાન ક્ષણને ગુમાવ્યાં નો વસવસો સતત થતો રહે છે. વાસ્તવિકતાનું ભાન થાય ત્યારે પગ નીચેથી સ્વપ્નાંની જમીન સરકી ગઈ હોય છેઅને ત્યારે મન વિચારે છે કે કદાચ જીવન ની રીલ ને રિવર્સ કરી શકાતી હોત તો..! નકામા ગણી અને ડીલીટ કરેલા સ્વજનોને ફરી પાછા જીવનમાં રીસ્ટોર કરી શકાતા હોત તો..! અને વીતી ગયેલા સમયને ફરી પાછો અંડુ કરી શકાતો હોત તો..! પરંતુ અફસોસજીવન આવી સગવડતાઓ આપતું નથી.

નાના બાળકે બંને હથેળીઓમાં ખૂબ મજબૂતાઈથી પકડેલો કોઈ મૂલ્યવાન હીરો હાથમાંથી સરકી જાય અને જમીન ઉપર પડતા ની સાથે જ જેમ નાના નાના ટુકડાઓમાં વિચ્છેદિત થઈ જાય બસ એવી જ રીતે સમય પણ સમય જતા ક્ષણોમાં વિખરાતો જાય છે અને આપણે એ ટુકડામાં જીવનના પ્રસંગોને પ્રશ્નાર્થ સાથે મુલાવ્યા કરીએ છીએ.જીવનમાં અમુક સમય વિતાવ્યા પછી ભૂતકાળમાં લીધેલા નિર્ણયો કે ગુમાવેલી તક વ્યથા નું કારણ બનતી હોય છે. મન પાસે એ દલીલ ચોક્કસ હોય છે કે,જે તે સમયે લીધેલા નિર્ણયો એ સમયની પરિસ્થિતિની માંગ હતી. નિર્વિકલ્પ જીવન સ્થિતિ માં એ સમયે પસંદ કરેલો વિકલ્પ જ યોગ્ય હતો.આવું સત્ય જાણતા હોવા છતાં કંઈક ગુમાવ્યા નો કે કશુંક છૂટી ગયાનો ભાવ જીવન પર મનના ક્યાંક ખુણે દબાયેલો રહે છે.

જીવનની આ ફિલોસોફીને આપણે બધા જ બહુ સારી રીતે સમજીએ છીએ,જાણીએ છીએ, અને સ્વીકાર્ય પણ છે..છતાં મન મુજબનું જીવન જીવી શકતા નથી. આખી દુનિયા માંથી કોઈ એક વ્યક્તિ પણ એવી નહીં મળે કે જેણે જીવનના અંતે વીતેલા સમય માટે કોઈ અફસોસ વ્યક્ત ન કર્યો હોય..! પરંતુ સૌથી ખૂબી ની વાત એ છે કે આખું જીવન જે ધન સંપત્તિ પ્રતિષ્ઠા હોદ્દો અને સુવિધાઓ પાછળ ખર્ચી નાખી જીવનના અંતે આમાંથી કશું પણ ગુમાવ્યા નો અફસોસ ક્યારે રહેતો નથી.જીવન સંધ્યાએ પહોંચ્યા પછી વ્યક્તિ માટે રૂપ,રૂપિયા,કે રૂતબો અગત્યતા રાખતા નથી.પરંતુ કોઈ સ્નેહાળ સ્વજન અને નિસ્વાર્થ મિત્ર ની કમી ચોક્કસ લાગી આવે છે. જીવન સફરમાં સાથ છોડી ગયેલા કોઈ અંગતની ગેરહાજરી પોતાની હાજરીને પણ ન ગણ્ય ગણી શકાય એટલી હદે દુ:ખદાયી બની જતી હોય છે.
સમયને રોકી શકવાનો યંત્ર આજ સુધી કોઈ વિજ્ઞાન શોધી શક્યું નથી પરંતુ હા સમયને સાચવી રાખવાના ઘણા બધા ઉપાયો આપણી હાથવગા હોય છે. જીવનના કોઈપણ તબક્કે પહોંચ્યા પછી વિતેલા જીવન વિશે ક્યારે અફસોસ ન રહે તેવું જીવન જીવવા માટે નાં આયોજનો ઉંમર માં સમજણને પગથિયે ઉભા રહીએ ત્યારથી કરવું જોઈએ. જીવનમાં પ્રાયોરિટી ખૂબ અગત્યની બાબત હોય છે. ઘણી વખત એવું બનતું હોય કે એક સમયે બનતી બે અગત્યની ઘટના માટે પ્રાથમિકતા નક્કી કરવાની હોય ત્યારે એક બાબત હંમેશા ધ્યાન રાખવી કે વ્યક્તિ હોય કે પરિસ્થિતિ પ્રાથમિકતા તેને જ આપવી જે તમારા અસ્તિત્વને જીવંત રાખવા માટે જરૂરી હોય.જરૂરી નથી દરેક વખતે ભૌતિક બાબતોને જ અગત્યતા આપવી,પરંતુ જરૂરી એ પણ નથી કે સ્વજન કે કુટુંબના નાના નાના સુખ ને જતું કરી આર્થિક સમૃદ્ધિ પાછળ દોટ મૂકવી..!અહીંયા કહેવાનો ભાવાર્થ એવો જરા પણ નથી કે જીવનમાં આર્થિક સધ્ધરતા નું કોઈ મૂલ્ય નથી. પરંતુ રહેવાનું તાત્પર્ય એટલું છે કે,માત્ર પૈસા અને પ્રતિષ્ઠા ખાતર પ્રેમની અવગણના ન કરવી.કારણ કે પૈસા કમાવવાના અને પ્રતિષ્ઠા કે પદ ને પુન: પ્રાપ્ત કરવાની તક ફરી મળી શકેપરંતુ જે સમયે માતા પિતા,પત્ની,કે બાળકો ને જે સમયે તમારી હાજરીને ત્યાં જરૂરિયાત હોય ત્યાં પહેલી પસંદગી આપ્તજનોની કરવી જરૂરી હોય છે.અન્યથા જીવન ની નિરાંત ની ક્ષણો માં ભૌતિક સુવિધાઓ વચ્ચે ભરાયેલા એકલતાનાં મેળે પણ મન તો એકલું જ પડી જશે..!

- Advertisement -

સમય ને હાથ માંથી સરકતી રેતીની ઉપમા આપવામાં આવી છે. રેતીની મુઠ્ઠી ભરી અને જકડી રાખવાના પ્રયત્નમાં આપણે ભૂલી જઈએ છીએ કે મુઠ્ઠીની વચ્ચેથી ધીમીધારે સરતી રહેતી એ રેતી ક્યારે હાથ ખાલી કરે જશે..! સમય અતિશય વેગશીલ હોય છે તે ક્યારેય સમજી શકાતો નથી.અતિતને ભૂલી શકાતું નથી,વર્તમાનને બદલી શકાતું નથી,અને ભવિષ્યને પાર નીકળી શકાતું નથીછતાં ન જાણે અનંતકાળથી કંઈ કેટલા જીવન સમય સાથે દોટ લગાવી રહ્યા છે.કાળનાં આ ચક્રમાં કઈ કેટલા જીવન વિંધાતા જાય છે. પરંતુ માનવી સમયની પેલે પાર પહોંચી શકતો નથી.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: life
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇઝરાઈલ-લેબનાન બોર્ડર નજીક તહેનાત છે 600 ભારતીય સૈનિકો!
Next Article જૈનમ-કામદાર નવરાત્રીમાં ખેલૈયાઓની પરિવારનાં સભ્યોની માફક કાળજી રખાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?