હિન્દુઓને ઘરમાંથી બહાર કાઢીને માર માર્યો, દુકાનો લૂંટી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
- Advertisement -
બાંગ્લાદેશમાં હિંસા અને આગચંપી વચ્ચે, હવે તેમણે લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂૂ કર્યું છે. ટોળું હિંદુઓને નિશાન બનાવી રહ્યું છે. ઘરોને આગ લગાડવામાં આવી રહી છે. દુકાનો લૂંટાઈ રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશના મહેરપુર ઈસ્કોન મંદિરની તસવીરો સામે આવી છે. તોફાનીઓએ આ મંદિરમાં તોડફોડ કર્યા બાદ આગ લગાવી દીધી હતી.
બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીનને બપોરે 3 વાગ્યા સુધીમાં સંસદ ભંગ કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ કડક કાર્યવાહી કરશે. તો બીજી તરફ સર્વપક્ષીય બેઠકમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે પીએમ હસીના ભારત આવ્યા બાદ આઘાતમાં છે. સરકાર તેમને વાત કરતા પહેલા થોડો સમય આપી રહી છે. તે ભવિષ્યને લગતા પોતાના નિર્ણયો લેશે.