ત્રિરંગા થીમ પર તાજીયા બનાવાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
મેંદરડામાં મોહરમ તેહવાર નિમિતે મુસ્લિમ બિરાદરોએ તાજીયા જુલુસ શહેરના માર્ગો પર જોવા મળ્યું હતું ત્યારે મોહરમ નિમિતે તાજીયાના જુલૂસમાં દેશભક્તિનો નજારો જોવા મળ્યો અને તાજીયામાં ત્રિરંગા થીમ પર બનાવામાં આવ્યો હતો જેમાં તાજીયાની અંદર દેશનો નકશો દોરવામાં આવ્યો હતો
- Advertisement -
તાજીયામાં ઉપર નીચે દોરીથી ગુથવામાં આવ્યો હતો ત્રિરંગા થીમ પર બનવામાં આવ્યો હતો આ તાજીયામાં દેશ ભક્તિનો નજારો જોવા મળતા મુસ્લિમ સમાજ દ્વારા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મેંદરડા પીએસઆઇ સોનારા, સરપંચ જે.ડી.ખાવડુ તાલુકા પંચાયત પ્રમુખ દીપક મકવાણા, દિલીપ બાપુ, રતિભાઈ નથવાણી, રાજુભાઈ વિઠલાણી, કરણભાઈ દિનેશભાઈ વેકરીયા દાણીધારીયા, કાનભાઈ મકવાણા તમેજ વગેરે આગેવાનોનું મુસ્લિમ સમાજના આગેવાન ઈદ્રેશભાઈ વડગામા, આર.કે.દલાલ, હારુનભાઈ સોલંકી, રજાકભાઈ કુરેશ, સિરજભાઈ માસ્તર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું મેંદરડા મુખ્ય માર્ગ ઉપર તાજીયા ફરીને આઝાદ ચોક સુધી લય જવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે આઝાદ ચોક ખાતે તાજીય ટાઢા કરવામાં આવ્યા હતા જયારે તાજીયા જુલુને જોવા મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા.