રાજકોટ ગ્રામ્ય વિસ્તારના મતદારો તેમજ કાર્યકરોનો આભાર વ્યક્ત કરતાં 71-ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
- Advertisement -
ગુજરાત સહિત સમગ્ર ભારતની જનતાએ વિશાળ પ્રતિસાદ સાથે બહુમતીથી ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદીને સ્વીકાર્યા છે. આજે સમગ્ર ભારતના લોકોએ સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી અને એન.ડી.એ. પર વિશ્ર્વાસ મૂક્યો છે જેના પરિણામ સ્વરૂપે નરેન્દ્ર મોદીએ વિશ્ર્વફ્લક પર ભારતદેશને વિકાસની તેજ ગતિએ લઈ જવા ગુજરાતની તમામ જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો છે. રાજકોટ 71-ગ્રામ્ય વિધાનસભાની જનતાએ ભારે પ્રતિસાદ સાથે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાને ભવ્ય લીડ સાથે વિજયી બનાવ્યા છે.
રાજકોટ 71-ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના મત વિસ્તારની જનતાના અંદાજિત 2.25 લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ હતો, જેમાંથી અંદાજિત 1.52 લાખ મતદારોએ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારને સ્વીકારી છે. આ જંગી બહુમતીથી જીતાડવા બદલ મંત્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના તમામ મતદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છે.