સંકલ્પ પત્ર દેશના લોકો માટે, લોકો દ્વારા અને લોકોની ભાગીદારીથી
વિકસિત થતાં ભારતનો રોડ મેપ છે, મોદીજીની ગેરંટી છે: રાજુભાઇ ધ્રુવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,તા.17
- Advertisement -
તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રજુ કરેલા ભાજપના સંકલ્પ પત્રમાં 2047નાં વિકસિત ભારતના સપનાંની છાંટ-ઝલક જોવા મળે છે તેમ જણાવી સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, આ સંકલ્પ પત્ર દેશના 140 કરોડ નાગરિકોની આશા અને અપેક્ષા પૂર્ણ કરનારૂં છે. આ સંકલ્પ પત્રમાં રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ સંકલ્પ પત્રથી ભારતના ચાર મજબુત સ્તંભ યુવાઓ, મહિલાઓ, ગરીબો અને ખેડૂતો સશક્ત થશે તેની ગેરંટી છે. તેમણે કહ્યું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતના સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે ત્યારે તેમના દરેક સંકલ્પ ઉપર ઈશ્ર્વરની પ્રેરણા તથા ભારતની જનતાના આશીર્વાદ વરસી રહ્યા છે. ભાજપના સંકલ્પ પત્રમાં દેશના નાગરિકો પ્રત્યેની નિષ્ઠા જોવા મળે છે અને આ સંકલ્પ પત્ર દેશના લોકો માટે લોકો દ્વારા અને લોકોની ભાગીદારીથી તૈયાર વિકસિત ભારતનો રોડમેપ છે. રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું છે કે દેશના નાગરિકોની આશા અને આકાંક્ષાને પ્રતિબિંબિત કરતાં આ સંકલ્પ પત્રમાં જનતાની સેવા કરવાની ગેરંટી આપવામાં આવી છે. આ વખતે પણ જનતા જનાર્દનના આશીર્વાદથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 400થી વધુ બેઠકો જીતાડશે તેવો વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશમાં સુશાસનનો પાયો મજબૂત કર્યો છે તેના કારણે ગુજરાતમાં તમામ 26 બેઠક પર જનતાના આશીર્વાદથી ભવ્ય જીત મળશે.
સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડમેપ છે તેમ જણાવતાં રાજુભાઈ ધ્રુવે વધુમાં કહ્યું છે કે ભાજપના સંકલ્પ પત્રમાં 24 જેટલા મહત્વના મુદ્દાનો સમાવેશ કરવામા આવ્યો છે. કોંગ્રેસના સમયમાં આતંકવાદથી ગ્રસ્ત દેશ આજે સુરક્ષીત દેશ બન્યો છે તેની ગેરંટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપી છે. તેમણે દેશના ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને ઉત્તમ સારવાર મળે તે માટે આયુષ્યમાન કાર્ડ યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના વડિલોને લાભ મળે તે માટે જાહેરાત કરી છે. મહિલાઓની સુરક્ષા અધિકારીઓનુ રક્ષણ, વિકાસ માટે અનેક યોજના દ્વારા દેશની મહિલાઓને વિશ્ર્વાસ અપાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકસભા અને રાજયસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો ઐતિહાસીક નિર્ણય કર્યો છે. આ સિવાય તેમણે ખેડૂતો કિસાન સન્માન નિધી યોજના જાહેરાત કરી હતી. ભાજપે જે વચનો આપ્યા હતા તે પુરા પણ કર્યા છે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે કહ્યું છે કે, અયોધ્યામાં શ્રી રામ ભગવાનના ભવ્ય મંદિરનું નિર્માણ તેની સાબિતી છે.આ મંદિરનું નિર્માણ એ રામ રાજ્યની દિશામાં મહત્વનું પગલું છે. ભારતવાસીઓએ 60 વર્ષ કરતા પણ વધુ સમય સુધી તુષ્ટિકરણનું રાજકારણ જોયું છે. હિન્દુઓને તેમના અધિકારોથી વંચિત રાખીને થોડા લોકોને લાભ આપવાની બંધારણ વિરોધી માનસિકતા પણ લોકોએ જોઈ છે.
રાજુભાઈ ધ્રુવે વધુ માં જણાવ્યું કે એક દેશ એક ચૂંટણી એ જે એક સ્વપ્ન લાગતું હતું તે નરેન્દ્રભાઈ ના મજબૂત નેતૃત્વ માં આગામીવર્ષોમાં અમલી બનશે. જે દેશ ના વિકાસ માં એક બળ પૂરું પડશે રાજુભાઇ ધ્રુવે જણાવ્યું કે આ સંકલ્પપત્ર ના હાર્દ માં મહિલા યુવાનો ખેડૂતો ના સશક્તિકરણ નો એક સીમાચિહ્નન સમાન સંકલ્પ બની રહેશે. જેમાં પ્રથમ વખત રોકાણ થી રોજગારી નો ખ્યાલ આપ્યો છે દેશ ના યુવા વર્ગ ખુદ માટે રોજગારી સર્જે તે જ નહીં ખુદ રોજગાર આપનાર બની રહે તે નિશ્ચિત કરશે અને યુવાનો ને સ્વાવલંબી બનવા માટે અનેરું અનોખું બળ પૂરું પાડશે. 70 વર્ષ થી ઉપરના તમામ વડીલો ને મફત સારવાર, ગરીબો માટે 3 કરોડ ઘરો, મુદ્રાલોનમાં વધારો, 1 લાખ લખપતિ દીદીથી મહિલા સશક્તિકરણ એ સમાજ ના તમામ વર્ગ માટે મોદીની ગેરન્ટી છે.
- Advertisement -
શ્રી ધ્રુવે વધુમાં જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને હવે દેશ ના સૌથી લોકપ્રિય વડાપ્રધાન તરીકે તથા વિશ્વિક નેતા તરીકે. ભારતને વિશ્વગુરુ બનાવવા ના સંકપ સાથે નરેન્દ્રભાઈ એ જે આત્મનિર્ભર વિકસિત અને સુવિધાયુક્ત ભારત નો યજ્ઞ શરૂ કયો છે તેમાં સર્વાંગી વિકાસ કેન્દ્રસ્થાને છે. આપણે દેશની કાયાપલટ છેલ્લા 10 વર્ષ માં જોઈ શક્યા છીએ. ગ્રામીણ માર્ગો થી એક્સપ્રેસ હાઇવે એ નવા ભારત ની ઓળખ બની છે આવનારા દિવસોમાં બુલેટ ટ્રેન પણ સમગ્ર દેશને જોડશે.સ્વાભિમાન, ખુમારી, આધ્યાત્મિતા, નૈતિક મૂલ્યો, સાંસ્કૃતિક વારસા ને આધુનિકતા, વૈજ્ઞાનિક સંશોધનો, નવી નવી ટેકનોલોજી સાથે જોડી દેશ નો સર્વાંગીણ અને સમરસ વિકાસ કરી મહાસત્તા બનાવવા ના ધ્યેય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દેશ ને આગળ વધારી રહ્યા હોય ત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાત હરહમેંશ અગાઉ 2014 અને 2019 ની લોકસભાની ચૂંટણી ની જેમ આ વખતે પણ ભાજપ ને તમામ 26 બેઠકો 5 લાખ કરતા વધુ મતો થી વિજેતા બનાવી ભારત ને વિશ્વગુરુ બનાવવા સાથ આપશે તેવો દ્રઢ વિશ્વાસ રાજુભાઈ ધ્રુવે વ્યક્ત કર્યો છે.