અહિંયા બીજી જ્ઞાતિ, ધર્મ કે અન્ય અટક ધરાવતા લોકો રહેતા નથી!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
- Advertisement -
રાજકોટ તાલુકામાં એક એવુ ગામ આવેલુ છે કે જ્યાં માત્ર એક જ પરિવારના લોકો રહે છે.આ ગામનું નામ છે હિરાસર ગામ. જો કે હિરાસર ગામ પહેલા આટલુ પ્રખ્યાત ન હતું.પણ હવે ત્યાં ઈન્ટરનેશનલ એરપોર્ટ આવતા આ ગામ દુનિયાના નકસામાં પ્રખ્યાત થઈ ગયું છે.હિરાસર ગામ એક એવુ ગામ છે કે જ્યાં માત્ર સોલંકી પરિવારના જ લોકો રહે છે. અહિંયા બીજી જ્ઞાતિ, ધર્મ કે અન્ય અટક ધરાવતા લોકો અહિંયા રહેતા નથી.
રાજકોટ તાલુકાનું છેલ્લુ ગામ એટલે હિરાસર ગામ.ત્યારે આ ગામના વતની ભુપતભાઈ સોલંકીએ કહ્યું કે આ ગામ અમારા બાપદાદાએ વસાવેલુ છે.અને આ ગામમાં સોલંકી પરિવારના જ લોકો રહે છે.સોલંકી પરિવાર કે જે તળપદા કોળી છે તેઓ 200 વર્ષ પહેલા આ ગામમાં આવ્યાં હતા અને આ ગામ તેમને વસાવ્યું હતું.
જ્યારે આ ગામ વસ્યું ત્યારે દાદાના 5 દિકરા હતા અને આ 5 દિકરાનો જ વંશ આ ગામમાં આજે રહે છે.આ ગામમાં માત્ર સોલંકી પરિવારના જ લોકો રહે છે.અહિંયા કોઈ બીજી જ્ઞાતિ કે અટકવાળા રહેતા નથી.અહિંયા તળપદા કોળી સમાજની અલગ અટકના પણ લોકો રહેતા નથી.
- Advertisement -
આ ગામમાં માત્રને માત્ર સોલંકી અટકવાળા જ પરિવારના સભ્યો રહે છે.વચ્છરાજ દાદાની કૃપાથી અહિંયા માત્ર સોલંકી પરિવારના જ લોકો રહી શકે છે.આ સાથે જ આ ગામ પર મા કાળીમાની કૃપા છે.કારણ કે અહિંયા જે પણ વ્યક્તિ કામધંધો કરે છે તેને ક્યારેય નુકસાની આવતી નથી.તેનું જીવન આરામથી પસાર થાય છે.
હિરાસર ગામ પહેલા આટલુ પ્રખ્યાત ન હતું.પણ જ્યારથી અહિંયા હિરાસર એરપોર્ટ બન્યું છે.ત્યારથી આ ગામ ખુબ જ પ્રખ્યાત થઈ ગયું છે.ભુપતભાઈનું કહેવુ છે કે આ ગામનો જોઈએ તેવો હજુ વિકાસ થયો નથી.પણ આ એરપોર્ટ આવવાના કારણે હવે વિકાસ થાય તો સારૂ રહેશે.