જૂનાગઢ-દેલવાડા ટ્રેનના સમયમાં આંશિક ફેરફાર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
અમરેલી-ખીજડીયા સેકશનને બ્રોડગેજમાં રૂપાંતરીત કરવા માટે રેલવે તંત્ર દ્વારા આગામી 6 માસ માટે અમરેલી- વિસાવદર વચ્ચે રેલ સેવા હંગામી ધોરણે સ્થગિત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આથી હાલ અમરેલી-જૂાગઢ અને વેરાવળ રૂટ પર જે ટ્રેન દોડે છે તે વેરાવળ-જૂનાગઢ રૂટ પર દોડશે. આ ઉપરાંત વેરાવળ-દેલવાડા અને જૂનાગઢ-દેલવાડા ટ્રેનના સમયમાં આંશીક ફેરફાર કરવામાં આવ્યો છે.
અમરેલી જિલ્લામાં મીટરગેજ રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. અમરેલી-ખીજડીયા સેકશન વચ્ચે બ્રોડગેજનું કામ શરૂ કરવામાં આવનાર છે. આથી રેલવે તંત્ર દ્વારા તા.26 એપ્રિલથી આગામી 6 માસ માટે અમરેલી-વિસાવદર મીટરગેજ લાઇન પર રેલ સેવા હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવશે. ભાવનગર ડીવીઝનના સિનિયર ડીસીએમ અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યુ હતુ કે, હાલ મીટરગેજ વિભાગમાં 10 ટ્રેન ચાલી રહી છે. તે ભવિષ્યમાં પણ ચાલતી રહેશે.
- Advertisement -
ગેજ રૂપાંતર પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રેનના પ્રસથાન, મંતવ્ય અને ઓપરેટીંગ સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં હાલ અમરેલી-જૂનાગઢ વચ્ચે ટ્રેન ચાલે છે તે વેરાવળ-જૂનાગઢ વચ્ચે દોડશે. વેરાવળ-અમરેલી વચ્ચે જે ટ્રેન ચાલે છે તે પણ વેરાવળ-જૂનાગઢ વચ્ચે દોડશે. વેરાવળ-દેલવાડા અને જૂનાગઢ-દેલવાડા ટ્રેનના સમયમાં 10-10 મિનીટનો ફેરફાર કરવામાં આવ્યો છે. દેલવાડાથી વેરાવળ જતી ટ્રેન 8ના બદલે 7:50 કલાકે ઉપડશે અને વેરાવળથી 11:20 કલાકને બદલે 11:15ના પહોંચશે. જ્યારે જૂનાગઢ-દેલવાડા ટ્રેન સવારે 8:15ના બદલે 8 વાગ્યે ઉપડશે અને 3:25ના બદલે 2:40ના દેલવાડા પહોંચશે. દેલવાડાથી 11:30ના બદલે 11 વાગ્યે ટ્રેન ઉપડી 6:25ના બદલે 6 વાગ્યે જૂનાગઢ પહોંચશે.