By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    10 minutes ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ
    2 minutes ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    10 minutes ago
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    2 days ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    2 days ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    15 minutes ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    5 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    6 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 days ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    2 days ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
મનોરંજન

ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?

Khaskhabar Editor
Last updated: 2025/12/12 at 4:20 PM
Khaskhabar Editor 6 months ago
Share
5 Min Read
SHARE

ફિલ્મ ધુરંધરનું વાવાઝોડું શમતું નથી

રણવીર સિંહ, સંજય દત્ત અને અર્જુન રામપાલ અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ છે, કારણ કે તે એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જે એક્શન, દેશભક્તિ અને ડ્રામાથી ભરપૂર છે. ફિલ્મના ફર્સ્ટ લૂકથી જ એવી અટકળો ચાલી રહી હતી કે રણવીર સિંહ શહીદ મેજર મોહિત શર્માની ભૂમિકા ભજવશે. જોકે દિગ્દર્શક આદિત્ય ધરે આ અટકળોને ફગાવી દીધી હતી. શહીદના પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (ઈઇઋઈ) એ ફિલ્મની સમીક્ષા કરી અને મંજૂરી આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, આ ફિલ્મ મેજર શર્માના જીવન સાથે કોઈ સામ્યતા ધરાવતી નથી. પ્રશ્ર્ન એ ઊભો થાય છે કે જો ફિલ્મ મેજર મોહિત શર્માના જીવન પર આધારિત નથી તો ‘ધુરંધર’ની રિયલ સ્ટોરી શું છે અને રિયલ કેરેક્ટર કોણ છે?
રેડિટ, ડિસ્કોર્ડ અને બોલિવૂડ સબરેડિટ્સ જેવા ઓનલાઈન ફોરમ અનુસાર આ ફિલ્મની પ્રાથમિક પ્રેરણા ઓપરેશન લ્યારી છે, જે 2012થી 2017 સુધી પાકિસ્તાનના કરાચીના કુખ્યાત લ્યારી વિસ્તારમાં સૌથી લાંબા સમય સુધી ચાલેલું ગુપ્ત ઓપરેશન છે. ફૂટબોલ પ્રત્યેના જુસ્સાને કારણે લ્યારી એક સમયે કરાચીના ‘લિટલ બ્રાઝિલ’ તરીકે જાણીતું હતું પરંતુ 1960ના દાયકાથી તે ડ્રગ માફિયા, હથિયારોની દાણચોરી અને ગેંગ વોરનું કેન્દ્ર બની ગયું.

- Advertisement -

ઊંડા રીસર્ચ, દમદાર અભિનય, ઉમદા સ્ક્રિપ્ટ અને અદ્ભૂત ડાયરેક્શનની દેશ-વિદેશમાં પ્રશંસા

આર. માધવન અજિત ડોભાલથી પ્રેરિત ફિલ્મમાં અજય સાન્યાલની ભૂમિકા ભજવે છે. માધવને ખુલાસો કર્યો કે દિગ્દર્શકે તેમને કહ્યું હતું, ‘અજીત ડોભાલ સર જેવા દેખાવા માટે તમારા હોઠ પાતળા કરો.’ અજિત ડોભાલ 1968 બેચના ઈંઙજ અધિકારી છે. તેમણે 15 વિમાન હાઇજેકિંગના કેસ ઉકેલ્યા, ઓપરેશન બ્લુ સ્ટારમાં ઘૂસણખોરી કરી અને આતંકવાદીઓની યાદી તૈયાર કરી. આજે તેઓ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા એનએસએ છે. ફિલ્મમાં માધવનનું પાત્ર લ્યારી ઓપરેશનનો માસ્ટરમાઇન્ડ છે.
સંજય દત્ત એસએસપી ચૌધરીની ભૂમિકા ભજવે છે. તે પાકિસ્તાનના પ્રખ્યાત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ચૌધરી અસલમ ખાનનું પાત્ર ભજવે છે. ચૌધરી અસલમ ખાને લ્યારી ટાસ્ક ફોર્સની રચના કરી હતી, જે રહેમાન ડકૈત અને ઉઝૈર બલોચ જેવા મોટા ગેંગસ્ટરોને એન્કાઉન્ટરમાં ધરપકડ કરતા હતા અથવા મારી નાખતા હતા. તે આતંકવાદી સંગઠનો ટીટીપી અને લશ્કર-એ-ઝાંગવીના નિશાના બન્યા હતા. 2014માં આતંકવાદી સંગઠનોએ કરાચી મોટરવે પર તેમના કાફલાને ઉડાવી દીધો હતો. સંજય દત્તની સિગારેટ સ્ટાઇલને બિલકુલ અસલમ ખાનની જેમ દર્શાવવામાં આવી છે. ચૌધરી અસલમની વિધવાએ ફિલ્મમાં કેટલાક દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો.
ધુરંધરમાં અક્ષય ખન્ના રહેમાન ડકૈત તરીકે જોવા મળે છે, જે એક કુખ્યાત ગેંગસ્ટર છે. રહેમાન ડકૈતના પિતા, દાદલ બલોચ 1960 અને 1970ના દાયકામાં લ્યારીનો પહેલો મોટો ડ્રગ લોર્ડ હતો. ગરીબોને પૈસા વહેંચવા બદલ રહેમાન ‘રોબિન હૂડ’ તરીકે જાણીતો હતો. તેનો સૌથી મોટો દુશ્મન અરશદ પપ્પુ હતો. ફિલ્મમાં અક્ષય ખન્નાને રસ્તા પર તેને નિર્દયતાથી મારવામાં આવે છે તે દ્રશ્ય આ જૂની દુશ્મનાવટનો ઉલ્લેખ કરે છે. 2009માં ચૌધરી અસલમ દ્વારા એન્કાઉન્ટરમાં રહેમાનનું મોત થયું હતું.
ઇલ્યાસ કાશ્મીરી પર આધારિત ફિલ્મનો સૌથી ખતરનાક ખલનાયક અર્જુન રામપાલનું પાત્ર ‘મેજર ઇકબાલ’ છે. ઇલ્યાસ કાશ્મીરીને ઓસામા બિન લાદેનનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. તે હરકત-ઉલ-જેહાદ બ્રિગેડનો વડા અને 313 બ્રિગેડનો સ્થાપક હતો. તે 26/11ના મુંબઈ હુમલા, પુણે બોમ્બ વિસ્ફોટ અને બેનઝીર ભુટ્ટોની હત્યામાં સંડોવાયેલો હતો. 2011માં યુએસ ડ્રોન હુમલામાં તેનું મોત થયું હતું પરંતુ એક વર્ષ સુધી તેની કોઈ પુષ્ટિ મળી ન હતી. ફિલ્મમાં જ્યાં અર્જુન રામપાલ એક ભારતીય સૈનિક પર અત્યાચાર કરે છે તે દ્રશ્ય ઇલ્યાસ કાશ્મીરીની ક્રૂરતાને પ્રતિબિંબિત કરે છે.
રણવીર સિંહ કયું પાત્ર ભજવી રહ્યો છે? આ પ્રશ્ર્ન લોકોના મનમાં છે. ટ્રેલર કે ફિલ્મ જોયા પછી લોકોએ ધાર્યું કે આ પાત્ર મેજર મોહિત શર્મા પર આધારિત છે, જે 2009માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જોકે, ફિલ્મમાં કોઈ પણ પાત્ર મેજર મોહિત શર્માથી પ્રેરિત નથી. ફિલ્મમાં રણવીર સિંહ એક ભારતીય ગુપ્ત જાસૂસની ભૂમિકા ભજવે છે જે લ્યારીમાં ઘૂસણખોરી કરે છે અને આતંકવાદી નેટવર્કનો નાશ કરે છે. આ પાત્ર કોઈ એક વ્યક્તિ પર આધારિત નથી, પરંતુ ભારતના પેરા-સ્પેશિયલ ફોર્સિસ અને રોવના હીરોનું મિશ્રણ છે જેમણે પાકિસ્તાનમાં ગુપ્ત મિશન હાથ ધર્યા છે.
ખાસ કરીને આ ફિલ્મનો રનટાઇમ 3 કલાક અને 34 મિનિટનો છે અને તેને એ સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મમાં સારા અર્જુન, રાકેશ બેદી, માનવ ગોહિલ અને ક્રિસ્ટલ ડિસોઝા જેવા કલાકારો છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર ચોક્કસ તમારા હોશ ઉડાડી દેશે. 200 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મના નિર્માતાઓ ટૂંકસમયમાં બીજો ભાગ લઈને આવી રહ્યા છે.

You Might Also Like

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન

‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ

Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ

‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંસદમાં રાહુલે વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો
Next Article વારાણસીમાં ભારતની પ્રથમ વોટર હાઈડ્રોજન ટેક્સીનો પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
મનોરંજન

`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
મનોરંજન

‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?