By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    12 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    12 hours ago
    ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
    13 hours ago
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    14 hours ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    11 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    12 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    12 hours ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    1 day ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    12 hours ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    14 hours ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    14 hours ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    2 days ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    14 hours ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    4 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    7 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
મનોરંજન

ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?

Khaskhabar Editor
Last updated: 2025/12/12 at 4:20 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

ફિલ્મ ધુરંધરનું વાવાઝોડું શમતું નથી

રણવીર સિંહ, સંજય દત્ત અને અર્જુન રામપાલ અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ છે, કારણ કે તે એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જે એક્શન, દેશભક્તિ અને ડ્રામાથી ભરપૂર છે. ફિલ્મના ફર્સ્ટ લૂકથી જ એવી અટકળો ચાલી રહી હતી કે રણવીર સિંહ શહીદ મેજર મોહિત શર્માની ભૂમિકા ભજવશે. જોકે દિગ્દર્શક આદિત્ય ધરે આ અટકળોને ફગાવી દીધી હતી. શહીદના પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (ઈઇઋઈ) એ ફિલ્મની સમીક્ષા કરી અને મંજૂરી આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, આ ફિલ્મ મેજર શર્માના જીવન સાથે કોઈ સામ્યતા ધરાવતી નથી. પ્રશ્ર્ન એ ઊભો થાય છે કે જો ફિલ્મ મેજર મોહિત શર્માના જીવન પર આધારિત નથી તો ‘ધુરંધર’ની રિયલ સ્ટોરી શું છે અને રિયલ કેરેક્ટર કોણ છે?
રેડિટ, ડિસ્કોર્ડ અને બોલિવૂડ સબરેડિટ્સ જેવા ઓનલાઈન ફોરમ અનુસાર આ ફિલ્મની પ્રાથમિક પ્રેરણા ઓપરેશન લ્યારી છે, જે 2012થી 2017 સુધી પાકિસ્તાનના કરાચીના કુખ્યાત લ્યારી વિસ્તારમાં સૌથી લાંબા સમય સુધી ચાલેલું ગુપ્ત ઓપરેશન છે. ફૂટબોલ પ્રત્યેના જુસ્સાને કારણે લ્યારી એક સમયે કરાચીના ‘લિટલ બ્રાઝિલ’ તરીકે જાણીતું હતું પરંતુ 1960ના દાયકાથી તે ડ્રગ માફિયા, હથિયારોની દાણચોરી અને ગેંગ વોરનું કેન્દ્ર બની ગયું.

- Advertisement -

ઊંડા રીસર્ચ, દમદાર અભિનય, ઉમદા સ્ક્રિપ્ટ અને અદ્ભૂત ડાયરેક્શનની દેશ-વિદેશમાં પ્રશંસા

આર. માધવન અજિત ડોભાલથી પ્રેરિત ફિલ્મમાં અજય સાન્યાલની ભૂમિકા ભજવે છે. માધવને ખુલાસો કર્યો કે દિગ્દર્શકે તેમને કહ્યું હતું, ‘અજીત ડોભાલ સર જેવા દેખાવા માટે તમારા હોઠ પાતળા કરો.’ અજિત ડોભાલ 1968 બેચના ઈંઙજ અધિકારી છે. તેમણે 15 વિમાન હાઇજેકિંગના કેસ ઉકેલ્યા, ઓપરેશન બ્લુ સ્ટારમાં ઘૂસણખોરી કરી અને આતંકવાદીઓની યાદી તૈયાર કરી. આજે તેઓ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા એનએસએ છે. ફિલ્મમાં માધવનનું પાત્ર લ્યારી ઓપરેશનનો માસ્ટરમાઇન્ડ છે.
સંજય દત્ત એસએસપી ચૌધરીની ભૂમિકા ભજવે છે. તે પાકિસ્તાનના પ્રખ્યાત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ચૌધરી અસલમ ખાનનું પાત્ર ભજવે છે. ચૌધરી અસલમ ખાને લ્યારી ટાસ્ક ફોર્સની રચના કરી હતી, જે રહેમાન ડકૈત અને ઉઝૈર બલોચ જેવા મોટા ગેંગસ્ટરોને એન્કાઉન્ટરમાં ધરપકડ કરતા હતા અથવા મારી નાખતા હતા. તે આતંકવાદી સંગઠનો ટીટીપી અને લશ્કર-એ-ઝાંગવીના નિશાના બન્યા હતા. 2014માં આતંકવાદી સંગઠનોએ કરાચી મોટરવે પર તેમના કાફલાને ઉડાવી દીધો હતો. સંજય દત્તની સિગારેટ સ્ટાઇલને બિલકુલ અસલમ ખાનની જેમ દર્શાવવામાં આવી છે. ચૌધરી અસલમની વિધવાએ ફિલ્મમાં કેટલાક દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો હતો.
ધુરંધરમાં અક્ષય ખન્ના રહેમાન ડકૈત તરીકે જોવા મળે છે, જે એક કુખ્યાત ગેંગસ્ટર છે. રહેમાન ડકૈતના પિતા, દાદલ બલોચ 1960 અને 1970ના દાયકામાં લ્યારીનો પહેલો મોટો ડ્રગ લોર્ડ હતો. ગરીબોને પૈસા વહેંચવા બદલ રહેમાન ‘રોબિન હૂડ’ તરીકે જાણીતો હતો. તેનો સૌથી મોટો દુશ્મન અરશદ પપ્પુ હતો. ફિલ્મમાં અક્ષય ખન્નાને રસ્તા પર તેને નિર્દયતાથી મારવામાં આવે છે તે દ્રશ્ય આ જૂની દુશ્મનાવટનો ઉલ્લેખ કરે છે. 2009માં ચૌધરી અસલમ દ્વારા એન્કાઉન્ટરમાં રહેમાનનું મોત થયું હતું.
ઇલ્યાસ કાશ્મીરી પર આધારિત ફિલ્મનો સૌથી ખતરનાક ખલનાયક અર્જુન રામપાલનું પાત્ર ‘મેજર ઇકબાલ’ છે. ઇલ્યાસ કાશ્મીરીને ઓસામા બિન લાદેનનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. તે હરકત-ઉલ-જેહાદ બ્રિગેડનો વડા અને 313 બ્રિગેડનો સ્થાપક હતો. તે 26/11ના મુંબઈ હુમલા, પુણે બોમ્બ વિસ્ફોટ અને બેનઝીર ભુટ્ટોની હત્યામાં સંડોવાયેલો હતો. 2011માં યુએસ ડ્રોન હુમલામાં તેનું મોત થયું હતું પરંતુ એક વર્ષ સુધી તેની કોઈ પુષ્ટિ મળી ન હતી. ફિલ્મમાં જ્યાં અર્જુન રામપાલ એક ભારતીય સૈનિક પર અત્યાચાર કરે છે તે દ્રશ્ય ઇલ્યાસ કાશ્મીરીની ક્રૂરતાને પ્રતિબિંબિત કરે છે.
રણવીર સિંહ કયું પાત્ર ભજવી રહ્યો છે? આ પ્રશ્ર્ન લોકોના મનમાં છે. ટ્રેલર કે ફિલ્મ જોયા પછી લોકોએ ધાર્યું કે આ પાત્ર મેજર મોહિત શર્મા પર આધારિત છે, જે 2009માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન મૃત્યુ પામ્યા હતા. જોકે, ફિલ્મમાં કોઈ પણ પાત્ર મેજર મોહિત શર્માથી પ્રેરિત નથી. ફિલ્મમાં રણવીર સિંહ એક ભારતીય ગુપ્ત જાસૂસની ભૂમિકા ભજવે છે જે લ્યારીમાં ઘૂસણખોરી કરે છે અને આતંકવાદી નેટવર્કનો નાશ કરે છે. આ પાત્ર કોઈ એક વ્યક્તિ પર આધારિત નથી, પરંતુ ભારતના પેરા-સ્પેશિયલ ફોર્સિસ અને રોવના હીરોનું મિશ્રણ છે જેમણે પાકિસ્તાનમાં ગુપ્ત મિશન હાથ ધર્યા છે.
ખાસ કરીને આ ફિલ્મનો રનટાઇમ 3 કલાક અને 34 મિનિટનો છે અને તેને એ સર્ટિફિકેટ મળ્યું છે. ફિલ્મમાં સારા અર્જુન, રાકેશ બેદી, માનવ ગોહિલ અને ક્રિસ્ટલ ડિસોઝા જેવા કલાકારો છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર ચોક્કસ તમારા હોશ ઉડાડી દેશે. 200 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મના નિર્માતાઓ ટૂંકસમયમાં બીજો ભાગ લઈને આવી રહ્યા છે.

You Might Also Like

દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે

રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા

Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો

યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંસદમાં રાહુલે વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો
Next Article વારાણસીમાં ભારતની પ્રથમ વોટર હાઈડ્રોજન ટેક્સીનો પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હનીટ્રેપમાં ફસાવી બોટાદના વૃદ્ધ પાસેથી 12 લાખ પડાવનાર બે યુવતી સહિત 3 ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ, 70 લાખની ઠગાઈની ફરિયાદ
રૈયાધારના શખ્સે દેવું ઉતારવા બનાવેલી બે નોટ બજારમાં ચાલી જતા વધુ નોટો બનાવવાનું શરુ કર્યું હતું
ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ કેશલેસ સારવારનો લાભ મળશે
બેરોજગારી ઘટાડવામાં ગુજરાત મોખરે
રાજકોટમાં બપોરે 1થી 4 વાગ્યા ટ્રાફિક સિગ્નલો બંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
મનોરંજન

રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
મનોરંજન

Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?