By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    11 hours ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    1 day ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    2 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    3 days ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સંભલ મસ્જિદનો 35 ફૂટ ઊંચો મિનાર તોડી પડાયો
    9 hours ago
    TCS કાંડમાં SIT એક્શન મોડમાં: આરોપી ઇંછ મેનેજર નિદા ખાન મુંબઈમાં છુપાઈ હોવાનું લોકેશન ટ્રેસ
    9 hours ago
    ₹500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે
    9 hours ago
    મહિલા અનામત બિલ : રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, વિપક્ષની લોકસભા સ્પીકર સાથે બેઠક
    10 hours ago
    અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત રશિયા પાસેથી ઓઈલ-LPG ખરીદતું રહેશે
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    11 hours ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    1 day ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    2 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    2 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 day ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાયમી હદયસ્થ એવા વિજયભાઈ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા હતા: મિલન કોઠારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કાયમી હદયસ્થ એવા વિજયભાઈ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા હતા: મિલન કોઠારી
રાજકોટ

કાયમી હદયસ્થ એવા વિજયભાઈ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા હતા: મિલન કોઠારી

Khaskhabar Editor
Last updated: 2025/06/14 at 5:58 PM
Khaskhabar Editor 10 months ago
Share
5 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે નથી અને માત્ર તેમની યાદો અને તેમની સાથેના સંસ્મરણો છે. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત માનવા માટે હજુ મન તૈયાર જ થતું નથી પરંતુ કડવી વાસ્તવિકતા આપણી સામે જ છે. અડધી રાતના હોંકારા જેવા વિજયભાઈ આજે સ્વર્ગસ્થ બની ગયા છે.

- Advertisement -

હું તો એટલું કહીશ કે વિજયભાઈની ઓળખ કોઈ વ્યક્તિ તરીકે નહી પરંતુ એક સંસ્થા તરીકેની વધુ હતી. તેઓનું પોતાનું પૂજિત રૂપાણી ટ્રસ્ટ તો હતું અને બાળકોની સેવા કરતા હતા પરંતુ બીજી અનેક એવી સંસ્થા હતી જેમાં વિજયભાઈએ પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું.

લોકસેવાના સંસ્કાર એ જાણે વિજયભાઈની ઓળખ હતા. પોતાના કુમળીવયના પુત્રને ગુમાવ્યો એ પછી એની કાયમી સ્મૃતિ જાળવી રાખવા માટે વિજયભાઈએ દાયકાઓ પહેલાં ‘પૂજિત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી હતી અને શહેરના અત્યંત છેવાડાના દરિદ્ર તેમજ પછાત વિસ્તારમાં માનવસેવાની ધૂણી ધખાવી હતી. આજે આ સંસ્થા વટવૃક્ષ સમાન વિકસી છે અને રાત-દિવસ માનવસેવાના અનેકવિધ કાર્યો કરે છે. પછાત વર્ગના બાળકો તેમજ મહિલાઓ માટે શિક્ષણ, તાલીમ અને આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોના માધ્યમથી આ સંસ્થા સાચા અર્થમાં જરૂરિયાતવાળા લોકોની અવિરત સેવા કરી રહી છે.

જૈન વિઝન સંસ્થા સાથેના તેમના સંબંધોની વાત કરું તો અનેક અશક્ય લાગતા અમારા જૈન વિઝનના પ્રોજેક્ટ કાર્યોમાં તેઓ જ મદદરૂપ થયેલા! કદાચ એમના નિખાલસ સાલસ સ્વભાવ અને મદદ કરવાની ભાવનાને લીધે રાજકોટના લોકોને તો તેઓ ક્યારેય એવા મોટા માણસ લાગ્યા જ નથી કહીએ તો ખોટું નથી! ખરેખર મોટા માણસ બન્યા પછી પણ એમની જેમ જમીન ઉપર જોડાઈ રહી શકે એવા જૂજ માણસો હોય છે. ગુજરાતના રાજકારણે એક ઉમદા માનવી ખોયો છે. પણ રાજકોટે પોતીકા વિજયભાઈ ખોયા છે.
જૈન વિઝનના કોઈપણ કાર્યક્રમમાં વિજયભાઈ રૂપાણી કેન્દ્રસ્થાને જ રહેતા હતા. આવો રે આવો મહાવીર નામ લઈએ નામના ભક્તિસંગીતનાં કાર્યક્રમમાં તેઓ 2014થી અચૂક હાજરી આપતા હતા. આ કાર્યક્રમમાં તેઓ જ્યારે જવાની વાત કરતા ત્યારે હું કાયમ કહેતો કે એક છેલ્લું સ્તવન સાંભળીને જાવ. અને તેઓ મારી વાત માનતા પણ ખરા. હજુ હમણાં જ છેલ્લી ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક પાવન અવસરે એ પણ તેઓ આવ્યા હતા. મારે ખાસ કહેવું છે. કે એ દિવસે મારી અને વિજયભાઈની મુલાકાત કમનસીબે છેલ્લી મુલાકાત બનીને રહી ગઈ છે. એ દિવસ કાર્યક્રમમાં તેઓએ હાજરી આપ્યા બાદ નિકળા ત્યારે હું બહાર ઉભો હતો એટલે સ્તવન માટે કહી ન શક્યો અને તેમને ગાડી સુધી વળાવવા માટે ગયો હતો. તેમણે આ કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પણ આપ્યા હતા.આ રૂબરૂમાં છેલ્લી મુલાકાત હતી પરંતુ ત્યાર પછી તાજેતરમાં ફોન ઉપર પણ વાત થઇ હતી. કલાકાર પદ્મશ્રી હેમંત ચૌહાણની 50 લગ્નની વર્ષગાંઠના કાર્યક્રમ સંદર્ભે ફોન ઉપર વિજયભાઈ સાથે વાત થઇ હતી. મારા કમનસીબે આ વાતચીતનું રેકોર્ડીંગ મારી પાસે નથી પરંતુ આ યાદગીરી મારા હ્રદયની હાર્ડડિસ્કમાં હમેશા માટે સચવાઈને રહેશે.

- Advertisement -

તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે એક દિવસ અચાનક ચાલુ કાર્યક્રમે અનઇઝીનેસ ફિલ કરતા હતા અને અર્ધબેભાન થઇ ગયા હતા, ત્યારે સમગ્ર ગુજરાતના શુભેચ્છકો દ્વારા પ્રથાના કરેલ ત્યારે ટિમ જૈન વિઝન સંસ્થાઍ રાજકોટમાં નવકાર મંત્રના પાઠ સતત ચાલુ રાખ્યા હતા અને તેઓ સાજા થઇ ગયા એટલે મણિયાર દેરાસરમાં મહાઆરતી પણ યોજી હતી.
તેઓ મને પોતાના નાના ભાઈની જેમ રાખતા હતા અને ગમે ત્યારે સીધો સંપર્ક કરતા હતા.તેમની 2014 અને 2017 એમ બંને વિધાનસભાની ચૂંટણીમાં મને વ્યક્તિગત રીતે વિશેષ જવાબદારી વિજયભાઈએ મુંબઈથી નાસિક ઢોલને અન્ય જવાબદારી સોંપી હતી અને તે મે અને મારી ટીમએ યોગ્ય રીતે નિભાવી પણ હતી. વિજયભાઈની સરળતાની વાત કરું તો તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા અને ભાજપના એસ.ટી ડેપોની પાછળના ભાગે આવેલા કાર્યાલય ખાતે આવ્યા હોય ત્યારે મારા જેવા અનેક કાર્યકરોને પોતાની સાદગીના દર્શન કરાવતા અને સ્કૂટર ઉપર ઘરે મૂકી જવાનું કહેતા. વિજયભાઈની આ સરળતા સૌને સ્પર્શી ગઈ હતી.

અહી એક વાતનો ઉલ્લેખ પણ કરવો પડશે કે વિજયભાઈ જયારે પહેલી વાર વિધાનસભામાં પહોંચ્યા ત્યારે ભાજપના ધારાસભ્યો તો ઠીક, કોંગ્રેસ અને અન્ય પક્ષના ધારાસભ્યોએ તેમને પાટલી થપથપાવીને આવકાર્યા હતા. આ વાતથી પણ આગળ કહુ તો વિજયભાઈના નિધન પછી રાજકોટમાં બંધ પાળવા માટે કોંગ્રેસના કાર્યકરોએ લોકોને અપીલ કરી છે. આ વાત તેમની લોકપ્રિયતાની પારાશીશી છે.

હું એટલું પણ કહીશ કે પહેલા અરવિંદભાઈ મણીયાર અને ત્યારબાદ વિજયભાઈ રૂપાણીના નિધનથી ભાજપે કર્મઠ નેતા જ નહીં પરંતુ જૈન સમાજે પણ એક અગ્રણી ગુમાવ્યા છે. જેની ખોટ પૂરી શકાય તેમ નથી. અમદાવાદથી લંડન જઈ રહેલ એરોપ્લેન ક્રેશ અન્ય મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય, શોકગ્રસ્ત પરિવારોને આઘાત સહન કરવાની શક્તિ મળે પરમેશ્વરને પ્રાર્થના.

You Might Also Like

માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી

અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા

આજના ‘આયારામ-ગયારામ’ સામે સ્વ.ચીમનકાકાના આદર્શોની યાદ

રાજકોટના યુવકની આડા સંબંધની શંકાએ ભચાઉમાં કરપીણ હત્યા

ખાસ-ખબરનો સચોટ અહેવાલ : અંતે રેન્જ ઈંૠ હસ્તકની રાજકોટ રેન્જ સ્ક્વૉડ થઇ કાર્યરત

TAGGED: Milan Kothari, Rajkot, Vijay rupani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ખાસ-ખબર’ સાથે વિજયભાઈને હતો ખાસ નાતો
Next Article સરગમ કલબે એક ઉમદા માર્ગદર્શક ગુમાવ્યા છે : ગુણવંતભાઈ ડેલાવાળા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ધ્રાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 8 બેઠકો બિનહરીફ થતાં 16488 મતદારોનો મતાધિકાર છીનવાયો
મોરબી-હળવદ રોડ પર AAPના બે નેતા દારૂ સાથે ઝડપાયા: કારમાંથી દારૂની બોટલો મળી
માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી
અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા
આજના ‘આયારામ-ગયારામ’ સામે સ્વ.ચીમનકાકાના આદર્શોની યાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

માનવને મોજમાં રહેવાના સૂત્રો સાથે સ્વઉત્કર્ષની યાત્રાનો આરંભ કરાવતા અપૂર્વમુનિ સ્વામી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

અમદાવાદમાં ઘૂંટણ બદલવાના ઓપરેશન બાદ ગુણવંતભાઈ ડેલાવાળાની મુલાકાતે વજુભાઈ વાળા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

આજના ‘આયારામ-ગયારામ’ સામે સ્વ.ચીમનકાકાના આદર્શોની યાદ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?