By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    2 days ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    2 days ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    3 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    3 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    2 days ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    2 days ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    2 days ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    2 days ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    2 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    3 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    5 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    7 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    2 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    2 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    2 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    3 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાયમી હદયસ્થ એવા વિજયભાઈ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા હતા: મિલન કોઠારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કાયમી હદયસ્થ એવા વિજયભાઈ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા હતા: મિલન કોઠારી
રાજકોટ

કાયમી હદયસ્થ એવા વિજયભાઈ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા હતા: મિલન કોઠારી

Khaskhabar Editor
Last updated: 2025/06/14 at 5:58 PM
Khaskhabar Editor 5 months ago
Share
5 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે નથી અને માત્ર તેમની યાદો અને તેમની સાથેના સંસ્મરણો છે. વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત માનવા માટે હજુ મન તૈયાર જ થતું નથી પરંતુ કડવી વાસ્તવિકતા આપણી સામે જ છે. અડધી રાતના હોંકારા જેવા વિજયભાઈ આજે સ્વર્ગસ્થ બની ગયા છે.

- Advertisement -

હું તો એટલું કહીશ કે વિજયભાઈની ઓળખ કોઈ વ્યક્તિ તરીકે નહી પરંતુ એક સંસ્થા તરીકેની વધુ હતી. તેઓનું પોતાનું પૂજિત રૂપાણી ટ્રસ્ટ તો હતું અને બાળકોની સેવા કરતા હતા પરંતુ બીજી અનેક એવી સંસ્થા હતી જેમાં વિજયભાઈએ પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું.

લોકસેવાના સંસ્કાર એ જાણે વિજયભાઈની ઓળખ હતા. પોતાના કુમળીવયના પુત્રને ગુમાવ્યો એ પછી એની કાયમી સ્મૃતિ જાળવી રાખવા માટે વિજયભાઈએ દાયકાઓ પહેલાં ‘પૂજિત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી હતી અને શહેરના અત્યંત છેવાડાના દરિદ્ર તેમજ પછાત વિસ્તારમાં માનવસેવાની ધૂણી ધખાવી હતી. આજે આ સંસ્થા વટવૃક્ષ સમાન વિકસી છે અને રાત-દિવસ માનવસેવાના અનેકવિધ કાર્યો કરે છે. પછાત વર્ગના બાળકો તેમજ મહિલાઓ માટે શિક્ષણ, તાલીમ અને આરોગ્યલક્ષી વિવિધ પ્રકલ્પોના માધ્યમથી આ સંસ્થા સાચા અર્થમાં જરૂરિયાતવાળા લોકોની અવિરત સેવા કરી રહી છે.

જૈન વિઝન સંસ્થા સાથેના તેમના સંબંધોની વાત કરું તો અનેક અશક્ય લાગતા અમારા જૈન વિઝનના પ્રોજેક્ટ કાર્યોમાં તેઓ જ મદદરૂપ થયેલા! કદાચ એમના નિખાલસ સાલસ સ્વભાવ અને મદદ કરવાની ભાવનાને લીધે રાજકોટના લોકોને તો તેઓ ક્યારેય એવા મોટા માણસ લાગ્યા જ નથી કહીએ તો ખોટું નથી! ખરેખર મોટા માણસ બન્યા પછી પણ એમની જેમ જમીન ઉપર જોડાઈ રહી શકે એવા જૂજ માણસો હોય છે. ગુજરાતના રાજકારણે એક ઉમદા માનવી ખોયો છે. પણ રાજકોટે પોતીકા વિજયભાઈ ખોયા છે.
જૈન વિઝનના કોઈપણ કાર્યક્રમમાં વિજયભાઈ રૂપાણી કેન્દ્રસ્થાને જ રહેતા હતા. આવો રે આવો મહાવીર નામ લઈએ નામના ભક્તિસંગીતનાં કાર્યક્રમમાં તેઓ 2014થી અચૂક હાજરી આપતા હતા. આ કાર્યક્રમમાં તેઓ જ્યારે જવાની વાત કરતા ત્યારે હું કાયમ કહેતો કે એક છેલ્લું સ્તવન સાંભળીને જાવ. અને તેઓ મારી વાત માનતા પણ ખરા. હજુ હમણાં જ છેલ્લી ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક પાવન અવસરે એ પણ તેઓ આવ્યા હતા. મારે ખાસ કહેવું છે. કે એ દિવસે મારી અને વિજયભાઈની મુલાકાત કમનસીબે છેલ્લી મુલાકાત બનીને રહી ગઈ છે. એ દિવસ કાર્યક્રમમાં તેઓએ હાજરી આપ્યા બાદ નિકળા ત્યારે હું બહાર ઉભો હતો એટલે સ્તવન માટે કહી ન શક્યો અને તેમને ગાડી સુધી વળાવવા માટે ગયો હતો. તેમણે આ કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પણ આપ્યા હતા.આ રૂબરૂમાં છેલ્લી મુલાકાત હતી પરંતુ ત્યાર પછી તાજેતરમાં ફોન ઉપર પણ વાત થઇ હતી. કલાકાર પદ્મશ્રી હેમંત ચૌહાણની 50 લગ્નની વર્ષગાંઠના કાર્યક્રમ સંદર્ભે ફોન ઉપર વિજયભાઈ સાથે વાત થઇ હતી. મારા કમનસીબે આ વાતચીતનું રેકોર્ડીંગ મારી પાસે નથી પરંતુ આ યાદગીરી મારા હ્રદયની હાર્ડડિસ્કમાં હમેશા માટે સચવાઈને રહેશે.

- Advertisement -

તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે એક દિવસ અચાનક ચાલુ કાર્યક્રમે અનઇઝીનેસ ફિલ કરતા હતા અને અર્ધબેભાન થઇ ગયા હતા, ત્યારે સમગ્ર ગુજરાતના શુભેચ્છકો દ્વારા પ્રથાના કરેલ ત્યારે ટિમ જૈન વિઝન સંસ્થાઍ રાજકોટમાં નવકાર મંત્રના પાઠ સતત ચાલુ રાખ્યા હતા અને તેઓ સાજા થઇ ગયા એટલે મણિયાર દેરાસરમાં મહાઆરતી પણ યોજી હતી.
તેઓ મને પોતાના નાના ભાઈની જેમ રાખતા હતા અને ગમે ત્યારે સીધો સંપર્ક કરતા હતા.તેમની 2014 અને 2017 એમ બંને વિધાનસભાની ચૂંટણીમાં મને વ્યક્તિગત રીતે વિશેષ જવાબદારી વિજયભાઈએ મુંબઈથી નાસિક ઢોલને અન્ય જવાબદારી સોંપી હતી અને તે મે અને મારી ટીમએ યોગ્ય રીતે નિભાવી પણ હતી. વિજયભાઈની સરળતાની વાત કરું તો તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા અને ભાજપના એસ.ટી ડેપોની પાછળના ભાગે આવેલા કાર્યાલય ખાતે આવ્યા હોય ત્યારે મારા જેવા અનેક કાર્યકરોને પોતાની સાદગીના દર્શન કરાવતા અને સ્કૂટર ઉપર ઘરે મૂકી જવાનું કહેતા. વિજયભાઈની આ સરળતા સૌને સ્પર્શી ગઈ હતી.

અહી એક વાતનો ઉલ્લેખ પણ કરવો પડશે કે વિજયભાઈ જયારે પહેલી વાર વિધાનસભામાં પહોંચ્યા ત્યારે ભાજપના ધારાસભ્યો તો ઠીક, કોંગ્રેસ અને અન્ય પક્ષના ધારાસભ્યોએ તેમને પાટલી થપથપાવીને આવકાર્યા હતા. આ વાતથી પણ આગળ કહુ તો વિજયભાઈના નિધન પછી રાજકોટમાં બંધ પાળવા માટે કોંગ્રેસના કાર્યકરોએ લોકોને અપીલ કરી છે. આ વાત તેમની લોકપ્રિયતાની પારાશીશી છે.

હું એટલું પણ કહીશ કે પહેલા અરવિંદભાઈ મણીયાર અને ત્યારબાદ વિજયભાઈ રૂપાણીના નિધનથી ભાજપે કર્મઠ નેતા જ નહીં પરંતુ જૈન સમાજે પણ એક અગ્રણી ગુમાવ્યા છે. જેની ખોટ પૂરી શકાય તેમ નથી. અમદાવાદથી લંડન જઈ રહેલ એરોપ્લેન ક્રેશ અન્ય મૃત્યુ પામેલા દિવંગતોની આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય, શોકગ્રસ્ત પરિવારોને આઘાત સહન કરવાની શક્તિ મળે પરમેશ્વરને પ્રાર્થના.

You Might Also Like

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા

રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે

TAGGED: Milan Kothari, Rajkot, Vijay rupani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ખાસ-ખબર’ સાથે વિજયભાઈને હતો ખાસ નાતો
Next Article સરગમ કલબે એક ઉમદા માર્ગદર્શક ગુમાવ્યા છે : ગુણવંતભાઈ ડેલાવાળા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?