By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ
રાજકોટ

માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના પ્રત્યેની જવાબદારી જ સાચી જીવનસાધના : વ્રજરાજકુમાર મહારાજ

Khaskhabar Editor
Last updated: 2026/07/31 at 2:44 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
5 Min Read
SHARE

ગુરુપૂર્ણિમાએ વ્રજધામ સંકુલમાં હજારો વૈષ્ણવોએ વૈષ્ણવાચાર્ય ૧૦૮ વ્રજરાજકુમાર મહારાજના આશીર્વાદ મેળવ્યા

ફીડ ધ હન્ગ્રી : ગુરુપૂર્ણિમાથી દિવાળી સુધી ૧ લાખથી વધુ જરૂરિયાતમંદ પરિવારો સુધી નિઃશુલ્ક ભોજન પહોંચાડવાનો સંકલ્પ લેવાયો

- Advertisement -

૧૦૦થી વધુ વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ દીક્ષા ગ્રહણ કરી હતી

ગુરુપૂર્ણિમાના પાવન અને પવિત્ર અવસરે વ્રજધામ સંકુલ ખાતે ગુરુભક્તિ, આધ્યાત્મિકતા અને માનવસેવાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા ભવ્ય મહોત્સવમાં ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોમાંથી હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા. ગુરુવંદના, સત્સંગ, બ્રહ્મસંબંધ દીક્ષા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સેવા સંકલ્પોથી સમગ્ર વ્રજધામ ભક્તિમય બની ગયું હતું. વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મુંબઈ, અમદાવાદ, સુરત, રાજકોટ સહિત દેશના અનેક શહેરોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો વ્રજધામ સંકુલ ખાતે પહોંચ્યા હતા. ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે હજારો હરિભક્તોએ વૈષ્ણવાચાર્ય ૧૦૮ વ્રજરાજકુમાર મહારાજના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને તેમના પ્રેરણાદાયી વચનામૃતનો લાભ લીધો હતો. સમગ્ર સંકુલમાં ભક્તિ, શ્રદ્ધા અને આનંદનું દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. આ કાર્યક્રમમાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને ઉદ્યોગજગતના અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને મોટી સંખ્યામાં યુવાનોની હાજરીએ કાર્યક્રમને નવી ઊર્જા અને સંસ્કારમય દિશા આપી હતી. ગુરુપૂર્ણિમાના આ શુભ દિવસે ૧૦૦થી વધુ વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ દીક્ષા ગ્રહણ કરી હતી. વૈષ્ણવાચાર્યના પાવન સાનિધ્યમાં પ્રાપ્ત થયેલી આ દીક્ષાને અનેક પરિવારો માટે જીવનનો અવિસ્મરણીય અને આધ્યાત્મિક પરિવર્તનનો પ્રસંગ માનવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ ગુરુમહિમા વ્યક્ત કરતી ભાવસભર સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી. નાનાં બાળકો દ્વારા રજૂ થયેલી ગુરુવંદના, સંસ્કારગીતો અને ગુરુભક્તિના સંદેશોએ સમગ્ર સભાને ભાવવિભોર બનાવી દીધી હતી.

પોતાના આશીર્વચનમાં વૈષ્ણવાચાર્ય ૧૦૮ વ્રજરાજકુમાર મહારાજે જણાવ્યું હતું કે આજના યુગમાં માનવી પાસે સંપત્તિ, ટેક્નોલોજી અને સુવિધાઓ તો વધી છે, પરંતુ જીવનની સાચી દિશા માટે સ્પષ્ટ લક્ષ્યો જરૂરી છે. તેમણે દરેક વ્યક્તિને જીવનમાં પાંચ મહત્વપૂર્ણ લક્ષ્યો નક્કી કરવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે પ્રથમ લક્ષ્ય આધ્યાત્મિક હોવું જોઈએ, કારણ કે ભગવાન સાથેનો સંબંધ જ જીવનમાં શાંતિ અને સ્થિરતા આપે છે. બીજું લક્ષ્ય શિક્ષણનું હોવું જોઈએ, કારણ કે જીવનભર શીખવાની પ્રક્રિયા ક્યારેય પૂર્ણ થતી નથી. ત્રીજું વ્યવસાયિક લક્ષ્ય પ્રામાણિકતા, ગુણવત્તા અને સમાજહિત સાથે જોડાયેલું હોવું જોઈએ. ચોથું લક્ષ્ય પરિવારનું હોવું જોઈએ, જ્યાં પ્રેમ, વિશ્વાસ અને સંસ્કાર જળવાઈ રહે. જ્યારે પાંચમું લક્ષ્ય આરોગ્યનું હોવું જોઈએ, કારણ કે સ્વસ્થ શરીર અને મન વિના જીવનની કોઈ સિદ્ધિનો સાચો આનંદ મેળવી શકાતો નથી. જે વ્યક્તિ આ પાંચેય ક્ષેત્રોમાં સંતુલન જાળવે છે તે જ સાચા અર્થમાં સફળ, સમૃદ્ધ અને આનંદમય જીવન જીવી શકે છે. માત્ર ધન કમાવું જ જીવનનું લક્ષ્ય નથી, પરંતુ ભગવાન, પરિવાર, સમાજ અને પોતાના વ્યક્તિત્વ પ્રત્યેની જવાબદારી નિભાવતાં સર્વાંગી વિકાસ કરવો એ જ સાચી જીવનસાધના છે. ગુરુ માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ જીવનને ભગવાન સુધી પહોંચાડનાર દિવ્ય માર્ગદર્શક છે. ગુરુના આશીર્વાદથી જીવનમાં દિશા, સંસ્કાર, આત્મવિશ્વાસ અને ભક્તિનો પ્રકાશ પ્રગટે છે. સાચી ગુરુદક્ષિણા સેવા, કરુણા, સત્સંગ અને માનવતાના કાર્યોમાં સમાયેલી છે.

- Advertisement -

કાર્યક્રમ દરમિયાન અનેક વૈષ્ણવોએ ગુરૂના માર્ગદર્શનથી પોતાના જીવનમાં આવેલા આધ્યાત્મિક, પારિવારિક, શૈક્ષણિક અને વ્યવસાયિક પરિવર્તનના અનુભવો કહ્યા હતા. હરિભક્તોએ જણાવ્યું કે ગુરુના આશીર્વાદથી તેમના જીવનમાં નવી દિશા, માનસિક શાંતિ, સંસ્કાર અને સફળતાનો માર્ગ ખુલ્યો છે. આ પ્રસંગોએ સમગ્ર સભાને ભાવવિભોર બનાવી દીધી હતી. કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગભાઈ જોષી, શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશભાઈ સોની, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ઉદ્યોગપતિ જયેશભાઈ ઠક્કર, ગુજરાત રાજ્ય એકમના ભૂતપૂર્વ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, ડૉ. દર્શનભાઈ અને પારૂલબેન બેંકર, સામાજિક કાર્યકર સુરેશભાઈ પટેલ, સતીશ પટેલ, બિલ્ડર મયંકભાઈ પટેલ, પ્રિતેશભાઈ શાહ સહિત નગરસેવકો અને વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને ‘ફીડ ધ હન્ગ્રી’ વૈશ્વિક સેવા અભિયાનનો પ્રારંભ કર્યો
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે VYO દ્વારા સમગ્ર વિશ્વમાં સેવાભાવનો સંદેશ પહોંચાડવાના ઉદ્દેશ સાથે ફીડ ધ હન્ગ્રી વૈશ્વિક સેવા અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત ગુરુપૂર્ણિમાથી દિવાળી સુધી ૧ લાખથી વધુ જરૂરિયાતમંદ પરિવારો સુધી નિઃશુલ્ક ભોજન પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. દેશના વિવિધ શહેરોમાં VYOના સ્વયંસેવકો નિયમિત રીતે જરૂરિયાતમંદ વિસ્તારોમાં ભોજન સેવા આપશે. આગામી સમયમાં આ સેવા ભારત ઉપરાંત વિશ્વના વિવિધ દેશોમાં વિસ્તૃત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. અંતે વ્રજરાજકુમાર મહારાજે સૌ વૈષ્ણવોને ગુરુઆજ્ઞા અનુસાર જીવન જીવવા, સેવા અને સત્સંગને જીવનનો અભિન્ન ભાગ બનાવવા, યુવાનોને સંસ્કાર સાથે જોડવા અને સમાજના અંતિમ વ્યક્તિ સુધી પ્રેમ, કરુણા અને માનવસેવાનો સંદેશ પહોંચાડવા આહ્વાન કર્યું.

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતમાં ભેદવાડા ખાડી ઓવરફ્લો : કારખાનાઓ અને કાપડ માર્કેટ બંધ
Next Article હવે જિલ્લા કલેક્ટરો મહેસૂલ વિભાગના વર્ગ-3 કર્મચારીઓની જિલ્લા અંદર બદલી કરી શકશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?