ચર્ચામાં વોર્ડ 1, 2, 5 અને 7માંથી પાંચ જેટલા નામ બહાર આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ ઉપલેટા
- Advertisement -
ઉપલેટા નગરપાલિકામાં આ વર્ષે પ્રમુખ તરીકે પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય કેટેગરીની મહિલાને પ્રમુખ પદ માટે પસંદગીની રોટેશન છે જોકે આ રોટેશન ને તોડવા માટે બક્ષીપંચના ચૂંટાયેલા મહિલાઓ માટે પ્રમુખ પદ માટેની ધમ પછાડા શરૂ કરવામાં આવ્યા હોવાનું ભાજપ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થયેલ છે અને બક્ષીપંચમાંથી આવતી મહિલાને પ્રમુખ પદની સીટ પર બેસાડવા માટે ઉપરથી લઈને નીચે સુધી છેડા અને અન્ય લાગવકની છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ ચાલી રહી માહિતી મળી રહી છે.
ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ માટે ભાજપ પક્ષ માંથી ચૂંટાયેલ વોર્ડ 01 માંથી ક્રિષ્નાબેન અશ્વિનભાઈ લાડાણી, વોર્ડ 02 માંથી જીજ્ઞાબેન જીગ્નેશભાઈ વ્યાસ, વોર્ડ 05 માંથી જયશ્રીબેન હરસુખભાઈ સોજિત્રા, અસ્મિતાબેન સંજયભાઇ મુરાણી અને વોર્ડ 07 માંથી વર્ષાબેન ભૂપતભાઈ ગજેરા સહિતના પાંચ જેટલા નામ બહાર આવ્યા ત્યારે હાલ ઉપલેટા નગરપાલિકાના સદસ્યોની સામાન્ય ચૂંટણી-2025 પૂર્ણ થઈ ચૂકી છે જેમાં પ્રમુખ પદ માટે સૌથી વધુ લોકશાહના ધરાવતા અને પ્રામાણિક શાસન ચલાવનાર નેતા તરીકે ઉપલેટાની જનતા પૈકીની 90 ટકા જનતા જેને પ્રમુખ પદ માટે જોવા માંગે છે તેમા મોખરે જીજ્ઞાબેન જીગ્નેશભાઈ વ્યાસનું નામ મોખરે જણાઈ આવેલ છે જેમાં મહાદેવ દંપતી તરીકે જેમને સૌ કોઈ ઓળખે છે અને તેમની પ્રામાણિકતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની કામગીરીને લઈને લોકો તેમને પ્રમુખ પદ મળે તે માટે નગરજનો અને પ્રામાણિક તેમજ પ્રબુદ્ધ નાગરિકો ઈચ્છી રહ્યા છે.
જીજ્ઞાબેન વ્યાસ અને તેમના પતિ જીગ્નેશભાઈ વ્યાસ ઉર્ફે મહાદેવ નગરજનોના મતે ઈમાનદાર, પ્રામાણિક અને સારૂ અને સુંદર શાસન ચલાવવા માટે સક્ષમ હોય જેથી નવા પ્રમુખ માટે જો જીજ્ઞાબેન વ્યાસ પ્રમુખ તરીકે પસંદગી પામશે તો ઉપલેટા નગરપાલિકાની અગાઉની થયેલ ગોલમાલની પણ પોલ ખુલી શકે છે જેમાં ભૂતકાળમાં થયેલ ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર કરી આ વખતે પણ પસંદગી પામી પ્રમુખ પદ માટે મહેનત કરતા સારા માણસોના વિરોધીઓનું પણ પોપટ થઈ શકે છે અને ભ્રષ્ટાચાર ખુલી જશે તેવી બીકને કારણે તેમને પ્રમુખ પદ ન મળે તે માટે બક્ષીપંચ માંથી પ્રમુખ પદ આવે તે માટેની તૈયારીઓ ચાલી રહી હોવાનું ભાજપ સૂત્રો પાસેથી ગુપ્ત માહિતી મળી રહી છે જો કે જીજ્ઞાબેન વ્યાસ પ્રમુખ તરીકે પસંદગી પામશે તો તેમને લોકોનું સૌથી વધુ જન સમર્થન પણ મળશે, પાર્ટીનું પણ નામ અને કામ વધારશે અને સાથે કથળી ગયેલી અને ડૂબી ગયેલી નગરપાલિકાને કાંઠે લાવશે તેવું નગરજનો જણાવી રહ્યા છે.