8 કલાક રનવૅ બંધ રહ્યો, 91 ફ્લાઇટ્સ રદ્દ થઈ: સવારે ઓપરેશન સામાન્ય થઈ શક્યું
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
- Advertisement -
પુણે એરપોર્ટનો રનવે શુક્રવારે મોડી રાત્રે ઈંઅઋ વિમાનના હાર્ડ લેન્ડિંગ બાદ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન 8 કલાક સુધી પ્રભાવિત રહ્યું. ભારતીય વાયુસેનાએ પોતે આ માહિતી આપી.
ઈંઅઋ અનુસાર, વિમાનના લેન્ડિંગ દરમિયાન બનેલી ઘટના બાદ, સુરક્ષા કારણોસર રનવેને તરત જ બંધ કરવો પડ્યો. વિમાનનો ક્રૂ સુરક્ષિત છે. કોઈ પણ સંપત્તિને કોઈ નુકસાન થયું નથી.
જોકે, એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન સવારે 7.30 વાગ્યા પછી સામાન્ય થઈ શક્યું. એરપોર્ટ ડાયરેક્ટર અનુસાર 5 એરલાઇન્સની 91 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.
રદ થયેલી ફ્લાઇટ્સમાં ઇન્ડિગોની 65, એર ઇન્ડિયાની 6, સ્પાઇસજેટની 5, અકાસા એરની 5, એર ઇન્ડિયા એક્સપ્રેસની 10 ફ્લાઇટ્સનો સમાવેશ થતો હતો.
એરપોર્ટ ડાયરેક્ટર અનુસાર, સમારકામનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ પછી સવારે 7:30 વાગ્યાથી ફ્લાઇટ્સ શરૂ થઈ ગઈ છે. દિવસ દરમિયાન ઓપરેશન સામાન્ય થઈ જશે.
જોકે, પુણે એરપોર્ટ ડ્યુઅલ યુઝ મોડેલ પર કામ કરે છે, જેમાં સિવિલ કોમર્શિયલ ફ્લાઇટ્સની સાથે એક એક્ટિવ એરફોર્સ સ્ટેશન ઓપરેશન પણ સામેલ છે.
ન્યૂઝ એજન્સી ઙઝઈં અનુસાર, પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે લગભગ 22:25 વાગ્યે લડાકુ વિમાન લેન્ડિંગ કરવાનું હતું. આ દરમિયાન તેનું ‘અંડરકેરેજ’ (લેન્ડિંગ ગિયર) ખરાબ થઈ ગયું હતું, જેના કારણે તે રનવે પર અથડાયું હતું. જોકે, આ કયું ફાઇટર જેટ હતું, તે વિશે સત્તાવાળાઓએ કોઈ માહિતી આપી નથી. ન તો તેના વિઝ્યુઅલ મળી શકે છે.
શું હોય છે હાર્ડ લેન્ડિંગ?
સામાન્ય રીતે રનવે પર લેન્ડ કરતી વખતે પ્લેન ધીમે ધીમે અને સ્મૂધલી ઉતરે છે. પરંતુ જો તે જોરથી રનવે પર અથડાય અથવા ઝડપથી નીચે આવે તો તેને હાર્ડ લેન્ડિંગ કહે છે. હાર્ડ લેન્ડિંગના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં ખરાબ હવામાન (તેજ પવન, તોફાન), પાયલટના કેલ્ક્યુલેશનમાં ગડબડ અથવા અચાનક હવાનું દબાણ બદલાવું સામેલ છે. હાર્ડ લેન્ડિંગ દરમિયાન ક્યારેક માત્ર આંચકો જ લાગે છે, પરંતુ તીવ્રતા વધુ હોવાથી વિમાનને નુકસાન થઈ શકે છે. તેમાં બેઠેલા મુસાફરો અને ક્રૂને ઈજાઓ થઈ શકે છે.



