- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ કૈરો, તા.11
બુધવારે મોડી રાત્રે ઇઝરાયલના હુમલામાં હમાસ ચીફ ઇસ્માઇલ હનીયેના ત્રણ પુત્રો માર્યા ગયા હતા. ’ટાઈમ્સ ઓફ ઇઝરાયલ’ના અહેવાલ મુજબ ઇઝરાયલની સેનાએ ગાઝાના અલ-શતી કેમ્પ પાસે એક કાર પર એક સ્ટ્રાઈક કરી હતી. જેમાં ઈસ્માઈલ હનીયેના ત્રણ પુત્રો, ત્રણ પૌત્રીઓ અને એક પૌત્રનું મૃત્યુ થયું હતું. મોતની પુષ્ટિ ખુદ હનીયે કરી છે.ઇઝરાયલની સેનાનું કહેવું છે કે હનીયેના ત્રણ પુત્રો આતંકવાદી હતા. સૈન્યના જણાવ્યા અનુસાર, અમીર હનીયે હમાસની સૈન્ય શાખામાં સ્ક્વોડ કમાન્ડર હતો. ત્રણેય સેન્ટ્રલ ગાઝા પર હુમલો કરવા જઈ રહ્યા હતા. તેમાંથી એક ઇઝરાયલને બંધક બનાવવામાં પણ સામેલ હતો. ઇસ્માઇલ હનીયે કતારના મીડિયા હાઉસ અલ જઝીરાને તેમના ત્રણ પુત્રોના મૃત્યુની પુષ્ટિ કરી. કહ્યું, “તેમની શહીદીનું સન્માન આપવા બદલ ભગવાનનો આભાર.” તેમજ, અલ જઝીરાને આપેલા એક ઇન્ટરવ્યુમાં હાનીએ કહ્યું કે હમાસ આત્મસમર્પણ કરશે નહીં અને હુમલા ચાલુ રાખશે.