By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આલ્હા અને ઉદલના અદૃશ્ય અસ્તિત્વનું વણઉકેલાયેલું રહસ્ય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > આલ્હા અને ઉદલના અદૃશ્ય અસ્તિત્વનું વણઉકેલાયેલું રહસ્ય!
AuthorParakh Bhatt

આલ્હા અને ઉદલના અદૃશ્ય અસ્તિત્વનું વણઉકેલાયેલું રહસ્ય!

Khaskhabar Editor
Last updated: 2022/02/12 at 3:42 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE
મોટાભાગનાં શક્તિપીઠ મંદિરો પણ ઊંચા પહાડો પર જોઇ શકાય છે, એ જ રીતે, મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ત્રિકુટ પર્વત પર આવેલું ‘મૈહર મંદિર’ પણ 1063 પગથિયાનું ઊંચું ચઢાણ ધરાવે છે, પરંતુ અન્યો કરતાં આ મંદિરની ખાસિયતો ઘણી અલગ અને રહસ્યમય છે, કારણકે તેની સાથે ભારતનો ઇતિહાસ અને શ્રદ્ધા બંને જોડાયેલા છે.   

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વિક્રમ સંવત 559માં કરવામાં આવી હતી, આજે પણ મૂર્તિ પર દેવનાગરી લિપિમાં અંકિત થયેલ શિલાલેખ જોવા મળે છે, એમાં જણાવ્યા મુજબ, સરસ્વતીનો પુત્ર દામોદર જ કળિયુગના વ્યાસ મુનિ તરીકે ઓળખાશે!  

હિંદુ ધર્મમાં હંમેશાથી દેવી માના મંદિરો ઊંચા સ્થાન પર નિર્માણ પામ્યા છે. ઉત્તર ભારતમાં આપણે અનેક દુર્ગમ પહાડો અને કઠિનાઇઓ વેઠીને દુર્ગા માતાનાં દર્શન માટે વૈષ્ણો દેવી સુધીની સફર ખેડીએ છીએ. સૌરાષ્ટ્ર પ્રદેશનું ચોટિલા મંદિર કે પછી પાવાગઢ પર બિરાજમાન મા અંબાનું ઉદાહરણ લઈ લો! મોટાભાગનાં શક્તિપીઠ મંદિરો પણ ઊંચા પહાડો પર જોઇ શકાય છે. એ જ રીતે, મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ત્રિકુટ પર્વત પર આવેલું ‘મૈહર મંદિર’ પણ 1063 પગથિયાનું ઊંચું ચઢાણ ધરાવે છે. પરંતુ અન્યો કરતાં આ મંદિરની ખાસિયતો ઘણી અલગ અને રહસ્યમય છે, કારણકે તેની સાથે ભારતનો ઇતિહાસ અને શ્રદ્ધા બંને જોડાયેલા છે.

Contents
મોટાભાગનાં શક્તિપીઠ મંદિરો પણ ઊંચા પહાડો પર જોઇ શકાય છે, એ જ રીતે, મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ત્રિકુટ પર્વત પર આવેલું ‘મૈહર મંદિર’ પણ 1063 પગથિયાનું ઊંચું ચઢાણ ધરાવે છે, પરંતુ અન્યો કરતાં આ મંદિરની ખાસિયતો ઘણી અલગ અને રહસ્યમય છે, કારણકે તેની સાથે ભારતનો ઇતિહાસ અને શ્રદ્ધા બંને જોડાયેલા છે.   મોડર્ન ધર્મ – પરખ ભટ્ટમંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વિક્રમ સંવત 559માં કરવામાં આવી હતી, આજે પણ મૂર્તિ પર દેવનાગરી લિપિમાં અંકિત થયેલ શિલાલેખ જોવા મળે છે, એમાં જણાવ્યા મુજબ, સરસ્વતીનો પુત્ર દામોદર જ કળિયુગના વ્યાસ મુનિ તરીકે ઓળખાશે!  કોણ છે આલ્હા અને ઉદલ? શું છે તેમનું રહસ્ય?મંદિર સાથે સંલગ્ન માન્યતાપશુબલિની પ્રથા! 

મૈહરનો અર્થ છે, ‘માતાનો હાર, ઘરેણું’! મૈહર નગરીથી ફક્ત પાંચ કિલોમીટર દૂર બિરાજમાન શારદા દેવી ‘મૈહર માતા’ને નામે પણ ઓળખાય છે. સમગ્ર ભારતમાં મધ્યપ્રદેશ સિવાય અન્ય કોઇ રાજ્યમાં તેમનું મંદિર નથી. પર્વતના સર્વોચ્ચ શિખર પર શારદા માતાની સાથોસાથ કાલ ભૈરવી, હનુમાનજી, દેવી કાલી, માં દુર્ગા, શ્રી ગૌરી શંકર, શેષ નાગ, ફૂલમતિ માતા, બ્રહ્મદેવ અને જલાપા દેવીની પણ પૂજા કરવામાં આવી રહી છે.

- Advertisement -

કોણ છે આલ્હા અને ઉદલ? શું છે તેમનું રહસ્ય?

વીર રાજા પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ લડનાર આલ્હા અને ઉદલ, માતા શારદાનાં ખૂબ મોટા ભક્ત હતાં. એ બંનેએ જ સર્વપ્રથમ જંગલોની વચ્ચે મા શારદાનાં મંદિરની ખોજ કરી હતી. સદીઓ જૂના શિલાલેખ વિશે જાણીને તેમની શ્રદ્ધા બમણી થઈ ગઈ. આલ્હાએ સતત 12 વર્ષ સુધી શારદા માની પૂજા કરી, તેમને પ્રસન્ન કર્યા. આખરે માતા સ્વયં જ્યારે પ્રગટ થયા, ત્યારે આલ્હાએ તેમની પાસે અમરત્વ માંગ્યુ. તેઓ શારદા માતાને ‘માઇ’નાં હૂંફાળા સંબોધનથી બોલાવતાં હતાં. એ સમયથી જ મંદિરનું નામ પણ ‘શારદા માઇ’થી પ્રસિદ્ધ થવા લાગ્યું. આજનાં સમયમાં પણ માન્યતા છે કે મંદિરમાં માતાનાં સૌપ્રથમ દર્શન કરવા માટે આલ્હા અને ઉદલ બંને અદ્રશ્ય સ્વરૂપે ત્યાં આવે છે. મંદિરની પાછળનાં ભાગમાં, પહાડની નીચે એક તળાવ છે જેને ‘આલ્હા તળાવ’નાં નામે ઓળખવામાં આવે છે. માત્ર આટલું જ નહી, તળાવથી બે કિલોમીટર આગળ ચાલો એટલે એક અખાડો દેખાઈ આવે, જેના વિશે એવું મનાય છે કે, અહીં આલ્હા અને ઉદલે ખૂબ કુશ્તીઓ લડી છે!

મંદિર સાથે સંલગ્ન માન્યતા

પ્રજાપતિ દક્ષની સુપુત્રી સતી, કૈલાશ-સ્વામી શિવ સાથે વિવાહ કરવા ઇચ્છતી હતી. પરંતુ તેમનાં પિતા એટલે કે પ્રજાપતિ દક્ષને આ બિલકુલ મંજૂર નહોતું. આખો દિવસ સ્મશાનમાં બેસીને ધ્યાનમગ્ન રહેતાં, અઘોરીઓ સાથે ભોજન આરોગતાં, શરીરે ભભૂતિ ચોળીને પ્રેતગણ સાથે વસવાટ ધરાવતાં જમાઈ સાથે પોતાની દીકરી કોણ પરણાવે? મહાદેવના ઇશ્વરત્વથી અજાણ દક્ષ પણ આવું જ ધારવાની ભૂલ કરી બેઠો. અને, સતી તો પાર્વતીનો જ એક અવતાર હતાં! અર્ધાંગિની હોવાને નાતે તેઓ શિવત્વથી વિખૂટા કઈ રીતે રહી શકે!

- Advertisement -

પિતાની વિરૂદ્ધ જઈને તેમણે ભગવાન શિવ સાથે લગ્ન કર્યા અને પોતાનાં સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો. દિવસો વીતતા ગયા, વર્ષો વીતી ગયા. સતીને પોતાનાં પિતા પ્રત્યેનો ગુસ્સો ધીરે-ધીરે ઓગળી રહ્યો હતો, પરંતુ પ્રજાપતિ દક્ષ હજુ પણ શિવને પોતાનાં જમાઈ તરીકે સ્વીકારી નહોતાં શક્યા. એવામાં એક વખત તેમણે ભવ્ય યજ્ઞનું આયોજન કર્યુ, જેમાં દૂર-દૂરથી રાજા-મહારાજાઓ અને ઋષિમુનિઓને આમંત્રણ આપવામાં આવ્યા. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર તેમજ અન્ય દેવી-દેવતાઓ પણ એમાં સામેલ થયા, પરંતુ દક્ષ દ્વારા જાણી-જોઇને ભગવાન શિવ અને દેવી સતીને બાકાત રાખવામાં આવ્યા.

સતીને લાગ્યું કે પિતા કદાચ પોતાના પરિવારને આમંત્રણ આપવાનું ભૂલી ગયા હશે. દીકરી હોવાને નાતે તેને કોઇ આમંત્રણની જરૂર નથી, એવું વિચારીને સતી વણનોતર્યા મહેમાનની માફક પિતાના વિરાટ યજ્ઞનો હિસ્સો બનવા પહોંચી ગયા. શિવજીએ તેમને રોકવાની પુષ્કળ કોશિશો કરી, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. સતીએ યજ્ઞ વખતે પ્રજાપતિ દક્ષને, પોતાના પ્રત્યે રાખવામાં આવેલા આ ભેદભાવનું કારણ પૂછ્યું. સતીની હાજરીથી ક્રોધે ભરાયેલા રાજા દક્ષે પણ તેને શિવ વિશે ન કહેવાના વચનો કહ્યા. બધાની વચ્ચે તેમનું ખૂબ અપમાન કર્યુ. પિતાનો નફરતભાવ અને પોતાના પતિ પ્રત્યેની તેમની અરુચિ જોઇને સતી ખૂબ દુ:ખી થયા. યજ્ઞકુંડનો અગ્નિ લબકારા મારતો હતો, એ જ વખતે તેમણે પોતાની જાતને અગ્નિમાં હોમી દઈ આત્મ-વિલોપન કર્યુ.

મહાદેવને આ વાતની જાણ થતાં ક્રોધાવેશમાં આવીને તેમનું ત્રીજું નેત્ર ખૂલી ગયું, અને તેમણે ભયંકર નરસંહાર કર્યો. યજ્ઞકુંડમાંથી સતીનું પાર્થિવ શરીર ખભા પર ઉપાડી તેમણે તાંડવ કરવાનું શરૂ કરી દીધું. આખી પૃથ્વી તેમના ક્રોધનો શિકાર બનીને ધ્રુજવા માંડી. ભગવાન વિષ્ણુને થયું કે જો મહાદેવને શાંત કરવામાં ન આવ્યા, તો સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે. આ સાથે જ તેમણે સુદર્શન ચક્રની મદદ વડે દેવી સતીનાં દેહના 51 ટુકડા કરીને પૃથ્વીના અલગ-અલગ ભાગોમાં શક્તિપીઠની સ્થાપના કરી.

એવું માનવામાં આવે છે કે, મધ્યપ્રદેશનાં ત્રિકુટ પર્વત પર દેવી સતીનો હાર પડ્યો હતો. જોકે, મૈહર મંદિરનો સમાવેશ 51 શક્તિપીઠોમાં નથી થતો. આમ છતાં ત્યાં 365 દિવસ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. માતા પ્રત્યેની તેમની અડગ આસ્થા અને ભક્તિને કારણે શારદા દેવી મંદિરને પણ શક્તિપીઠ માનવામાં આવી રહી છે.

પશુબલિની પ્રથા! 

એક માન્યતા એવી પણ છે કે, ભારતનાં સર્વપ્રથમ આદિગુરૂ શંકરાચાર્યએ અહીં નવમી-દસમી સદીમાં પૂજા-અર્ચના કરી હતી. શારદા દેવી મંદિર ફક્ત આસ્થાની દ્રષ્ટિએ જ નહી, પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિકોણથી પણ ખાસ્સું મહત્વ ધરાવે છે. બીજું એ કે, મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વિક્રમ સંવત 559માં કરવામાં આવી હતી. આજે પણ મૂર્તિ પર દેવનાગરી લિપિમાં અંકિત થયેલ શિલાલેખ જોવા મળે છે. એમાં જણાવ્યા મુજબ, સરસ્વતીનો પુત્ર દામોદર જ કળિયુગના વ્યાસ મુનિ તરીકે ઓળખાશે! અન્ય ખાસ બાબત એ જણાવવાની કે, દુનિયાના ઘણા સુપ્રસિધ્ધ ઇતિહાસકારોએ ‘મૈહર દેવી’ મંદિરમાં ઉંડાણપૂર્વક સંશોધનો કર્યા છે. જાણીતા ઇતિહાસકાર એ.કનિંગ્ધમે તો પોતાનાં રિસર્ચ-વર્ક પર કામ કર્યા બાદ ત્યાં સુધી કહી દીધું કે, પુરાણકાળમાં અહીં પશુ-બલિ આપવામાં આવતો હતો. પરંતુ વર્ષ 1922માં સતનાના રાજા બ્રજનાથ જૂદેવનાં આદેશથી પશુબલિની ક્રૂર પ્રથા પર નિયંત્રણો લાદવામાં આવ્યા.
શારદા દેવી મંદિરનું પોતાનું વિશેષ મહત્વ છે, જેને ભક્તજનો પણ માની રહ્યા છે અને ઇતિહાસકારો પણ! કદાચ એકમાત્ર ભારતીય સંસ્કૃતિ પાસે એવી તાકત છે, જે ભલભલા વૈજ્ઞાનિક તથા પુરાતત્વશાસ્ત્રીઓને મોંમાં આંગળા નાંખવા મજબૂર કરી દે છે! અહીંયા વિવિધતાની સાથે ભક્તિ પણ ઐશ્વર્ય અને આશ્ચર્યનાં રંગે રંગાયેલી જોવા મળે છે! ઇન્ક્રિડિબલ ઇન્ડિયા!

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘર કે શો રૂમની અંદર તિજોરી નૈઋત્યખૂણામાં રાખવી
Next Article બહુ સરળ લાગતી સલાહમાં પણ ઊંડુ સત્ય છુપાયેલું છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?