માંડવીમાં શેરીઓ વચ્ચેથી જોરદાર પાણી વહ્યું, સિઝનમાં પહેલીવાર નદીઓ બે કાંઠે વહેતાં ખેડૂતો ખુશ : આજે રેડ એલર્ટ
આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું યલૉ એલર્ટ
- Advertisement -
આજે સવારના ૬થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૫૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં ૭ઈંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બે કાંઠે વહેવાની સાથે શહેરી વિસ્તારોમાં પણ કમર સુધીના પાણી વહી રહ્યાં છે. આજે કચ્છમાં ધોધમારની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જયારે દ્વારકામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ૮૪.૩૮ ટકા વરસાદ વરસી ગયો છે, જ્યારે હજુ પણ ૧૫.૬૨ ટકાની ઘટ વર્તાઈ રહી છે. શ્રાવણ મહિના દરમિયાન જે વરસાદ વરસવો જોઈએ તે આ વર્ષે જોવા ન મળ્યો. જો કે, ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદનો રાઉન્ડ આવતા ખેડૂતો અને સરકારે રાહત અનુભવી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વરસેલા નોંધપાત્ર વરસાદ બાદ પણ રાજ્યમાં સરેરાશ ૧૭ ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ ૮૦ ટકા વરસી ચૂક્યો છે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી પણ ચિંતાના વાદળો જ ઘેરાયેલા છે.
ગુજરાત પર અત્યારે એક્ટિવ સિસ્ટમ ટ્રફ, લો-પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસું સક્રિય બન્યું છે. આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને લઈને કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર છે. કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જોકે, બીજા દિવસથી એટલે કે, ૧૬ સપ્ટેમ્બર પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને
મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જ જોવા મળશે. માછીમારો અને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી નર્મદા ડેમમાં જળસંગ્રહ ૯૫ ટકાને પાર થઈ ચૂક્યો છે. જો કે, અન્ય ૨૦૬ જળાશયોમાં અત્યાર સુધીમાં ૬૭ ટકા જ જળસંગ્રહ થયો છે. ૭૯ ડેમ એવા છે કે, જેમાં હજી પણ ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ છે.




