By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    21 hours ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    22 hours ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    3 days ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    6 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 minutes ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    22 hours ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    22 hours ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    7 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘર કે શો રૂમની અંદર તિજોરી નૈઋત્યખૂણામાં રાખવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > ઘર કે શો રૂમની અંદર તિજોરી નૈઋત્યખૂણામાં રાખવી
AuthorRajesh Bhatt

ઘર કે શો રૂમની અંદર તિજોરી નૈઋત્યખૂણામાં રાખવી

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 11:24 AM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

છેલ્લાં બે અંકોમાં વાંચકોના પ્રશ્ર્નોના ઉત્તર આપી શકાયા ન હતા તેથી આ વખતે શક્ય એટલા પ્રશ્ર્નોના જવાબોનો અહીં સમાવેશ કરેલ છે.

સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ

પ્રશ્ર્ન 1: અમો એક જ્વેલરી શોરૂમ બનાવી રહ્યા છીએ તો વાસ્તુ મુજબ અમારે તિજોરી કે સ્ટ્રોંગરૂમ કઈ જગ્યાએ બનાવવો?
જવાબ: વાસ્તુની અંદર ભારે વજનવાળી વસ્તુની વ્યવસ્થા વિશે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવેલ છે. પહેલાંના સમયમાં સોની ભાઈઓ ભારે વજનદાર તિજોરી રાખતા પરંતુ સમય જતાં હવે શોરૂમની અંદર આરસીસી વોલથી સ્ટ્રોંગરૂમ બનાવવાથી સગવડતા ઘણી સચવાય જાય છે. વાસ્તુ મુજબ સ્ટ્રોંગરૂમ કે તિજોરીની ગોઠવણી શોરૂમના નૈઋત્યખૂણામાં કરવી, તથા તેનો દરવાજો ઉત્તર દિશા તરફ ખુલે તેમ રાખવો. જો દરવાજો ઉત્તર દિશામાં ન ખુલી શકે તેમ હોય તો પૂર્વ દિશા તરફ પણ ખોલી શકાય. નૈઋત્યખૂણામાં તિજોરી કે સ્ટ્રોંગરૂમનું ફ્લોરીંગ લેવલ શોપના ફ્લોરીંગ લેવલ કરતા થોડું ઊંચું રાખવું.

- Advertisement -

પ્રશ્ર્ન 2: અમારે ગામડે ઘર છે જ્યાં ટોઈલેટ બાથરૂમ બનાવવાના છે, ત્યાં ભૂગર્ભ ગટરની લાઈન હજુ આવેલ નથી, તો શોષખાડો કઈ જગ્યાએ બનાવી શકાય?
જવાબ: વાસ્તુ મુજબ ડ્રેનેજ લાઈનના નિકાસ અથવા શોષખાડો બનાવવો હોય તો અગ્નિખૂણા અથવા વાયવ્યખૂણામાં બનાવવો.

પ્રશ્ર્ન 3: હું એક ફ્લેટમાં 11 મહિનાથી રહું છું અને જ્યારથી આ ઘરમાં રહેવા આવ્યો છું ત્યારથી કોઈ ને કોઈ શારીરિક સમસ્યા રહે છે, શું કારણ હોઈ શકે?
જવાબ: જો આપને 11 મહિનાની અંદર જ વધારે પ્રમાણમાં શારીરિક પીડા થઈ રહી છે તો આપના ફ્લેટના પ્લોટની ઊર્જા નકારાત્મક હોઈ શકે અથવા આપના ફ્લેટના ઈશાન ખૂણાની અંદર પણ કોઈ સમસ્યા હોવાની સંભાવના રહેલી છે. આપના નજીકના કોઈ વાસ્તુ સલાહકારની મદદ લઈ આપ જગ્યા ચેક કરાવશો.

પ્રશ્ર્ન 4: રાજેશભાઈ, નમસ્તે. હું વાસ્તુશાસ્ત્રમાં ઘણી શ્રદ્ધા ધરાવું છું તથા મારા ઘરની ગોઠવણી પણ મેં વાસ્તુશાસ્ત્ર મુજબ કરેલ અને તેનો સારો લાભ પણ મળેલ. પરંતુ મારા એવા ઘણા મિત્રો છે જેની જગ્યામાં વાસ્તુશાસ્ત્રના નિયમોથી વિરૂદ્ધ બાંધકામ થયેલ છે, પરંતુ તેને કોઈ એવી મોટી પીડા આવેલ નથી. ઘણા મિત્રો એવું પણ કહેતા હોય છે કે જાતમહેનત કરો તો બધું મળી જશે. મારો પ્રશ્ર્ન એ છે કે સર, જીવનમાં વાસ્તુશાસ્ત્રને મહત્ત્વ કેટલું આપવું તથા જે લોકો નથી માનતા તેને તેની અસર થાય કે નહિં?
જવાબ: ભાઈ, આપનો પ્રશ્ર્ન બહુ જ સરસ છે. વાસ્તુશાસ્ત્ર એ વાતાવરણમાં રહેલી ઊર્જાઓ જેવી કે સૂર્યપ્રકાશ, પૃથ્વીનું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર, પંચતત્ત્વને ધ્યાન રાખીને વર્ષોના અવલોકન પછી વાસ્તુશાસ્ત્રની રચના કરવામાં આવેલ છે. આપણે તેને ઉદાહરણથી સરળતાથી સમજીએ. જો બહાર વરસાદ વરસતો હોય તો આપણે વરસાદ બંધ ન કરી શકીએ, પણ છત્રી અથવા રેઈનકોટથી આપણી જાતને વરસાદથી બચાવી શકીએ. તેવી જ રીતે ઉનાળામાં બહાર ખૂબ જ ગરમી હોય તો આપણે બહાર ગરમી ઓછી કરી શકતાં નથી પણ આપણને ગરમી ઓછી થાય તે માટે આપણે જે જગ્યા પર હોય ત્યાં પંખો અથવા એ.સી.નો ઉપયોગ કરીને ગરમી ઓછી કરવા પ્રયત્ન કરી શકીએ. કહેવાનો મતલબ એ છે કે મનુષ્ય પ્રકૃત્તિની સાથે સંતુલન જાળવી સુખરૂપ જીવન જીવવા માટે ચોક્કસ પ્રકારની બાંધકામ શૈલીને અનુસરી શકે તે માટે આ શાસ્ત્રોની રચના કરવામાં આવી. બીજી વાત આપણે સૌ જાણીએ છીએ કે તમાકુનું સેવન અથવા સિગારેટ પીવાથી આપણા શરીરને નુકસાન થાય છે, તેવું મેડિકલ સાયન્સ પણ કહે છે અને કેન્સર જેવા ગંભીર રોગો થઈ શકે છે. પરંતુ જેમ દરેક સિગારેટ પીવાવાળાને કેન્સર થતું નથી તેમ કેટલી માત્રામાં તમાકુનું સેવન અથવા સિગારેટ પીવાથી કેન્સર થઈ શકે છે તે કહી શકાતું નથી તેનો મતલબ એ નથી કે તમાકુનું સેવન અથવા સિગારેટનું સેવન સતત ચાલુ રાખવું. કારણ કે દરેક વ્યક્તિની અલગ-અલગ તાસીર, અલગ-અલગ જીવનશૈલી અને અલગ-અલગ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ તેના સ્વાસ્થ્ય પર મોટોભાગ ભજવે છે. તેથી જ તમાકુના વ્યસનની અસર દરેક વ્યક્તિ પર અલગ-અલગ પડે છે. આવું જ કંઈક જગ્યાના પ્રભાવનું છે. જીવનમાં વાસ્તુશાસ્ત્રની સાથોસાથ વ્યક્તિનું ભાગ્ય પણ ચોક્કસ ભાગ ભજવે છે એટલે કે બળવાન ભાગ્યને નબળા વાસ્તુની અસર થોડી મોડી થાય તેમ કહી શકાય. પણ ચોક્કસપણે તેના જીવનમાં જે જગ્યામાં રહે છે તેની અસર તો આવે જ. બીજો એક મહત્ત્વનો મુદ્દો વ્યક્તિ ભાગ્યને બદલી શકતો નથી, પરંતુ તે તેના કામકાજ કરવાની જગ્યા, રહેવાની જગ્યા, સુવા-બેસવાની જગ્યામાં ફેરફાર કરી જીવનમાં ચોક્કસપણે ઘણા ફેરફારો લાવી શકે છે. મહેનતના સંદર્ભમાં કહીએ તો ખાલી મહેનતથી બધું મળતું હોય તો ઘોડા કરતાં ગધેડો ઘણી વધુ મહેનત કરે છે, પણ તે ઘોડા જેટલો લાભ મેળવી શકતો નથી. જીવનમાં નીતિમત્તા, ભાગ્ય, મહેનતની સાથોસાથ રહેવાની અને કામ કરવાની જગ્યા જો સકારાત્મક ઊર્જાવાળી હશે તો આપ જીવનમાં વિશેષ લાભ મેળવી શકશો. અહીં કહેવાનો આશય એ છે કે જીવનમાં આપનું ભાગ્ય, આપની મહેનત, નિષ્ઠા, વૃત્તિ તથા આપની રહેવાની અને કામ કરવાની જગ્યા દરેકનું આપની સફળતામાં યોગદાન છે તેમ તેમાંથી કોઈ એકને પણ તમે અવગણી ન શકો.

- Advertisement -

પ્રશ્ર્ન 5: મારૂં ઘર દક્ષિણમુખી છે તથા પાણીની અંડરગ્રાઉન્ડ વોટરટેન્ક ઘરના અગ્નિખૂણામાં છે, તો તેનો કોઈ ઉપાય બતાવશો.
જવાબ: વાસ્તુ પ્રમાણે અગ્નિખૂણામાં રહેલ અંદર ગ્રાઉન્ડ વોટરટેન્ક વાસ્તુદોષ આપે છે. અગ્નિખૂણામાં રહેલ અંડર ગ્રાઉન્ડ વોટરટેન્ક આર્થિક બાબતોને અસર કરે છે તથા પૈસાની બચત થવામાં ઘણા અવરોધો આપે છે. નાના-મોટા અકસ્માત થવાની પણ સંભાવનાઓ રહે છે તેથી આપ તે ટાંકી મોરમ નાખી બંધ કરવી અને નવી અંડર ગ્રાઉન્ડ વોટરટેન્ક ઈશાન ખૂણામાં અને પૂર્વ દિશા વચ્ચે બનાવશો.

પ્રશ્ર્ન 6: નમસ્તે સર, મારા પુત્રના ટૂંક સમયમાં લગ્ન થવાના છે. તે ઘરના અગ્નિખૂણામાં રહેલ બેડરૂમ વાપરી શકે?
જવાબ: વાસ્તુ મુજબ નવવિવાહિત દંપતિએ અગ્નિખૂણામાં રહેલ બેડરૂમ વાપરવો નહિં. અગ્નિખૂણામાં રહેલ બેડરૂમમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ, તણાવ કે મતભેદ કરાવી શકે. સાથોસાથ પ્રેગનન્સી દરમિયાન પણ સ્ત્રીના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આવી શકે. અગ્નિખૂણામાં રહેલ બેડરૂમનો ઉપયોગ ગેસ્ટરૂમ તરીકે કરવો વધારે યોગ્ય રહેશે.

પ્રશ્ર્ન 7: મારા ઘરમાં હાલમાં ફર્નિચર કામ ચાલી રહ્યું છે. મારે ઘરમાં ચિત્રો રાખતી વખતે શું કાળજી રાખવી? તે જણાવશો.
જવાબ: વાચક મિત્ર, જ્યારે આપ ઘરમાં ચિત્રો રાખવા માગતાં હોય તો યુદ્ધના ચિત્રો, રડતાં બાળક અને રડતી સ્ત્રીના ચિત્રો, હિંસક પશુઓના ચિત્રો, ઘરમાં ભય ઉદ્ભવે તેવા ચિત્રો, હિંસક પશુઓના મસ્તિષ્કના ચિત્રો, ખંડિત થયેલ મૂર્તિના ચિત્રો, અર્ધ અંગના ચિત્રો ન રાખવા.

You Might Also Like

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચોરી પર સીનાજોરી
Next Article આલ્હા અને ઉદલના અદૃશ્ય અસ્તિત્વનું વણઉકેલાયેલું રહસ્ય!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
લવ બાઈટ બની શકે જીવલેણ : ગળા પર આપેલું પ્રેમનું નિશાન ક્યારેક બને છે બ્રેન સ્ટ્રોકનો ગંભીર ખતરો
રાજ્યમાંથી ઘી, તેલ-પનીર સહિત રૂ.5.89 કરોડનો જથ્થો ઝડપાયો
ભાવનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી: સૌરાષ્ટ્ર યુનિ.ના CCDC દ્વારા ૩૦ જૂનથી શરૂ થશે કોચિંગ વર્ગો
અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Authorમનીષ આચાર્ય

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?