By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની આવક માટે સારા, નહીંતર યુનિવર્સિટીઓ બંધ: ટ્રમ્પના સૂર બદલાયા!
    14 hours ago
    જ્યોર્જિયામાં ટેકઓફ પછી તુર્કીનું C-130 લશ્કરી વિમાન ક્રેશ થતાં 20નાં મોતની આશંકા
    15 hours ago
    પાકિસ્તાન તાલિબાન દ્વારા ઈસ્લામાબાદ હુમલાનો દાવો કર્યા બાદ કાબુલ માટે ખ્વાજા આસિફની “યુદ્ધ”ની ધમકી
    16 hours ago
    હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની યોજના બનાવી રહ્યો છે: રિપોર્ટ
    2 days ago
    મુનીરને મળ્યા વધુ અધિકાર: પરમાણુ હથિયાર અને ત્રણેય સેનાઓ પર કંટ્રોલ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂર 2.0?: PM મોદીની બેઠક, પાકિસ્તાનમાં હડકંપ
    14 hours ago
    દિલ્હી લાલ કિલ્લાના વિસ્ફોટ પર અલ ફલાહ યુનિવર્સિટીની પ્રથમ પ્રતિક્રિયા
    16 hours ago
    તુર્કી ટ્રિપ, ટેલિગ્રામ ચેટ્સ, જૈશ હેન્ડલર: કેવી રીતે ડૉક્ટર્સ મોડ્યુલને કટ્ટરપંથી બનાવવામાં આવ્યું
    16 hours ago
    દિલ્હી સરકારે લાલ કિલ્લા બ્લાસ્ટના પીડિતો માટે વળતરની જાહેરાત કરી
    16 hours ago
    UPSC મેન્સ 2025નું પરિણામ જાહેર – 2736 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ) માટે શોર્ટલિસ્ટ થયા
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    14 hours ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    3 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    6 days ago
    RCB વેચાવાની તૈયારીમાં: 2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે
    7 days ago
    લીગ ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓને રમવાની તક મળવી જોઈએ..’ વસીમ અકરમ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    15 hours ago
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    2 days ago
    2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે
    5 days ago
    ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
    6 days ago
    વિક્કી- કેટરીનાના ઘરે નાના રાજકુમારની કિલકારી ગુંજી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આલ્હા અને ઉદલના અદૃશ્ય અસ્તિત્વનું વણઉકેલાયેલું રહસ્ય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > આલ્હા અને ઉદલના અદૃશ્ય અસ્તિત્વનું વણઉકેલાયેલું રહસ્ય!
AuthorParakh Bhatt

આલ્હા અને ઉદલના અદૃશ્ય અસ્તિત્વનું વણઉકેલાયેલું રહસ્ય!

Khaskhabar Editor
Last updated: 2022/02/12 at 3:42 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE
મોટાભાગનાં શક્તિપીઠ મંદિરો પણ ઊંચા પહાડો પર જોઇ શકાય છે, એ જ રીતે, મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ત્રિકુટ પર્વત પર આવેલું ‘મૈહર મંદિર’ પણ 1063 પગથિયાનું ઊંચું ચઢાણ ધરાવે છે, પરંતુ અન્યો કરતાં આ મંદિરની ખાસિયતો ઘણી અલગ અને રહસ્યમય છે, કારણકે તેની સાથે ભારતનો ઇતિહાસ અને શ્રદ્ધા બંને જોડાયેલા છે.   

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વિક્રમ સંવત 559માં કરવામાં આવી હતી, આજે પણ મૂર્તિ પર દેવનાગરી લિપિમાં અંકિત થયેલ શિલાલેખ જોવા મળે છે, એમાં જણાવ્યા મુજબ, સરસ્વતીનો પુત્ર દામોદર જ કળિયુગના વ્યાસ મુનિ તરીકે ઓળખાશે!  

હિંદુ ધર્મમાં હંમેશાથી દેવી માના મંદિરો ઊંચા સ્થાન પર નિર્માણ પામ્યા છે. ઉત્તર ભારતમાં આપણે અનેક દુર્ગમ પહાડો અને કઠિનાઇઓ વેઠીને દુર્ગા માતાનાં દર્શન માટે વૈષ્ણો દેવી સુધીની સફર ખેડીએ છીએ. સૌરાષ્ટ્ર પ્રદેશનું ચોટિલા મંદિર કે પછી પાવાગઢ પર બિરાજમાન મા અંબાનું ઉદાહરણ લઈ લો! મોટાભાગનાં શક્તિપીઠ મંદિરો પણ ઊંચા પહાડો પર જોઇ શકાય છે. એ જ રીતે, મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ત્રિકુટ પર્વત પર આવેલું ‘મૈહર મંદિર’ પણ 1063 પગથિયાનું ઊંચું ચઢાણ ધરાવે છે. પરંતુ અન્યો કરતાં આ મંદિરની ખાસિયતો ઘણી અલગ અને રહસ્યમય છે, કારણકે તેની સાથે ભારતનો ઇતિહાસ અને શ્રદ્ધા બંને જોડાયેલા છે.

Contents
મોટાભાગનાં શક્તિપીઠ મંદિરો પણ ઊંચા પહાડો પર જોઇ શકાય છે, એ જ રીતે, મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ત્રિકુટ પર્વત પર આવેલું ‘મૈહર મંદિર’ પણ 1063 પગથિયાનું ઊંચું ચઢાણ ધરાવે છે, પરંતુ અન્યો કરતાં આ મંદિરની ખાસિયતો ઘણી અલગ અને રહસ્યમય છે, કારણકે તેની સાથે ભારતનો ઇતિહાસ અને શ્રદ્ધા બંને જોડાયેલા છે.   મોડર્ન ધર્મ – પરખ ભટ્ટમંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વિક્રમ સંવત 559માં કરવામાં આવી હતી, આજે પણ મૂર્તિ પર દેવનાગરી લિપિમાં અંકિત થયેલ શિલાલેખ જોવા મળે છે, એમાં જણાવ્યા મુજબ, સરસ્વતીનો પુત્ર દામોદર જ કળિયુગના વ્યાસ મુનિ તરીકે ઓળખાશે!  કોણ છે આલ્હા અને ઉદલ? શું છે તેમનું રહસ્ય?મંદિર સાથે સંલગ્ન માન્યતાપશુબલિની પ્રથા! 

મૈહરનો અર્થ છે, ‘માતાનો હાર, ઘરેણું’! મૈહર નગરીથી ફક્ત પાંચ કિલોમીટર દૂર બિરાજમાન શારદા દેવી ‘મૈહર માતા’ને નામે પણ ઓળખાય છે. સમગ્ર ભારતમાં મધ્યપ્રદેશ સિવાય અન્ય કોઇ રાજ્યમાં તેમનું મંદિર નથી. પર્વતના સર્વોચ્ચ શિખર પર શારદા માતાની સાથોસાથ કાલ ભૈરવી, હનુમાનજી, દેવી કાલી, માં દુર્ગા, શ્રી ગૌરી શંકર, શેષ નાગ, ફૂલમતિ માતા, બ્રહ્મદેવ અને જલાપા દેવીની પણ પૂજા કરવામાં આવી રહી છે.

- Advertisement -

કોણ છે આલ્હા અને ઉદલ? શું છે તેમનું રહસ્ય?

વીર રાજા પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ લડનાર આલ્હા અને ઉદલ, માતા શારદાનાં ખૂબ મોટા ભક્ત હતાં. એ બંનેએ જ સર્વપ્રથમ જંગલોની વચ્ચે મા શારદાનાં મંદિરની ખોજ કરી હતી. સદીઓ જૂના શિલાલેખ વિશે જાણીને તેમની શ્રદ્ધા બમણી થઈ ગઈ. આલ્હાએ સતત 12 વર્ષ સુધી શારદા માની પૂજા કરી, તેમને પ્રસન્ન કર્યા. આખરે માતા સ્વયં જ્યારે પ્રગટ થયા, ત્યારે આલ્હાએ તેમની પાસે અમરત્વ માંગ્યુ. તેઓ શારદા માતાને ‘માઇ’નાં હૂંફાળા સંબોધનથી બોલાવતાં હતાં. એ સમયથી જ મંદિરનું નામ પણ ‘શારદા માઇ’થી પ્રસિદ્ધ થવા લાગ્યું. આજનાં સમયમાં પણ માન્યતા છે કે મંદિરમાં માતાનાં સૌપ્રથમ દર્શન કરવા માટે આલ્હા અને ઉદલ બંને અદ્રશ્ય સ્વરૂપે ત્યાં આવે છે. મંદિરની પાછળનાં ભાગમાં, પહાડની નીચે એક તળાવ છે જેને ‘આલ્હા તળાવ’નાં નામે ઓળખવામાં આવે છે. માત્ર આટલું જ નહી, તળાવથી બે કિલોમીટર આગળ ચાલો એટલે એક અખાડો દેખાઈ આવે, જેના વિશે એવું મનાય છે કે, અહીં આલ્હા અને ઉદલે ખૂબ કુશ્તીઓ લડી છે!

મંદિર સાથે સંલગ્ન માન્યતા

પ્રજાપતિ દક્ષની સુપુત્રી સતી, કૈલાશ-સ્વામી શિવ સાથે વિવાહ કરવા ઇચ્છતી હતી. પરંતુ તેમનાં પિતા એટલે કે પ્રજાપતિ દક્ષને આ બિલકુલ મંજૂર નહોતું. આખો દિવસ સ્મશાનમાં બેસીને ધ્યાનમગ્ન રહેતાં, અઘોરીઓ સાથે ભોજન આરોગતાં, શરીરે ભભૂતિ ચોળીને પ્રેતગણ સાથે વસવાટ ધરાવતાં જમાઈ સાથે પોતાની દીકરી કોણ પરણાવે? મહાદેવના ઇશ્વરત્વથી અજાણ દક્ષ પણ આવું જ ધારવાની ભૂલ કરી બેઠો. અને, સતી તો પાર્વતીનો જ એક અવતાર હતાં! અર્ધાંગિની હોવાને નાતે તેઓ શિવત્વથી વિખૂટા કઈ રીતે રહી શકે!

- Advertisement -

પિતાની વિરૂદ્ધ જઈને તેમણે ભગવાન શિવ સાથે લગ્ન કર્યા અને પોતાનાં સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો. દિવસો વીતતા ગયા, વર્ષો વીતી ગયા. સતીને પોતાનાં પિતા પ્રત્યેનો ગુસ્સો ધીરે-ધીરે ઓગળી રહ્યો હતો, પરંતુ પ્રજાપતિ દક્ષ હજુ પણ શિવને પોતાનાં જમાઈ તરીકે સ્વીકારી નહોતાં શક્યા. એવામાં એક વખત તેમણે ભવ્ય યજ્ઞનું આયોજન કર્યુ, જેમાં દૂર-દૂરથી રાજા-મહારાજાઓ અને ઋષિમુનિઓને આમંત્રણ આપવામાં આવ્યા. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર તેમજ અન્ય દેવી-દેવતાઓ પણ એમાં સામેલ થયા, પરંતુ દક્ષ દ્વારા જાણી-જોઇને ભગવાન શિવ અને દેવી સતીને બાકાત રાખવામાં આવ્યા.

સતીને લાગ્યું કે પિતા કદાચ પોતાના પરિવારને આમંત્રણ આપવાનું ભૂલી ગયા હશે. દીકરી હોવાને નાતે તેને કોઇ આમંત્રણની જરૂર નથી, એવું વિચારીને સતી વણનોતર્યા મહેમાનની માફક પિતાના વિરાટ યજ્ઞનો હિસ્સો બનવા પહોંચી ગયા. શિવજીએ તેમને રોકવાની પુષ્કળ કોશિશો કરી, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. સતીએ યજ્ઞ વખતે પ્રજાપતિ દક્ષને, પોતાના પ્રત્યે રાખવામાં આવેલા આ ભેદભાવનું કારણ પૂછ્યું. સતીની હાજરીથી ક્રોધે ભરાયેલા રાજા દક્ષે પણ તેને શિવ વિશે ન કહેવાના વચનો કહ્યા. બધાની વચ્ચે તેમનું ખૂબ અપમાન કર્યુ. પિતાનો નફરતભાવ અને પોતાના પતિ પ્રત્યેની તેમની અરુચિ જોઇને સતી ખૂબ દુ:ખી થયા. યજ્ઞકુંડનો અગ્નિ લબકારા મારતો હતો, એ જ વખતે તેમણે પોતાની જાતને અગ્નિમાં હોમી દઈ આત્મ-વિલોપન કર્યુ.

મહાદેવને આ વાતની જાણ થતાં ક્રોધાવેશમાં આવીને તેમનું ત્રીજું નેત્ર ખૂલી ગયું, અને તેમણે ભયંકર નરસંહાર કર્યો. યજ્ઞકુંડમાંથી સતીનું પાર્થિવ શરીર ખભા પર ઉપાડી તેમણે તાંડવ કરવાનું શરૂ કરી દીધું. આખી પૃથ્વી તેમના ક્રોધનો શિકાર બનીને ધ્રુજવા માંડી. ભગવાન વિષ્ણુને થયું કે જો મહાદેવને શાંત કરવામાં ન આવ્યા, તો સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે. આ સાથે જ તેમણે સુદર્શન ચક્રની મદદ વડે દેવી સતીનાં દેહના 51 ટુકડા કરીને પૃથ્વીના અલગ-અલગ ભાગોમાં શક્તિપીઠની સ્થાપના કરી.

એવું માનવામાં આવે છે કે, મધ્યપ્રદેશનાં ત્રિકુટ પર્વત પર દેવી સતીનો હાર પડ્યો હતો. જોકે, મૈહર મંદિરનો સમાવેશ 51 શક્તિપીઠોમાં નથી થતો. આમ છતાં ત્યાં 365 દિવસ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. માતા પ્રત્યેની તેમની અડગ આસ્થા અને ભક્તિને કારણે શારદા દેવી મંદિરને પણ શક્તિપીઠ માનવામાં આવી રહી છે.

પશુબલિની પ્રથા! 

એક માન્યતા એવી પણ છે કે, ભારતનાં સર્વપ્રથમ આદિગુરૂ શંકરાચાર્યએ અહીં નવમી-દસમી સદીમાં પૂજા-અર્ચના કરી હતી. શારદા દેવી મંદિર ફક્ત આસ્થાની દ્રષ્ટિએ જ નહી, પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિકોણથી પણ ખાસ્સું મહત્વ ધરાવે છે. બીજું એ કે, મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વિક્રમ સંવત 559માં કરવામાં આવી હતી. આજે પણ મૂર્તિ પર દેવનાગરી લિપિમાં અંકિત થયેલ શિલાલેખ જોવા મળે છે. એમાં જણાવ્યા મુજબ, સરસ્વતીનો પુત્ર દામોદર જ કળિયુગના વ્યાસ મુનિ તરીકે ઓળખાશે! અન્ય ખાસ બાબત એ જણાવવાની કે, દુનિયાના ઘણા સુપ્રસિધ્ધ ઇતિહાસકારોએ ‘મૈહર દેવી’ મંદિરમાં ઉંડાણપૂર્વક સંશોધનો કર્યા છે. જાણીતા ઇતિહાસકાર એ.કનિંગ્ધમે તો પોતાનાં રિસર્ચ-વર્ક પર કામ કર્યા બાદ ત્યાં સુધી કહી દીધું કે, પુરાણકાળમાં અહીં પશુ-બલિ આપવામાં આવતો હતો. પરંતુ વર્ષ 1922માં સતનાના રાજા બ્રજનાથ જૂદેવનાં આદેશથી પશુબલિની ક્રૂર પ્રથા પર નિયંત્રણો લાદવામાં આવ્યા.
શારદા દેવી મંદિરનું પોતાનું વિશેષ મહત્વ છે, જેને ભક્તજનો પણ માની રહ્યા છે અને ઇતિહાસકારો પણ! કદાચ એકમાત્ર ભારતીય સંસ્કૃતિ પાસે એવી તાકત છે, જે ભલભલા વૈજ્ઞાનિક તથા પુરાતત્વશાસ્ત્રીઓને મોંમાં આંગળા નાંખવા મજબૂર કરી દે છે! અહીંયા વિવિધતાની સાથે ભક્તિ પણ ઐશ્વર્ય અને આશ્ચર્યનાં રંગે રંગાયેલી જોવા મળે છે! ઇન્ક્રિડિબલ ઇન્ડિયા!

You Might Also Like

આતંકવાદનો મોટિવ શું છે?

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

બસની સીટ – એક કટાક્ષકથા

ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે, હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી….

આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘર કે શો રૂમની અંદર તિજોરી નૈઋત્યખૂણામાં રાખવી
Next Article બહુ સરળ લાગતી સલાહમાં પણ ઊંડુ સત્ય છુપાયેલું છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સાઇખા GIDCમાં વિસ્ફોટ બાદ આગ, 3નાં મોત, 24 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
પરસાણાનગરમાં રેલ્વે ટ્રેક નીચે ગટરના ગંદા પાણીથી ફેલાય છે રોગચાળો : ગાયત્રીબા વાઘેલા
મવડીનો શખ્સ થાર અને અર્ટિગા સેલ્ફમાં ભાડે લઇ ગયા બાદ ગાયબ
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ડામર રોડ રીપેરિંગ કામગીરી પ્રગતિમાં
નિ:શુલ્ક સર્જરીથી જીવનદાન : ડૉ. પારસ મોટવાણીએ સર્જરીથી દર્દીને કર્યો પગભર
સરધારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પોતાને પણ ઘા ઝીકી દેતા ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

આતંકવાદનો મોટિવ શું છે?

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
Kinnar Acharya

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
Author

બસની સીટ – એક કટાક્ષકથા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?