By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન 2030 સુધીમાં અમેરિકા પાસેથી અદ્યતન મિસાઇલો મેળવશે
    56 minutes ago
    વિશ્વ બેંકે આગામી વર્ષે દક્ષિણ એશિયાના વિકાસને આંશિક રીતે ધીમો કરવા માટે ભારતીય નિકાસ પર યુએસ ટેરિફને ચેતવણી આપી છે
    1 hour ago
    રશિયન સેનાએ યુક્રેનના 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો મેળવ્યો: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો દાવો
    2 hours ago
    ટેરિફના જોરે જ સીઝફાયર કરાવ્યું: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ
    21 hours ago
    ફ્રાન્સના વડાપ્રધાન લેકોર્નુનું રાજીનામું માત્ર 27 દિવસમાં પદ છોડ્યું, રાષ્ટ્રપતિ મેક્રોને સ્વીકાર્યું
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારમાં એનડીએની સીટ-વહેંચણીની ઝઘડા વચ્ચે ચિરાગ પાસવાને ગુપ્ત ટિપ્પણી કરી: ‘દરેક પગલા પર લડતા શીખો’
    13 minutes ago
    ‘કોઈને અધિકાર નથી…’: CJI ગવઈની માતાએ જૂતા ફેંકવાની ઘટનાને બંધારણ પર હુમલો ગણાવી
    47 minutes ago
    મધ્યપ્રદેશમાં કફ સિરપથી મૃત્યુઆંક વધીને 20 થયો
    2 hours ago
    જયપુર-અજમેર હાઇવે પર વિસ્ફોટ: એલપીજી સિલિન્ડર લઈ જતી ટ્રક અને ટેન્કર અથડાયા
    2 hours ago
    સીકરમાં શ્રીમાધોપુર નજીક માલગાડી પાટા પરથી ઉતરી: ત્રણ ડઝનથી વધુ કોચ પાટા પરથી ઉતરી ગયા; રેલ્વે કામગીરી સ્થગિત, બચાવ કાર્ય ચાલુ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    4 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    1 week ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    1 week ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    માર્ગ અકસ્માતમાં પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન
    35 minutes ago
    60 કરોડના છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટીની 4 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી
    24 hours ago
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    2 days ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    6 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    1 day ago
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    2 days ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    7 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    2 weeks ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    3 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આલ્હા અને ઉદલના અદૃશ્ય અસ્તિત્વનું વણઉકેલાયેલું રહસ્ય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > આલ્હા અને ઉદલના અદૃશ્ય અસ્તિત્વનું વણઉકેલાયેલું રહસ્ય!
AuthorParakh Bhatt

આલ્હા અને ઉદલના અદૃશ્ય અસ્તિત્વનું વણઉકેલાયેલું રહસ્ય!

Khaskhabar Editor
Last updated: 2022/02/12 at 3:42 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE
મોટાભાગનાં શક્તિપીઠ મંદિરો પણ ઊંચા પહાડો પર જોઇ શકાય છે, એ જ રીતે, મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ત્રિકુટ પર્વત પર આવેલું ‘મૈહર મંદિર’ પણ 1063 પગથિયાનું ઊંચું ચઢાણ ધરાવે છે, પરંતુ અન્યો કરતાં આ મંદિરની ખાસિયતો ઘણી અલગ અને રહસ્યમય છે, કારણકે તેની સાથે ભારતનો ઇતિહાસ અને શ્રદ્ધા બંને જોડાયેલા છે.   

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વિક્રમ સંવત 559માં કરવામાં આવી હતી, આજે પણ મૂર્તિ પર દેવનાગરી લિપિમાં અંકિત થયેલ શિલાલેખ જોવા મળે છે, એમાં જણાવ્યા મુજબ, સરસ્વતીનો પુત્ર દામોદર જ કળિયુગના વ્યાસ મુનિ તરીકે ઓળખાશે!  

હિંદુ ધર્મમાં હંમેશાથી દેવી માના મંદિરો ઊંચા સ્થાન પર નિર્માણ પામ્યા છે. ઉત્તર ભારતમાં આપણે અનેક દુર્ગમ પહાડો અને કઠિનાઇઓ વેઠીને દુર્ગા માતાનાં દર્શન માટે વૈષ્ણો દેવી સુધીની સફર ખેડીએ છીએ. સૌરાષ્ટ્ર પ્રદેશનું ચોટિલા મંદિર કે પછી પાવાગઢ પર બિરાજમાન મા અંબાનું ઉદાહરણ લઈ લો! મોટાભાગનાં શક્તિપીઠ મંદિરો પણ ઊંચા પહાડો પર જોઇ શકાય છે. એ જ રીતે, મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ત્રિકુટ પર્વત પર આવેલું ‘મૈહર મંદિર’ પણ 1063 પગથિયાનું ઊંચું ચઢાણ ધરાવે છે. પરંતુ અન્યો કરતાં આ મંદિરની ખાસિયતો ઘણી અલગ અને રહસ્યમય છે, કારણકે તેની સાથે ભારતનો ઇતિહાસ અને શ્રદ્ધા બંને જોડાયેલા છે.

Contents
મોટાભાગનાં શક્તિપીઠ મંદિરો પણ ઊંચા પહાડો પર જોઇ શકાય છે, એ જ રીતે, મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ત્રિકુટ પર્વત પર આવેલું ‘મૈહર મંદિર’ પણ 1063 પગથિયાનું ઊંચું ચઢાણ ધરાવે છે, પરંતુ અન્યો કરતાં આ મંદિરની ખાસિયતો ઘણી અલગ અને રહસ્યમય છે, કારણકે તેની સાથે ભારતનો ઇતિહાસ અને શ્રદ્ધા બંને જોડાયેલા છે.   મોડર્ન ધર્મ – પરખ ભટ્ટમંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વિક્રમ સંવત 559માં કરવામાં આવી હતી, આજે પણ મૂર્તિ પર દેવનાગરી લિપિમાં અંકિત થયેલ શિલાલેખ જોવા મળે છે, એમાં જણાવ્યા મુજબ, સરસ્વતીનો પુત્ર દામોદર જ કળિયુગના વ્યાસ મુનિ તરીકે ઓળખાશે!  કોણ છે આલ્હા અને ઉદલ? શું છે તેમનું રહસ્ય?મંદિર સાથે સંલગ્ન માન્યતાપશુબલિની પ્રથા! 

મૈહરનો અર્થ છે, ‘માતાનો હાર, ઘરેણું’! મૈહર નગરીથી ફક્ત પાંચ કિલોમીટર દૂર બિરાજમાન શારદા દેવી ‘મૈહર માતા’ને નામે પણ ઓળખાય છે. સમગ્ર ભારતમાં મધ્યપ્રદેશ સિવાય અન્ય કોઇ રાજ્યમાં તેમનું મંદિર નથી. પર્વતના સર્વોચ્ચ શિખર પર શારદા માતાની સાથોસાથ કાલ ભૈરવી, હનુમાનજી, દેવી કાલી, માં દુર્ગા, શ્રી ગૌરી શંકર, શેષ નાગ, ફૂલમતિ માતા, બ્રહ્મદેવ અને જલાપા દેવીની પણ પૂજા કરવામાં આવી રહી છે.

- Advertisement -

કોણ છે આલ્હા અને ઉદલ? શું છે તેમનું રહસ્ય?

વીર રાજા પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધ લડનાર આલ્હા અને ઉદલ, માતા શારદાનાં ખૂબ મોટા ભક્ત હતાં. એ બંનેએ જ સર્વપ્રથમ જંગલોની વચ્ચે મા શારદાનાં મંદિરની ખોજ કરી હતી. સદીઓ જૂના શિલાલેખ વિશે જાણીને તેમની શ્રદ્ધા બમણી થઈ ગઈ. આલ્હાએ સતત 12 વર્ષ સુધી શારદા માની પૂજા કરી, તેમને પ્રસન્ન કર્યા. આખરે માતા સ્વયં જ્યારે પ્રગટ થયા, ત્યારે આલ્હાએ તેમની પાસે અમરત્વ માંગ્યુ. તેઓ શારદા માતાને ‘માઇ’નાં હૂંફાળા સંબોધનથી બોલાવતાં હતાં. એ સમયથી જ મંદિરનું નામ પણ ‘શારદા માઇ’થી પ્રસિદ્ધ થવા લાગ્યું. આજનાં સમયમાં પણ માન્યતા છે કે મંદિરમાં માતાનાં સૌપ્રથમ દર્શન કરવા માટે આલ્હા અને ઉદલ બંને અદ્રશ્ય સ્વરૂપે ત્યાં આવે છે. મંદિરની પાછળનાં ભાગમાં, પહાડની નીચે એક તળાવ છે જેને ‘આલ્હા તળાવ’નાં નામે ઓળખવામાં આવે છે. માત્ર આટલું જ નહી, તળાવથી બે કિલોમીટર આગળ ચાલો એટલે એક અખાડો દેખાઈ આવે, જેના વિશે એવું મનાય છે કે, અહીં આલ્હા અને ઉદલે ખૂબ કુશ્તીઓ લડી છે!

મંદિર સાથે સંલગ્ન માન્યતા

પ્રજાપતિ દક્ષની સુપુત્રી સતી, કૈલાશ-સ્વામી શિવ સાથે વિવાહ કરવા ઇચ્છતી હતી. પરંતુ તેમનાં પિતા એટલે કે પ્રજાપતિ દક્ષને આ બિલકુલ મંજૂર નહોતું. આખો દિવસ સ્મશાનમાં બેસીને ધ્યાનમગ્ન રહેતાં, અઘોરીઓ સાથે ભોજન આરોગતાં, શરીરે ભભૂતિ ચોળીને પ્રેતગણ સાથે વસવાટ ધરાવતાં જમાઈ સાથે પોતાની દીકરી કોણ પરણાવે? મહાદેવના ઇશ્વરત્વથી અજાણ દક્ષ પણ આવું જ ધારવાની ભૂલ કરી બેઠો. અને, સતી તો પાર્વતીનો જ એક અવતાર હતાં! અર્ધાંગિની હોવાને નાતે તેઓ શિવત્વથી વિખૂટા કઈ રીતે રહી શકે!

- Advertisement -

પિતાની વિરૂદ્ધ જઈને તેમણે ભગવાન શિવ સાથે લગ્ન કર્યા અને પોતાનાં સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો. દિવસો વીતતા ગયા, વર્ષો વીતી ગયા. સતીને પોતાનાં પિતા પ્રત્યેનો ગુસ્સો ધીરે-ધીરે ઓગળી રહ્યો હતો, પરંતુ પ્રજાપતિ દક્ષ હજુ પણ શિવને પોતાનાં જમાઈ તરીકે સ્વીકારી નહોતાં શક્યા. એવામાં એક વખત તેમણે ભવ્ય યજ્ઞનું આયોજન કર્યુ, જેમાં દૂર-દૂરથી રાજા-મહારાજાઓ અને ઋષિમુનિઓને આમંત્રણ આપવામાં આવ્યા. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર તેમજ અન્ય દેવી-દેવતાઓ પણ એમાં સામેલ થયા, પરંતુ દક્ષ દ્વારા જાણી-જોઇને ભગવાન શિવ અને દેવી સતીને બાકાત રાખવામાં આવ્યા.

સતીને લાગ્યું કે પિતા કદાચ પોતાના પરિવારને આમંત્રણ આપવાનું ભૂલી ગયા હશે. દીકરી હોવાને નાતે તેને કોઇ આમંત્રણની જરૂર નથી, એવું વિચારીને સતી વણનોતર્યા મહેમાનની માફક પિતાના વિરાટ યજ્ઞનો હિસ્સો બનવા પહોંચી ગયા. શિવજીએ તેમને રોકવાની પુષ્કળ કોશિશો કરી, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. સતીએ યજ્ઞ વખતે પ્રજાપતિ દક્ષને, પોતાના પ્રત્યે રાખવામાં આવેલા આ ભેદભાવનું કારણ પૂછ્યું. સતીની હાજરીથી ક્રોધે ભરાયેલા રાજા દક્ષે પણ તેને શિવ વિશે ન કહેવાના વચનો કહ્યા. બધાની વચ્ચે તેમનું ખૂબ અપમાન કર્યુ. પિતાનો નફરતભાવ અને પોતાના પતિ પ્રત્યેની તેમની અરુચિ જોઇને સતી ખૂબ દુ:ખી થયા. યજ્ઞકુંડનો અગ્નિ લબકારા મારતો હતો, એ જ વખતે તેમણે પોતાની જાતને અગ્નિમાં હોમી દઈ આત્મ-વિલોપન કર્યુ.

મહાદેવને આ વાતની જાણ થતાં ક્રોધાવેશમાં આવીને તેમનું ત્રીજું નેત્ર ખૂલી ગયું, અને તેમણે ભયંકર નરસંહાર કર્યો. યજ્ઞકુંડમાંથી સતીનું પાર્થિવ શરીર ખભા પર ઉપાડી તેમણે તાંડવ કરવાનું શરૂ કરી દીધું. આખી પૃથ્વી તેમના ક્રોધનો શિકાર બનીને ધ્રુજવા માંડી. ભગવાન વિષ્ણુને થયું કે જો મહાદેવને શાંત કરવામાં ન આવ્યા, તો સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે. આ સાથે જ તેમણે સુદર્શન ચક્રની મદદ વડે દેવી સતીનાં દેહના 51 ટુકડા કરીને પૃથ્વીના અલગ-અલગ ભાગોમાં શક્તિપીઠની સ્થાપના કરી.

એવું માનવામાં આવે છે કે, મધ્યપ્રદેશનાં ત્રિકુટ પર્વત પર દેવી સતીનો હાર પડ્યો હતો. જોકે, મૈહર મંદિરનો સમાવેશ 51 શક્તિપીઠોમાં નથી થતો. આમ છતાં ત્યાં 365 દિવસ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. માતા પ્રત્યેની તેમની અડગ આસ્થા અને ભક્તિને કારણે શારદા દેવી મંદિરને પણ શક્તિપીઠ માનવામાં આવી રહી છે.

પશુબલિની પ્રથા! 

એક માન્યતા એવી પણ છે કે, ભારતનાં સર્વપ્રથમ આદિગુરૂ શંકરાચાર્યએ અહીં નવમી-દસમી સદીમાં પૂજા-અર્ચના કરી હતી. શારદા દેવી મંદિર ફક્ત આસ્થાની દ્રષ્ટિએ જ નહી, પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિકોણથી પણ ખાસ્સું મહત્વ ધરાવે છે. બીજું એ કે, મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થયેલી મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા વિક્રમ સંવત 559માં કરવામાં આવી હતી. આજે પણ મૂર્તિ પર દેવનાગરી લિપિમાં અંકિત થયેલ શિલાલેખ જોવા મળે છે. એમાં જણાવ્યા મુજબ, સરસ્વતીનો પુત્ર દામોદર જ કળિયુગના વ્યાસ મુનિ તરીકે ઓળખાશે! અન્ય ખાસ બાબત એ જણાવવાની કે, દુનિયાના ઘણા સુપ્રસિધ્ધ ઇતિહાસકારોએ ‘મૈહર દેવી’ મંદિરમાં ઉંડાણપૂર્વક સંશોધનો કર્યા છે. જાણીતા ઇતિહાસકાર એ.કનિંગ્ધમે તો પોતાનાં રિસર્ચ-વર્ક પર કામ કર્યા બાદ ત્યાં સુધી કહી દીધું કે, પુરાણકાળમાં અહીં પશુ-બલિ આપવામાં આવતો હતો. પરંતુ વર્ષ 1922માં સતનાના રાજા બ્રજનાથ જૂદેવનાં આદેશથી પશુબલિની ક્રૂર પ્રથા પર નિયંત્રણો લાદવામાં આવ્યા.
શારદા દેવી મંદિરનું પોતાનું વિશેષ મહત્વ છે, જેને ભક્તજનો પણ માની રહ્યા છે અને ઇતિહાસકારો પણ! કદાચ એકમાત્ર ભારતીય સંસ્કૃતિ પાસે એવી તાકત છે, જે ભલભલા વૈજ્ઞાનિક તથા પુરાતત્વશાસ્ત્રીઓને મોંમાં આંગળા નાંખવા મજબૂર કરી દે છે! અહીંયા વિવિધતાની સાથે ભક્તિ પણ ઐશ્વર્ય અને આશ્ચર્યનાં રંગે રંગાયેલી જોવા મળે છે! ઇન્ક્રિડિબલ ઇન્ડિયા!

You Might Also Like

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

ઇંગ્લેન્ડમાં બનશે મધમાખીઓ માટે ખાસ આવાસ

ચાલો માણસ માણસ રમીએ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘર કે શો રૂમની અંદર તિજોરી નૈઋત્યખૂણામાં રાખવી
Next Article બહુ સરળ લાગતી સલાહમાં પણ ઊંડુ સત્ય છુપાયેલું છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારમાં એનડીએની સીટ-વહેંચણીની ઝઘડા વચ્ચે ચિરાગ પાસવાને ગુપ્ત ટિપ્પણી કરી: ‘દરેક પગલા પર લડતા શીખો’

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
સવારે આદુવાળી ચા પીવાથી થશે પાચનતંત્ર સહિતની સમસ્યાઓ થશે દૂર
માર્ગ અકસ્માતમાં પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન
‘કોઈને અધિકાર નથી…’: CJI ગવઈની માતાએ જૂતા ફેંકવાની ઘટનાને બંધારણ પર હુમલો ગણાવી
પાકિસ્તાન 2030 સુધીમાં અમેરિકા પાસેથી અદ્યતન મિસાઇલો મેળવશે
વિશ્વ બેંકે આગામી વર્ષે દક્ષિણ એશિયાના વિકાસને આંશિક રીતે ધીમો કરવા માટે ભારતીય નિકાસ પર યુએસ ટેરિફને ચેતવણી આપી છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?