By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    14 hours ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    3 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    3 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    5 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    13 hours ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    13 hours ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    15 hours ago
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    2 days ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    6 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    7 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    5 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    6 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પૃથ્વી પર સૌ પ્રથમ જીવનો પ્રારંભ જ જળમાંથી મત્સ્ય અવતાર સ્વરૂપે થયો’તો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પૃથ્વી પર સૌ પ્રથમ જીવનો પ્રારંભ જ જળમાંથી મત્સ્ય અવતાર સ્વરૂપે થયો’તો
રાજકોટ

પૃથ્વી પર સૌ પ્રથમ જીવનો પ્રારંભ જ જળમાંથી મત્સ્ય અવતાર સ્વરૂપે થયો’તો

Khaskhabar Editor
Last updated: 2025/12/16 at 4:44 PM
Khaskhabar Editor 8 months ago
Share
10 Min Read
SHARE

વિશ્ર્વમાં સૌથી પહેલી એવી અનોખી ‘જલકથા’નો રાજકોટમાં પ્રારંભ

જે વ્યક્તિ ગંગાને માત્ર નદી કહે છે એ કાં તો મૂર્ખ છે કાં તો ધૂર્ત : ડૉ. કુમાર વિશ્ર્વાસ

- Advertisement -

ડૉ. કુમાર વિશ્ર્વાસે યુવાનોને ગીરગંગાના માધ્યમથી પ્રશ્ર્ન પૂછવાનું આહ્વાન કર્યું હતું

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

‘વિશ્ર્વમાં નદીઓને માત્ર પાણીના સ્તોત્ર તરીકે જ જોવામાં અને મૂલવવામાં આવે છે જ્યારે ભારતમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, દુનિયા પ્રકૃતિને સબસ્ટેન માને છે ત્યારે ભારત પ્રકૃતિને દૈવત્વ માને છે’ તેમ કથા મર્મજ્ઞ અને તત્ત્વચિંતક ડો. કુમાર વિશ્ર્વાસે ‘જલકથા: અપને-અપને શ્યામ કી’ના પ્રથમ દિવસે જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય અને જળસંવર્ધન માટે 1,11,111 જળ સ્ટ્રકચર કાર્યાન્વિત કરવા માટે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે રાજકોટના રેસકોર્સ મેદાનમાં વિખ્યાત તત્ત્વચિંતક, વિશ્ર્લેષક, કથાકાર અને કવિ ડો. કુમાર વિશ્ર્વાસની વિશ્ર્વમાં સૌથી પહેલી એવી અનોખી જલકથા: અપને અપને શ્યામ કીનો દબદબાભેર મંગલ પ્રારંભ કર્યો હતો.
આ પ્રસંગે બોલતા ડો. કુમાર વિશ્ર્વાસે જણાવ્યું હતું કે પૃથ્વી પર પ્રથમ જીવનો પ્રારંભ જ જળમાંથી મત્સ્ય અવતાર સ્વરૂપે થયો હતો. ત્યારબાદ વિવિધ અવતારો થયા અને અંતે મનુષ્યનું સર્જન થયું. જીવનનો મૂળ આધાર અને સ્તોત્ર જળ છે આથી જળ એ જ જીવન છે તેમ જણાવી ડો. કુમાર વિશ્ર્વાસે જલકથામાં રામ અવતાર અને કૃષ્ણ અવતારની તુલના વિવિધ પ્રસંગોના માધ્યમથી કરીને શ્રોતાઓને ભાવવિભોર બનાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે આ જલકથા પૂર્વે જળસંચય વિશે લોકોમાં જાગૃતતા આવે અને જનભાગીદારી સુદ્દઢ બને એ માટે જિલ્લા ઘણાં દિવસોથી શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શૃંખલા રચવામાં આવી હતી. ભાવિ પેઢી અને ભવિષ્યના પાણીદાર સૌરાષ્ટ્ર અને ગુજરાતની પરિકલ્પના સાકાર કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલ ડો. કુમાર વિશ્ર્વાસની આ જલકથા દ્વારા સમુચા દેશ અને દુનિયાનું ધ્યાન પણ રાજકોટ અને સૌરાષ્ટ્ર તરફ ખેંચાયું છે. આ ભવ્ય અને સંગીતમય જલકથાના પ્રથમ દિવસે ડો. કુમાર વિશ્ર્વાસે રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતાના વિવિધ પ્રસંગોની પોતીકી અનોખી શૈલીમાં વિસ્તૃત અને સરળ છણાવટ કરતાં ઉપસ્થિત શ્રોતાઓ આફરીન પોકારી ઉઠ્યા હતા. પોતાના આગવા અંદાજમાં ડો. કુમાર વિશ્ર્વાસ પૂર્ણપણે ખીલ્યા હતા અને સાંપ્રત સમયની સમસ્યાઓ અને તેના ઉકેલમાં ભારતની ભૂમિકા વિશે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો.

- Advertisement -

રામાવતાર અને કૃષ્ણાવતાર કવિ કુમાર વિશ્ર્વાસની નજરે
હ જગતના પ્રપંચોથી વ્યથિત થયા બાદ શ્રીરામ જ શ્રીકૃષ્ણ સ્વરૂપે અવતર્યા.
હ રામને ષડયંત્રોથી ઘરની બહાર કઢાયા ત્યારે કૃષ્ણએ ષડયંત્રોને ઘરમાંથી બહાર કાઢ્યા.
હ રામને બધાએ ભગવાન માન્યા જ્યારે કૃષ્ણએ અર્જુન સહિતના સર્વેને કહ્યું કે હું ભગવાન છું, મારી નિશ્રામાં આવો.
હ રામ (શબરીને) માર્ગ પૂછે છે જ્યારે કૃષ્ણ બધાને માર્ગ બતાવે છે.
હ રામથી જે જે કાર્ય છૂટ્યું તે કૃષ્ણએ પૂરૂં કર્યું.
હ મનુષ્યને રીઝવવા રાગમાં ગવાય છે, કૃષ્ણને રીઝવવા અનુરાગમાં ગવાય છે.
હ રામ, કૃષ્ણ કોઈ ધર્મના નહીં પણ ભારતની સાંસ્કૃતિક ધરોહર છે.
હ સમયની યાત્રા રામથી શરૂ થાય છે અને સમય જ તેને કૃષ્ણ બનાવે છે.
હ રામ સપને હૈ, કૃષ્ણ અપને હૈ, રામ બનવું દુષ્કર છે પણ કૃષ્ણ બનવું સરળ છે.
હ કૃષ્ણ રાગી પણ છે અને વૈરાગી પણ છે.

જલકથાની વૈશ્ર્વિક કક્ષાએ લેવાશે નોંધ: આજે રચાશે વર્લ્ડ રેકોર્ડ
ક્ષ આ જલકથાને ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ સહિતની વિશ્વની રેકોર્ડ એજન્સીઓ ‘વિશ્ર્વની પ્રથમ વૈશ્ર્વિક જલકથા- સૌથી મોટા વૈશ્ર્વિક જળ-વિશ્વાસ મેળાવડા’ તરીકે વર્લ્ડ રેકોર્ડ નોંધશે.
ક્ષ આ રેકોર્ડ 16મી ડિસેમ્બરના રોજ આજે રાત્રે 8-00થી 10-00 વાગ્યા સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે નોંધવામાં આવશે અને તેને જળ સંરક્ષણ માટે સૌથી મોટો અને પ્રથમ આધ્યાત્મિક -સાંસ્કૃતિક મેળાવડો તરીકે માન્યતા અપાશે.
ક્ષ આ ઐતિહાસિક પ્રયાસને પ્રમાણિત કરવા માટે દેશ-વિદેશની પ્રતિષ્ઠિત વર્લ્ડ રેકોર્ડ એજન્સીઓના અધિકારીઓ અન નિરીક્ષકો રાજકોટ આવ્યા છે. જેમાં ઈંઊઅ (ઈંઊઅ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ) ક્ધસલ્ટિંગ ફર્મ તરીકે સમગ્ર રેકોર્ડ પ્રક્રિયાનું સંકલન કરશે.
ક્ષ આ વર્લ્ડ રેકોર્ડમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ- આંતરરાષ્ટ્રીય, એશિયા સ્પેસિફીક બુક ઓફ રેકોર્ડ્સ- એશિયા લેવલ, ઈંઊઅ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ટરનેશનલ- નેશનલ, ઓએમજી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ- ઈન્ટરનેશનલ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ ભારત, ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ- ઈન્ટરનેશનલ અને લિમ્બા બુક ઓફ રેકોર્ડ્સ-ભારતનો સમાવેશ થાય છે.

હવે ભારત દેશને આગલા 100 વર્ષો સુધી કૃષ્ણ નીતિ પર ચાલવાની જરૂર

પાણીનું મહત્ત્વ અને માહાત્મ્ય સમજાવવા ડો. વિશ્ર્વાસે આપેલા તર્કને શ્રાવકોએ તાળીઓના ગડગડાટથી વારંવાર વધારી લેતાં કથાકારે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આવતીકાલે 16 ડિસેમ્બર ને મંગળવારે તેઓ રામ અને શ્યામના જીવનકવનની તુલનાત્મક વિભાવનાઓ વિવિધ પ્રસંગોના માધ્યમથી કઈ રીતે કરશે તેની આછેરી ઝલક તેઓએ આપી હતી. તેઓએ કથા દરમિયાન યુવાનોને પોતાના પ્રશ્ર્નો ગીરગંગાના માધ્યમથી પૂછવાનું આહ્વાન કર્યું હતું અને યુવાનોમાં વ્યાપ્ત અસમંજસને દૂર કરવા તેઓએ તમામ પ્રશ્ર્નોના જવાબ આપવાનો કોલ પણ આપ્યો હતો. ડો. કુમાર વિશ્ર્વાસે પહેલા દિવસની કથાનો પ્રારંભ સુપ્રસિદ્ધ સ્તોત્ર અધરમ્ મધુરમ્થી કરતાં જ કથાનો માહોલ બંધાઈ ગયો હતો. ડો. કુમાર વિશ્ર્વાસની વાણી પ્રારંભ પૂર્વે તેમની ટીમના જાણીતા કવિ દિનેશજી બાંગરે જોશભેર જલવિષયક કવિતા ગાન કરતાં ઉપસ્થિત શ્રોતાઓએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા, ત્યારબાદ બાળ ભજનિક બિરેનકુમાર તેમજ ભજનિક અંકિતા શ્રીવાસ્તવએ કૃષ્ણ ભજન ગાનથી લોકોને ભાવવિભોર કર્યા હતા.

જળસંચય કાર્ય માટે આર્થિક સહાયનો ધોધ
દિવ્ય જલકથામાં દાતાઓએ અભૂતપૂર્વ ઉદારતા દાખવીને આર્થિક સહયોગનો ધોધ વરસાવ્યો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચયના થઈ રહેલા આ ઐશ્ર્વરિક કાર્યમાં સહાયભૂત બનવાના ઉમદા હેતુ માટે દાતાઓ આગળ આવ્યા હતા. જલકથાના આજે પ્રથમ દિવસે અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સર્વે મનીષભાઈ બધેકા, મુકેશભાઈ પાબારી, ધીરુભાઈ ગોંડલીયા, ઉદ્યોગપતિ જે. કે. સરધારા, માથુરભાઈ અણદાણી, વિનુભાઈ પટેલ, મનોજભાઈ અને કેતનભાઈ કોટક, પ્રકાશભાઈ બેચરભાઈ સખીયા વગેરેએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના કાર્યોની સરાહના કરી આર્થિક સહયોગ માટે જાહેરાત કરી હતી. આ પ્રસંગે સામાન્ય નાગરિકોએ પણ પોતાની ક્ષમતા અનુસાર રાષ્ટ્રના આ ધર્મકાર્યમાં પોતાનો સહકાર નોંધાવ્યો હતો.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે એકત્રિત થયેલી રકમનો ઉપયોગ જળસંચય અને સંવર્ધનના કાર્યો પાછળ કરવામાં આવશે.

જલકથામાં પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા મહાનુભાવો
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજ્યના માજી કેન્દ્રીય કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, રક્ષાદળના કેપ્ટન હેમંત વ્યાસ, રમેશભાઈ રાણીપા અમેરિકાના ગીરગંગાના ક્ધવીનર, હરીશભાઈ માલાણી, રસિકભાઈ ફળદુ, અગ્રણી બિલ્ડર ઉમેશભાઈ માલાણી, ગૌતમભાઈ ધમસાણીયા, સયાજી હોટેલવાળા દિગ્વિજયસિંહ જાડેજા, એન્જલ પંપવાળા શિવાભાઈ પટેલ ભવનાથ આશ્રમ, ભાયાસરવાળા વશિષ્ઠ નાથજીબાપુ, કાલાવડના કલ્પેશગીરીબાપુ, ગીરગંગા સુરતના ક્ધવીનર રામજીભાઈ જેતાણી, કચ્છ ગ્લોબલના ગોવિંદભાઈ ભાનુશાલી, ડેકોરા બિલ્ડરવાળા નિખિલભાઈ પટેલ, અગ્રણી બિલ્ડર બાકીરભાઈ ગાંધી, કાનજીભાઈ ભાલાળા, સવજીભાઈ વેકરીયા, ભવાનભાઈ સહિતની સુરતની ટીમ, ડો. સુધીરભાઈ ભીમાણી, પ્રફુલભાઈ ફુલતેરા, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગોવિંદભાઈ કાકડીયા, કચ્છી ભાનુશાલી ટ્રસ્ટ રાજકોટના વાલજીભાઈ નંદા, પ્રેમજી વાલજી એન્ડ સન્સના હરીશભાઈ, રાજકોટ જિલ્લા ભાજપના અગ્રેસર રાજુભાઈ ધારૈયા.

કવિ ડૉ. કુમાર વિશ્ર્વાસની અસ્ખલિત વાણીની હાઈલાઈટ્સ
હ ગુજરાત હંમેશા એકલા ચાલવામાં વિશ્ર્વાસ નથી રાખતું, બે લોકો જ હંમેશાં નેતૃત્વ કરે છે, એ પછી રાજનીતિ હોય કે ઉદ્યોગ જગત હોય.
હ ભારત હવે રામ જેવો મર્યાદાનો નહીં, કૃષ્ણ જેવો વ્યવહાર કરે છે. મોસ્કોથી આવેલા મહેમાનનું બંસરીથી સ્વાગત કરે છે, તો દુષ્ટ પડોશીના જરાસંઘ જેવા હાલ કરે છે.
હ ભારતે સંકલ્પ લેવો પડશે કે આતંકવાદ સરીખા કાલિયા નાગને નાથવા તેની ફેણ પર નૃત્ય કરી તેને કચડવો છે.
હ રામની મર્યાદા પુરુષોત્તમ સમાન નીતિ પર આપણે ચાલી ચૂક્યા, હવે આ દેશને આગલા 100 વર્ષો સુધી કૃષ્ણ નીતિ પર ચાલવાની જરૂર છે.
હ સગર્ભા ધર્મગ્રંથો નથી વાંચતી, ક્લેશવાળી સિરિયલો નિહાળે છે. ધતુરાનું બીજ વાવીએ તો કલ્પવૃક્ષ કેવી રીતે પેદા થાય?
હ અટલ બિહારી બાજપાઈ મર્યાદા પુરુષોત્તમની વિચારધારાવાળા હતા, જેઓએ સામેથી સત્તા ત્યાગ કર્યો હતો. હવે પૂર્ણ પુરુષોત્તમ વિચારધારાવાળા બિરાજમાન છે. જેઓ તમામ પ્રપંચો સામે લડીને જાણે કહી રહ્યા છે કે હું શું કામ સત્તા ત્યાગ કરું? તો તમે કૃષ્ણ છો!
હ 99 ગાળો સાંભળવાનું સામર્થ્ય છે તો તમે કૃષ્ણ છો
હ મૃત્યુની ફેણ પર ઊભા કરી નાચી શકો છો તો તમે કૃષ્ણ છો
હ સામાન્ય વ્યક્તિના સારથી બનવાનું તમારૂં સામર્થ્ય છે તો તમે કૃષ્ણ છો
હ રાજા બન્યા પછી પણ સુદામા જેવો સખા રાખી શકો તો તમે કૃષ્ણ છો

દિલીપભાઈ સખીયા જેવા પાગલપણાથી જ દુનિયા ચાલે છે!
ડો. કુમારે વિશ્ર્વાસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા સાથે થયેલા વારંવારની દરેક મુલાકાતોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે તેઓ જ્યારે પણ મળે ત્યારે દિલીપભાઈએ સૌરાષ્ટ્રના જળસ્તરની જ ચિંતા કરી છે. ન વસ્ત્રોની સુધબુધ, ન અન્ય કોઈ વાતચીત! સૌરાષ્ટ્રનું જળસંકટ દૂર થાય એ એક જ વાત તેના મુખે સાંભળવા મળે. જળસંચય માટે જ વિચારતા રહે. તેમનામાં જળસંચય માટેનું પાગલપન છે. આવા પાગલોથી જ દુનિયા ચાલે છે. ડો. કુમાર વિશ્ર્વાસે સૌરાષ્ટ્ર અને ગુજરાતને પાણીદાર કરવાનું દિલીપભાઈનું સ્વપ્ન સિદ્ધ થઈને જ રહેશે તેવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો, જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર

સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય

રાજકોટમાં ૨૮ દિવસમાં ૨૮૬૪ સ્થળની તપાસ, ૧૮૦૨ નોટિસ અને રૂ. ૧.૬૧ લાખથી વધુનો દંડ

જામનગર યુનિ.નું પેપર લીક થતાં રાજકોટમાં NSUIનો વિરોધ

PDM ફાટકે રૂ.82 કરોડના અંડરબ્રિજ માટે રેલવેએ આપી સૈદ્ધાંતિક મંજૂરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દવા છે પણ સ્ટાફ પૂરતો નથી! બે-બે કલાક લાઇનમાં ઉભા રહ્યા બાદ દર્દીઓને મળે છે દવા
Next Article જમીન ખાલી કરાવવા હુમલો કરનાર મેહુલ ડી.માટીયા અને મેહુલ એ. માટીયા થકી જીવનું જોખમ : ફરિયાદીનો આક્ષેપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકુમાર જાટ શા માટે નગ્નવસ્થામાં ફરતો હતો? : ગોંડલના ચકચારી કેસમાં હાઈકોર્ટના 4 સવાલ
રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર
સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ.4.20 કરોડના 13 કામો મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

સામૂહિક આપઘાત : વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટમાં ૨૮ દિવસમાં ૨૮૬૪ સ્થળની તપાસ, ૧૮૦૨ નોટિસ અને રૂ. ૧.૬૧ લાખથી વધુનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?