સવારે છ વાગ્યામાં ઈમર્જન્સી વિભાગના સ્ટાફ સામે આક્ષેપબાજી કરતા ટોળાં ઊમટ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જસદણના શિવરાજપુરના વતની અને હાલ રાજકોટમાં ગોંડલ રોડ ઉપર પુનિત નગર પાણીના ટાંકા પાસે ઝુપડપટ્ટીમાં રહેતા યુવકનું સિવિલ હોસ્પિટલમાં ડેંગ્યુની સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારે કલ્પાંત સાથે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં ધમાલ મચાવી હતી. વહેલી સવારે છ વાગ્યાના અરસામાં મૃતક યુવકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ માથે લેતા ઈમરજન્સી વિભાગનાસ્ટાફ સામે આક્ષેપ બાજી કરી હતી. મૃતકના પરિવારજનોએ ધમાલ મચાવતા તમાશો જોવા લોકો ઉમટી પડ્યા હતા.
મૂળ જસદણ તાલુકાના શિવરાજપુર ગામના વતની અને હાલ રાજકોટમાં ગોંડલરોડ ઉપર પુનિતનગરના પાણીના ટાકા પાસે આવેલી ઝુપડ પટ્ટીમાં રહેતા વિજય બટુકભાઇ વાઘેલા નામના 30 વર્ષના યુવકને ગત તારીખ 11ના રોજ ડેંગ્યુની સારવાર અર્થ એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જયાથી ગઇ કાલે તારીખ 12/09/24ના રોજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા યુવકનું આજે વહેલી સવારે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં આક્રદ છવાયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક વિજય વાઘેલા છ ભાઇ એક બહેનમાં નાનો હતો. અને મંજૂરી કામ કરી પરિવારને આર્થીક મદદ કરતો હતો. મૃતક વિજય વાઘેલાને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે. યુવકના મોત બાદ યુવકના પરિવારજનો અને સંબંધીઓ સિવિલ હોસિપટલમાં એકઠા થયા હતા. અને સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગ સામે કપાઉન્ડમાં કલ્પાંત સાથે ધુણી ધુણીને ધમાલ મચાવી હતી. અને મૃતક યુવકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે યુવકનું મોત નિપજયુ હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો.