By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    8 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    7 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    8 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    8 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    8 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘પ્રવીણકાકા-વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસર ઉજવાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘પ્રવીણકાકા-વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસર ઉજવાયો
EDUCATIONરાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

‘પ્રવીણકાકા-વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસર ઉજવાયો

Khaskhabar Editor
Last updated: 2021/09/23 at 3:17 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રવીણકાકાને અપાઈ  અવિસ્મરણીય અંજલિ 

‘પ્રવીણકાકા એટલે સૌના શ્રેષ્ઠ મિત્ર, માર્ગદર્શક’ : ભૈયાજી જોશી 

‘વ્યક્તિત્વ અને કર્તૃત્વને આધારે નેતૃત્વ મળતું હોય છે’ : વિજય રૂપાણી 

ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ’પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસર વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગત રોજ તા. 22 સપ્ટેબરે સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન હેમુગઢવી હોલ ખાતે ઊજવવામાં આવ્યો હતો. ગ્રંથ પ્રાગટ્ય અવસરના આરંભમાં મંચસ્થ મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય બાદ મહેમાનોનો શાબ્દિક પરિચય અને ઋણ સ્વીકાર સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટના ચેરમેન તથા પ્રવીણકાકાના પુત્ર અપૂર્વભાઈ મણીઆરે કર્યો હતો. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાનીએ પ્રવીણકાકાના ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમની વિસ્તૃત ભૂમિકા પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ સરકાર્યવાહજી ભૈયાજી જોશી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી જયંતીભાઈ ભાડેશીયા, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા અને રાજકોટના મેયર પ્રદિપભાઈ ડવ ઉપરાંત પ્રમિલાકાકી અને હંસિકાકાકી મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી તેમજ ભૈયાજી જોશી અને વિજયભાઈ રૂપાણીને શાલ અર્પણ કરી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. ભૈયાજીના હસ્તે પ્રવીણકાકાના ધર્મપત્ની પ્રમિલાકાકીનું પણ શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

Contents
સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રવીણકાકાને અપાઈ  અવિસ્મરણીય અંજલિ ‘પ્રવીણકાકા એટલે સૌના શ્રેષ્ઠ મિત્ર, માર્ગદર્શક’ : ભૈયાજી જોશી ‘વ્યક્તિત્વ અને કર્તૃત્વને આધારે નેતૃત્વ મળતું હોય છે’ : વિજય રૂપાણી 

- Advertisement -

‘પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસરે વજુભાઈ વાળાએ મણીઆર પરિવાર રાષ્ટ્ર સમર્પિત પરિવાર છે એવું જણાવતા પ્રવીણકાકા સાથેના દસકો જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. દરેક વ્યક્તિ સાથેના પ્રવીણકાકાના વ્યક્તિગત પરિચય અંગે વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, કાકાને સૌ ઓળખતા અને કાકા સૌને ઓળખતા.

પ્રવીણકાકાના અવાજની બુલંદી સાથે પ્રવીણકાકાના વિચારોની બુલંદીની વિસ્તૃત રૂપરેખા પોતાના પ્રવચનમાં વજુભાઈ વાળાએ આપી ઉપસ્થિત સૌ કોઈને ભાવવિભોર કરી દીધા હતી. ત્યારબાદ જયંતીભાઈ ભાડેશીયાએ પણ પ્રવીણકાકાના વ્યક્તિત્વ અને કર્તૃત્વ વિષયક પ્રવચનમાં પ્રવીણકાકાએ મોરબી પૂર હોનારતમાં પ્રવીણકાકાની કામગીરીથી લઈ મોરબીમાં સરસ્વતી શિશુમંદિર સ્થાપવા સુધી મોરબીમાં પ્રવીણકાકાએ કરેલા વિવિધ વિકાસના કાર્યો અંગે જણાવ્યું હતું. જયંતીભાઈ ભાડેશીયાએ જણાવ્યું હતું કે, મીસા જેલવાસથી લઈ રામ મંદિર નિર્માણમાં પ્રવીણકાકાનું વ્યક્તિત્વ અને કર્તૃત્વ તેમના વક્તવ્ય અને વ્યવહારમાં પ્રદર્શિત થતુ હતું. પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ ગ્રંથ પ્રાગટ્ય અવસર કાર્યક્રમ દરમિયાન પ્રવીણકાકાના પૌત્રી શૈલજાબેન મણીઆરે પોતાના દાદા સાથેના સંસ્મરણોને યાદ કર્યા હતા. અને પછી દેશભક્તિના ગીતની રજૂઆત કરવામાં આવી હતી. દેશભક્તિ ગીત પ્રસ્તુતિ સમયે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા. દેશભક્તિ ગીત બાદ કાર્યક્રમની મધ્યમાં પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું.

રાજકોટને કર્મભૂમિ બનાવી ગુજરાત અને ગુજરાત બહાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદર્શોને પ્રગટાવનારા અને પ્રસરાવનારા આદરણીય પ્રવીણભાઈ મણીઆર – પ્રવીણકાકાના જીવન અને કાર્યનો પરિચય કરાવતા ગ્રંથનું લોકાર્પણ આદરણીય ભૈયાજી જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઈ-બૂકનું લોકાર્પણ આદરણીય વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ગ્રંથનું લોકાર્પણ કર્યા બાદ વિજયભાઈ રૂપાણીએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, વ્યક્તિત્વ અને કર્તૃત્વને આધારે નેતૃત્વ મળતું હોય છે. પ્રવીણકાકા કર્તૃત્વથી મુઠ્ઠી ઉચેરા માનવી હતા. માત્ર સંઘ કાર્યનો જ સ્વીકાર નહીં પરંતુ બાર એસોસિએશન, જૈનસંઘ, જનસંઘ, બેંક અને શિક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોના કાર્યોનો પ્રવીણકાકાએ સ્વીકાર કર્યો, જવાબદારી પોતાના શિરે લીધી હતી. ’પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ વ્યક્તિના નિર્માણ, કાર્યકર્તાના નિર્માણમાં એક આગવી ભૂમિકા ભજવશે, પુસ્તકમાંથી પ્રેરણા લઈ ભાવી પેઢી આગળ વધશે એવી આશા વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કરી પ્રવીણકાકા સાથેના અનુભવોને યાદ કર્યા હતા.

- Advertisement -

‘પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસર પ્રસંગે વિજયભાઈ રૂપાણીના પ્રવચન બાદ સરસ્વતી શિશુમંદિરની આચાર્ય બહેનો દ્વારા હૈ વહી પુરુષાર્થી જો.. ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતમાં ભૈયાજી જોશીએ પ્રવીણકાકાને શ્રેષ્ઠ મિત્ર, માર્ગદર્શક ગણાવી પોતાના પ્રવચનમાં સંઘના સ્વયંસેવક, સંઘના કાર્યો, સંઘના ધ્યેય, સંઘની નિષ્ઠા, સંઘની પ્રાર્થના વિશેની વિસ્તૃત વાત ઘટનાઓ અને પ્રસંગો સાથે કરી હતી. ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, પ્રવીણકાકા પોતાના સાથીઓને આગળ વધારનારા હતા. ’મૈ નહીં તું હી’ કહી તેમની સાથે રહેનાર વ્યક્તિત્વ એટલે પ્રવીણકાકા. સંઘપથ પર ચાલવા હદય, મન, બુદ્ધિથી જે પ્રમાણિકભાવ, નિસ્વાર્થભાવ, સમર્પણભાવ જોઈએ તે પ્રવીણકાકામાં હતો. પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ ગ્રંથ વર્તમાન તથા ભાવી પેઢીને ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવો વિશ્વાસ ભૈયાજી જોશીએ પ્રગટ્ય કર્યો હતો. ’પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસરના અંતમાં વંદે માતરમના ગાન બાદ સૌ કોઈએ પ્રવીણકાકા પરનો ગ્રંથ ભેટસ્વરૂપે મેળવી વિદાય લીધી હતી.

‘પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસરને સફળ બનાવવા સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર તથા મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની સહિત મંત્રી રમેશભાઈ ઠાકર, કોષાધ્યક્ષ અનીલભાઈ કિંગર, ટ્રસ્ટીશ્રીઓ ખંતીલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત, પલ્લવીબહેન દોશી, કેતનભાઈ ઠક્કર, સહિત સમગ્ર સરસ્વતી શિશુમંદિર પરિવારના પ્રાધાનચાર્યો, આચાર્યો, વ્યવસ્થાપક ગણ વગેરેએ જહેમત ઉઠાવી હતી છે. ’પ્રવીણકાકા – વ્યક્તિત્વ અને કર્તૃત્વ’ ગ્રંથ પ્રાગટ્ય અવસર પ્રસંગે બહોળી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એટલું જ નહીં પરંતુ સમગ્ર કાર્યક્રમના જીવંત પ્રસારણને ડિજીટલ માધ્યમમાં – સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર બહોળી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો.

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે
Next Article 3 મહિનાની બાળકીએ 14 દિવસમાં કોરોનાને હરાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ગુજરાતરાજકોટ

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?