By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    11 hours ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    11 hours ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    11 hours ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    11 hours ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    12 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    11 hours ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    12 hours ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    1 day ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    1 day ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    12 hours ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    2 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    2 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    3 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘સિંઘમ’ સુખદેવસિંહ ઝાલા સાધુ થઇ ફેરવે છે માળા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘સિંઘમ’ સુખદેવસિંહ ઝાલા સાધુ થઇ ફેરવે છે માળા
ગુજરાતરાજકોટ

‘સિંઘમ’ સુખદેવસિંહ ઝાલા સાધુ થઇ ફેરવે છે માળા

Khaskhabar Editor
Last updated: 2020/08/23 at 4:47 AM
Khaskhabar Editor 6 years ago
Share
8 Min Read
SHARE

સૌરાષ્ટ્રના દંતકથારૂપ હોનહાર PIનો કલ્પનાતિત નવો અવતાર

પોરબંદરની ગેંગવોર, સલાયાની દાણચોરી, ખંભાળિયાના અસીમ માથાભારે તત્ત્વોની રાડ અને રાજકોટના એસટી તંત્રને ખોટના ખાડામાં નાખનારા ‘છક્કા-રાજ’નો ખાતમો બોલાવવામાં કોઇ એક વ્યક્તિ એપી સેન્ટર જેવી હતી તો તે હસ્તીનું નામ છે સુખદેવસિંહ ઝાલા!

1976 થી 2019 સુધીના સમયગાળામાં સૌરાષ્ટ્રની અપરાધી આલમ માટે તંત્ર પાસે સુખદેવસિંહ ઝાલા નામે બ્રહ્માસ્ત્ર હતું. મૃદુભાષી અને નિર્વ્યસની સુખદેવસિંહની ભીતરી સચ્ચાઇ અને ઇમાનદારીની તાકાત અસીમ હતી

અનિરુદ્ધ નકુમ

Contents
સૌરાષ્ટ્રના દંતકથારૂપ હોનહાર PIનો કલ્પનાતિત નવો અવતારપોરબંદરની ગેંગવોર, સલાયાની દાણચોરી, ખંભાળિયાના અસીમ માથાભારે તત્ત્વોની રાડ અને રાજકોટના એસટી તંત્રને ખોટના ખાડામાં નાખનારા ‘છક્કા-રાજ’નો ખાતમો બોલાવવામાં કોઇ એક વ્યક્તિ એપી સેન્ટર જેવી હતી તો તે હસ્તીનું નામ છે સુખદેવસિંહ ઝાલા!1976 થી 2019 સુધીના સમયગાળામાં સૌરાષ્ટ્રની અપરાધી આલમ માટે તંત્ર પાસે સુખદેવસિંહ ઝાલા નામે બ્રહ્માસ્ત્ર હતું. મૃદુભાષી અને નિર્વ્યસની સુખદેવસિંહની ભીતરી સચ્ચાઇ અને ઇમાનદારીની તાકાત અસીમ હતી

બોલિવૂડ ફિલ્મો તો વર્ષે સેંકડો બને પણ પાકીઝા,મધર ઇન્ડિયા કે શોલે જેવી બીજી ન બની. દેશમાં ક્રિકેટર્સનો પણ પાર નથી પણ ગાવસ્કર,તેંડૂલકર કે કોહલી કદાપિ આઉટ ઓફ ડેટ બન્યા ખરા? એમ તો વડાપ્રધાનો પણ અનેક થયા પણ ઇન્દિરા ગાંધી કે નરેન્દ્ર મોદી જેવા કોઈ હતા કે હશે? કંઈક આવા જ એક વ્યક્તિત્વની અનોખી વાત કરવી છે. રાજકોટ – સૌરાષ્ટમાં પોલીસવડાને માંડી પી.આઈ પોલિસ ઇન્સ્પેક્ટર પણ ઘણા આવ્યા ને ગયા પરંતુ લોકમુખે કેટલાક નામો સર્વકાલીન ચીરસ્મરણીય રહ્યાં એવા કેટલા? મહદ્અંશે બે જ! રાજકોટના ડીસીપી રહી ચૂકેલા સતીષ વર્મા અને પી.એસ.આઈ.થી શરૂ કરી પી.આઈ. સુધી સીમિત રહ્યા છતાં અપરાધી આલમમાં જેના નામે ધ્રા ધરા ધ્રૂજતી એવા એકમાત્ર ‘સિંઘમ’ સુખદેવસિંહ ઝાલા!
નવી પેઢીને સુખદેવસિંહ ઝાલાનો અલગ જ અવતાર જોવા મળી રહ્યો છે, સાધુ વેશે ! દીક્ષાર્થી સ્વરૂપે ! પણ એ નવા કલેવર ધર્યા પહેલાના સુખદેવસિંહની ચીરપરિચિત ઓળખ આપવી જરૂરી છે. ’ખાસ ખબર’ વતી અમોએ સુખદેવસિંહના ભગવદ્ સ્વરૂપને ખોળી કાઢ્યું ત્યારે તેઓના આશ્ચર્યનો પણ કોઈ પાર રહ્યો નહોતો! સુખદેવસિંહ ઝાલા એક રીતે પ્રજાના ‘સિપાહી’માં હવે સાધુ બની ચૂક્યા છે. પણ 1976 થી 2011 સુધીની તેઓની ‘પોલીસગીરી’ના ડંકા વાગતા હતા.
એકાદ-બે ઉદાહરણ: સુખદેવસિંહ ઝાલાની ડ્યૂટી ખંભાળિયામાં હતી. પોસ્ટતો માત્ર પી.એસ.આઈ.પોલીસ સબઇન્સ્પેકટરની જ. પણ ધાક ધરા ધ્રૂજાવે તેવી. ખંભાળિયામાં તેમણે એલાન કર્યું કે જેમની પાસે પરવાના વગરનું હથિયાર હોય એ 24 કલાકમાં પોલીસ કચેરીએ જમા કરી જાય. 24 કલાક પછી હું કોઈ આવું હથિયાર કોઈ વ્યક્તિ પાસેથી શોધી કાઢીશ તો પછી..? સુખદેવસિંહ બાપુની કલ્પના બહાર માત્ર 24 કલાકમાં આખા તાલુકામાંથી એક જ દિવસમાં 700 જેટલા હથિયારોનો ઢગલો થઇ પડ્યો..!
બીજું એક ઉદાહરણ: સલાયા મુકામે સુખદેવસિંહ વગેરેને સાથે રાખી એક પી.આઈ.એ દરિયાની બોટમાં રેડ પાડી. બોટમાં તાપાસ વખતે લાફા-લાફી થઇ. પછી બોટના માણસોએ ધમકી આપી કે જીવતા રહેવું હોય તો અહિયાથી ચાલ્યા જાઓ. બે’ક કલાકના અંતરે સલાયાથી 15 માણસો ભરી એક ગાડી ખંભાળિયાના ટાવર ચોકમાં આવેલી પોલીસ ચોકીએ ઊભી રહી. સેંકડો લોકોની હાજરીમાં માથાભારે હસતીએ પોલીસો પર હાથવાળીયો પણ કરી લીધો અને જતાં-જતાં કહેતા ગયા કે ક્યાં છે તારો પીએસઆઇ ઝાલો? તેને પણ કહી દેજે કે સાંજે 7 વાગે અમે પાછા ‘ખબર લેવા’ આવીશું!
એ પછી ચોકમાં હજારો લોકો એકત્ર થઈ ગયા હતા. ઝાલાસાહેબ જામનગરથી આવે તેની રાહ જોવાતી હતી. બરાબર પાંચેક વાગ્યે ઝાલા સાહેબ આવ્યા. બધી વિગત જાણી. પછી બોલ્યા કે ’તેઓ શું આવશે, હું જ એમની સામે ત્યાં તેના ઇલાકામાં જાઉં છું! જામનગરના ડી.એસ.પી.ની પૂર્વ મંજૂરી લઇ માત્ર 2 પોલીસમેન સાથે મરદનું ફાડિયું જેવા ઝાલાસાહેબ સલાયા પહોંચ્યા. ગામના ચોક વચાળે પોલીસોની લાકડીથી જમીન પર કુંડાળું બનાવી એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં માઈક લઇ કરી ગર્જના: જે 15 લોકોએ પોલીસ મથકમાં ધમાલ કરી તેમને હું 15 મિનિટનો સમય આપું છું. અહિયા દોરેલા કુંડાળામાં આવી જાય.સમય પૂરો થયા સુધીમાં નહીં આવે તો હું ગમે તે રીતે વર્તીસ અને તેની જવાબદારી એ લોકોની રહેશે. ઝાલા સાહેબની ગર્જનાથી થથરી ઉઠેલા પંદરેય શખ્શો ચોકમાં દોરેલા કુંડાળામાં હાજર થઇ ગયા. પછી સાથેંના બંને પોલીસને ઝાલા સાહેબે આદેશ કર્યો કે: મારો વળી એવી સરત રાખી કે માર ખાતાં ખાતાં જેનો પગ કુંડાળાની બારે નીકળી જશે તેને હું ગોળી મારી દઇશ! અડધો કલાક સુધી બધા અપરાધીઓએ પેટ ભરીને લાકડીઓ ખાધી. અધમૂવા બનેલા બધાને ગાડીમાં ચડાવી ખંભાળિયા લઇ આવ્યા!
સુખદેવસિંહ ઝાલાના આવા પરાક્રમોનો આખો ગ્રંથ લખી શકાય. પોરબંદરમાં ગેંગવોર ચરમસીમાએ હતી તેને શાંત અને સાફ કરવા સરકારે પોલીસવડા તરીકે સતીશ વર્મા પર પસંદગી ઉતારી હતી એને સતીશ વર્માએ સુખદેવસિંહ ઝાલા પર ! સુખદેવસિંહ ઝાલા કંઈ હટ્ટાકટ્ટા નહોતા. ગાંઘીજીની જેમ એકવાડીયા બાંધાના હતા.પણ તેઓની ફરજપરસ્તી એવી કે ભલભલાના પાટલૂન ભીનાં થઇ જાય. જસદણ સહિતના રાજકોટ જિલ્લામાં ચાલતી છકડો રિક્ષાઓને બંધ કરાવી એસ.ટી.ની આવક વધારી દેવામાં પણ સુખદેવસિંહનો ‘સિંહ’ફાળો છે. જસદણમાં તેઓની પોસ્ટિંગ વખતે કોઈ અપરાધીની મજાલ નહોતી કે મૂછે તાવ દઈ શકે. માનવામાં ન આવે એવી હકીકત એ પણ હતી કે ડ્યૂટી દરમિયાન ઝાલાસાહેબ અપરાધી સાથે પણ કદી તુંકારે વાત કરતા નહોતા. એટલા ખતરનાક કેસોની તપાસ તેઓ પાસે રહેતી કે સાંજે જીવતા ઘરે જાય શકશે કે કેમ તે નક્કી નહોતું. જો કે ઝાલાસાહેબની મર્દાનગીને રક્ષાકવચ હતું તેઓના ધર્માનુરાગી પત્નીનું. તેઓ ભગવતી માં ગાયત્રીના પરમ ઉપાસક. હરદ્વાર સ્થિત રામશર્મા આચાર્ય સ્થાપિત શાંતિકુંજ (ગાયત્રી આશ્રમ) સાથે ઝાલાસાહેબના પત્નીનો લગાવ સતત રહ્યો. વખત જતાં ઝાલાસાહેબ પણ અધ્યાત્મ તરફ વળ્યાં. 2011માં નિવૃત્ત થયા બાદના ઝાલાસાહેબને તો હવે ઓળખવા પણ મુશ્કેલ બને. ગાયત્રી પરિવારનો સિમ્બોલિક પીળા પીતામ્બર અને ઝભ્ભો. ખભે ખાદીનો થેલો. માથે વ્હાઇટ ટોપી અને તન,મન ધન, બધું જ અર્પણમાં ગાયત્રીને ચરણે! રાજકોટમાં ‘અશ્ર્વમેધ’ યજ્ઞ થયો તે પછી ઝાલા-દંપતી હરિદ્વાર ગયા અને કહેવાય છે કે ઝાલા સાહેબના ધર્મ પત્નીએ તમામ ઘરેણાં અર્પણ કરી દીધા. જોકે સુખદેવસિંહજી આ બાબતે અધ્યાત્મક-મૌન પાળે છે. અધ્યાત્મકને સાથોસાથ ઝાલાસાહેબ અંતમુખી અને પર્યાવરણ પ્રેમી પણ બની ગયા છે. હવે સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાબેના જમર ગમે જાઓ તો જોજો, પાદરના તળાવને હજારો વુર્ક્ષોથી તેઓએ આચ્છાદિત કરી દીધું છે. સુપર કોપ રહેલા સુખદેવસિંહ ઝાલાને હવે એક જ હોપ (આશા) છે મોક્ષની! તેઓ શેષજીવન ભક્તિમય વિતાવી રહ્યા છે. ગાયત્રી પરિવારનો ડ્રેસકોડ હવે આ ખાખીધારીનો કાયમીનો યુનિફોર્મ બની ગયો છે. તેઓ પોતાના ‘મહાપ્રયાણ’ પછી પણ શું કરવું તેની લેખિત કેફિયત કરી ચુક્યા છે. આવા સપાહીમાં ‘સાધુ’ બનેલા હોનહાર પોલીસકર્મી સુખદેવસિંહ આજે પણ પોતાના ફરજકાળ વખતના કોર્ટ કેસો વગેરે માટે જે-તે શહેરોની અદાલતોમાં પીળા-યુનિફોર્મમાં જ આવે છે. એસટી બસમાં પીળો ઝભો અને પીતામ્બર પહેરેલો એકવાડિયા બાંધાનો શખ્સ નજરે પડે તો “જય ગાયત્રી” કરી પૂછતાછ કરી લેશો, સંભવ છે મહાપુરુષની મુલાકાત થઇ જાય.

- Advertisement -
  • સુખદેવસિંહ ઝાલાના કદી વિસરી ન શકાય તેવા પરાક્રમો…
  • સુખદેવસિંહજી ઝાલાની પર્સનાલિટી જ એવી હતી કે અપરાધી તેઓની સામે આવતા જ પોપટ બની જતા.જો કે અપરાધીને પણ સુખદેવસિંજી કદી ગાળ આપતા નહીં, ‘માનભેર’ જ બોલાવતા!
  • રાજકોટ જિલ્લામાં એ વખતે છકડો રિક્ષાવાળાનો બહુ ત્રાસ હતો. એસટી તંત્ર ખુદ ખોટ અનુભવવા લાગ્યું એટલો ત્રાસ. સુખદેવસિંહે ઝુંબેશ આદરી. છકડો રિક્ષાવાળા સુખદેવસિંહને દૂરથી પણ ભાળી જાય તો મુસાફરોને ઉતારી મૂકે પણ ઝાલા સાહેબની સ્ટાઇલ જુદી જ હતી. છકડાવાળાને કહે; રિક્ષા ખાલી પડી છે? કોઈ ઉતારું ભર્યા નહોતાં? છકડાવાળો ‘ના’ પાડે એટલે ઝાલા સાહેબ કહેતા કે, તો સાઇલેન્સરને બક્કી (કિસ) કર. રિક્ષા બંધ હશે તો સાઇલેન્સર ઠંડું જ હશેને? છકડાવાળા પાસે ગુનો કબૂલી લેવા સિવાય કોઈ રસ્તો નહોતો!
  • જામનગર પંથકમાં એ વખતે ‘સાત-નારી’ ગેંગનો ત્રાસ વધી ગયેલો. ઝાલા સાહેબે આખી ગેંગને પકડી અને માથે મુંડન કરાવી ત્રાજવા (આજના ટેટૂ)થી ગેંગના દરેક સાગરીતોના માથે ‘ડબલ સેવન’ ચિતરાવી દીધા હતા! સાત-નારી ગેંગ ખુલ્લા માથે નીકળી ન શકે અને માથે ફાળિયાં બાંધીને નીકળે તો પણ પકડાઈ જાય!
  • ગોંડલના ભાજપ અગ્રણી જેન્તી વાડોદરિયા જેવા હત્યા કેસમાં ભલભલાના ‘છેડા-છૂટકા’ નજરઅંદદાજ કરી અસલી કાતિલોને ખોળી કાઢવામાં સુખદેવસિંહની જાંબાજી ભારે ખપ લાગી હતી.

You Might Also Like

મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ

હવે ધોમધખતો ઉનાળો શરૂ : તા.4,5 માર્ચે યલો એલર્ટ, ક્રમશ: તાપમાન વધશે

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહના કુદરતી અને 64ના અકુદરતી મોત

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article #justice_for_nair ક્યારે? એ પણ સુશાંતની જેમ મરી જાય ત્યારે?
Next Article માંગરોળના આરેણા પાસે હાઇવે રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત : 1 નું મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગુજરાત

હવે ધોમધખતો ઉનાળો શરૂ : તા.4,5 માર્ચે યલો એલર્ટ, ક્રમશ: તાપમાન વધશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અમદાવાદ

ગુજરાતમાં બે વર્ષમાં 258 સિંહના કુદરતી અને 64ના અકુદરતી મોત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?