7500 ખેલૈયાઓ રમી શકે તેવું શાનદાર આયોજન, પ્રેક્ષકો માટે અલગ ગેલેરીની વ્યવસ્થા
ગાયક કલાકાર બીરજુ બારોટ, ઝીલ જોશી તથા વૈશાલી ગોહેલ ગરબાના તાલે ઝૂમવા ખેલૈયાઓને મજબૂર કરશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના આંગણે નવા 150 ફુટ રીંગ રોડ પર કોકોનટ કાર્નિવલ પાર્ટી પ્લોટ સામે વોર્ડ નં-11માં આ વર્ષે પાટીદાર સમાજની સંસ્થા સરદારધામ નવરાત્રી રાસઉત્સવનું જાજરમાન આયોજન કરી રહી છે.
આ આયોજનમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર બિરજુ બારોટ તથા તેની ટીમ ખેલૈયાઓને પોતાના કંઠથી ડાંડીયામાં ઢોલના તાલે ડોલાવી ધુમ મચાવશે. તેમા ગુજરાતી હિરોઈન કમ ડાન્સર કમ સીંગર ઝીલ જોષી તથા સીંગર વૈશાલી ગોહેલ પણ પણ પોતાના કોયલ કંઠથી ધુમ મચાવશે.
આ આયોજનની ખાસ વિશેષતા એ છે કે ગ્રાઉન્ડમાં એકી સાથે 7500 ખેલૈયાઓ રમી શકે તથા 5000 પ્રેક્ષકો નિહાળી શકે, તેવું વિશાળ ગ્રાઉન્ડ છે. તેમજ પાર્કિંગ ની પુરેપુરી સુવિધા છે ગુજરાતની સારામાં સારી સાઉન્ડ સીસ્ટમ 2,00,000 વોલ્ટ ના સાઉન્ડમાં ખેલૈયાઓ દિલખોલીને રમી શકશે, ગ્રાઉન્ડમાં મોટી કઊઉ સ્ક્રીન મુકવામાં આવેલી છે. સંપુર્ણ કાર્યક્રમનું કઈંટઊ પ્રસારણ કરવામાં આવશે. ગ્રાઉન્ડ ઈઈઝટ કેમેરાથી સજજ છે. ખેલૈયાઓની સંપુર્ણ સલામતી માટે બાઉન્સર સીક્યુરીટી વ્યવસ્થા છે.
અહિ ખેલૈયાઓને દરરોજ અલગ અલગ કેટેગરીમાં પ્રિન્સ તથા પ્રિન્સેસ જાહેર કરી ને દરરોજ ઇનામ આપવામાં આવશે, દરરોજ માં આધ્યા શક્તિની આરાધના કરીને રાત્રે 9:00 કલાકે આ ગરબાની શરૂૂઆત કરવામાં આવશે. આ આયોજનની ખાસ વિશેષતા એ છે કે આ આયોજનમાં ચીફ ગેસ્ટ તરીકે દિયાંગ તથા અનાથ બાળકો હશે,
આ રાસોત્સવનું આયોજન અર્વાચીન દાંડીયાના ખુબ જ અનુભવી, જે આ આયોજનના પ્રમુખ છે એવા જીતુભાઈ સોરઠીયા (મવડી) તથા તેની ટીમ તેમજ સરદારધામ યુવા સંગઠન એવમ નવરાત્રી આયોજન સમીતી દ્વારા કરવામાં આવ્યું છે, આ આયોજન ને સફળ બનાવવા છેલ્લા એક માસથી પ્રમુખ જીતુભાઈ સોરઠીયાના માર્ગદર્શન હેઠળ પાટીદાર સમાજના આશરે 200 ભાઇઓ તથા બહેનો (સ્વયંસેવકો) મહેનત કરી રહયા છે.