તા. 8ના પૂર્ણાહુતિ: તા. 9ના દશાંશ યજ્ઞ: સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
સમસ્ત અજાણી પરિવારના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા. 2થી 8 દરમિયાન સવારે 9-00થી 12-00 અને બપોરે 3-00થી 6-00 દરમિયાન અજાણી પરિવારના દેવસ્થાન સૂરાપુરા શૈલેષબાપાના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે તેમજ દરરોજ બપોરે તથા સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
- Advertisement -
વક્તા શાસ્ત્રી કૌશિક ભટ્ટ કથાનું રસપાન કરાવી રહ્યા છે. આજે સાંજે 6-00 કલાકે નૃસિંહ પ્રાગટ્ય, આવતીકાલે 10-30 કલાકે વામન પ્રાગટ્ય, 12-00 કલાકે રામપ્રાગટ્ય સાંજે 5-00 કલાકે કૃષ્ણજન્મ તેમજ તા. 6ના રોજ સાંજે 6-00 કલાકે ગિરિરાજ ઉત્સવ, રાત્રે 9-00 કલાકે માતાજીના ગરબા, તા. 7ના રોજ સાંજે 5-00 કલાકે રુક્ષ્મણિ વિવાહ, તા. 8ના રોજ બુધવારે બપોરે 1-00 કલાકે કથાવિરામ તેમજ તા. 9ના રોજ વહેલી સવારે દશાંશ યજ્ઞનું આયોજન કરાયું છે.
આ સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ Shastrikaushikbhaibhatt offcial યુ-ટયુબ ચેનલ પરથી કરવામાં આવશે. કથા શ્રવણ સાથે શ્રીહરિ સંકીર્તન તેમજ ભાગવત ભગિરથી પાન પણ કરવામાં આવશે. આ દિવ્ય શુભ પ્રસંગનો લાભ લેવા તેમજ જ્ઞાનામૃત રસપાન કરવા સહપરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.