By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    2 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    3 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    3 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    4 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    2 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    2 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    2 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    2 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરગમ કલબનું પોતાની માલિકીનું ભવન આકાર લેશે : રવિવારે ભૂમિપૂજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સરગમ કલબનું પોતાની માલિકીનું ભવન આકાર લેશે : રવિવારે ભૂમિપૂજન
રાજકોટ

સરગમ કલબનું પોતાની માલિકીનું ભવન આકાર લેશે : રવિવારે ભૂમિપૂજન

Khaskhabar Editor
Last updated: 2025/08/08 at 5:23 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

9 કરોડના ખર્ચે જાગનાથ પ્લોટમાં બનશે ‘સરગમી સેવાનું સરનામું’

નવરાત્રીમાં ગોપી રાસ અને પંચામૃત કાર્યક્રમ યોજાશે: સર્વરોગ નિદાન કેમ્પ, નાટ્ય શો, ફિલ્મ શો, પ્રવાસ સહિતના અનેકવિધ કાર્યક્રમો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

છેલ્લા ચાર દાયકા કરતા પણ વધુ સમયથી નિરંતરપણે સેવાકાર્યો કરતી સરગમ કલબ આ સેવાનો વધુ વિસ્તાર થઇ શકે તે માટે પોતાની માલિકીનું અદ્યતન બિલ્ડીંગ બનાવવા જઈ રહી છે. શહેરની મધ્યમાં જાગનાથ પ્લોટ-1માં જીમખાના પાસે આગામી દિવસોમાં સરગમી સેવાનું સરનામુ તૈયાર થઇ જશે. આ બિલ્ડીંગનું ખાતમુહુર્ત આગામી તા. 10ને રવિવારે કરવામાં આવશે. આજે એક પત્રકાર પરિષદમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આ બિલ્ડીંગ ઉપરાંત સરગમ પરિવારનાં હજારો સભ્યો માટે આગામી ત્રણ મહિના માટેના વિવિધ કાર્યક્રમો અને પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમોમાં મુખ્યત્વે સર્વરોગ નિદાન કેમ્પ, ગોપીરાસ, પંચામૃત મહોત્સવ, નાટ્ય શો, વિદેશ પ્રવાસ, ફિલ્મ શો સહિતનો સમાવેશ થાય છે. આજે પત્રકારો સાથે વાતચીત કરતા ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, સરગમ કલબની સેવાયાત્રાને દાયકાઓ પસાર થઇ ગયા છે અને સમાજના છેવાડાના માનવી સુધી સેવાનો લાભ પહોંચે તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ પ્રવૃતિઓનો વધુ સારી રીતે વિકાસ થાય અને વધુ લોકોને લાભ મળે તેવા હેતુથી સરગમ કલબે પોતાની માલિકીનું સેવા કેન્દ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટના જાગનાથ પ્લોટ-1માં ગોપાલ મંડપની બાજુમાં, કાઠીયાવાડ જીમખાના પાસે 425 વારના વિશાલ પ્લોટમાં સરગમી સેવાનું સરનામુ આકાર લેશે. આ અંગે વધુ વિગત આપતા ગુણવંતભાઈએ કહ્યું હતું કે, આ અદ્યતન બિલ્ડીંગમાં હેલ્થ સેન્ટર, આર્ટ ગેલેરી, બેન્કવેટ હોલ, ગેસ્ટ રૂમ, મીટીંગ રૂમ, વહીવટી ઓફીસ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ બિલ્ડીંગનું ભૂમિપૂજન સવારે 11 કલાકે રોલેકસ કંપનીના મનીષભાઈ માદેકા અને પરિવારજનોના હસ્તે કરવામાં આવશે. ગુણવંતભાઈએ ઉમેર્યું કે આ બિલ્ડીંગ પાછળ 9 કરોડ રૂપિયા જેવો ખર્ચ થશે. તેમણે દાતાઓને સહયોગ માટે અપીલ પણ કરી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઉપરાંત સરગમ પરિવારના સભ્યો માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસના કાર્યક્રમ તથા જાહેરજનતા માટે પંચામૃત મહોત્સવની પણ જાહેરાત કરવામાં આવી છે.
સર્કસનો શો : સરગમ કલબ દ્વારા પરિવારના સભ્યો માટે પ્રખ્યાત ઓલંપિયન સર્કસનો શો રાખવામાં આવ્યો છે. ઓલંપિયન સર્કસમાં પહેલી વાર રશિયન અને મેક્સિકન કલાકારો જોવા મળશે સાથોસાથ જબરદસ્ત સ્ટંટ પણ જોવા મળશે. આ સાથે ભવ્ય લાઈટીંગ અને સાઉન્ડ સાથેના પ્રયોગો થશે.બાળકો માટે આ શો તા. 24 અને 31 ઓગસ્ટ દરમિયાન ગ્રુપ મુજબ યોજાશે. લેડીઝ કલબના સભ્યો માટે આ શો તા. 25 અને 26 ઓગસ્ટ દરમિયાન યોજાશે. જયારે સિનીયર સિટીઝન માટે તા. 27 ઓગસ્ટે અને કપલ કલબના સભ્યો માટે તા. 25થી 28 ઓગસ્ટ દરમિયાન ગ્રુપ મુજબ યોજાશે. જેન્ટ્સ કલબના સભ્યો આ શો તા. 29 ઓગસ્ટે નિહાળી શકશે.
પ્રવાસ : સરગમ કલબના સભ્યો માટે સ્વ ખર્ચે દુબઈ પ્રવાસ તા. 3 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી એમ છ દિવસ માટે યોજાશે.
નાટ્ય શો : સરગમ પરિવારના સભ્યો માટે આસિફ પટેલ નિર્મિત અને પ્રથમ ભટ્ટ લિખિત તથા જયદીપ શાહ દિગ્દર્શિત-અભિનીત નાટક ’કરું કંપની પ્રાઈવેટ લિમિટેડ’ નો શો યોજાશે.
ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસના વિવિધ કાર્યક્રમો અને પ્રોજેક્ટની જાહેરાત કરતા ગુણવંતભાઈ ડેલાવાળા

આ નાટકમાં અનુરાગ પ્રપન્ના, ધ્રુવ બારોટ, વિશ્વા ગરાચ અને પ્રથમ ભટ્ટ વગેરે અભિનય આપી રહ્યા છે. સરગમ જેન્ટ્સ કલબના સભ્યો અને ડોનર માટે આ નાટ્ય શો તા. 8મી સપ્ટેમ્બરે રાત્રે 10 વાગ્યે યોજાશે.લેડીઝ કલબના સભ્યો માટે આ શો તા. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ પ્રમાણે યોજાશે. સીનીયર સિટીઝન કલબના સભ્યો આ શો તા. 11 સપ્ટેમ્બરે નિહાળી શકશે જયારે કપલ કલબના સભ્યો માટે આ શો તા. 9 થી 12 સપ્ટેમ્બર દરમિયાન ગ્રુપ મુજબ યોજાશે.
ફિલ્મ શો : સરગમ ચિલ્ડ્રન કલબના એ ગ્રુપના સભ્યો માટે આ ફિલ્મ શો તા. 14મી સપ્ટેમ્બરે સવારે 8-30 થી 11 અને બી ગ્રુપના સભ્યો માટે સવારે 11-30 થી 2 દરમિયાન યોજાશે.

- Advertisement -

સર્વરોગ નિદાન કેમ્પ : સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે દર વરસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ તા. 14મી સપ્ટેમ્બરને રવિવારે સવારે 8-30 થી 11-30 દરમિયાન કોટક સ્કુલમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે એક્સરે, સોનોગ્રાફી, લેબોરેટરી ટેસ્ટીંગ, દવાઓ, ચશ્મા, કાર્ડિયોગ્રામ ઉપરાંત રણછોડદાસ હોસ્પિટલ તરફથી આંખના ઓપરેશન તથા નેત્રમણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
આ કેમ્પ માટે સરગમ કલબને ગોંધિયા હોસ્પિટલ (વોકહાર્ટ હોસ્પિટલ), સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ ગ્રુપ)ના અરવિંદભાઈ પટેલ, કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, જે.વી. શેઠિયા ચેરીટેબલ ટ્રસ્ટના હિમાંશુભાઈ શેઠિયા, આર.બી. કોઠારી ડાયગ્નોસ્ટીક સેન્ટર, મહાવીર સેવા ટ્રસ્ટ અને ઇન્ડિયન મેડીકલ એસોસિએશનનો સહયોગ મળી રહ્યો છે. આ કેમ્પમાં રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવે છે અને વિનામૂલ્યે અપાતી સુવિધાનો લાભ લ્યે છે.
નવરાત્રી મહોત્સવ : સરગમ લેડીઝ કલબ દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ ગોપી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન આ નવરાત્રી મહોત્સવ યોજાશે. ડી.એચ.કોલેજના મેદાનમાં યોજાતો આ રાસોત્સવ ઘણો પ્રખ્યાત છે. આ રાસોત્સવમાં સરગમ લેડીઝ કલબના સભ્ય ઉપરાંત સભ્ય ન હોય તેવા કોઈ પણ બહેન ભાગ લઈ શકશે.

નવરાત્રીની પૂર્વ સંધ્યાએ એટલે કે તા. 21મી સપ્ટેમ્બરને રવિવારે સાંજે 6 થી 8-30 દરમિયાન ડી.એચ.કોલેજના મેદાનમાં જ ચિલ્ડ્રન કલબના સભ્યોના દાંડિયા રાસ યોજાશે. આ ગરબામાં 100 થી વધુ ઇનામો આપવામાં આવશે.
આ સિવાય તા. 3 ઓક્ટોબરને શુક્રવારે રાત્રે 9 વાગ્યે ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં જ સરગમ કપલ કલબ,લેડીઝ કલબ, જેન્ટ્સ કલબ, સીનીયર સિટીઝન કલબ અને ઇવનિંગ પોસ્ટના તમામ સભ્યો માટે વન-ડે દાંડિયા રાસ યોજાશે.
જાહેરજનતા માટે પંચામૃત મહોત્સવ : સરગમ કલબ દ્વારા નવરાત્રી પછી દર વરસે જાહેર જનતા માટે પંચામૃત મહોત્સવ યોજવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો એક એક થી ચડિયાતા કાર્યક્રમો વિનામૂલ્યે નિહાળે છે.
આ વખતે તા. 4 ઓક્ટોબરે રાત્રે 8 વાગ્યે ડી.એચ. કોલેજના મેદાનમાં મુંબઈની મ્યુઝીકલ પાર્ટી યોજાશે, તા. 5 ઓક્ટોબરને રવિવારે લોકડાયરો, તા. 6 ઓક્ટોબરે હસાયરો, તા. 7 ઓક્ટોબરે સંગીત સંધ્યા યોજાશે. આ કાર્યક્રમોમાં નામાંકિત કલાકારો પોતાની કલા પીરસશે.
સરગમ કલબના કાર્યક્રમોમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું કાયમ માર્ગદર્શન મળી રહે છે. આ પત્રકાર પરિષદમાં મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરિયા, યોગેશભાઈ પુજારા, ખોડીદાસભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ, જયેશભાઈ વસા, નાથાભાઈ કાલરિયા, લલીતભાઈ રામજીયાણી, મીતેનભાઈ મહેતા, તેજસભાઈ ભટ્ટી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ, રમેશભાઈ અકબરી, મનસુખભાઈ મકવાણા, શિવલાલભાઈ રામાણી, જીતુભાઈ ચંદારાણા, હરેશભાઈ વોરા ઉપરાંત ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, સુધાબેન ભાયા, જસુમતીબેન વસાણી, ડો. અલ્કાબેન ધામેલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

TAGGED: Rajkot, Sargam Club
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનપાના જગ્યા રોકાણ શાખા ઘોડાગાડીની બગીઓ પકડવા રેસકોર્સ પહોંચી
Next Article વાંકાનેરમાં અમિત કોટેચાની હત્યા કેસમાં 3 આરોપીને આજીવન કેદ, 3 લાખનો દંડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?