By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    1 day ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    2 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    2 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    3 days ago
    પુતિનની ભારત મુલાકાત: ICC ધરપકડ વોરંટની ચિંતા કાર્ય વિના પ્રવાસ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા
    1 day ago
    આજે ઇન્ડિગોની 400 અને 4 દિવસમાં 2000+ ફ્લાઇટ્સ રદ્દ
    1 day ago
    ઇન્ડિગો કામગીરી સ્થિર થવાનું શરૂ કરે છે, ભાડાં હળવા થવાની શક્યતા છે
    1 day ago
    ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા તપાસ ફરજિયાત: ટ્રમ્પનો કડક આદેશ
    2 days ago
    મેલેરિયાથી 6.10 લાખના મોત, 28.2 કરોડ નવા કેસ, બે ટેકનિકથી 10 લાખને બચાવાયા : ઠઇંઘનો 2024નો રિપોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    1 day ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    1 day ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    2 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    4 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    1 week ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    1 week ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરગમ કલબનું પોતાની માલિકીનું ભવન આકાર લેશે : રવિવારે ભૂમિપૂજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સરગમ કલબનું પોતાની માલિકીનું ભવન આકાર લેશે : રવિવારે ભૂમિપૂજન
રાજકોટ

સરગમ કલબનું પોતાની માલિકીનું ભવન આકાર લેશે : રવિવારે ભૂમિપૂજન

Khaskhabar Editor
Last updated: 2025/08/08 at 5:23 PM
Khaskhabar Editor 4 months ago
Share
7 Min Read
SHARE

9 કરોડના ખર્ચે જાગનાથ પ્લોટમાં બનશે ‘સરગમી સેવાનું સરનામું’

નવરાત્રીમાં ગોપી રાસ અને પંચામૃત કાર્યક્રમ યોજાશે: સર્વરોગ નિદાન કેમ્પ, નાટ્ય શો, ફિલ્મ શો, પ્રવાસ સહિતના અનેકવિધ કાર્યક્રમો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

છેલ્લા ચાર દાયકા કરતા પણ વધુ સમયથી નિરંતરપણે સેવાકાર્યો કરતી સરગમ કલબ આ સેવાનો વધુ વિસ્તાર થઇ શકે તે માટે પોતાની માલિકીનું અદ્યતન બિલ્ડીંગ બનાવવા જઈ રહી છે. શહેરની મધ્યમાં જાગનાથ પ્લોટ-1માં જીમખાના પાસે આગામી દિવસોમાં સરગમી સેવાનું સરનામુ તૈયાર થઇ જશે. આ બિલ્ડીંગનું ખાતમુહુર્ત આગામી તા. 10ને રવિવારે કરવામાં આવશે. આજે એક પત્રકાર પરિષદમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આ બિલ્ડીંગ ઉપરાંત સરગમ પરિવારનાં હજારો સભ્યો માટે આગામી ત્રણ મહિના માટેના વિવિધ કાર્યક્રમો અને પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમોમાં મુખ્યત્વે સર્વરોગ નિદાન કેમ્પ, ગોપીરાસ, પંચામૃત મહોત્સવ, નાટ્ય શો, વિદેશ પ્રવાસ, ફિલ્મ શો સહિતનો સમાવેશ થાય છે. આજે પત્રકારો સાથે વાતચીત કરતા ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, સરગમ કલબની સેવાયાત્રાને દાયકાઓ પસાર થઇ ગયા છે અને સમાજના છેવાડાના માનવી સુધી સેવાનો લાભ પહોંચે તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ પ્રવૃતિઓનો વધુ સારી રીતે વિકાસ થાય અને વધુ લોકોને લાભ મળે તેવા હેતુથી સરગમ કલબે પોતાની માલિકીનું સેવા કેન્દ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટના જાગનાથ પ્લોટ-1માં ગોપાલ મંડપની બાજુમાં, કાઠીયાવાડ જીમખાના પાસે 425 વારના વિશાલ પ્લોટમાં સરગમી સેવાનું સરનામુ આકાર લેશે. આ અંગે વધુ વિગત આપતા ગુણવંતભાઈએ કહ્યું હતું કે, આ અદ્યતન બિલ્ડીંગમાં હેલ્થ સેન્ટર, આર્ટ ગેલેરી, બેન્કવેટ હોલ, ગેસ્ટ રૂમ, મીટીંગ રૂમ, વહીવટી ઓફીસ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ બિલ્ડીંગનું ભૂમિપૂજન સવારે 11 કલાકે રોલેકસ કંપનીના મનીષભાઈ માદેકા અને પરિવારજનોના હસ્તે કરવામાં આવશે. ગુણવંતભાઈએ ઉમેર્યું કે આ બિલ્ડીંગ પાછળ 9 કરોડ રૂપિયા જેવો ખર્ચ થશે. તેમણે દાતાઓને સહયોગ માટે અપીલ પણ કરી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઉપરાંત સરગમ પરિવારના સભ્યો માટે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસના કાર્યક્રમ તથા જાહેરજનતા માટે પંચામૃત મહોત્સવની પણ જાહેરાત કરવામાં આવી છે.
સર્કસનો શો : સરગમ કલબ દ્વારા પરિવારના સભ્યો માટે પ્રખ્યાત ઓલંપિયન સર્કસનો શો રાખવામાં આવ્યો છે. ઓલંપિયન સર્કસમાં પહેલી વાર રશિયન અને મેક્સિકન કલાકારો જોવા મળશે સાથોસાથ જબરદસ્ત સ્ટંટ પણ જોવા મળશે. આ સાથે ભવ્ય લાઈટીંગ અને સાઉન્ડ સાથેના પ્રયોગો થશે.બાળકો માટે આ શો તા. 24 અને 31 ઓગસ્ટ દરમિયાન ગ્રુપ મુજબ યોજાશે. લેડીઝ કલબના સભ્યો માટે આ શો તા. 25 અને 26 ઓગસ્ટ દરમિયાન યોજાશે. જયારે સિનીયર સિટીઝન માટે તા. 27 ઓગસ્ટે અને કપલ કલબના સભ્યો માટે તા. 25થી 28 ઓગસ્ટ દરમિયાન ગ્રુપ મુજબ યોજાશે. જેન્ટ્સ કલબના સભ્યો આ શો તા. 29 ઓગસ્ટે નિહાળી શકશે.
પ્રવાસ : સરગમ કલબના સભ્યો માટે સ્વ ખર્ચે દુબઈ પ્રવાસ તા. 3 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી એમ છ દિવસ માટે યોજાશે.
નાટ્ય શો : સરગમ પરિવારના સભ્યો માટે આસિફ પટેલ નિર્મિત અને પ્રથમ ભટ્ટ લિખિત તથા જયદીપ શાહ દિગ્દર્શિત-અભિનીત નાટક ’કરું કંપની પ્રાઈવેટ લિમિટેડ’ નો શો યોજાશે.
ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસના વિવિધ કાર્યક્રમો અને પ્રોજેક્ટની જાહેરાત કરતા ગુણવંતભાઈ ડેલાવાળા

આ નાટકમાં અનુરાગ પ્રપન્ના, ધ્રુવ બારોટ, વિશ્વા ગરાચ અને પ્રથમ ભટ્ટ વગેરે અભિનય આપી રહ્યા છે. સરગમ જેન્ટ્સ કલબના સભ્યો અને ડોનર માટે આ નાટ્ય શો તા. 8મી સપ્ટેમ્બરે રાત્રે 10 વાગ્યે યોજાશે.લેડીઝ કલબના સભ્યો માટે આ શો તા. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ પ્રમાણે યોજાશે. સીનીયર સિટીઝન કલબના સભ્યો આ શો તા. 11 સપ્ટેમ્બરે નિહાળી શકશે જયારે કપલ કલબના સભ્યો માટે આ શો તા. 9 થી 12 સપ્ટેમ્બર દરમિયાન ગ્રુપ મુજબ યોજાશે.
ફિલ્મ શો : સરગમ ચિલ્ડ્રન કલબના એ ગ્રુપના સભ્યો માટે આ ફિલ્મ શો તા. 14મી સપ્ટેમ્બરે સવારે 8-30 થી 11 અને બી ગ્રુપના સભ્યો માટે સવારે 11-30 થી 2 દરમિયાન યોજાશે.

- Advertisement -

સર્વરોગ નિદાન કેમ્પ : સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે દર વરસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ તા. 14મી સપ્ટેમ્બરને રવિવારે સવારે 8-30 થી 11-30 દરમિયાન કોટક સ્કુલમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે એક્સરે, સોનોગ્રાફી, લેબોરેટરી ટેસ્ટીંગ, દવાઓ, ચશ્મા, કાર્ડિયોગ્રામ ઉપરાંત રણછોડદાસ હોસ્પિટલ તરફથી આંખના ઓપરેશન તથા નેત્રમણી વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
આ કેમ્પ માટે સરગમ કલબને ગોંધિયા હોસ્પિટલ (વોકહાર્ટ હોસ્પિટલ), સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ ગ્રુપ)ના અરવિંદભાઈ પટેલ, કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, જે.વી. શેઠિયા ચેરીટેબલ ટ્રસ્ટના હિમાંશુભાઈ શેઠિયા, આર.બી. કોઠારી ડાયગ્નોસ્ટીક સેન્ટર, મહાવીર સેવા ટ્રસ્ટ અને ઇન્ડિયન મેડીકલ એસોસિએશનનો સહયોગ મળી રહ્યો છે. આ કેમ્પમાં રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવે છે અને વિનામૂલ્યે અપાતી સુવિધાનો લાભ લ્યે છે.
નવરાત્રી મહોત્સવ : સરગમ લેડીઝ કલબ દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ ગોપી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન આ નવરાત્રી મહોત્સવ યોજાશે. ડી.એચ.કોલેજના મેદાનમાં યોજાતો આ રાસોત્સવ ઘણો પ્રખ્યાત છે. આ રાસોત્સવમાં સરગમ લેડીઝ કલબના સભ્ય ઉપરાંત સભ્ય ન હોય તેવા કોઈ પણ બહેન ભાગ લઈ શકશે.

નવરાત્રીની પૂર્વ સંધ્યાએ એટલે કે તા. 21મી સપ્ટેમ્બરને રવિવારે સાંજે 6 થી 8-30 દરમિયાન ડી.એચ.કોલેજના મેદાનમાં જ ચિલ્ડ્રન કલબના સભ્યોના દાંડિયા રાસ યોજાશે. આ ગરબામાં 100 થી વધુ ઇનામો આપવામાં આવશે.
આ સિવાય તા. 3 ઓક્ટોબરને શુક્રવારે રાત્રે 9 વાગ્યે ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં જ સરગમ કપલ કલબ,લેડીઝ કલબ, જેન્ટ્સ કલબ, સીનીયર સિટીઝન કલબ અને ઇવનિંગ પોસ્ટના તમામ સભ્યો માટે વન-ડે દાંડિયા રાસ યોજાશે.
જાહેરજનતા માટે પંચામૃત મહોત્સવ : સરગમ કલબ દ્વારા નવરાત્રી પછી દર વરસે જાહેર જનતા માટે પંચામૃત મહોત્સવ યોજવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો એક એક થી ચડિયાતા કાર્યક્રમો વિનામૂલ્યે નિહાળે છે.
આ વખતે તા. 4 ઓક્ટોબરે રાત્રે 8 વાગ્યે ડી.એચ. કોલેજના મેદાનમાં મુંબઈની મ્યુઝીકલ પાર્ટી યોજાશે, તા. 5 ઓક્ટોબરને રવિવારે લોકડાયરો, તા. 6 ઓક્ટોબરે હસાયરો, તા. 7 ઓક્ટોબરે સંગીત સંધ્યા યોજાશે. આ કાર્યક્રમોમાં નામાંકિત કલાકારો પોતાની કલા પીરસશે.
સરગમ કલબના કાર્યક્રમોમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું કાયમ માર્ગદર્શન મળી રહે છે. આ પત્રકાર પરિષદમાં મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરિયા, યોગેશભાઈ પુજારા, ખોડીદાસભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ, જયેશભાઈ વસા, નાથાભાઈ કાલરિયા, લલીતભાઈ રામજીયાણી, મીતેનભાઈ મહેતા, તેજસભાઈ ભટ્ટી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ, રમેશભાઈ અકબરી, મનસુખભાઈ મકવાણા, શિવલાલભાઈ રામાણી, જીતુભાઈ ચંદારાણા, હરેશભાઈ વોરા ઉપરાંત ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, સુધાબેન ભાયા, જસુમતીબેન વસાણી, ડો. અલ્કાબેન ધામેલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

ધુળેટીની ભૂલ સુધરી: ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર, ધો. 10-12ની પરીક્ષાઓની નવી તારીખો જાહેર!

જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા તા. 22થી 27 સુધી નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

રાજકોટથી દિલ્હીના ભાવ આસમાને: ભાડું રૂ. 25થી 40 હજાર સુધી પહોંચી જતાં મુસાફરોમાં દેકારો

ગોંડલના રાજકુમાર જાટના મોત મામલે ગણેશ ગોંડલનો થશે નાર્કો ટેસ્ટ

મેડિકલની છાત્રાને લગ્નની લાલચ આપી તાલાલાના શખ્સે વારંવાર આચર્યું દુષ્કર્મ

TAGGED: Rajkot, Sargam Club
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનપાના જગ્યા રોકાણ શાખા ઘોડાગાડીની બગીઓ પકડવા રેસકોર્સ પહોંચી
Next Article વાંકાનેરમાં અમિત કોટેચાની હત્યા કેસમાં 3 આરોપીને આજીવન કેદ, 3 લાખનો દંડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર જર્જરિત ઈમારતનો બીજા માળનો રવેશ તૂટી પડયો: સદનસીબે જાનહાનિ ટળી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વેરાવળના વિવિધ સ્થળો પર સઘન તપાસ
વેરાવળ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક યોજાઈ
કોડીનાર તાલુકાના બરડા ગામ ખાતે કલેક્ટર ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઈ
જૂનાગઢમાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયા દ્વારા મહાશિવરાત્રી મેળો અને ખેડૂતલક્ષી કામગીરીની સમીક્ષા
બે થેલી ખાતર પણ ભેળસેળવાળું મળતાં ખેડૂતોમાં રોષ સાથે આક્ષેપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધુળેટીની ભૂલ સુધરી: ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર, ધો. 10-12ની પરીક્ષાઓની નવી તારીખો જાહેર!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

જૈન સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા તા. 22થી 27 સુધી નાઈટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટથી દિલ્હીના ભાવ આસમાને: ભાડું રૂ. 25થી 40 હજાર સુધી પહોંચી જતાં મુસાફરોમાં દેકારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?