ભારતના 434 રને ઐતિહાસિક વિજયથી પ્રેક્ષકોને મોજે-મોજ
ખાસ-ખબર સંવાદદાતા
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ શ્રેણી પૈકી રાજકોટમાં રમાયેલા ત્રીજા ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી છે.
- Advertisement -
યશસ્વી જયસ્વાલની બેવડી સદી અને જાડેજાની ઘાતક બોલિંગથી અંગ્રેજો ઢેર થઈ જતાં ભારતને 434 રને ઐતિહાસિક વિજયથી રાજકોટિયન્સે બેવડી મોજ માણી હતી. રાજકોટના ટેસ્ટ મેચના ઈતિહાસમાં આ વખતે રેકોર્ડ બ્રેક 22 હજાર ક્રિકેટરસિકોએ નજરે નિહાળી મેચને યાદગાર બનાવ્યો હતો.
- Advertisement -
અગાઉ 2016માં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં 12 હજાર અને 2018માં વેસ્ટઈન્ડિઝ સામેના ટેસ્ટ મેચમાં માત્ર 7 હજાર પ્રેક્ષક જ નોંધાયા હતા. રાજકોટના લોકો ખુશીની પળ ગમે ત્યાંથી શોધી લે છે,રવિવારનો દિવસ હતો, ઈંગ્લેન્ડ સામે મેચ હતો આથી ઘણા પરિવારો સ્ટેડિયમ પર સવારથી જ પહોંચી ગયા હતા અને ટીમ ઈન્ડિયાની જીતના સાક્ષી બન્યા હતા.