ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિને લઈને શુક્રવારે રાજકોટ જિલ્લા કલેક્ટરે ધાર્મિક-સામાજિક સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વિવિધ સંસ્થાઓએ દેશના કોઇપણ ખૂણે ફૂડપેકેટ અને જરૂરી સાધન-સામગ્રી પહોંચાડવા માટેની તૈયારી બતાવી હતી.
- Advertisement -
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, વિવિધ સંસ્થાઓને ફૂડપેકેટની જરૂર પડે તો તેના માટે પૂરતી તૈયારી રાખવા અને સહયોગ આપવાનું કહેતા સંસ્થાના સંચાલકોએ દેશના કોઇપણ ખૂણે ગમે તેટલા ફૂડપેકેટની જરૂર પડશે તો તે પહોંચાડવા માટે ખાતરી આપી હતી.કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિવિધ સંસ્થાના સંચાલકો હાજર રહ્યા હતા. તેમજ એનસીસી કેડેટે પણ દેશની રક્ષા માટે પોતાની ફરજ બજાવવા માટે તૈયારી બતાવી હતી. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ પાસે રહેલા મેડિકલ સાધનો જેવા કે ઓક્સિજન, બોટલ્સ, વ્હિલચેર, આરામ માટેના બેડ, એમ્બ્યુલન્સ, દવાઓ સહિતની વ્યવસ્થાઓની યાદી તૈયાર કરાઈ હતી.