રાજકોટ – ભુતકાળમાં સૈન્યના ગણવેશમાં આતંકવાદી હુમલો થયેલ હોવાથી તથા રાજયના વિવિધ શહેર જિલ્લાએામાં સૈન્ય તથા સશસ્ત્રદળોને સામ્યતા ધરાવતા ગણવેશનું વેંચાણ થતું હોવાનું તથા તેનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા દેશદ્રોહી / ગેરકાયદેસર પ્રવૃતિમાં થતો હોવાનું જણાતા રાજકોટ શહેરમાં આતંકવાદી બનાવ બનતો અટકાવવા, જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી રાજકોટ શહેર પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં તા.૦૧/૦૭/૨૦૨૧ થી તા.૩૧/૦૮/૨૦૨૧ સુધી સૈન્ય તથા સશસ્ત્રદળોને સામ્યતા ધરાવતા ગણવેશનું વેંચાણ તથા ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
સૈન્ય તથા સશસ્ત્રદળોના ગણવેશ વેંચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ
Follow US
Find US on Social Medias


