આજથી 70 વર્ષથી વધુના વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા, 6 કરોડ લોકોને મફતમાં સારવાર મળશે: દેશની પ્રથમ એર એમ્બ્યુલન્સ સંજીવની મળી: 11 એઈમ્સમાં ડ્રોન સર્વિસ શરૂ થઈ
રાજ્યોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓ વધારવા માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ધન્વંતરી જયંતિ અને 9મા આયુર્વેદ દિવસ પર દેશભરમાં રૂ. 12,850 કરોડના સ્વાસ્થ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓ દિલ્હીના અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (અઈંઈંઅ) પહોંચ્યા હતા.
આ દરમિયાન, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (ઙખ-ઉંઅઢ)નું કવરેજ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત 70 વર્ષ અને તેથી વધુ વયના સીનિયર સિટીઝનને 5 લાખ રૂપિયાની મફત સારવાર મળશે. આ સાથે તેમણે ઋષિકેશ એઈમ્સથી દેશની પ્રથમ એર એમ્બ્યુલન્સ સંજીવની પણ શરૂ કરી હતી. ઙખએ ઘણા રાજ્યોમાં વર્ચ્યુઅલ રીતે વિવિધ આરોગ્ય સેવાઓ પણ શરૂ કરી હતી. આ સિવાય હિમાચલ પ્રદેશના બિલાસપુર, પશ્ર્ચિમ બંગાળના કલ્યાણી, બિહારના પટના, ઉત્તર પ્રદેશના ગોરખપુર, મધ્ય પ્રદેશના ભોપાલ, આસામના ગુવાહાટી અને નવી દિલ્હીની એમ્સમાં સુવિધાઓ અને સેવાઓ વધારવામાં આવ્યો હતો. તેમાં જન ઔષધિ કેન્દ્રનો પણ સમાવેશ થાય છે.
બિલાસપુર, છત્તીસગઢમાં સરકારી મેડિકલ કોલેજમાં સુપર સ્પેશિયાલિટી બ્લોક અને બારગઢ, ઓડિશા ખાતે ક્રિટિકલ કેર બ્લોકનું ઉદ્ઘાટન કર્યું. આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મણિપુર, તમિલનાડુ અને રાજસ્થાનમાં 21 ક્રિટિકલ કેર બ્લોકનો શિલાન્યાસ કર્યો. ઙખએ હરિયાણાના ફરીદાબાદ, કર્ણાટકમાં બોમ્માસન્દ્રા અને આંધ્રપ્રદેશના નરસાપુર, અચ્યુતાપુરમ ખાતે ઊજઈંઈ હોસ્પિટલોનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાંથી લગભગ 55 લાખ ઊજઈં લાભાર્થીઓને હેલ્થકેરનો લાભ મળશે. ઓડિશાના ખોરધા અને છત્તીસગઢના રાયપુરમાં નેચરોપેથી રિસર્ચ કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
મેડિકલ સાધનો માટે ગુજરાતમાં અમદાવાદ, જથ્થાબંધ દવાઓ માટે તેલંગાણામાં હૈદરાબાદ, ફાર્માસ્યુટિકલ્સ માટે આસામમાં ગુવાહાટી અને એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ દવાઓના રિસર્ચ માટે પંજાબમાં મોહાલી સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો.
હવે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે. મફત સારવાર માટે કોઈ શરતો રહેશે નહીં. આવક, પેન્શન, બેંક બેલેન્સ, જમીન અથવા જુની બિમારીના આધારે કોઈપણ વૃદ્ધ વ્યક્તિને આ યોજનાના દાયરામાંથી બાકાત રાખવામાં આવશે નહીં. તેનાથી 6 કરોડ લોકોને ફાયદો થશે.