By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    17 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    17 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    18 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    18 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નશીલા ‘આયુર્વેદિક’ સિરપ મામલે આખા ગુજરાતમાં સૌપ્રથમ ‘ખાસ-ખબર’એ મોરચો ખોલ્યો હતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નશીલા ‘આયુર્વેદિક’ સિરપ મામલે આખા ગુજરાતમાં સૌપ્રથમ ‘ખાસ-ખબર’એ મોરચો ખોલ્યો હતો
ખાસ-ખબરરાજકોટ

નશીલા ‘આયુર્વેદિક’ સિરપ મામલે આખા ગુજરાતમાં સૌપ્રથમ ‘ખાસ-ખબર’એ મોરચો ખોલ્યો હતો

Khaskhabar Editor
Last updated: 2023/12/05 at 5:31 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

તારીખ 15 જાન્યુઆરી 2021ના રોજ ‘ખાસ-ખબર’એ રાજકોટ પોલીસ સાથે મળીને નશીલું સિરપ પકડાવ્યું હતું

ખાસ-ખબર સંવાદદાતા
‘ખાસ-ખબર’ પોતાની લોકહિત માટેની અલગ-અલગ ઝુંબેશ માટે સદાય અગ્રેસર રહ્યું છે. તેમાં પણ નશીલા પદાર્થો જેવા કે, ગાંજો, એમડી, દેશી-વિદેશી દારૂના અડ્ડા વિરૂદ્ધ ‘ખાસ-ખબર’ની કેટલીક ઝુંબેશોએ અસરકારક પરિણામ પણ લાવ્યા છે. આજથી ચાર વર્ષ પહેલાં જ્યારે ‘ખાસ-ખબર’ની શરૂઆત થઈ હતી ત્યારે તા. 15 જાન્યુઆરી 2021ના અંકમાં આયુર્વેદિક સિરપના નામે ચાલતા નશાના કાળા કારોબારનો સૌપ્રથમ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ‘ખાસ-ખબર’ના આ અહેવાલ બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો પણ આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલયુક્ત પીણું વેંચનારાઓ સામે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા. ત્યારબાદ સમયાંતરે ફેબ્રુઆરી 2022, ડિસેમ્બર 2022, જાન્યુઆરી-ફેબ્રુઆરી 2023ના કેટલાક અંકોમાં પણ ‘ખાસ-ખબર’ દ્વારા ક્યારેક પોલીસને સાથે રાખી તો ક્યારેક સ્ટિંગ ઓપરેશન કરી કહેવાતી આયુર્વેદિક સિરપની આડમાં ખુલ્લેઆમ ચાલતા નશાના ધીગતા ધંધા મામલે ગૃહવિભાગથી લઈ ડ્રગ્સ અને ફૂડ વિભાગને પણ ઢંઢોળવામાં આવ્યા હતાં છતાં તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં ન આવતા આજે રાજ્યનો પ્રથમ સિરપકાંડ બની ચૂક્યો છે.

- Advertisement -

ક્યા-ક્યા નામથી આયુર્વેદિક સિરપ માર્કેટમાં મળે છે?

જેરીજેમ  હર્બી ફ્લો  સ્લીપવેલ  યુરીસ્ટાર  સ્ટોનહિલ
ઈઝીસ્લીપ  સોનારીસ્ટા  સુનિદ્રા  મેઘાસવ  અશ્ર્વસવ

‘ખાસ-ખબર’એ ઝેરીલાં સિરપ અંગે શ્રેણીબદ્ધ અહેવાલો પ્રકાશિત કર્યા હતાં, જો સંબંધિત વિભાગોએ વાત હળવાશથી ન લીધી હોત તો સિરપકાંડથી મોત નિપજ્યાં જ ન હોત!

- Advertisement -

હાલ ગુજરાતમાં કહેવાતા આયુર્વેદિક સિરપ પીધા બાદ અડધો ડઝન જેટલા લોકોના થયેલા મૃત્યુ અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ખેડા જિલ્લાના બગડુ તથા બિલોદરા ગામ ખાતે છ લોકોના કહેવાતી આયુર્વેદિક સિરપના સેવનથી મૃત્યુ થયા છે, જે અનુસંધાને રાજ્યના તમામ શહેર-જીલ્લાઓમાં ફરી કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં 3000થી વધુ દરોડા કરવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન કુલ 67 આરોપીઓ સામે 12 ઋઈંછ દાખલ કરાઈ છે. 92 જેટલી જાણવાજોગ ફરિયાદો પોલીસે દાખલ કરી છે. આ સિવાય 22 આરોપીઓની અટકાયત પણ પોલીસે કરી છે. આશરે 400 ફાર્માસિસ્ટ, વેપારીઓ સાથે પોલીસે બેઠક કરીને સમજાવટનો કર્યો પ્રયાસ છે. એટલું જ નહીં, હજારો બોટલો કહેવાતા આયુર્વેદિક સિરપની પકડી પાડવામાં આવી છે. ખેડામાં કહેવાતા આયુર્વેદિક સિરપ પીધા બાદ જે રીતે કેટલાક લોકોના ટપોટપ મૃત્યુ થયા તેમ હવે કહેવાતી આયુર્વેદિક સિરપ પીને વધુ લોકોના મૃત્યુ ન થાય તે માટે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી પ્રસંશનીય છે પરંતુ ઘણી મોડી અને ઠંડી છે. જો પોલીસ કે તંત્ર ઈચ્છતું તો આજથી ઘણા સમય પહેલા જ કહેવાતી આયુર્વેદિક સિરપના નામે ખુલ્લેઆમ ચાલતો નશાનો કાળો કારોબાર રોકી શકતું હતું. અફસોસ પોલીસની ઢીલી નીતિ તો તંત્રના આંખ આડા કાન અને કાન આડા મોઢા કરવાની આદતને કારણે કહેવાતી આયુર્વેદિક સિરપ જાહેરમાં સરળતાથી વેંચાતું રહ્યું અને પીવાતું રહ્યું. પરિણામસ્વરૂપે આજે છ જેટલી જિંદગી અને અનેક પરિવાર બરબાદ થઈ ચૂક્યા છે. આયુર્વેદિક સિરપના નામે ચાલતો નશાનો કાળો કારોબાર ઘણા માટે કાળ બની ચૂક્યો છે. આજકાલનું નહીં પરંતુ ઘણા સમય પહેલાથી જ ઠેરઠેર પાનમસાલા, કોલ્ડડ્રિન્ક્સ કે કરિયાણાની દુકાનો સહિત અનેક જગ્યાએ આયુર્વેદિક સિરપનું વેચાણ કરાઈ રહ્યું છે, તે પણ ગેરકાયદે રીતે ડોક્ટરોના પ્રિસ્ક્રિપ્શન વગર. યુવાધન પણ આ પ્રકારની નશીલા સિરપનું સેવન કરી રહ્યા છે. આ તમામ અંગે ‘ખાસ-ખબર’ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં વાંરવાર વિશેષ અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. કહેવાતા આયુર્વેદિક સિરપ વેંચતા વેપારીઓનું સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. પોલીસને સાથે રાખી નશીલા સિરપ વેચનારાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા પરંતુ અફસોસ ‘ખાસ-ખબર’ના અનેકો પ્રયાસો બાદ પણ કોઈના પેટનું પાણી હલ્યું નહતું, આલ્કોહોલયુક્ત સિરપનું બેરોકટોક વેંચાણ ચાલુ હતું અને હવે જ્યારે ખેડામાં કહેવાતી આયુર્વેદિક સિરપ બાદ છ જેટલા લોકો મોત થયા છે એટલે આખી સિસ્ટમ સફાળી બેઠી થઈ ગઈ છે. ખેર દેર આયે દુરસ્ત આયે.. સિરપકાંડ બાદની આયુર્વેદિક સિરપ બનાવનાર અને વેંચનાર વિરુદ્ધ કડક કાર્યવાહી ચાલું જ રહેશે તો હકારાત્મક પરિણામ જરૂર મળશે.

નશો કરાવતા આયુર્વેદિક સિરપમાં આલ્કોહોલ કેટલો હોય છે?
નશો કરાવતા આયુર્વેદિક સિરપમાં 12 ટકાથી વધારે આલ્કોહોલ હોય છે. આયુર્વેદિક સિરપમાં બિયર કરતા બે ગણુ આલ્કોહોલ એટલે કે 12 ટકાથી વધારે 15 ટકા જેટલો આલ્કોહોલ હોવાથી દારૂ જેટલો નશો થાય છે.

સિરપ વેંચવાની મોડસ ઓપરેન્ડી?
નિયમ અનુસાર આયુર્વેદિક દવામાં 12 ટકાથી ઓછું આલ્કહોલ હોવું જોઈએ. 12 ટકાથી ઓછું આલ્કોહોલ હોય તો નશાબંધીની જોગવાઈ અનુસાર કાર્યવાહી થતી નથી. આયુર્વેદિક સિરપ પર 11 ટકાથી ઓછું આલ્કોહોલ હોવાનું લખવામાં આવે છે જેથી કાયદાના દાવપેચથી બચી શકાય. વાસ્તવમાં તેમાં 15 ટકા કરતાં વધુ આલ્કોહોલ હોય છે. મતલબ કે, માર્કેટમાં મળતી કહેવાતી આયુર્વેદિક સિરપમાં સેલ્ફ જનરેટેડ નહીં, એડેડ આલ્કોહોલ છે. અગાઉ એફએસએલમાં પણ આ બાબતનો પુરાવો મળી ચૂક્યો છે. આ આલ્કોહોલયુક્ત પીણામાં કુદરતી રીતે ઓસડિયામાં આથો લાવવામાં આવતો નથી, પરંતુ તેમાં આલ્કોહોલવાળું કેમિકલ ઉમેરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક છે.

સિરપકાંડના મૂળિયા ઊંડા: પાનનાં ગલ્લાં સુધી પહોંચી ગયેલા ઝેરની બદી ડામવાનું મુશ્કેલ: ઉગતાં જ ડામી શકાયું હોત આ ઝેરવૃક્ષ

કહેવાતા આયુર્વેદિક સિરપમાં શું હોય છે?
પાણી, ઈથેનોલ કેમિકલ (આલ્કોહોલ), સાઈટ્રિક એસિડ, સ્વીટનર અને ફલેવર.

કઈ રીતે થયો સિરપકાંડ?

આસવ અને અરિષ્ટ એ બે મહત્વપૂર્ણ આયુર્વેદિક ફોમ્ર્યુલેશન છે જે વિવિધ રોગોની સારવાર માટે 3000થી વધુ વર્ષોથી ઉપયોગમાં લેવાય છે. તેની મોટેભાગે શરીર પર કોઈ આડઅસર થતી નથી. પરંતુ ખેડામાં સિરપ પીધા બાદ થયેલા શંકાસ્પદ મોતનાં કિસ્સામાં વપરાયેલા પીણામાં આસવ અરિષ્ટના બદલે કોઈ ભળતું પ્રવાહી હશે. એક ગાઈડલાઇન પ્રમાણે આસવ અરિષ્ટમાં 12%થી વધારે આલ્કોહોલ ન વાપરી શકાય. આ પીણું મેઘાસવ નામે પીવાતું હતું જેમાં આલ્કોહોલ એટલે કે દારૂનું પ્રમાણ તેનાથી વધારે હોવાનું અનુમાન લગાવી શકાય છે. કેમીસ્ટના જણાવ્યા અનુસાર ઇથાઇલ આલ્કોહોલ બને છે પરંતુ જો તેનાં બદલે મીથાઇલ આલ્કોહોલ બને તો તે જોખમી સાબિત થઈ શકે છે. આલ્કોહોલ બે જાતનાં હોય છે. ઇથાઇલ આલ્કોહોલ અને મિથાઈલ આલ્કોહોલ. પીવામાં જે વપરાય છે તે ઇથાઇલ આલ્કોહોલ હોય છે જે નુકશાનકારક નથી પણ મિથાઇલ આલ્કોહોલ પીવા માટે કોઈ હિસાબે યોગ્ય નથી. સ્પિરિટમાં મિથાઇલ આલ્કોહોલ હોય છે જેથી તે કોઇ પી શકતું નથી. સ્પિરિટ, વાર્નિશમાં જે મિથાઇલ આલ્કોહોલ હોય છે તેને ફાડી નાખીએ એટલે તે મિથાઇલમાંથી ઇથાઇલ આલ્કોહોલ બની જાય છે અને તે પી શકાય એવું હોય છે. પરંતુ જ્યારે આ આખી પ્રક્રિયા કરવામાં કોઇ ખામી રહી જાય છે ત્યારે લોકો મિથાઇલ આલ્કોહોલ પીવે છે જેને દેશી ભાષામાં લઠ્ઠો કહે છે અને આ પ્રવાહી પી થતા મોતની ઘટનાને લઠ્ઠાકાંડ કહેવાય છે. આ જ પ્રકારે સિરપની બનાવટમાં ખામી સર્જાતા સિરપકાંડ થયું છે.

આયુર્વેદિક સિરપને પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોર કે બકાલા માર્કેટમાં વેંચી જ કેમ શકાય?
આયુર્વેદિક દવાઓના ઉત્પાદનનો હેતુ તો કેટલીક બીમારીઓમાં રાહત આપવા માટેનો બતાવાયો છે, પણ તેનો લોકો નશા માટે ઉપયોગ કરતા થઈ ગયા છે. આ પહેલાં પણ કફ સિરપનો ઉપયોગ નશા માટે થતો હોવાથી ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર તે વેંચવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. જોકે, આ પ્રતિબંધનો પણ વાસ્તવિક અમલ કેટલો થતો હશે તે રામ જાણે. હવે આલ્કોહોલયુક્ત પીણા આયુર્વેદિક સિરપના નામે પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોર કે બકાલા માર્કેટમાં વેંચાઈ રહ્યા છે. આવી દવાઓ આયુર્વેદિક લેબલ કે કાયદાની આંટીઘૂંટી હેઠળ વેંચાતી હોવાનું તેના વેંચાણ માટે પરવાનગી કે ડોક્ટરોનું પ્રિસ્ક્રિપ્શન લેવું જરૂરી નથી, પરંતુ ઉત્પાદન કરવા માટે લાયસન્સ મેળવવું પડતું હોય છે ત્યારે આનું વેંચાણ મેડિકલ સ્ટોર દ્વારા જ થઈ શકે તો આવી સિરપ પાનના ગલ્લે, પ્રોવિઝન સ્ટોર કે બકાલા માર્કેટમાં વેચી જ કેમ શકાય એ મોટો સવાલ છે.

You Might Also Like

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા

રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું

જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

TAGGED: drugsyrup, khaskhabar, police, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વોર્ડ નં.2માં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરકારી યોજનાનો કુલ 1981 લાભાર્થીઓએ લાભ લીધો
Next Article જાપાનમાં વિશ્ર્વનું સૌથી મોટું પરમાણુ ફયુઝન રિએક્ટર શરૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?