By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    17 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    3 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    15 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    15 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    15 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    15 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    15 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    18 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    16 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    16 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    16 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે કળશ યાત્રા, કાલથી રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથાનો પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આજે કળશ યાત્રા, કાલથી રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથાનો પ્રારંભ
રાજકોટ

આજે કળશ યાત્રા, કાલથી રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથાનો પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2026/06/04 at 4:17 PM
Khaskhabar Editor 2 days ago
Share
6 Min Read
SHARE

બાગેશ્ર્વરધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી હનુમંત કથાનું સરળશૈલીમાં વર્ણન કરશે 

ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ અને રિલાયન્સ ગ્રાઉન્ડમાં વિશાળ પાર્કિગ વ્યવસ્થા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

કાલથી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ત્રિદિવસીય ‘સનાતન સેતુ હનુમંત કથા’નો પ્રારંભ થશે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિના આયોજન હેઠળ યોજાનારી આ ભવ્ય ધાર્મિક મહોત્સવમાં બાગેશ્વરધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીના શ્રીમુખેથી હનુમંત કથાનું રસપાન કરાવવામાં આવશે. કથાના બીજા દિવસે દિવ્ય દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આયોજક સમિતિના અધ્યક્ષ અને જાણીતા ઉદ્યોગપતિ કિશોરભાઈ ખંભાયતા (ડુનેક્ષ) સહિત આશિષભાઈ શુક્લ, રાજેશભાઈ પિલ્લાઈ, વિક્રમસિંહ પરમાર, રમેશભાઈ શિંગાળા, મંગેશભાઈ દેસાઈ, ડેનીશભાઈ આડેસરા અને વિજયભાઈ પારખીયાના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીને આખરી ઓપ અપાઇ ગયો છે. કથાના આયોજન માટે રેસકોર્સ મેદાનમાં વિશાળ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર ગ્રાઉન્ડને 24 અલગ-અલગ ખંડોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ ખંડોને ગંગા, યમુના, સરસ્વતી અને ગોદાવરી જેવી પવિત્ર નદીઓના નામ આપવામાં આવ્યા છે. દરેક ખંડમાં ભારતીય બેઠક પદ્ધતિ મુજબ આશરે 1,800 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ રીતે એક સાથે અંદાજે 60 હજારથી વધુ ધર્મપ્રેમી શ્રોતાઓ કથાનો લાભ લઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. વધુ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તો તેઓ પણ કથાનું સુગમ રીતે શ્રવણ કરી શકે તે માટે વિશાળ કઊઉ સ્ક્રીનોની વ્યવસ્થા કરવામાં આવી છે.
કથા સ્થળે 130 ફૂટ લાંબું અને 45 ફૂટ પહોળું ભવ્ય અને આકર્ષક સ્ટેજ તૈયાર થઇ ગયુ છે. ઉપરાંત 6 વિશાળ કઊઉ સ્ક્રીન, એક લાખ વોલ્ટ ક્ષમતાની આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને સમગ્ર મેદાન પર નજર રાખી શકે તેવી અદ્યતન ઈઈઝટ કેમેરા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આયોજકો દ્વારા સમગ્ર કાર્યક્રમ માટે વીમા કવચ પણ લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ભક્તોની સુવિધા માટે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા સાથે સમગ્ર મેદાનમાં 24 લાઇટિંગ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા છે. સ્વચ્છતા અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેસકોર્સ મેદાનમાં બે કાયમી યુરીનલ ઉપરાંત ચાર ટેમ્પરરી યુરીનલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવેશ વ્યવસ્થાને સુવ્યવસ્થિત બનાવવા માટે અલગ-અલગ પ્રવેશદ્વારો નક્કી કરવામાં આવ્યા છે. રેસકોર્સ રીંગ રોડ પર ફન વર્લ્ડ ગ્રાઉન્ડ નજીક આવેલા ગેટ નં. 1 અને 2 સામાન્ય જનતા માટે ખુલ્લા રહેશે. પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલ ગેટ નં. 3 સાધુ-સંતો, યજમાન પરિવાર અને આમંત્રિત મહેમાનો માટે અનામત રાખવામાં આવ્યો છે. મહિલા પોલીસ સ્ટેશન સામે આવેલ ગેટ નં. 4 પ્રોટોકોલ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે, જ્યારે એરપોર્ટ ગેટ નં. 5 અને બાલભવન ગેટ નં. 6 પરથી પણ સામાન્ય જનતા પ્રવેશ મેળવી શકશે. મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને પાર્કિંગ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ અને રિલાયન્સ ગ્રાઉન્ડ ખાતે વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી ભક્તોને અવરજવર દરમિયાન કોઈ અગવડતા ન પડે.

પ્રવેશ વ્યવસ્થા: કુલ 6 અલગ-અલગ પ્રવેશદ્વારોથી જ એન્ટ્રી

- Advertisement -

રેસકોર્સ રીંગ રોડ પર ફન વર્લ્ડ ગ્રાઉન્ડ પાસેના ગેટ નં. 1 અને 2 સામાન્ય જનતા માટે ખુલ્લા રહેશે.

પોલીસ હેડક્વાર્ટર પાસેના ગેટ નં. 3 સાધુ-સંતો, યજમાન અને આમંત્રિત મહેમાનો માટે અનામત રહેશે.

મહિલા પોલીસ સ્ટેશન સામે આવેલા ગેટ નં. 4 પ્રોટોકોલ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે

એરપોર્ટ ગેટ નં. 5 અને બાલભવન ગેટ નં. 6 પરથી પણ સામાન્ય જનતા પ્રવેશ મેળવી શકશે.

શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી ત્રણ દિવસ રક્તદાન કેમ્પ

ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વિવિધ બ્લડ ગ્રુપના રક્તનો જથ્થો ઘટી ગયો હોવાથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને વિનામૂલ્યે રક્ત ઉપલબ્ધ કરાવવા માટે વિશેષ રક્તદાન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી ‘સનાતન સેતુ હનુમંત કથા’ કાર્યક્રમ દરમિયાન ત્રણ દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ 5, 6 અને 7 જૂન દરમિયાન રેસકોર્સ ખાતે યોજાનારી સનાતન સેતુ હનુમંત કથા દરમિયાન દરરોજ સાંજે 6 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે. કેમ્પનો મુખ્ય હેતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉભી થયેલી બ્લડની અછત દૂર કરવાનો તેમજ દર્દીઓને જરૂરી સમયે વિનામૂલ્યે રક્ત મળી રહે તેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિ, શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન અને રાજકોટ સિવિલ હોસ્પિટલની પેથોલોજી વિભાગની નિષ્ણાત તબીબોની ટીમ માનદ સેવા આપશે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિએ શહેરના યુવાનો, સામાજિક આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના કાર્યકરો અને સેવાભાવી નાગરિકોને આ રક્તદાન અભિયાનમાં સક્રિયપણે જોડાવા અપીલ કરી છે.

વિહિપ-બજરંગ દળના કાર્યકર્તાઓ જોડાયા : બેઠકથી લઈ પાર્કિંગ, સુરક્ષા સુધીની વ્યવસ્થા સંભાળશે

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આગામી તા. 5, 6 અને 7 જૂન દરમિયાન યોજાનારી ભવ્ય ‘સનાતન સેતુ હનુમંત કથા’ને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને બજરંગ દળના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સેવાના કાર્યમાં જોડાયા છે. વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરના અધ્યક્ષ વનરાજભાઈ ગરૈયાએ જણાવ્યું હતું કે આ વિશાળ ધાર્મિક કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, ખોયા-પાયા કેન્દ્ર, સુરક્ષા વ્યવસ્થા, આવક-જાવક નિયંત્રણ તેમજ અન્ય તમામ પ્રકારની સેવાઓ માટે બજરંગ દળના યુવાનો સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. હજારો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ સ્વયંસેવકોને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ વિભાગના મંત્રી કુણાલભાઈ વ્યાસે જણાવ્યું હતું કે બજરંગ દળના યુવાનોને 10-10 કાર્યકર્તાની ટીમમાં વિભાજિત કરવામાં આવ્યા છે. દરેક ટીમને અલગ-અલગ વ્યવસ્થાનો કાર્યભાર સોંપવામાં આવશે. પાર્કિંગ, બેઠક, માર્ગદર્શન, ભીડ નિયંત્રણ અને અન્ય વ્યવસ્થાઓમાં આ ટોળીઓ સક્રિય રીતે કામગીરી કરશે. કથા સાંભળવા આવનાર દરેક ભક્તને સરળતાથી સ્થળ સુધી પહોંચવામાં અને કથાનો લાભ લેવામાં સહાયરૂપ થવા માટે કાર્યકર્તાઓ સતત સેવા આપશે. વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ વિભાગના સહમંત્રી પરેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે કથા દરમિયાન ભક્તજનોની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે બજરંગ દળના આગેવાનો સ્થાનિક પોલીસ પ્રશાસન સાથે સતત સંકલન જાળવી રાખશે અને જરૂરિયાત મુજબની તમામ સુરક્ષા અને વ્યવસ્થાપન સંબંધિત કામગીરીમાં સહભાગી બનશે.

You Might Also Like

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ

રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ

રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી

‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ પોલીસના ચોપડે નોંધાયેલા હત્યાના 3 અનડિટેકટ બનાવ હજુ પણ પડકારરૂપ
Next Article ઉદ્યોગકારો માટે વૈશ્ર્વિક તકોના નવા દ્વાર ખુલ્યા: સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર અને એશિયન આફ્રિકન ચેમ્બર વચ્ચે MoU

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?