જિયા ખાન જૂન 2013માં આત્મહત્યા કરીને મોતને ભેટી હતી, સૂરજ પંચોલી પર અભિનેત્રી જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો હતો આરોપ
સૂરજ પંચોલી પર અભિનેત્રી જિયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. જોકે આજે 10 વર્ષ જૂના આ કેસમાં મુંબઈની કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભલાવ્યો છે. જિયા ખાન આત્મહત્યા કેસમાં એક્ટર સૂરજ પંચોલીને ઉશ્કેરવાના આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જિયા ખાન જૂન 2013માં આત્મહત્યા કરીને મોતને ભેટી હતી. આ મામલામાં જીયા ખાનની માતા રાબિયા ખાને પોતાની પુત્રીના ન્યાય માટે લડત ચલાવી છે. જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જિયા ખાને આ પત્રમાં કહ્યું હતું કે તારી જિંદગી છોકરીઓ અને પાર્ટી હતી, પણ મારી જિંદગી ફક્ત તું જ હતો.
- Advertisement -
Actor Sooraj Pancholi acquitted of abetment charges in Jiah Khan suicide case pic.twitter.com/SUM97xLqeP
— ANI (@ANI) April 28, 2023
- Advertisement -
શું કહેવું છે જીયા ખાનની માતાનું ?
જિયા ખાનની માતાનો આરોપ છે કે, તેમની પુત્રીએ આત્મહત્યા નથી કરી પરંતુ તે હત્યા છે. રાબિયા ખાનની માંગણી પર હાઈકોર્ટ દ્વારા આ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. પરંતુ એક સમયે આ કેસમાં યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ની એન્ટ્રી થઈ હતી.
કેસમાં FBIની એન્ટ્રી કેવી રીતે થઈ?
હકીકતમાં વર્ષ 2014માં જિયા ખાનની માતાની અપીલ બાદ કોર્ટે આ કેસ CBIને સોંપ્યો હતો. બીજા વર્ષે 2015 CBI એ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી અને સૂરજ પંચોલીને જીયાની આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપી બનાવ્યો. આ પછી 2022માં જિયા ખાનની માતા ફરી એકવાર હાઇકોર્ટમાં પહોંચી અને કેસને યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે FBIને સોંપવાની અપીલ કરી. જિયાની માતાએ કહ્યું કે, તેમની પુત્રી અમેરિકન નાગરિક છે, તેથી એફબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ. જોકે તેમની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.