By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    1 day ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    2 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    2 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    3 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ
    1 day ago
    UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત
    1 day ago
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    1 day ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    1 day ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    1 day ago
    અમદાવાદમાં IPL ફિવર
    1 day ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    1 day ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    2 days ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    4 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તેરે દુ:ખ અબ મેરે, મેરે સુખ અબ તેરે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > તેરે દુ:ખ અબ મેરે, મેરે સુખ અબ તેરે
AuthorNaresh Shahરાષ્ટ્રીયલાઇફ સ્ટાઇલ

તેરે દુ:ખ અબ મેરે, મેરે સુખ અબ તેરે

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 12:32 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

એક કલાકમાં સામાન બાંધીને હું ટેક્સીમાં નીકળી પડયો અને દિવસભર ન્યૂયોર્કમાં આંટા મારતો રહ્યો. બપોરે ભારતીય દુતાવાસમાં મિત્ર નટવરસિંહને મળ્યો અને સાંજે એરપોર્ટ પહોંચ્યો. હું આખો દિવસ અપરાધીની જેમ ભાગતો રહ્યો હતો, ડાકુઓનો કોઈ સાગરિત હોઉં તેમ઼ પ્લેને ઉડવાની શરૂઆત કરી ત્યાં સુધી હું ડરતો રહ્યો કે ક્યાંક છેલ્લી ક્ષ્ાણોમાં ન્યૂયોર્ક પોલીસ આવી ન જા ય અને મને પકડી ન લે

-નરેશ શાહ

- Advertisement -

એ વખતે આર. કે. નારાયણ પદ્મભૂષણનો ખિતાબ પામી ચૂક્યા હતા. અમેરિકામાં તેમની એક નોવેલના નાટય રૂપાંતરથી તેમને સંતોષ નહોતો તેથી તેમણે સહમતિ રદ કરી દીધી હતી. આ કારણે અમેરિકન દિગ્દર્શક તેમના પર કેસ કરવાનું વિચારી રહ્યો હતો. જો સમન્સ બજવણી થઈ જાય તો આર. કે. નારાયણ દેશ છોડી ન શકે અને અમેરિકામાં કેસ લડે તો ખુવાર થઈ જાય… હેમખેમ ભારતમાં પાછા આવી ગયેલા આર. કે. નારાયણે પોતાની જે નોવેલના રાઈટસ નાટક માટે વેચ્યાં હતા, એ નોવેલનું નામ હતું : ગાઈડ.

એ 196પનું વરસ હતું અને એ જ વરસે દેવઆનંદ અભિનિત ગાઈડ ભારતમાં રિલીઝ થઈ ગઈ હતી. જો કે સર્જક તરીકે આર. કે. નારાયણને ગાઈડ ફિલ્મથી પણ સંતોષ નહોતો થયો.

પોતાના બચ્ચાંનો ઉછેર કોઈ અન્ય થકી થાય ત્યારે સંતોષનો સંપૂર્ણ ઓડકાર ભાગ્યે જ આવતો હોય છે. આવી જ ફિલીંગ સર્જકોને તેમના સર્જનના અન્ય માધ્યમમાં થતાં રૂપાંતરણ વખતે યા પછી થતી હોય છે. આ વાત બેસ્ટસેલર લેખક ચેતન ભગતને લાગુ પડે છે તો પદ્મવિભૂષણ આર. કે. નારાયણને પણ. રાસીપુરમ ક્રિષ્નાસ્વામી ઐય્યર નારાયણસ્વામીને સાહિત્યપ્રેમીઓ આર. કે. નારાયણ તરીકે વધુ આદર આપે તો ટીવીના દર્શકો તેમને માલગૂડી ડેઝ સિરિયલ થકી જાણે અને સરેરાશ લોકો તેમને દેવઆનંદની (દિગ્દર્શક : વિજય આનંદ) કલાસિક ફિલ્મ ગાઈડથી ઓળખે છે. 13મી મે, ર001ના દિવસે, પંચાણું વરસે ફાઈનલ એકઝિટ લેનારા આર. કે. નારાયણસરે ગાઈડ નવલકથા લખી ત્યારે પચાસ વરસના હતા. સાલ હતી 19પ6. આગલા વરસે જ ભીષણ દુકાળને લીધે મૈસુરના તમામ જલસ્ત્રોત સૂકાઈ ગયા હતા અને તેમણે જોયું કે મૈસુર કોર્પોરેશને બ્રાહ્મણો પાસે જાહેરમાં અગિયાર દિવસ મંત્રોના જાપ કરાવ્યાં હતા. બારમા દિવસે વરસાદ થયો પણ હતો… આ ઘટના પરથી નારાયણસરના સર્જક દિમાગમાં એક પ્લોટ ઘુમરાવા લાગ્યો હતો : એક એવો માણસ કે જે કમને સંત બનવા માટે સહમત થાય છે

- Advertisement -

ગાઈડ નોવેલ કે ફિલ્મની થીમ આ. 19પ6માં જ પોતાની દીકરીને પરણાવીને સાસરે વિદાય ર્ક્યા પછી એકલાં પડેલા આર. કે. નારાયણ રોકફેલર ફાઉન્ડેશનની ગ્રાંટ પર વિદેશ જઈને નવું સર્જન કરવા માટે તૈયાર થયા. નવલકથાની થીમ દિમાગમાં હતી જ, અમેરિકાના બર્કલે શહેરમાં પહોંચીને નારાયણસરે પહેલાં તો વ્યાજબી બજેટ તેમજ યોગ્ય વાતાવરણવાળું રહેવા માટેનું સ્થળ (હોટેલ) શોધ્યું અને પ્રતિ દિવસ સાત ડોલરની ટેરિફવાળી હોટલ છોડીને મહિનાના પંચોતેર ડોલરવાળી હોટેલના રૂમમાં શિફટ થયા અને ત્રણ મહીના ત્યાં જ રહીને તેમણે એંસી હજાર શબ્દોમાં નવલકથાનો પ્રથમ ડ્રાફટ પૂરો ર્ક્યો. તેનું નામ ગાઈડ. 1964માં તેમની આ જ નોવેલને સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો. એ જ વરસે દેવઆનંદે તેમને પહેલાં પત્ર લખ્યો અને પછી રૂબરૂ મળ્યાં. દેવઆનંદ ગાઈડ પરથી બે ભાષામાં (હિન્દી-અંગે્રજીમાં) ફિલ્મ બનાવવા માંગતા હતા. ગાઈડ ના રાઈટસ માટે દેવઆનંદે ચેક બુક કાઢીને નારાયણસરને ભરવા માટેની એમાઉન્ટ પૂછી. પોતાની આત્મકથા માય ડેઈઝમાં આર. કે. નારાયણ લખે છે કે, અચાનક લાભની આવી ઘટનાથી મારી વિચાર – શક્તિ બહેર મારી ગઈ હતી… સ્વસ્થ થયા પછી મામૂલી રકમ એડવાન્સમાં લઈને નારાયણસરે અમુક પર્સેન્ટેજ (નફામાંથી) રોયલ્ટી મેળવવાનો દેવઆનંદ સાથે કરાર ર્ક્યો. નારાયણસરનું લોજિક ઈમાનદાર હતું: ફિલ્મની સાથે જ લાભ-નુકશાન મેળવીશ. નાહકનો લાભ નહીં લઉં…

196પમાં રિલીઝ થયેલી ગાઈડ ફિલ્મ માત્ર સુપરહિટ જ નહોતી થઈ, પણ ઓલટાઈમ કલાસિકનો દરજ્જો તેને મળેલો છે. હિન્દી સિનેમાની પ્રથમ સો ફિલ્મમાં ગાઈડનું નામ ઉમેરવું ફરજિયાત છે પણ મજા એ છે કે ગાઈડ રિલીઝ પછી આર. કે. નારાયણને મૌખિક તેમજ લેખિત જણાવવામાં આવ્યું કે ગાઈડ ફિલ્મે કોઈ નફો ર્ક્યો નથી. નફો થશે ત્યારે તમને ભૂલ્યાં વગર, તમારો હિસ્સો મોકલી આપવામાં આવશે… જો કે નારાયણસરનું મન તો શરૂઆતથી જ ફિલ્મ બાબતે ખાટું થવા લાગ્યું હતું એવું તેમણે પોતાની આત્મકથા માય ડેઝમાં લખ્યું છે. ગાઈડનું લોકાલ નારાયણસરે માલગૂડી દેખાડયું હતું કે જેનું(કાલ્પનિક) સર્જન તેમનું જ હતું. ભારતમાં માલગૂડી શહેર ક્યાંય છે જ નહીં. તેથી માલગૂડી જેવા સ્થળો દેખાડવા માટે આર. કે. નારાયણને સાથે લઈને આખું યુનિટ મૈસુરમાં ફર્યું હતું. સર્જકે લાગતા-વળગતાં સ્થળો દેખાડયા કે જે તેમની વાર્તા સાથે મેચ થતા હતા. સ્થળો જોયાં પછી જો કે યુનિટ પાછું આવ્યું જ નહીં. મોડેથી નારાયણસરને ખબર પડી કે ફિલ્મ મૈસુરની બદલે જયપુરમાં શૂટ થઈ રહી છે. આર. કે. નારાયણે વાંધો લીધો પણ તેમને કહી દેવામાં આવ્યું કે સિનેમાના મોટા પરદામાં રંગ ભરવા માટે જયપુર જ યોગ્ય છે. આમ પણ તમારા માલગૂડી નું અસ્તિત્વ જ ક્યાં છે ?

નારાયણસરને તો વહીદા રહેમાનના પાત્રના કેન્વાસ પર વાંધો હતો કારણ કે એમની હિરોઈન રાષ્ટ્રીય કક્ષ્ાાની નહોતી કે બોઈંગમાં ઉડનારી કે પ્રશંસકોને ઓટોગ્રાફ આપનારી નહોતી. ફિલ્મવાળાએ મારી હિરોઈનને વીઆઈપી બનાવી દીધી એમ કહેનારા નારાયણસરને કલાઈમેક્સ પણ બહુ નિરાશાજનક લાગતો હતો… બેશક,આ ગાઈડના જન્મદાતા સર્જકનો અભિપ્રાય છે. તમારી જેમ મને પણ વિજય આનંદની ગાઈડ કલાસિક જ લાગે છે પણ એટલે જ કંઈ આપણે તેના મૂળ રચયિતાની લાગણીને નજરઅંદાઝ કરીએ એ કેવું ? પડોશણ આપણને આદર્શ સ્ત્રી લાગે પણ એ જ વાત પડોશણના પતિને માન્ય જ હોય એવું શક્ય ખરું ? ગાઈડ ફિલ્મ અને નારાયણસરનું પણ આવું જ માનવું રહયું.

You Might Also Like

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જામનગર ખાતે નાગરિક પુરવઠા રાજ્યમંત્રી દ્વારા લોકદરબારનું કરાયું આયોજન
Next Article પ્રાચીન આર્યાવર્તની એવિયેશન ટેક્નોલોજી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન
શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
સમય વર્તે સાવધાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?