By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    10 hours ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    8 hours ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    9 hours ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    9 hours ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    10 hours ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    9 hours ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 day ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    3 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    10 hours ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 day ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 day ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    1 day ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    1 day ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    1 day ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું નરેન્દ્ર મોદી પર કોઈ દૈવી શક્તિના આશીર્વાદ છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > શું નરેન્દ્ર મોદી પર કોઈ દૈવી શક્તિના આશીર્વાદ છે?
AuthorKinnar Acharyaખાસ-ખબર

શું નરેન્દ્ર મોદી પર કોઈ દૈવી શક્તિના આશીર્વાદ છે?

Khaskhabar Editor
Last updated: 2022/09/17 at 10:39 AM
Khaskhabar Editor 4 years ago
Share
12 Min Read
SHARE

શું નરેન્દ્ર મોદી પર પરમશક્તિના કોઈ વિશિષ્ટ આશીર્વાદ છે? શું કોઈ દૈવી તત્ત્વ તેમને મદદ કરી રહ્યું છે? આવી ચર્ચાઓ અનેક જગ્યાએ તમે સાંભળી હશે. કેટલીક વખત આપણે ખુદ પણ આવી ચર્ચાઓનાં ભાગ બન્યા હોઈશું. લેખકો આવી વાતો લખવાનું ટાળે છે. કારણ કે, એવું લખવામાં પછાત ગણાઈ જવાનો ડર હોય છે. પરંતુ જે લોકોએ એમની કારકિર્દી નજીકથી નિહાળી છે, એમનું માનવું ચોક્કસ છે કે, તેઓ ઈશ્ર્વરનું પ્રિય સંતાન છે. એક વાત નક્કી છે: પરમતત્ત્વએ બહુ મહાન કાર્યો પાર પાડવા નરેન્દ્ર મોદીના શિરે જવાબદારી મૂકી છે. હમણાં જ આપણે ઉદાહરણ જોયું: અયોધ્યામાં રામમંદિરનું ખાતમુહૂર્ત તેમણે કર્યું, બધું સમુંસૂતરું પાર ઉતરશે તો મંદિરનું લોકાર્પણ પણ તેઓ જ કરશે. આપણે બધાં જાણીએ છીએ કે, આ પરિસ્થિતિ લાવવી એ સહેલું કામ ન હતું. છેલ્લાં લગભગ પાંચસો વર્ષથી લટકતો હતો આ પ્રશ્ર્ન. અનેક સમ્રાટો આવ્યા અને ગયા, અનેક વડા પ્રધાનો આવી ગયા. કોઈ આ બાબતે ખાસ કશું ન કરી શકયા. ભૂતકાળના ભીરુ, બિક્કણ વડા પ્રધાનો તો અયોધ્યા રામ જન્મભૂમિની મુલાકાત લેતાં પણ ડરતા હતા. તેમને મુસ્લિમ મતો ગુમાવવાનો ડર હતો. ટેલિવિઝન ડિબેટમાં સાંભળ્યું કે, રામજન્મભૂમિની મુલાકાત લેનાર નરેન્દ્ર મોદી માત્ર બીજાં રાજા છે, તે પહેલાં છેક સદીઓ અગાઉ રાજા વીર વિક્રમાદિત્ય અહીં પધાર્યાં હતા. રામમંદિરનો ચૂકાદો હિન્દુઓ તરફે આવવાનો હતો એ નક્કી હતું. પરંતુ કેઈસને ચુકાદાના સ્ટેજ સુધી લાવવો એ લગભગ અશક્ય જેવું કામ હતું. કારણ કે, રામમંદિરના હવનમાં આધુનિક યુગનાં રાક્ષસો સતત હાડકાં નાંખી રહ્યાં હતાં.

કોંગ્રેસી વકીલ કપિલ સિબ્બલ તો આ મુદ્દે જાહેરમાં પડકાર પણ ફેંકી ચૂકયા હતાં. ચૂકાદો 2019માં જ આવી જાય તેવાં સંજોગો મોદીએ ઊભા કર્યાં હતા, ત્યારે પણ સિબ્બલે 2019ની લોકસભા ચૂંટણી સુધી એ ચુકાદો ટાળવા અરજી કરી અને સર્વોચ્ચ અદાલતે એ માન્ય રાખી. તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નિયત સમયમર્યાદામાં દલીલો પૂર્ણ કરવાનું અલ્ટિમેટમ ન આપ્યું હોત તો આજે પણ તારીખ પે તારીખ… તારીખ પે તારીખ જ પડતી હોત. અને રંજન ગોગોઈએ તે અલ્ટિમેટમ આપ્યું એ જ મોદી મેજિક છે. મોદીનો જન્મ જ કદાચ યુગકાર્યો કરવા માટે થયો છે. ક્યા રાજકીય પંડિતે આગાહી કરી હતી કે, 370 અને 35-એનો આમ રાતોરાત કચ્ચરઘાણ નીકળી જશે? બેવકૂફ અને બની બેઠેલા પોલિટિક્સ એક્સપર્ટ દાવો કરતા હતાં કે, 370 હટાવવી એ અસંભવ કાર્ય છે. રામજન્મભૂમિ બાબતે પણ અલ્હાબાદ હાઈ કોર્ટે આપેલા ફિફટી – ફિફટીના ચુકાદાને માની લેવા પોંગા પંડિતો હિન્દુઓને સલાહો આપતા હતાં. તેમનું કહેવાનું હતું કે હિન્દુઓને આનાંથી વિશેષ કશું જ, ક્યારેય નહીં મળે!

- Advertisement -

મોદીને માપવાની ફુટપટ્ટી હજુ કોઈ જ રાજકીય પંડિતને પ્રાપ્ત નથી થઈ. આ માણસ પોલિટિકલ પંડિતોની રેન્જથી બહાર છે. જ્યાં આ ઘનચક્કર પંડિતોની વિચારશક્તિ પૂર્ણ થાય છે, ત્યાંથી મોદીની શરૂ થાય છે. તેનું એક કારણ એ છે કે, તેમની રાજનીતિ બિન-પરંપરાગત છે. બીજું મહત્ત્વપૂર્ણ કારણ એ કે, તેમનો રાષ્ટ્રવાદ અને એ રાષ્ટ્રવાદનું રખોપું કરવાનું સંકલ્પબળ. એટલે જ રાજકીય પંડિતોને તેઓ અન-પ્રિડિક્ટેબલ લાગે છે! તેમનાં નિર્ણયો અણધાર્યા અને અકલ્પ્ય લાગે છે. ઉદાહરણ તરીકે: યોગી આદિત્યનાથની ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે પસંદગી.

ભાજપે સૂત્ર આપ્યું હતું, ‘મંદિર વહીં બનાયેંગે…’ કોંગ્રેસ અને અન્ય વિરોધીઓએ રામ જન્મભૂમિને ભાજપનો ચૂંટણીલક્ષી મુદ્દો ગણાવીને પ્રતિસૂત્ર આપ્યું હતું: ‘… તારીખ નહીં બનાયેંગે…’ હવે આ વિરોધીઓ શું કરશે? હવે તારીખ પણ અપાઈ ગઈ, ભૂમિપૂજન પણ થઈ ગયું! બરાબર આવું જ 370 બાબતે બન્યું હતું. અબ્દુલ્લા અને મુફતી પરિવારે તથા દિલ્હીમાં બેઠેલા સવાયા પાકિસ્તાની નેતાઓએ ખૂબ ધમપછાડા કર્યાં, પણ પછી સમજાયું કે, ધાર્યું ધણીનું જ થાય. સિટીઝન એમેન્ડમેન્ટ ઍકટ (સી.એ.એ.) વખતે પણ આવું જ જોવા મળ્યું. તીન તલ્લાક આમ ક્ષણભરમાં ફેંકાઈ જશે એવી કલ્પના પણ કોઈએ નહોતી કરી. સરપ્રાઈઝીસ આપવા, લોકોને દિગ્મૂઢ – સ્તબ્ધ કરી નાંખવા એ મોદીની ફિતરત છે. એક દિવસ આવી જ રીતે તેઓ કોમન સિવિલ કોડ બાબતે પણ બધાંને સ્તબ્ધ કરી દેશે!

જયારે – જયારે સંકટ આવે છે ત્યારે નરેન્દ્ર મોદી બમણાં જોશથી તેમાંથી બહાર આવે છે. તેઓ ‘બિગ મેચ’સ પ્લેયર’ છે. દશેરાને દિવસે તેમનો પાણીદાર અશ્ર્વ અચૂક દોડે છે, અવશ્ય જીતે છે. એમનો અશ્ર્વમેધ યજ્ઞ ચાલું છે, આ યજ્ઞના અશ્ર્વને ઝાલીને મોદીને પડકારવાની કોઈની મગદૂર નથી. મોદીની રાજનીતિની આ જ મજા છે. જાણે કોઈ જાતવાન અશ્ર્વની રેવાલ ચાલ. એમની રાજનીતિમાં નૃત્ય છે, ગીત-સંગીત અને કાવ્ય છે. કહો કે, એમની રાજનીતિ એક કલાકૃતિ છે. તેમાં રહસ્યો પણ છે અને કોયડાઓ પણ છે, તેમાં સાહિત્ય પણ છે અને ચિત્રકળા પણ છે, તેમાં ડ્રામા પણ છે અને અભૂતપૂર્વ સ્ક્રીન પ્લે પણ ખરો. તેમાં ભરપૂર ટ્વિસ્ટ છે અને રૂંવાડા ઊભા કરે દેતો રોમાંચ અને સસ્પેન્સ છે. જરા યાદ કરો, 370 હટાવ્યા પહેલાંના પાંચ-સાત દિવસો!

- Advertisement -

હું એટલે જ નરેન્દ્ર મોદીને પ્રકૃતિનું પ્રિય સંતાન માનું છું. કોઈ એવી શક્તિ છે – જેમનાં આશીર્વાદ નિત્ય તેમનાં પર વરસી રહ્યા છે. એમણે જે કાર્યો કર્યા છે, તે માત્ર રાજકીય ઈચ્છાશક્તિથી સંપન્ન ન થઈ શકે. 370, 35-એ, તીન તલ્લાક, રામ જન્મભૂમિ, સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક જેવાં કાર્યો તો બેશક કપરાં હતાં જ. પરંતુ ચર્ચા માત્ર એ કાર્યોની નથી. એ સિવાય પણ જે કાર્યો તેમણે કર્યાં છે – એ કોઈ ચમત્કારથી કમ નથી. ઉદાહરણ તરીકે આપણે આયુષમાન ભારત યોજના, જન ધન યોજના, રાફેલ ડીલ, સૈન્ય સુધારા, પૂર્વોત્તર ભારતની એકાદ ડઝન વિકાસ યોજનાઓ જેવી અગણિત બાબતો લઈ શકીએ. આ બધું જ પાછું સફળ! તીન પત્તીની દરેક બાજીમાં કોઈને ત્રણ એક્કા નીકળે તો નવાઈ લાગે જ, મોદીને દરેક બાજીમાં આવો ટ્રાયો નીકળે છે.

નરેન્દ્ર મોદી પરમ દેવીભક્ત છે. નવરાત્રિનાં તેમનાં અનુષ્ઠાનો વિશે આપણે જાણીએ જ છીએ. પરંતુ આપણે કોઈ ન જાણતાં હોઈએ એવું ઘણું બધું હોઈ શકે. આસૂરી શક્તિઓ અને અનિષ્ટો ક્યારેય તેમનું કશું જ બગાડી શકયા નથી, અહિત કરી શકયા નથી. એમની નજીકના લોકો કહે છે કે, એમની આધ્યાત્મિક સિદ્ધિઓ ઊચ્ચ કક્ષાની છે. વિષય રસપ્રદ છે. ગુજરાતી લેખકો આ મુદ્દે ઊંડા ઉતરે તો ગમશે. પણ, ગોંડલના સિદ્ધપુરુષ નાથાબાપાના દર્શને નિત્ય જતાં અગણિત લેખકો સુદ્ધાં પોતાની જાતને વિસ્મયવાદી તરીકે ખપાવતા કલમકારો શું આવા વિષયને સ્પર્શ કરશે?

મોદીને માપવાની ફૂટપટ્ટી હજુ કોઈ જ રાજકીય પંડિતને પ્રાપ્ત નથી થઈ,
આ માણસ પોલિટિકલ પંડિતોની રેન્જથી બહાર છે

આસૂરી શક્તિઓ અને અનિષ્ટો ક્યારેય તેમનું કશું જ બગાડી શકયા નથી, અહિત કરી શકયા નથી, એમની નજીકના લોકો કહે છે કે, એમની આધ્યાત્મિક સિદ્ધિઓ ઊચ્ચ કક્ષાની છે

જયારે સંકટ આવે છે ત્યારે નરેન્દ્ર મોદી બમણાં જોશથી તેમાંથી બહાર આવે છે

કોંગ્રેસી વકીલ કપિલ સિબ્બલ તો આ મુદ્દે જાહેરમાં પડકાર પણ ફેંકી ચૂકયા હતાં. ચૂકાદો 2019માં જ આવી જાય તેવાં સંજોગો મોદીએ ઊભા કર્યાં હતા, ત્યારે પણ સિબ્બલે 2019ની લોકસભા ચૂંટણી સુધી એ ચુકાદો ટાળવા અરજી કરી અને સર્વોચ્ચ અદાલતે એ માન્ય રાખી. તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નિયત સમયમર્યાદામાં દલીલો પૂર્ણ કરવાનું અલ્ટિમેટમ ન આપ્યું હોત તો આજે પણ તારીખ પે તારીખ… તારીખ પે તારીખ જ પડતી હોત. અને રંજન ગોગોઈએ તે અલ્ટિમેટમ આપ્યું એ જ મોદી મેજિક છે. મોદીનો જન્મ જ કદાચ યુગકાર્યો કરવા માટે થયો છે. ક્યા રાજકીય પંડિતે આગાહી કરી હતી કે, 370 અને 35-એનો આમ રાતોરાત કચ્ચરઘાણ નીકળી જશે? બેવકૂફ અને બની બેઠેલા પોલિટિક્સ એક્સપર્ટ દાવો કરતા હતાં કે, 370 હટાવવી એ અસંભવ કાર્ય છે. રામજન્મભૂમિ બાબતે પણ અલ્હાબાદ હાઈ કોર્ટે આપેલા ફિફટી – ફિફટીના ચુકાદાને માની લેવા પોંગા પંડિતો હિન્દુઓને સલાહો આપતા હતાં. તેમનું કહેવાનું હતું કે હિન્દુઓને આનાંથી વિશેષ કશું જ, ક્યારેય નહીં મળે!

મોદીને માપવાની ફુટપટ્ટી હજુ કોઈ જ રાજકીય પંડિતને પ્રાપ્ત નથી થઈ. આ માણસ પોલિટિકલ પંડિતોની રેન્જથી બહાર છે. જ્યાં આ ઘનચક્કર પંડિતોની વિચારશક્તિ પૂર્ણ થાય છે, ત્યાંથી મોદીની શરૂ થાય છે. તેનું એક કારણ એ છે કે, તેમની રાજનીતિ બિન-પરંપરાગત છે. બીજું મહત્ત્વપૂર્ણ કારણ એ કે, તેમનો રાષ્ટ્રવાદ અને એ રાષ્ટ્રવાદનું રખોપું કરવાનું સંકલ્પબળ. એટલે જ રાજકીય પંડિતોને તેઓ અન-પ્રિડિક્ટેબલ લાગે છે! તેમનાં નિર્ણયો અણધાર્યા અને અકલ્પ્ય લાગે છે. ઉદાહરણ તરીકે: યોગી આદિત્યનાથની ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે પસંદગી.

ભાજપે સૂત્ર આપ્યું હતું, ‘મંદિર વહીં બનાયેંગે…’ કોંગ્રેસ અને અન્ય વિરોધીઓએ રામ જન્મભૂમિને ભાજપનો ચૂંટણીલક્ષી મુદ્દો ગણાવીને પ્રતિસૂત્ર આપ્યું હતું: ‘… તારીખ નહીં બનાયેંગે…’ હવે આ વિરોધીઓ શું કરશે? હવે તારીખ પણ અપાઈ ગઈ, ભૂમિપૂજન પણ થઈ ગયું! બરાબર આવું જ 370 બાબતે બન્યું હતું. અબ્દુલ્લા અને મુફતી પરિવારે તથા દિલ્હીમાં બેઠેલા સવાયા પાકિસ્તાની નેતાઓએ ખૂબ ધમપછાડા કર્યાં, પણ પછી સમજાયું કે, ધાર્યું ધણીનું જ થાય. સિટીઝન એમેન્ડમેન્ટ ઍકટ (સી.એ.એ.) વખતે પણ આવું જ જોવા મળ્યું. તીન તલ્લાક આમ ક્ષણભરમાં ફેંકાઈ જશે એવી કલ્પના પણ કોઈએ નહોતી કરી. સરપ્રાઈઝીસ આપવા, લોકોને દિગ્મૂઢ – સ્તબ્ધ કરી નાંખવા એ મોદીની ફિતરત છે. એક દિવસ આવી જ રીતે તેઓ કોમન સિવિલ કોડ બાબતે પણ બધાંને સ્તબ્ધ કરી દેશે!

જયારે – જયારે સંકટ આવે છે ત્યારે નરેન્દ્ર મોદી બમણાં જોશથી તેમાંથી બહાર આવે છે. તેઓ ‘બિગ મેચ’સ પ્લેયર’ છે. દશેરાને દિવસે તેમનો પાણીદાર અશ્ર્વ અચૂક દોડે છે, અવશ્ય જીતે છે. એમનો અશ્ર્વમેધ યજ્ઞ ચાલું છે, આ યજ્ઞના અશ્ર્વને ઝાલીને મોદીને પડકારવાની કોઈની મગદૂર નથી. મોદીની રાજનીતિની આ જ મજા છે. જાણે કોઈ જાતવાન અશ્ર્વની રેવાલ ચાલ. એમની રાજનીતિમાં નૃત્ય છે, ગીત-સંગીત અને કાવ્ય છે. કહો કે, એમની રાજનીતિ એક કલાકૃતિ છે. તેમાં રહસ્યો પણ છે અને કોયડાઓ પણ છે, તેમાં સાહિત્ય પણ છે અને ચિત્રકળા પણ છે, તેમાં ડ્રામા પણ છે અને અભૂતપૂર્વ સ્ક્રીન પ્લે પણ ખરો. તેમાં ભરપૂર ટ્વિસ્ટ છે અને રૂંવાડા ઊભા કરે દેતો રોમાંચ અને સસ્પેન્સ છે. જરા યાદ કરો, 370 હટાવ્યા પહેલાંના પાંચ-સાત દિવસો!

હું એટલે જ નરેન્દ્ર મોદીને પ્રકૃતિનું પ્રિય સંતાન માનું છું. કોઈ એવી શક્તિ છે – જેમનાં આશીર્વાદ નિત્ય તેમનાં પર વરસી રહ્યા છે. એમણે જે કાર્યો કર્યા છે, તે માત્ર રાજકીય ઈચ્છાશક્તિથી સંપન્ન ન થઈ શકે. 370, 35-એ, તીન તલ્લાક, રામ જન્મભૂમિ, સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક જેવાં કાર્યો તો બેશક કપરાં હતાં જ. પરંતુ ચર્ચા માત્ર એ કાર્યોની નથી. એ સિવાય પણ જે કાર્યો તેમણે કર્યાં છે – એ કોઈ ચમત્કારથી કમ નથી. ઉદાહરણ તરીકે આપણે આયુષમાન ભારત યોજના, જન ધન યોજના, રાફેલ ડીલ, સૈન્ય સુધારા, પૂર્વોત્તર ભારતની એકાદ ડઝન વિકાસ યોજનાઓ જેવી અગણિત બાબતો લઈ શકીએ. આ બધું જ પાછું સફળ! તીન પત્તીની દરેક બાજીમાં કોઈને ત્રણ એક્કા નીકળે તો નવાઈ લાગે જ, મોદીને દરેક બાજીમાં આવો ટ્રાયો નીકળે છે.

નરેન્દ્ર મોદી પરમ દેવીભક્ત છે. નવરાત્રિનાં તેમનાં અનુષ્ઠાનો વિશે આપણે જાણીએ જ છીએ. પરંતુ આપણે કોઈ ન જાણતાં હોઈએ એવું ઘણું બધું હોઈ શકે. આસૂરી શક્તિઓ અને અનિષ્ટો ક્યારેય તેમનું કશું જ બગાડી શકયા નથી, અહિત કરી શકયા નથી. એમની નજીકના લોકો કહે છે કે, એમની આધ્યાત્મિક સિદ્ધિઓ ઊચ્ચ કક્ષાની છે. વિષય રસપ્રદ છે. ગુજરાતી લેખકો આ મુદ્દે ઊંડા ઉતરે તો ગમશે. પણ, ગોંડલના સિદ્ધપુરુષ નાથાબાપાના દર્શને નિત્ય જતાં અગણિત લેખકો સુદ્ધાં પોતાની જાતને વિસ્મયવાદી તરીકે ખપાવતા કલમકારો શું આવા વિષયને સ્પર્શ કરશે?

 

You Might Also Like

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

સૌથી ઉત્તમ કોણ ?

ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય

TAGGED: narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નરેન્દ્ર મોદીના જીવનમાંથી શીખવા જેવી TOP 10 બાબત
Next Article મોદી V/S ડિઝાઈનર ધરણાંઓ અને સેવન સ્ટાર આંદોલનો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રોહિદાસપરામાં ઘર પાસે રમતી બાળકીનું કારની ઠોકરે મોત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
મવડીમાં રહેતા યુવકની રાવકી ગામે નોકરીએ ગયા બાદ ભેદી સંજોગોમાં ખાણમાંથી લાશ મળી
ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા
ભીમ અગિયારસે રાજકોટ જિલ્લામાં જુગાર રમતા 4 મહિલા સહીત 42 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?