By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે: SOG સમિટ મુદ્દે ચીન
    2 days ago
    જો કોર્ટ ટેરિફ વિરુદ્ધ ચુકાદો આપે તો ‘1929માં મહામંદી’નો સામનો કરવો પડશે
    2 days ago
    “આશા છે કે ભારત યુદ્ધનો અંત લાવવા……..,” યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે ઈન્ડિયાને યુક્રેન સંઘર્ષનો અંત લાવવામાં મદદ કરવા વિનંતી કરી
    2 days ago
    કેલિફોર્નિયામાં ઝડપથી વધતી આગને કારણે હજારો લોકોનું સ્થળાંતર
    2 days ago
    સ્પેનમાં મુસ્લિમ ધાર્મિક તહેવારો ઉજવવા પર રોક, લોકોમાં આક્રોશ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય સેના અને વાયુસેનાને 200 નવા હેલિકોપ્ટર મળશે
    2 days ago
    ધરાલીમાં કાટમાળ નીચે રડારથી લોકોની શોધખોળ શરૂ: 650નું રેસ્ક્યૂ
    2 days ago
    દિલ્હીમાં ગમે ત્યારે પૂરની આશંકા યમુનાનું જળસ્તર ડેન્જર લેવલ પર તંત્ર એલર્ટ
    2 days ago
    ભારતીય રેલવેની ઓફર આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરવા પર 20% ડિસ્કાઉન્ટ
    2 days ago
    અપીલ દરમિયાન જ જેલસજા પૂરી થાય તે ન્યાયની મજાક સમાન જ છે : સુપ્રીમ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    3 days ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    5 days ago
    44મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન, 2025માં રાજકોટનું ગૌરવ વધારતા શોટગન શૂટર
    6 days ago
    ટીમ ઇન્ડિયા આગામી ક્રિકેટ મેચ ક્યારે રમશે? જુઓ આગામી ટુર્નામેન્ટ અને શ્રેણીની સંપૂર્ણ યાદી
    6 days ago
    ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    3 days ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    3 days ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    5 days ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    7 days ago
    મોટા પપ્પા મારા મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસ..,રાજકોટની ક્રિષ્ટીનાએ સોશિયલ મીડિયા પર જણાવી પોતાની વ્યથા
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    3 days ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    4 days ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    6 days ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    6 days ago
    આજે પંચનાથ મહાદેવને ફૂલોનો શણગાર: ભક્તોની ભીડ ઉમટી
    7 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    4 days ago
    માત્રને માત્ર મહિલા કર્મચારીને હેરાનગતિ કરતા અને ફરજ પ્રત્યે બેદરકાર રહેવાના કારણોસર દિનેશ સદાદિયાને તગેડી મૂકાયો
    6 days ago
    સસ્પેન્શ બાદ પોલીસ કાર્યવાહીથી બચવા દિનેશ શંભુ સાદાદિયાના હવાતિયાં
    7 days ago
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    2 weeks ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શું નરેન્દ્ર મોદી પર કોઈ દૈવી શક્તિના આશીર્વાદ છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > શું નરેન્દ્ર મોદી પર કોઈ દૈવી શક્તિના આશીર્વાદ છે?
AuthorKinnar Acharyaખાસ-ખબર

શું નરેન્દ્ર મોદી પર કોઈ દૈવી શક્તિના આશીર્વાદ છે?

Khaskhabar Editor
Last updated: 2022/09/17 at 10:39 AM
Khaskhabar Editor 3 years ago
Share
12 Min Read
SHARE

શું નરેન્દ્ર મોદી પર પરમશક્તિના કોઈ વિશિષ્ટ આશીર્વાદ છે? શું કોઈ દૈવી તત્ત્વ તેમને મદદ કરી રહ્યું છે? આવી ચર્ચાઓ અનેક જગ્યાએ તમે સાંભળી હશે. કેટલીક વખત આપણે ખુદ પણ આવી ચર્ચાઓનાં ભાગ બન્યા હોઈશું. લેખકો આવી વાતો લખવાનું ટાળે છે. કારણ કે, એવું લખવામાં પછાત ગણાઈ જવાનો ડર હોય છે. પરંતુ જે લોકોએ એમની કારકિર્દી નજીકથી નિહાળી છે, એમનું માનવું ચોક્કસ છે કે, તેઓ ઈશ્ર્વરનું પ્રિય સંતાન છે. એક વાત નક્કી છે: પરમતત્ત્વએ બહુ મહાન કાર્યો પાર પાડવા નરેન્દ્ર મોદીના શિરે જવાબદારી મૂકી છે. હમણાં જ આપણે ઉદાહરણ જોયું: અયોધ્યામાં રામમંદિરનું ખાતમુહૂર્ત તેમણે કર્યું, બધું સમુંસૂતરું પાર ઉતરશે તો મંદિરનું લોકાર્પણ પણ તેઓ જ કરશે. આપણે બધાં જાણીએ છીએ કે, આ પરિસ્થિતિ લાવવી એ સહેલું કામ ન હતું. છેલ્લાં લગભગ પાંચસો વર્ષથી લટકતો હતો આ પ્રશ્ર્ન. અનેક સમ્રાટો આવ્યા અને ગયા, અનેક વડા પ્રધાનો આવી ગયા. કોઈ આ બાબતે ખાસ કશું ન કરી શકયા. ભૂતકાળના ભીરુ, બિક્કણ વડા પ્રધાનો તો અયોધ્યા રામ જન્મભૂમિની મુલાકાત લેતાં પણ ડરતા હતા. તેમને મુસ્લિમ મતો ગુમાવવાનો ડર હતો. ટેલિવિઝન ડિબેટમાં સાંભળ્યું કે, રામજન્મભૂમિની મુલાકાત લેનાર નરેન્દ્ર મોદી માત્ર બીજાં રાજા છે, તે પહેલાં છેક સદીઓ અગાઉ રાજા વીર વિક્રમાદિત્ય અહીં પધાર્યાં હતા. રામમંદિરનો ચૂકાદો હિન્દુઓ તરફે આવવાનો હતો એ નક્કી હતું. પરંતુ કેઈસને ચુકાદાના સ્ટેજ સુધી લાવવો એ લગભગ અશક્ય જેવું કામ હતું. કારણ કે, રામમંદિરના હવનમાં આધુનિક યુગનાં રાક્ષસો સતત હાડકાં નાંખી રહ્યાં હતાં.

કોંગ્રેસી વકીલ કપિલ સિબ્બલ તો આ મુદ્દે જાહેરમાં પડકાર પણ ફેંકી ચૂકયા હતાં. ચૂકાદો 2019માં જ આવી જાય તેવાં સંજોગો મોદીએ ઊભા કર્યાં હતા, ત્યારે પણ સિબ્બલે 2019ની લોકસભા ચૂંટણી સુધી એ ચુકાદો ટાળવા અરજી કરી અને સર્વોચ્ચ અદાલતે એ માન્ય રાખી. તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નિયત સમયમર્યાદામાં દલીલો પૂર્ણ કરવાનું અલ્ટિમેટમ ન આપ્યું હોત તો આજે પણ તારીખ પે તારીખ… તારીખ પે તારીખ જ પડતી હોત. અને રંજન ગોગોઈએ તે અલ્ટિમેટમ આપ્યું એ જ મોદી મેજિક છે. મોદીનો જન્મ જ કદાચ યુગકાર્યો કરવા માટે થયો છે. ક્યા રાજકીય પંડિતે આગાહી કરી હતી કે, 370 અને 35-એનો આમ રાતોરાત કચ્ચરઘાણ નીકળી જશે? બેવકૂફ અને બની બેઠેલા પોલિટિક્સ એક્સપર્ટ દાવો કરતા હતાં કે, 370 હટાવવી એ અસંભવ કાર્ય છે. રામજન્મભૂમિ બાબતે પણ અલ્હાબાદ હાઈ કોર્ટે આપેલા ફિફટી – ફિફટીના ચુકાદાને માની લેવા પોંગા પંડિતો હિન્દુઓને સલાહો આપતા હતાં. તેમનું કહેવાનું હતું કે હિન્દુઓને આનાંથી વિશેષ કશું જ, ક્યારેય નહીં મળે!

- Advertisement -

મોદીને માપવાની ફુટપટ્ટી હજુ કોઈ જ રાજકીય પંડિતને પ્રાપ્ત નથી થઈ. આ માણસ પોલિટિકલ પંડિતોની રેન્જથી બહાર છે. જ્યાં આ ઘનચક્કર પંડિતોની વિચારશક્તિ પૂર્ણ થાય છે, ત્યાંથી મોદીની શરૂ થાય છે. તેનું એક કારણ એ છે કે, તેમની રાજનીતિ બિન-પરંપરાગત છે. બીજું મહત્ત્વપૂર્ણ કારણ એ કે, તેમનો રાષ્ટ્રવાદ અને એ રાષ્ટ્રવાદનું રખોપું કરવાનું સંકલ્પબળ. એટલે જ રાજકીય પંડિતોને તેઓ અન-પ્રિડિક્ટેબલ લાગે છે! તેમનાં નિર્ણયો અણધાર્યા અને અકલ્પ્ય લાગે છે. ઉદાહરણ તરીકે: યોગી આદિત્યનાથની ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે પસંદગી.

ભાજપે સૂત્ર આપ્યું હતું, ‘મંદિર વહીં બનાયેંગે…’ કોંગ્રેસ અને અન્ય વિરોધીઓએ રામ જન્મભૂમિને ભાજપનો ચૂંટણીલક્ષી મુદ્દો ગણાવીને પ્રતિસૂત્ર આપ્યું હતું: ‘… તારીખ નહીં બનાયેંગે…’ હવે આ વિરોધીઓ શું કરશે? હવે તારીખ પણ અપાઈ ગઈ, ભૂમિપૂજન પણ થઈ ગયું! બરાબર આવું જ 370 બાબતે બન્યું હતું. અબ્દુલ્લા અને મુફતી પરિવારે તથા દિલ્હીમાં બેઠેલા સવાયા પાકિસ્તાની નેતાઓએ ખૂબ ધમપછાડા કર્યાં, પણ પછી સમજાયું કે, ધાર્યું ધણીનું જ થાય. સિટીઝન એમેન્ડમેન્ટ ઍકટ (સી.એ.એ.) વખતે પણ આવું જ જોવા મળ્યું. તીન તલ્લાક આમ ક્ષણભરમાં ફેંકાઈ જશે એવી કલ્પના પણ કોઈએ નહોતી કરી. સરપ્રાઈઝીસ આપવા, લોકોને દિગ્મૂઢ – સ્તબ્ધ કરી નાંખવા એ મોદીની ફિતરત છે. એક દિવસ આવી જ રીતે તેઓ કોમન સિવિલ કોડ બાબતે પણ બધાંને સ્તબ્ધ કરી દેશે!

જયારે – જયારે સંકટ આવે છે ત્યારે નરેન્દ્ર મોદી બમણાં જોશથી તેમાંથી બહાર આવે છે. તેઓ ‘બિગ મેચ’સ પ્લેયર’ છે. દશેરાને દિવસે તેમનો પાણીદાર અશ્ર્વ અચૂક દોડે છે, અવશ્ય જીતે છે. એમનો અશ્ર્વમેધ યજ્ઞ ચાલું છે, આ યજ્ઞના અશ્ર્વને ઝાલીને મોદીને પડકારવાની કોઈની મગદૂર નથી. મોદીની રાજનીતિની આ જ મજા છે. જાણે કોઈ જાતવાન અશ્ર્વની રેવાલ ચાલ. એમની રાજનીતિમાં નૃત્ય છે, ગીત-સંગીત અને કાવ્ય છે. કહો કે, એમની રાજનીતિ એક કલાકૃતિ છે. તેમાં રહસ્યો પણ છે અને કોયડાઓ પણ છે, તેમાં સાહિત્ય પણ છે અને ચિત્રકળા પણ છે, તેમાં ડ્રામા પણ છે અને અભૂતપૂર્વ સ્ક્રીન પ્લે પણ ખરો. તેમાં ભરપૂર ટ્વિસ્ટ છે અને રૂંવાડા ઊભા કરે દેતો રોમાંચ અને સસ્પેન્સ છે. જરા યાદ કરો, 370 હટાવ્યા પહેલાંના પાંચ-સાત દિવસો!

- Advertisement -

હું એટલે જ નરેન્દ્ર મોદીને પ્રકૃતિનું પ્રિય સંતાન માનું છું. કોઈ એવી શક્તિ છે – જેમનાં આશીર્વાદ નિત્ય તેમનાં પર વરસી રહ્યા છે. એમણે જે કાર્યો કર્યા છે, તે માત્ર રાજકીય ઈચ્છાશક્તિથી સંપન્ન ન થઈ શકે. 370, 35-એ, તીન તલ્લાક, રામ જન્મભૂમિ, સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક જેવાં કાર્યો તો બેશક કપરાં હતાં જ. પરંતુ ચર્ચા માત્ર એ કાર્યોની નથી. એ સિવાય પણ જે કાર્યો તેમણે કર્યાં છે – એ કોઈ ચમત્કારથી કમ નથી. ઉદાહરણ તરીકે આપણે આયુષમાન ભારત યોજના, જન ધન યોજના, રાફેલ ડીલ, સૈન્ય સુધારા, પૂર્વોત્તર ભારતની એકાદ ડઝન વિકાસ યોજનાઓ જેવી અગણિત બાબતો લઈ શકીએ. આ બધું જ પાછું સફળ! તીન પત્તીની દરેક બાજીમાં કોઈને ત્રણ એક્કા નીકળે તો નવાઈ લાગે જ, મોદીને દરેક બાજીમાં આવો ટ્રાયો નીકળે છે.

નરેન્દ્ર મોદી પરમ દેવીભક્ત છે. નવરાત્રિનાં તેમનાં અનુષ્ઠાનો વિશે આપણે જાણીએ જ છીએ. પરંતુ આપણે કોઈ ન જાણતાં હોઈએ એવું ઘણું બધું હોઈ શકે. આસૂરી શક્તિઓ અને અનિષ્ટો ક્યારેય તેમનું કશું જ બગાડી શકયા નથી, અહિત કરી શકયા નથી. એમની નજીકના લોકો કહે છે કે, એમની આધ્યાત્મિક સિદ્ધિઓ ઊચ્ચ કક્ષાની છે. વિષય રસપ્રદ છે. ગુજરાતી લેખકો આ મુદ્દે ઊંડા ઉતરે તો ગમશે. પણ, ગોંડલના સિદ્ધપુરુષ નાથાબાપાના દર્શને નિત્ય જતાં અગણિત લેખકો સુદ્ધાં પોતાની જાતને વિસ્મયવાદી તરીકે ખપાવતા કલમકારો શું આવા વિષયને સ્પર્શ કરશે?

મોદીને માપવાની ફૂટપટ્ટી હજુ કોઈ જ રાજકીય પંડિતને પ્રાપ્ત નથી થઈ,
આ માણસ પોલિટિકલ પંડિતોની રેન્જથી બહાર છે

આસૂરી શક્તિઓ અને અનિષ્ટો ક્યારેય તેમનું કશું જ બગાડી શકયા નથી, અહિત કરી શકયા નથી, એમની નજીકના લોકો કહે છે કે, એમની આધ્યાત્મિક સિદ્ધિઓ ઊચ્ચ કક્ષાની છે

જયારે સંકટ આવે છે ત્યારે નરેન્દ્ર મોદી બમણાં જોશથી તેમાંથી બહાર આવે છે

કોંગ્રેસી વકીલ કપિલ સિબ્બલ તો આ મુદ્દે જાહેરમાં પડકાર પણ ફેંકી ચૂકયા હતાં. ચૂકાદો 2019માં જ આવી જાય તેવાં સંજોગો મોદીએ ઊભા કર્યાં હતા, ત્યારે પણ સિબ્બલે 2019ની લોકસભા ચૂંટણી સુધી એ ચુકાદો ટાળવા અરજી કરી અને સર્વોચ્ચ અદાલતે એ માન્ય રાખી. તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નિયત સમયમર્યાદામાં દલીલો પૂર્ણ કરવાનું અલ્ટિમેટમ ન આપ્યું હોત તો આજે પણ તારીખ પે તારીખ… તારીખ પે તારીખ જ પડતી હોત. અને રંજન ગોગોઈએ તે અલ્ટિમેટમ આપ્યું એ જ મોદી મેજિક છે. મોદીનો જન્મ જ કદાચ યુગકાર્યો કરવા માટે થયો છે. ક્યા રાજકીય પંડિતે આગાહી કરી હતી કે, 370 અને 35-એનો આમ રાતોરાત કચ્ચરઘાણ નીકળી જશે? બેવકૂફ અને બની બેઠેલા પોલિટિક્સ એક્સપર્ટ દાવો કરતા હતાં કે, 370 હટાવવી એ અસંભવ કાર્ય છે. રામજન્મભૂમિ બાબતે પણ અલ્હાબાદ હાઈ કોર્ટે આપેલા ફિફટી – ફિફટીના ચુકાદાને માની લેવા પોંગા પંડિતો હિન્દુઓને સલાહો આપતા હતાં. તેમનું કહેવાનું હતું કે હિન્દુઓને આનાંથી વિશેષ કશું જ, ક્યારેય નહીં મળે!

મોદીને માપવાની ફુટપટ્ટી હજુ કોઈ જ રાજકીય પંડિતને પ્રાપ્ત નથી થઈ. આ માણસ પોલિટિકલ પંડિતોની રેન્જથી બહાર છે. જ્યાં આ ઘનચક્કર પંડિતોની વિચારશક્તિ પૂર્ણ થાય છે, ત્યાંથી મોદીની શરૂ થાય છે. તેનું એક કારણ એ છે કે, તેમની રાજનીતિ બિન-પરંપરાગત છે. બીજું મહત્ત્વપૂર્ણ કારણ એ કે, તેમનો રાષ્ટ્રવાદ અને એ રાષ્ટ્રવાદનું રખોપું કરવાનું સંકલ્પબળ. એટલે જ રાજકીય પંડિતોને તેઓ અન-પ્રિડિક્ટેબલ લાગે છે! તેમનાં નિર્ણયો અણધાર્યા અને અકલ્પ્ય લાગે છે. ઉદાહરણ તરીકે: યોગી આદિત્યનાથની ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે પસંદગી.

ભાજપે સૂત્ર આપ્યું હતું, ‘મંદિર વહીં બનાયેંગે…’ કોંગ્રેસ અને અન્ય વિરોધીઓએ રામ જન્મભૂમિને ભાજપનો ચૂંટણીલક્ષી મુદ્દો ગણાવીને પ્રતિસૂત્ર આપ્યું હતું: ‘… તારીખ નહીં બનાયેંગે…’ હવે આ વિરોધીઓ શું કરશે? હવે તારીખ પણ અપાઈ ગઈ, ભૂમિપૂજન પણ થઈ ગયું! બરાબર આવું જ 370 બાબતે બન્યું હતું. અબ્દુલ્લા અને મુફતી પરિવારે તથા દિલ્હીમાં બેઠેલા સવાયા પાકિસ્તાની નેતાઓએ ખૂબ ધમપછાડા કર્યાં, પણ પછી સમજાયું કે, ધાર્યું ધણીનું જ થાય. સિટીઝન એમેન્ડમેન્ટ ઍકટ (સી.એ.એ.) વખતે પણ આવું જ જોવા મળ્યું. તીન તલ્લાક આમ ક્ષણભરમાં ફેંકાઈ જશે એવી કલ્પના પણ કોઈએ નહોતી કરી. સરપ્રાઈઝીસ આપવા, લોકોને દિગ્મૂઢ – સ્તબ્ધ કરી નાંખવા એ મોદીની ફિતરત છે. એક દિવસ આવી જ રીતે તેઓ કોમન સિવિલ કોડ બાબતે પણ બધાંને સ્તબ્ધ કરી દેશે!

જયારે – જયારે સંકટ આવે છે ત્યારે નરેન્દ્ર મોદી બમણાં જોશથી તેમાંથી બહાર આવે છે. તેઓ ‘બિગ મેચ’સ પ્લેયર’ છે. દશેરાને દિવસે તેમનો પાણીદાર અશ્ર્વ અચૂક દોડે છે, અવશ્ય જીતે છે. એમનો અશ્ર્વમેધ યજ્ઞ ચાલું છે, આ યજ્ઞના અશ્ર્વને ઝાલીને મોદીને પડકારવાની કોઈની મગદૂર નથી. મોદીની રાજનીતિની આ જ મજા છે. જાણે કોઈ જાતવાન અશ્ર્વની રેવાલ ચાલ. એમની રાજનીતિમાં નૃત્ય છે, ગીત-સંગીત અને કાવ્ય છે. કહો કે, એમની રાજનીતિ એક કલાકૃતિ છે. તેમાં રહસ્યો પણ છે અને કોયડાઓ પણ છે, તેમાં સાહિત્ય પણ છે અને ચિત્રકળા પણ છે, તેમાં ડ્રામા પણ છે અને અભૂતપૂર્વ સ્ક્રીન પ્લે પણ ખરો. તેમાં ભરપૂર ટ્વિસ્ટ છે અને રૂંવાડા ઊભા કરે દેતો રોમાંચ અને સસ્પેન્સ છે. જરા યાદ કરો, 370 હટાવ્યા પહેલાંના પાંચ-સાત દિવસો!

હું એટલે જ નરેન્દ્ર મોદીને પ્રકૃતિનું પ્રિય સંતાન માનું છું. કોઈ એવી શક્તિ છે – જેમનાં આશીર્વાદ નિત્ય તેમનાં પર વરસી રહ્યા છે. એમણે જે કાર્યો કર્યા છે, તે માત્ર રાજકીય ઈચ્છાશક્તિથી સંપન્ન ન થઈ શકે. 370, 35-એ, તીન તલ્લાક, રામ જન્મભૂમિ, સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક જેવાં કાર્યો તો બેશક કપરાં હતાં જ. પરંતુ ચર્ચા માત્ર એ કાર્યોની નથી. એ સિવાય પણ જે કાર્યો તેમણે કર્યાં છે – એ કોઈ ચમત્કારથી કમ નથી. ઉદાહરણ તરીકે આપણે આયુષમાન ભારત યોજના, જન ધન યોજના, રાફેલ ડીલ, સૈન્ય સુધારા, પૂર્વોત્તર ભારતની એકાદ ડઝન વિકાસ યોજનાઓ જેવી અગણિત બાબતો લઈ શકીએ. આ બધું જ પાછું સફળ! તીન પત્તીની દરેક બાજીમાં કોઈને ત્રણ એક્કા નીકળે તો નવાઈ લાગે જ, મોદીને દરેક બાજીમાં આવો ટ્રાયો નીકળે છે.

નરેન્દ્ર મોદી પરમ દેવીભક્ત છે. નવરાત્રિનાં તેમનાં અનુષ્ઠાનો વિશે આપણે જાણીએ જ છીએ. પરંતુ આપણે કોઈ ન જાણતાં હોઈએ એવું ઘણું બધું હોઈ શકે. આસૂરી શક્તિઓ અને અનિષ્ટો ક્યારેય તેમનું કશું જ બગાડી શકયા નથી, અહિત કરી શકયા નથી. એમની નજીકના લોકો કહે છે કે, એમની આધ્યાત્મિક સિદ્ધિઓ ઊચ્ચ કક્ષાની છે. વિષય રસપ્રદ છે. ગુજરાતી લેખકો આ મુદ્દે ઊંડા ઉતરે તો ગમશે. પણ, ગોંડલના સિદ્ધપુરુષ નાથાબાપાના દર્શને નિત્ય જતાં અગણિત લેખકો સુદ્ધાં પોતાની જાતને વિસ્મયવાદી તરીકે ખપાવતા કલમકારો શું આવા વિષયને સ્પર્શ કરશે?

 

You Might Also Like

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

મારો નાથ નથી મારાથી દૂર

નાના બાળકો અને ટીનએજરને માર્ગદર્શન આપવામાં ફર્ક

‘ઓપીટી’ પિરિયડનો ગેરઉપયોગ: વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

પોરબંદરનો આજે 1036મો સ્થાપના દિવસ

TAGGED: narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નરેન્દ્ર મોદીના જીવનમાંથી શીખવા જેવી TOP 10 બાબત
Next Article મોદી V/S ડિઝાઈનર ધરણાંઓ અને સેવન સ્ટાર આંદોલનો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મારો નાથ નથી મારાથી દૂર
નાના બાળકો અને ટીનએજરને માર્ગદર્શન આપવામાં ફર્ક
‘ઓપીટી’ પિરિયડનો ગેરઉપયોગ: વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં
અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે: SOG સમિટ મુદ્દે ચીન
શાંતિનિકેતન કોલેજના વિદ્યાર્થીઓએ સમાજના વિવિધ વર્ગોના લોકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Shailesh Sagpariya

મારો નાથ નથી મારાથી દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

નાના બાળકો અને ટીનએજરને માર્ગદર્શન આપવામાં ફર્ક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?