ભૂતપૂર્વ વડાપ્રધાન સોનિયા ગાંધીનાં તત્કાલિન પર્સનલ એટેન્ડન્ટ અને વિખ્યાત મૌનધારી બાબા મનમોહન સિંહએ એક વખત કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી જો દેશનાં વડાપ્રધાન બનશે તો હોનારત સર્જાઈ જશે!” એમની વાતને કોંગ્રેસીઓએ અને લેફિટસ્ટ, લિબ્રાન્ડુઓએ ઝીલી લીધી હતી. કેટલાંક લોકોએ એવો માહોલ સર્જાયો હતો કે, એવું લાગે કે જાણે મોદી જો સત્તા પર બિરાજશે તો આખો દેશ ભગવો કરી નાંખશે, ઠેરઠેર ગૌપૂજનની જ વાતો થશે અને મુસ્લિમોનું ધનોતપનોત નીકળી જશે. વાતાવરણ એવું પણ ઉભું કરવામાં આવ્યું કે, ઘણાંને એવું લાગ્યું જાણે મોદીનાં આગમનથી હાર્ડકોર હિન્દુત્વ છવાઈ જશે, ચોમેર કટ્ટરવાદ અને સંકુચિતતા છવાઈ જશે અને મોદી માત્ર રામમંદિર કે તેનાં જેવાં મુદ્દાઓમાં જ રસ રહેશે. કોંગ્રેસ અને ડાબેરીઓ માટે એ દહેશત પણ હતી અને એક મહાન આશા પણ!
આશા? કેવી રીતે? એવી રીતે કે, જો મોદી આ જ એજન્ડા લઈ ને આગળ ચાલે તો ડાબેરી ડફોળેશ્વરો અને બુદ્ધિખોરોને કહેવાની તક મળે : “જુઓ ! અમે તો કહેતા જ હતાં કે આ માણસનો એક જ એજન્ડા છે, હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુત્વ !” આમ તો જો નરેન્દ્ર મોદીનો એજન્ડા જો માત્ર હિન્દુત્વ જ હોય તો પણ તેમાં કશું ખોટું નથી. કારણ કે, હિન્દુત્વનો અર્થવિસ્તાર આસમાન કરતાં વિશાળ છે અને અફાટ છે. હિન્દુત્વ એટલે જીવો અને જીવવા દો, હિન્દુત્વ એટલે સર્વાંગી વિકાસ, હિન્દુત્વ એટલે ઈશ્વરની આરાધનાનો અધિકાર. અને ઈશ્વરનાં અસ્તિત્વનો ઇન્કાર પણ હિન્દુત્વ છે. પરંતુ યુનિવર્સિટીનાં પ્રાંગણથી ઠાલી ક્રાંતિના સાવ પોલંપોલ પીપૂડા વગાડતાં કોન્વેન્ટિયાઓને, ડિઝાઈનર પત્રકારોને કે સુપરસ્ટાર પેનલિસ્ટ્સને હિન્દુત્વની સરળ અને મહાન વ્યાખ્યા ગળે ઉતરતી નથી. અયોધ્યામાં ભવ્ય દિવ્ય રામમંદિરનું નિર્માણ એ જ માત્ર હિન્દુત્વ જ છે. એક હિન્દુત્વવાદી રાજપુરુષ જ તેનું સ્વપ્ન સેવી શકે, તેને અમલમાં મૂકી શકે. એવું ન હોત તો સિત્તેર વર્ષમાં આવી યોજના અમલમાં મૂકાઈ ગઈ હોત.
- Advertisement -
સમજો, વિચારો… શું મોદી સામે ડાબેરીઓ, સવાયા લેફિટસ્ટ જેવાં કોંગ્રેસીઓ અને ડિઝાઈનર બૌધ્ધિકો પત્રકારોને માત્ર એ વાંધો છે કે, તેઓ કેદારનાથ જઈ ને ધ્યાનમાં બેસે છે ? કે વારાણસીનાં ઘાટ પર ગંગા આરતી કરે છે ? કે કાશી વિશ્વનાથનું શાસ્ત્રોક્ત પૂજન કરે છે? શું માત્ર એ જ વાંધો છે કે, તેઓ રામ મંદિરનું ભૂમિપૂજન કરે છે ? ના. અસલી વાંધો એ છે કે, મોદી જનધન યોજના આપે છે, વિશ્વની સૌથી વિરાટકાય હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના, આયુષમાન ભારત સ્કીમ લાવે છે, શસ્ત્ર સોદાઓ ત્વરિત કરે છે, મોદી ભારત માટે ઇન્વેસ્ટમેન્ટ ખેંચી લાવે છે, મોદી નલ સે જલ યોજના અમલમાં મૂકે છે.
મોદીમાં આવડત, પ્રામાણિકતા, પ્રતિબદ્ધતા, ક્ષમતા, હિંમત, નિર્ણયશક્તિ, બુદ્ધિમતા જેવી અનેક બાબતોનું કાતિલ કોમ્બિનેશન છે, આ બધી બાબતો જ કેન્દ્રમાં તેમને અજેય બનાવે છે અને અજેય લડવૈયાને હરાવવા હંમેશા અધમ કક્ષાની ચાલ ચાલવામાં આવતી હોય છે, છેક પુરાણકાળથી આવું ચાલ્યું આવે છે
મેઈક ઇન ઇન્ડિયા અને વન નેશન – વન રાશન કાર્ડ અને તેના જેવી અગણિત યોજનાઓ તેઓ અમલમાં મૂકે છે. અન્ય શાસકો સ્વપ્નમાં પણ જેની કલ્પના ન કરી શકે તેવી અસંખ્ય યોજનાઓ અને નિર્ણયો, પગલાં તેઓ લઈ ચૂક્યાં છે. તેઓ વિરાટનું વ્યક્તિત્વ છે. વિરાટ સ્વપ્ન જુએ છે, ગગનચુંબી સપનાં અને પછી એ સપનાંઓને સાકાર કરવા જાત નીચોવીને મચી પડે છે. મોદી સામે બૌધ્ધિક અને બદમાશોને મૂળ તકલીફ આ છે. એમને એ સવાલ અકળાવે છે કે, કોઈ શાસક આટલો પ્રતિબદ્ધ કે દ્રઢનિશ્ચયી કેવી રીતે હોઈ શકે? દેશને ઘણાં વર્ષોથી પ્યાદા ટાઈપ પ્રાઈમ મિનિસ્ટરની આદત પડી છે. એક નવી કોનવેન્ટિયા પેઢી તો એવું જ માને છે કે, વડાપ્રધાન તો છછૂંદર જેવાજ હોવા જોઇએ, તેમની ચાલ સ્ત્રેણ હોવી જોઈએ અને નિર્ણયોમાં કે હાવભાવમાં પૌરુષ ડોકાવું ન જોઈએ. મનમોહનસિંહને એક દાયકા સુધી ભાળી ને એક આખી પેઢી એવું માનતી થઈ ગઈ કે, વડાપ્રધાન તો નખશિખ નપાણિયા જ જોઈએ.
- Advertisement -
મોદી સામે ચોક્કસ લોકોને વાંધો એ છે કે, તેઓ બહુ કામ કરે છે, તેઓ મોટાં સ્વપ્નો જુએ છે અને એ સાકાર કરી જાણે છે. જો મોદી માત્ર રામમંદિર કે 370ની વાત. કરતા હોત તો એમને નાથવાનું બહુ આસાન હતું. સમસ્યા એ છે કે, મોદી કાશ્મીરનાં ટુકડાં કરવા ઉપરાંત કમ્પ્યુટર્સ, રોજગાર, ટેકનોલોજી, ઉદ્યોગો, વૈશ્વિક પ્રવાહો, હેલ્થ, જળ સંસાધન, પ્રવાસન, વોકલ ફોર લોકલ જેવી અગણિત બાબતો પર વાતો કરે છે, કામ કરે છે, પરિણામો મેળવે છે. આ સ્થિતિ અનેક વિરોધીઓ માટે અકળાવનારી છે.
અને આ ત્રસ્ત જમાતની અકળામણમાંથી કિસાન આંદોલનો જન્મે છે. આ અસહ્ય પીડામાંથી શાહીનબાગ જેવાં તમાશા જન્મ લે છે અને દિલ્હી હુલ્લડ જેવાં હિંસાચાર આકાર પામે છે. શાસક માત્ર પ્રામાણિક હોય એટલું પર્યાપ્ત નથી. મનમોહનસિંહ એક રાતિ પાઈ પણ ઘરભેગી ન કરી હોય તો પણ તેઓ ભારતના સૌથી ભ્રષ્ટ વડાપ્રધાન ગણાય. ચોરી થતી હોય ત્યારે આંખ આડા કાન કરવા અને લોકકલ્યાણ માટે કશું જ ન કરવું. એ પણ એક પ્રકારની બેઇમાની છે. આદર્શ ત્વરિત નિર્ણય લેતા હોવા જોઈએ, તેનામાં ચીલો ચાતરવાની, આગવી કેડી કંડારવાની હિંમત હોય. જેનામાં દ્રઢ નિર્ણયશક્તિ હોય અને જેને દરરોજ થોડાં હજાર કે થોડાં લાખ નાગરિકોનાં જીવનમાં ઉજાસ પાથર્યા પહેલા ઊંઘ ન આવતી હોય.
મોદીમાં આવડત, પ્રામાણિકતા, પ્રતિબદ્ધતા, ક્ષમતા, હિંમત, નિર્ણયશક્તિ, બુદ્ધિમતા જેવી અનેક બાબતોનું કાતિલ કોમ્બિનેશન છે. આ બધી બાબતો જ કેન્દ્રમાં તેમને અજેય બનાવે છે. અને અજેય લડવૈયાને હરાવવા હંમેશા અધમ કક્ષાની ચાલ ચાલવામાં આવતી હોય છે. છેક પુરાણકાળથી આવું ચાલ્યું આવે છે.
મહાન યોદ્ધાને જ્યારે હરાવી શકાતો નથી ત્યારે વિરોધીઓ તેને નાસીપાસ કરી દેવા કે તેને ક્ધફ્યુઝન કરવા રમત માંડતા હોય છે. ઓસ્ટ્રેલિયાની ટિમ જે રીતે સ્લેજિંગ કરીને વિરોધી ખેલાડીને ડીસ્ટર્બ કરતી રહે છે તેવું જ ભારતીય રાજનીતિમાં પણ ચાલતું રહે છે. એવોર્ડ વાપસી, અસહિષ્ણુતા, લિનિંચગનો મુદ્દો, શાહીનબાગ અને હવે ખેડુત આંદોલન. આ આંદોલન પણ એક પ્રકારનું સ્લેજિંગ છે. સૌ જાણે છે કે , નવા કૃષિ કાનૂનથી તેમને કશું જ નુકસાન નથી. તેમનું કંઈ જ અહિત થવાનું નથી. પરંતુ, વિરોધ જરૂરી છે. કારણ કે, આ વિરોધ સ્પોન્સર્ડ છે.
ચાલતું જ રહેશે. સૌ જાણે છે, આ વિરોધ પ્રાયોજિત છે, આ આંદોલન સ્પોન્સર્ડ છે. આનો કોઈ અંત નથી. ખેડૂત આંદોલન ટપકી પડશે. જમીનમાંથી નવી જ કોઈ ઝુંબેશ જન્મી જશે. મૂળ મુદ્દો મોદી અને તેમની વિવિધ જનહિતકારી નીતિઓ છે. ડાબેરીઓ પાસે, ડિઝાઈનર ચળવળીઆઓ પાસે તેનો કોઈ જ જવાબ નથી. જ્યાં સુધી વિરોધ પક્ષો મોદીની કક્ષાનો કોઈ સક્ષમ નેતા પેદા ન કરી લે ત્યાં સુધી આ તકલિફ તો રહેવાની જ.
મોદી સામે વિરોધીઓને અસલી વાંધો એ છે કે, મોદી જનધન યોજના આપે છે, વિશ્વની સૌથી વિરાટકાય હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના, આયુષમાન ભારત સ્કીમ લાવે છે, શસ્ત્ર સોદાઓ ત્વરિત કરે છે, મોદી ભારત માટે ઇન્વેસ્ટમેન્ટ ખેંચી લાવે છે, મોદી નલ સે જલ યોજના અમલમાં મૂકે છે, મેઈક ઇન ઇન્ડિયા અને વન નેશન – વન રાશન કાર્ડ અને તેના જેવી અગણિત યોજનાઓ તેઓ અમલમાં મૂકે છે
મેઈક ઇન ઇન્ડિયા અને વન નેશન – વન રાશન કાર્ડ અને તેના જેવી અગણિત યોજનાઓ તેઓ અમલમાં મૂકે છે. અન્ય શાસકો સ્વપ્નમાં પણ જેની કલ્પના ન કરી શકે તેવી અસંખ્ય યોજનાઓ અને નિર્ણયો, પગલાં તેઓ લઈ ચૂક્યાં છે. તેઓ વિરાટનું વ્યક્તિત્વ છે. વિરાટ સ્વપ્ન જુએ છે, ગગનચુંબી સપનાં અને પછી એ સપનાંઓને સાકાર કરવા જાત નીચોવીને મચી પડે છે. મોદી સામે બૌધ્ધિક અને બદમાશોને મૂળ તકલીફ આ છે. એમને એ સવાલ અકળાવે છે કે, કોઈ શાસક આટલો પ્રતિબદ્ધ કે દ્રઢનિશ્ચયી કેવી રીતે હોઈ શકે? દેશને ઘણાં વર્ષોથી પ્યાદા ટાઈપ પ્રાઈમ મિનિસ્ટરની આદત પડી છે. એક નવી કોનવેન્ટિયા પેઢી તો એવું જ માને છે કે, વડાપ્રધાન તો છછૂંદર જેવાજ હોવા જોઇએ, તેમની ચાલ સ્ત્રેણ હોવી જોઈએ અને નિર્ણયોમાં કે હાવભાવમાં પૌરુષ ડોકાવું ન જોઈએ. મનમોહનસિંહને એક દાયકા સુધી ભાળી ને એક આખી પેઢી એવું માનતી થઈ ગઈ કે, વડાપ્રધાન તો નખશિખ નપાણિયા જ જોઈએ.
મોદી સામે ચોક્કસ લોકોને વાંધો એ છે કે, તેઓ બહુ કામ કરે છે, તેઓ મોટાં સ્વપ્નો જુએ છે અને એ સાકાર કરી જાણે છે. જો મોદી માત્ર રામમંદિર કે 370ની વાત. કરતા હોત તો એમને નાથવાનું બહુ આસાન હતું. સમસ્યા એ છે કે, મોદી કાશ્મીરનાં ટુકડાં કરવા ઉપરાંત કમ્પ્યુટર્સ, રોજગાર, ટેકનોલોજી, ઉદ્યોગો, વૈશ્વિક પ્રવાહો, હેલ્થ, જળ સંસાધન, પ્રવાસન, વોકલ ફોર લોકલ જેવી અગણિત બાબતો પર વાતો કરે છે, કામ કરે છે, પરિણામો મેળવે છે. આ સ્થિતિ અનેક વિરોધીઓ માટે અકળાવનારી છે.
અને આ ત્રસ્ત જમાતની અકળામણમાંથી કિસાન આંદોલનો જન્મે છે. આ અસહ્ય પીડામાંથી શાહીનબાગ જેવાં તમાશા જન્મ લે છે અને દિલ્હી હુલ્લડ જેવાં હિંસાચાર આકાર પામે છે. શાસક માત્ર પ્રામાણિક હોય એટલું પર્યાપ્ત નથી. મનમોહનસિંહ એક રાતિ પાઈ પણ ઘરભેગી ન કરી હોય તો પણ તેઓ ભારતના સૌથી ભ્રષ્ટ વડાપ્રધાન ગણાય. ચોરી થતી હોય ત્યારે આંખ આડા કાન કરવા અને લોકકલ્યાણ માટે કશું જ ન કરવું. એ પણ એક પ્રકારની બેઇમાની છે. આદર્શ ત્વરિત નિર્ણય લેતા હોવા જોઈએ, તેનામાં ચીલો ચાતરવાની, આગવી કેડી કંડારવાની હિંમત હોય. જેનામાં દ્રઢ નિર્ણયશક્તિ હોય અને જેને દરરોજ થોડાં હજાર કે થોડાં લાખ નાગરિકોનાં જીવનમાં ઉજાસ પાથર્યા પહેલા ઊંઘ ન આવતી હોય.
મોદીમાં આવડત, પ્રામાણિકતા, પ્રતિબદ્ધતા, ક્ષમતા, હિંમત, નિર્ણયશક્તિ, બુદ્ધિમતા જેવી અનેક બાબતોનું કાતિલ કોમ્બિનેશન છે. આ બધી બાબતો જ કેન્દ્રમાં તેમને અજેય બનાવે છે. અને અજેય લડવૈયાને હરાવવા હંમેશા અધમ કક્ષાની ચાલ ચાલવામાં આવતી હોય છે. છેક પુરાણકાળથી આવું ચાલ્યું આવે છે. મહાન યોદ્ધાને જ્યારે હરાવી શકાતો નથી ત્યારે વિરોધીઓ તેને નાસીપાસ કરી દેવા કે તેને ક્ધફ્યુઝન કરવા રમત માંડતા હોય છે. ઓસ્ટ્રેલિયાની ટિમ જે રીતે સ્લેજિંગ કરીને વિરોધી ખેલાડીને ડીસ્ટર્બ કરતી રહે છે તેવું જ ભારતીય રાજનીતિમાં પણ ચાલતું રહે છે.
એવોર્ડ વાપસી, અસહિષ્ણુતા, લિનિંચગનો મુદ્દો, શાહીનબાગ અને હવે ખેડુત આંદોલન. આ આંદોલન પણ એક પ્રકારનું સ્લેજિંગ છે. સૌ જાણે છે કે , નવા કૃષિ કાનૂનથી તેમને કશું જ નુકસાન નથી. તેમનું કંઈ જ અહિત થવાનું નથી. પરંતુ, વિરોધ જરૂરી છે. કારણ કે, આ વિરોધ સ્પોન્સર્ડ છે. ચાલતું જ રહેશે. સૌ જાણે છે, આ વિરોધ પ્રાયોજિત છે, આ આંદોલન સ્પોન્સર્ડ છે. આનો કોઈ અંત નથી. ખેડૂત આંદોલન ટપકી પડશે. જમીનમાંથી નવી જ કોઈ ઝુંબેશ જન્મી જશે. મૂળ મુદ્દો મોદી અને તેમની વિવિધ જનહિતકારી નીતિઓ છે. ડાબેરીઓ પાસે, ડિઝાઈનર ચળવળીઆઓ પાસે તેનો કોઈ જ જવાબ નથી. જ્યાં સુધી વિરોધ પક્ષો મોદીની કક્ષાનો કોઈ સક્ષમ નેતા પેદા ન કરી લે ત્યાં સુધી આ તકલિફ તો રહેવાની જ.