અંતરિક્ષ એજન્સીની એક ટીમે પ્રારંભિક ચેતવણી વિકસિત કરવા માટે સૌર ડેટા પર AI મોડલ ડેટા લાગુ કર્યું છે. આ સૌર તોફાન ક્યારે આવશે તે જાણવા માટે વૈજ્ઞાનિક કોશિશ કરી શકે છે.
સૌર તોફાન ધરતી સાથે ટકરાય, તો ખુદને બચાવવા માટે ગ્રહના લોકો પાસે માત્ર 30 મિનિટનો સમય હશે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના રિસર્ચરે આ જાણકારી આપી છે. અંતરિક્ષ એજન્સીની એક ટીમે પ્રારંભિક ચેતવણી વિકસિત કરવા માટે સૌર ડેટા પર AI મોડલ ડેટા લાગુ કર્યું છે. આ સૌર તોફાન ક્યારે આવશે તે જાણવા માટે વૈજ્ઞાનિક કોશિશ કરી શકે છે.
- Advertisement -
એક મીડિયા રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ DAGGER નામના ડીપ લર્નિંગ મોડની તાલીમ પણ શરૂ કરી દીધી છે, જેથી આ બાબતે વધુ જાણકારી મેળવી શકાય. CE, WING, IMP-8 અને Geotail સહિત અનેક સેટેલાઈટ અને ઉત્સર્જન પર નજર રાખી રહી છે અને નાસાની ટીમને ડેટા મોકલી રહી છે. સેટેલાઈટે અગાઉ સૌર તોફાનથી પ્રભાવિત સપાટી આધારિત સ્ટેશનની જાણકારી મેળવી હતી. વૈજ્ઞાનિક તે ડેટા એકત્ર કરી રહ્યા છે, જેથી સૌર તોફાનની સાથે સાથે તેની દિશા પણ જાણી શકાય.
સૌર તોફાન વિશે જાણકારી મેળવવી શા માટે જરૂરી?
વર્ષ 2020માં ‘સોલર 25’ નામની એક નવી સોલર સાયકલ શરૂ થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, તે 11 વર્ષ સુધી રહેશે. આ કારણોસર વર્ષ 2025 દરમિયાન સૂરજ પર સૌથી વધુ એક્ટિવિટી જોવા મળશે. સૂર્યની સપાટી પર સમયાંતરે બદલાતી મેગ્નેટીક એક્ટિવિટીને સોલર સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. તમામ સોલર સાયકલ 9થી 14 વર્ષ સુધીની હોય છે. જેનાથી યૂટિલિટી અને કમ્યુનિકેશન કંપનીઓને વોર્નિંગ સિસ્ટમમાં DAGGER ઈન્ટિગ્રેટ કરવાનો સમય મળી જશે. જેથી બદલાતા વાતાવરણ સાથે સૂર્યની જાણકારી મેળવી શકાશે.
સૌર તોફાન એટલે શું?
સૌર તોફાનને જિયોમેગ્નેટીક સ્ટોર્મ પણ કહેવામાં આવે છે. આ એક સૂર્યમાંથી નીકળતુ રેડિએશન હોય છે, જેના કારણે સૌર મંડળ પર અસર થાય છે. જેના કારણે ધરતીનું ચુંબકીય ક્ષેત્ર બચી શકતું નથી. આ કારણોસર તે આપત્તિ તરીકે ઓળખાય છે. પૃથ્વીની આસપાસના વાતાવરણી ઊર્જા પર પણ અસર પડે છે. સૌર તોફાન અગાઉ પણ આવી ચૂક્યું છે. વર્ષ 1989માં કેનેડાના ક્યૂબેક શહેરમાં સૌર તોફાન આવતા 12 કલાક સુધી વીજળી આવી નહોતી.
- Advertisement -
તે પહેલા વર્ષ 1859માં સૌર તોફાન આવ્યું હતું જેથી અમેરિકા અને યૂરોપમાં ટેલીગ્રાફ નેટવર્ક નાશ પામ્યું હતું. ઊર્જાનો શક્તિશાળી વિસ્ફોટ થતા રેડિયો સંચાર, વીજળી ગ્રિડ અને નેવિગેશન સિગ્નલ્સ પર ખરાબ અસર પડે છે. જેનાથી અંતરિક્ષમાં રહેલ અંતરિક્ષયાત્રીઓ તથા અંતરિક્ષ યાન પર જોખમ ઊભું થઈ શકે છે.