By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    5 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    6 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    6 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    7 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    5 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    5 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    5 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    5 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    6 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હાર્દિક પટેલને ભાજપ માટે પ્રેમ ઉભરાયો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > હાર્દિક પટેલને ભાજપ માટે પ્રેમ ઉભરાયો!
ગુજરાત

હાર્દિક પટેલને ભાજપ માટે પ્રેમ ઉભરાયો!

Khaskhabar Editor
Last updated: 2022/06/01 at 3:39 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ભાજપને ગાળો ભાંડી પોતાની રાજકીય કારકિર્દી બનાવનારનું ‘હૃદય પરિવર્તન’

ભાજપની નેતાગીરી સક્ષમ છે, કલમ 370 અને રામ મંદિર જેવાં ઉમદા કાર્યો ભાજપે કર્યાં : હાર્દિક પટેલ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ છે. આ નારાજગી વચ્ચે હાર્દિક પટેલનું હૃદય પરિવર્તન થઈ ગયું હોય તેમ તેણે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. જેને લઈને ગુજરાત રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. તેણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ મેં મારી વાત મૂકી છે. આ સાથે હાર્દિકને ભાજપ પ્રત્યે પ્રેમ ઉભરાયો હતો અને તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે ભાજપની નેતાગીરીથી અને તેની સંગઠન શક્તિથી ખૂબ પ્રભાવિત છે. રામ મંદિર અને કલમ 370 જેવા મુદ્દે ભાજપનાં વખાણ કરતા અને કોંગ્રેસને વખોડતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, હાલ ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. કોંગ્રેસમાં નેતાઓ વધુ છે તેથી મતભેદ વધારે છે. નેતા વધુ હોય ત્યારે કામ વધુ ઝડપી થવું જોઈએ પણ કોંગ્રેસમાં નિર્ણય શક્તિઘટી રહી છે. હાલ હું કોંગ્રેસમાં જ છું.

મારે ભાજપ સાથે કોઈ વાત નથી ચાલી રહી. હું ભાજપની સારી બાબતોને સ્વીકારું છું. ભાજપનલ દ્વારા જમ્મુ કાશ્મીર 370ની કલમ હટાવવી, અને હવે રામમંદિરનું નિર્માણ કરવું જેવાં સારાં કામોની પ્રશંસા થવી જોઈએ. આ સાથે તેણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતે જ મને બધું આપ્યું છે. તો મારો હેતુ સ્પષ્ટ છે કે ગુજરાતને આગળ લઇ જઇ શકું તે કરવું છે. બધાં મને કેજરીવાલ સાથે જોડે છે. ભાજપ, કોંગ્રેસ, આપ બધા વિકલ્પો ખુલ્લા જ છે એવું હાર્દિક પટેલે જણાવ્યું હતું.

- Advertisement -

હાર્દિક જેવા કચરાંની ભાજપને જરૂર નથી : દિલીપ સંઘાણી

આજકાલ ગુજરાતમાં આવી રહેલી વિધાનસભાની ચુંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ખુબજ ગરમાયું છે. એક તરફ ખોડલધામ ચેરમેન નરેશ પટેલના કોંગ્રેસમાં પ્રવેશ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. તો બીજી તરફ આપના મુખ્યમંત્રીઓની ગુજરાતની વારંવારની મુલાકાત તેમજ વડાપ્રધાન મોદીની અવાર નવાર મુલાકાત પણ રાજકારણમાં ગરમાવો લાવી રહી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જાય છે. હાલ ગુજરાતમાં કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી છે.

હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ જેવી રીતે મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે. તે પરથી સ્પષ્ટ થય છે કે આવનાર સમય ગુજરાત કોંગ્રેસ માટે ખુબ કપરો સાબિત થશે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જ્યારથી મીડિયા સમક્ષ ભાજપની નિર્ણય શક્તિના વખાણ કર્યા છે અને કોંગ્રેસની લીડરશીપ સામે નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિક પટેલ અત્યારે કોંગ્રેસથી નારાજ છે. તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે એવાં પરિબળો સક્રિય થયા છે.

હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી અને ભાજપામાં જોડાવાની વાત અંગે પૂર્વ કૃષિ મંત્રી અને ઈફકોના ચેરમેન ગુજરાત રાજ્ય અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી મેદાને આવ્યા છે અને મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે હાર્દિક પટેલને રોકડું પરખાવી દીધું છે અને હાર્દિક પટેલને કચરો ગણાવ્યો છે અને નરેશભાઈ પટેલ કોંગ્રેસમાં જાય તો પણ ભાજપને કોઈ ફેર નહિ પડે તેવું જણાવ્યું છે.

સૂર્ય હોય તેનું તેજ ઘુવડ સિવાય બધા જ જોતા હોય છે : સંઘાણી

દિલીપભાઈ સંઘાણીએ હાર્દિક પટેલને ભાજપમાં લાવવા બબાતે તે વાતનું ખંડન કરતા કહ્યું હતું કે મારા મતે તેને ન લાવવો જોઈએ, ભાજપમાં કચરો ભેગો ન કરાય. આવું મારું વ્યક્તિગત માનવું છે. હાર્દિકે પાટીદાર સમાજમાં કહ્યુ હતુ કે, હું કોઇપણ રાજકીય પાર્ટીમાં નહીં જોડાવ અને હાર્દિક પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત કરીને કોંગ્રેસમાં જોડાયા. હવે પાટીદારો હાર્દિકનો વિશ્વાસ નહીં કરે. કોંગ્રેસે તેને મહત્ત્વ આપવાનું બંધ કર્યું એટલે એને અસંતોષ ઉભો થયો છે. હવે તે ગમે ત્યાં જાય તેની વિશ્વાસઘાતીની ઓળખ છે તે બદલી ન શકે. વિશ્વાસઘાતી માણસ ક્યાય પણ જાય તે વિશ્વાશ્ઘાત જ કરે.

ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ જણાવ્યું હતુ કે સુર્ય હોય તેનું તેજ ઘુવડ સિવાય બધા જ જોતા હોય છે. કોંગ્રેસનો નેતા ભાજપના કામ માટે સારી વાત કરે તો એથી વધુ ભાજપને પ્રચાર કરવાની શું જરૂૂર છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય કે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડે તો ભાજપને કશો જ ફેર પડવાનો નથી. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ એટલા સક્ષમ છે, આ સાથે સી.આર પાટીલની વ્યવસ્થા અને મોદી સાહેબનો વિશ્વાસ આગામી સમયમાં બીજેપીને વિક્રમજનક બહુમતી અપાવશે.

હાર્દિક જો ભાજપમાં જોડાશે તો તેની વાનરસેના શું કરશે?

છેલ્લાં પાંચ-સાત વર્ષ દરમિયાન હાર્દિક પટેલ અને તેની વાનરસેનાએ ભાજપને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને અમિત શાહને લાજ-શરમ રાખ્યા વગર સોશિયલ મીડિયા પર ભાંડ્યા છે, તેમનાં વિશે બેફામ લખ્યું છે, ગાળો દીધી છે. હવે, હાર્દિકે ભાજપમાં જોડાવાની ઉત્સુકતા દાખવતાં સવાલ એ છે કે, કાલે સવારે જો હાર્દિક ભાજપમાં જોડાય તો તેની વાનરસેનાનું શું થશે? શું આ આખી ટોળકી હવે ભાજપની પ્રશંસા કરશે? કે તેઓ હાર્દિકની વિરૂદ્ધ પડશે? હાર્દિક જો ભાજપમાં જોડાય તો આ બધું જોવાનું રસપ્રદ રહેશે.

અગાઉ ભાજપ અને રામ મંદિર માટે હાર્દિક પટેલે બેફામ વાણીવિલાસ કર્યો હતો

2018માં ઉત્તરપ્રદેશનાં લખનઉમાં હાર્દિક પટેલે રામ મંદિર મુદ્દે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, 125 કરોડ લોકોનાં નામ બદલીને રામ કરી દેવા જોઈએ. રામ મંદિર મામલે ભાજપ રાજકારણ રમે છે. 2018 બાદ 2020માં માળીયા વિધાનસભા પેટા ચૂંટણીમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, રામ મંદિર બનાવવાની વાતો થઈ રહી છે પણ ત્યાં દર્શન કરવા કોણ જશે? ચોરે કોઈ ઝાલરો વગાડવા જતું નથી અને રામ મંદિર દર્શન કરવા કોણ જશે? એવું વિધાન હાર્દિક પટેલે જૂનાગઢમાં પણ કર્યું હતું. એટલું જ નહીં હાર્દિક પટેલ અનામત આંદોલનનાં સમયથી રામ મંદિર મુદ્દે એલફેલ ટ્વિટ પણ કરતો આવ્યો છે અને રામ મંદિર અંગે વાંરવાર ઝેર જ ઓક્યું છે જે જગજાહેર બાબત છે. હવે હાર્દિક પટેલનું અચાનક હૃદય પરિવર્તન થતા રામ મંદિર અને તેના મુદ્દે ભાજપની પ્રશંસા કરી છે!

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ખાસ-ખબર’નાં સ્ટીંગ ઓપરેશનની અસર : કુવાડવા પોલીસે પકડેલાં હર્બલ ટોનિક્સની બોટલોમાં આલ્કોહોલ
Next Article આવાસ યોજનાના ફ્લેટધારકોની હાલાકી: મ્યુ. કમિશનરને રજૂઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?