રાજકોટમાં ગરમીમાં જેમ જેમ વધારો થઈ રહ્યો છે તેમ તેમ રોગચાળો પણ રફ્તાર પકડી રહ્યો હોય તેવી રીતે એક સપ્તાહમાં ઝાડા-ઊલટી સહિત 1465 દર્દી નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.22-4- ર024થી તા.28-4-2024 સુધીના સાત દિવસમાં નોંધાયેલા રોગના આંકડા પ્રમાણે મેલેરિયા-ચિકનગુનિયા-ટાઈફોઈડનો એકેય કેસ નથી મળ્યો જ્યારે ડેંગ્યુનો આ સપ્તાહે પણ એક દર્દી નોંધાયું છે.
આ ઉપરાંત શરદી-ઉધરસના વધુ 879 (વર્ષના 17815), સામાન્ય તાવના 328 (વર્ષના 3488) અને ઝાડા-ઊલટીના ર58 (વર્ષના 3747)કેસ નોંધાયા છે.