વિરેન્દ્રસિંહ સિંધવે બૅન્કના ખાતામાંથી 80 હજાર રૂપિયા ઉપાડતા 200-500ની 18900 રૂપિયાની નોટ નકલી મળી આવી
500ની 19,200ની 37 અને 100ની 20 ચલણી નોટ બેંક ખાતેદારને ડુપ્લિકેટ પધરાવી દેવાતા જાગૃત નાગરિકે કડક કાર્યવાહીની માગ કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.09
રાજકોટના વિરેન્દ્રસિંહ સિંધવે નાગરિક બેંકના ચેરમેન અને ડિરેક્ટર વિરૂદ્ધ સીબીઆઈ, ઈડી, આરબીઆઈ અને સુપ્રિમ કોર્ટમાં ફરિયાદ કરી છે. વિરેન્દ્રસિંહ સિંધવે ભારતના અર્થતંત્રને નષ્ટ કરી રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ કરનારાઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કારણ કે, રાજકોટના મવડી પ્લોટમાં આવેલી નાગરિક બેંકની શાખામાંથી તેમણે 80 હજાર રૂપિયા ઉપડેલા તેમાંથી 18900 રૂપિયાની નોટ નકલી નીકળી હતી. જાગૃત નાગરિક વિરેન્દ્રસિંહ સિંધવે નાગરિક બેંકમાંથી ડુપ્લિકેટ નોટ આવતી હોવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારત દેશને નષ્ટ કરવાના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી ડુપ્લિકેટ નોટનું મોટા પ્રમાણમાં કૌભાંડ ચાલતું હોવા છતાં એને છુપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
- Advertisement -
આ ઉપરાંત એને પ્રોત્સાહન આપવામાં પણ આવી રહ્યું છે અને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. વિરેન્દ્રસિંહ સિંધવના જણાવ્યા અનુસાર રાજકોટના મવડી પ્લોટમાં આવેલી નાગરિક બેંકની શાખામાં મારાં પત્ની જ્યોતિબેનના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડ્યાં હતાં, જેમાં 500ની 19, 200ની 37 અને 100ની 20 ચલણી નોટ સિક્યોરિટી હિડન ફીચર્સ મુજબ ડુપ્લિકેટ હોવાનું જણાવ્યું હતું. આમ, કુલ 80 હજારમાંથી 18900 રૂપિયાની નોટ ડુપ્લિકેટ નીકળી હતી. ડુપ્લિકેટ નોટ બનાવવા માટેનું રો-મટીરિયલ ચીનથી આવતું હોવાના આક્ષેપ સાથે તેમણે ઈઇઈંને પત્ર લખી તપાસની માગ કરી છે. સમગ્ર મામલે વિરેન્દ્રસિંહ સિંધવે રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન, જવાબદાર ડાયરેક્ટરો, અધિકારીઓ, રાષ્ટ્રીયકૃત, કોર્પોરેટર અને ઇન્ટરનેશનલ બેંકના અધિકારીઓ સામે સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ, ઈડી, ગુજરાત હાઇકોર્ટ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પત્ર લખી કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
200-500ની નોટ અસલી છે કે નકલી? કેવી રીતે ઓળખી શકાય?
200-500ની અસલી અને નકલી નોટ વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે. આ માટે રિઝર્વ બેંકે અનેક માપદંડો નક્કી કર્યા છે. આરબીઆઈએ આ માટે એક મોબાઈલ એપ પણ બનાવી છે. 200-500ની અસલી અને નકલી નોટ વચ્ચે તફાવત સમજવા કેટલીક બાબતો તપાસવી જરૂરી છે. જેમ કે, નોટમાં વોટરમાર્ક તપાસો, સિક્યોરિટી થ્રેડ માટે તપાસો, સી-થ્રુ રજિસ્ટર તપાસો, માઇક્રોપ્રિંટિંગ તપાસો, ઇન્ટેગ્લિયો પ્રિન્ટ તપાસો, ફ્લોરોસન્ટ થ્રેડ તપાસો, કાગળની ગુણવત્તા તપાસો, જોડણી પણ તપાસો વગેરે. પરંતુ આમ છતાં ઘણા લોકો અસલી અને નકલી નોટ વચ્ચેનો તફાવત નક્કી કરી શકતા નથી. બેંક કે એટીએમ મશિન પણ નોટ નકલી છે કે અસલી તે નક્કી કરી શકતા નથી. હવે નકલી નોટો એટલી કુશળતાથી બનાવવામાં આવે છે કે તેને નરી આંખે ચેક કરી પારખી શકાતી નથી અને એટલે જ દેશભરમાં ફરી એકવાર નકલી નોટનું દુષણ વધતું જાય છે.