By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    12 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    13 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    12 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    12 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્ર – કાઠિયાવાડના શરૂઆતી પત્રો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > સૌરાષ્ટ્ર – કાઠિયાવાડના શરૂઆતી પત્રો
AuthorBhavy Raval

સૌરાષ્ટ્ર – કાઠિયાવાડના શરૂઆતી પત્રો

Khaskhabar Editor
Last updated: 2023/02/18 at 6:24 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

જૂનાગઢના સૌરાષ્ટ્ર દર્પણ અને રાજકોટના વિજ્ઞાન વિલાસને સૌરાષ્ટ્રના પ્રથમ બે પત્રો કહી શકાય

કાઠિયાવાડના પ્રથમ બે પત્રો જૂનાગઢના સૌરાષ્ટ્ર દર્પણ અને રાજકોટના વિજ્ઞાન વિલાસને કહી શકાય. સૌરાષ્ટ્રના શરૂના આ બંને પત્રોમાં ઘણી સામ્યતાઓ રહેલી હતી. વિજ્ઞાન વિલાસ અને સૌરાષ્ટ્ર દર્પણના મુખપૃષ્ઠ એકસમાન લાગતા હતા. જેમ સૌરાષ્ટ્ર દર્પણમાં મુખપૃષ્ઠ પર ગણેશજીનું ચિત્ર મુકાતું હતું તેમ વિજ્ઞાન વિલાસમાં પણ મુખપૃષ્ઠ પર ગણેશજીનું ચિત્ર મુકાતું હતું. સૌરાષ્ટ્ર દર્પણમાં જૂનાગઢ સરકારની મદદથી.. એવું લખાતું હતું તો વિજ્ઞાન વિલાસમાં ઝવેરી સાદીરામ શંકરદાસની મદદથી..

- Advertisement -

સૌરાષ્ટ્ર – કાઠિયાવાડનું પ્રથમ પત્ર ક્યું હતું એ સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે. 1864 આસપાસ રાજકોટથી કાઠિયાવાડ સમાચાર અને જૂનાગઢથી વરતમાનપત્ર શરૂ થઈ ટૂંક સમયમાં બંધ પડી ગયાનો ઉલ્લેખ ઈતિહાસમાં કેટલીક જગ્યાએ નોંધાયેલો છે. 1868ના સમયગાળામાં ભાવનગરમાંથી બહાર પડતું મનોરંજક રત્નમાળ પણ સૌરાષ્ટ્ર – કાઠિયાવાડનું પ્રથમ પત્ર હોવાનું ઈતિહાસમાં ક્યાંકને ક્યાંક નોંધાયેલું જોવા મળે છે. કાઠિયાવાડ સમાચાર, વરતમાનપત્ર અને મનોરંજક રત્નમાળ અલ્પજીવી પત્રો હતા, તે સૌરાષ્ટ્ર – કાઠિયાવાડમાં ક્યાંથી, કોના દ્વારા, કઈ રીતે બહાર પડતા અને ક્યાં છપાતા તેની કશી ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, આ પત્રોના કોઈ અંકો પણ હાલ પ્રાપ્ય નથી. ગુજરાતી પત્રકારત્વના મારા અભ્યાસ મુજબ 1865માં જૂનાગઢમાંથી શરૂ થયેલું સૌરાષ્ટ્ર દર્પણ એ સૌરાષ્ટ્રનું પ્રથમ પત્ર છે. 1865માં જૂનાગઢમાંથી સૌરાષ્ટ્ર દર્પણ શરૂ થયા પછી 1868માં રાજકોટમાંથી વિજ્ઞાન વિલાસ શરૂ થયું હતું. આ અગાઉ જો અન્ય પત્રો બહાર પડેલા હોય તો તે અંગે કોઈ ચોક્કસ આધારપુરાવાઓ કે જાણકારી પ્રાપ્ત ન હોવાથી સૌરાષ્ટ્ર – કાઠિયાવાડના પ્રથમ બે પત્રો જૂનાગઢના સૌરાષ્ટ્ર દર્પણ અને રાજકોટના વિજ્ઞાન વિલાસને કહી શકાય. સૌરાષ્ટ્રના શરૂના આ બંને પત્રોમાં ઘણી સામ્યતાઓ રહેલી હતી.

વિજ્ઞાન વિલાસ અને સૌરાષ્ટ્ર દર્પણના મુખપૃષ્ઠ એકસમાન લાગતા હતા. જેમ સૌરાષ્ટ્ર દર્પણમાં મુખપૃષ્ઠ પર ગણેશજીનું ચિત્ર મુકાતું હતું તેમ વિજ્ઞાન વિલાસમાં પણ મુખપૃષ્ઠ પર ગણેશજીનું ચિત્ર મુકાતું હતું. સૌરાષ્ટ્ર દર્પણમાં જૂનાગઢ સરકારની મદદથી.. એવું લખાતું હતું તો વિજ્ઞાન વિલાસમાં ઝવેરી સાદીરામ શંકરદાસની મદદથી.. એવું લખાતું હતું. સૌરાષ્ટ્ર દર્પણની જેમ વિજ્ઞાન વિલાસનું મુખપૃષ્ઠ પણ પાછળથી લીલા રંગમાં છપાવવા લાગ્યું હતું. આ પત્ર પર પ્રગટ કરનાર તરીકે વિદ્યાગુણ પ્રકાશક સભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કાઠિયાવાડ જરનલ પ્રેસમાં છાપ્યું છે તેમજ વાર્ષિક લવાજમ 2-6-0 લખ્યું છે. વિજ્ઞાન વિલાસ દ્વારા સૌરાષ્ટ્ર – કાઠિયાવાડમાં જનજાગૃતિનું જે કાર્ય કરવામાં આવ્યું છે તે નોંધ લેવા લાયક છે. 1868માં રાજકોટમાંથી વિજ્ઞાન વિલાસ શરૂ કરવા માટે હરગોવિંદ કાંટાવાળાને સાદીરામ ઝવેરી નામના વ્યક્તિ દ્વારા એ સમયે ઘણી મોટી કહી શકાય તેવી 1000 રૂ. જેટલી રકમની સહાય કરવામાં આવી હતી. 1876માં હરગોવિંદ કાંટાવાળા રાજકોટ છોડી વડોદરા જતા રહે છે ત્યારબાદ પણ વિજ્ઞાન વિલાસનું પ્રકાશન ચાલુ રહે છે. કરસનદાસ મૂળજી અને મણીશંકર કિકાણીના પ્રયાસોથી શરૂ થયેલું વિજ્ઞાન વિલાસ સૌરાષ્ટ્રનું સૌપ્રથમ વ્યવસ્થિત સામયિક હતું.

1883માં જૂનાગઢમાંથી જ્ઞાનદિપક શરૂ થયું હતું. રૂપશંકર ઓઝાએ સાહિત્ય તેમજ કેળવણીના પ્રચાર તથા સમાજ સુધારા માટે સુમતિપ્રકાશ સભાની સ્થાપના કરી હતી અને તેના ઉપક્રમે આ 12 પાનાંનું પત્ર બહાર પડતું હતું. જ્ઞાનદિપક પોતાના નામની જેમ જ વાંચકોમાં જ્ઞાનનું દિપક પ્રગટાવવાનો ઉદ્દેશ ધરાવતું હતું. આ પત્રના પ્રથમ પૃષ્ઠ પર ઈશ્વરસ્તુતિ મૂકવામાં આવતી હતી. જ્ઞાનદિપક માંડ એકાદ વર્ષ ચાલીને બંધ પડી ગયું હતું. અન્ય એક પત્ર 1885માં જૂનાગઢથી આર્ય સહોદર બહાર પડવાનું શરૂ થયું હતું. તેના મુખપૃષ્ઠ પર પ્રકાશક તરીકે સૌરાષ્ટ્ર સમાજ, જૂનાગઢ, કાઠિયાવાડ એવો ઉલ્લેખ કરવામાં આવતો હતો તેમજ આર્ય અને સહોદર બે શબ્દો વચ્ચે ગણેશજીનું ચિત્ર મૂકવામાં આવતું હતું. અમદાવાદથી છપાતા આ માસિકની છૂટક કિંમત ત્રણ આના હતી. 1887માં ભાવનગરથી ખેતીવાડી ખાતાના અધિકારી શ્રી દુર્લભરામ રામજી જાનીએ ખેડૂત નામના સામયિકની શરૂઆત કરી હતી. આ એક સંપૂર્ણ કૃષિ સામાયિક હતું.

- Advertisement -

કાઠિયાવાડ ટાઈમ્સની છૂટક નકલની કિંમત બે આના અને વાર્ષિક લવાજમ ચાર રૂપિયા હતું. એક સમયે ગુજરાતી ભાષાની સામગ્રી કાઠિયાવાડ ટાઈમ્સમાં છપાવવાનું સંપૂર્ણ બંધ થઈ ગયા બાદ તે ગુજરાતનું પ્રથમ અંગ્રેજી દૈનિક બન્યું હતું, જોકે અંગ્રેજી સાથે તેની દ્વિભાષી અને દ્વિસાપ્તાહિક આવૃત્તિઓ અલગથી ચાલુ રહી હતી

કાઠિયાવાડ ટાઈમ્સ, વિજ્ઞાન વિલાસ, જ્ઞાનદિપક, આર્ય સહોદર, ખેડૂત, વાંચન..

તેના મુખપૃષ્ઠ પર ખેતી તથા બગીચા સંબંધી માસિક પુસ્તક એવું લખવામાં આવતું હતું. ખેડૂત સૌરાષ્ટ્ર – કાઠિયાવાડનું પ્રથમ કૃષિ અને કિસાન વિષયક પત્ર હતું.

વાંચન માસિક રાજકોટમાંથી તંત્રી વલ્લભજી સુદરજી કવિના માર્ગદર્શનમાં બહાર પડવાનું શરૂ થયું હતું. ક્યારે, કઈ સાલમાં શરૂ થયું હતું એનો કોઈ જ ઉલ્લેખ કશે મળતો નથી પણ હા, તેના જાન્યુઆરી 1934ના અંક ઉપર વર્ષ 16 અને અંક ત્રીજો એવું લખેલું છે જેના આધારે એવું કહી શકાય કે, વાંચન માસિક 1918 શરૂ થયું હશે. રાજકોટના કરણપરામાં આવેલા સુંદર પ્રેસમાં વાંચનનું છાપકામ થતું હતું. વાંચનના પ્રથમ પાનાં પર પુસ્તક વાંચતી સ્ત્રીનું ચિત્ર કલરમાં છપાતું હતું. આ માસિકનું વાર્ષિક લવાજમ ચાર રૂપિયા અને ત્રણ વર્ષના એક સાથે ભરો તો 10 રૂપિયા હતું. આ ઉપરાંત ભાવનગરમાંથી 1882માં સુબોધ પ્રકાશ અને 1919માં સ્ત્રી સુખ દર્પણ બહાર પડતું હતું. જૂનાગઢમાંથી બાળ જ્ઞાનોદય અને રાજકોટમાંથી વિદ્યાગુણ પ્રકાશ, શ્રીમાલી શુભેચ્છક જેવા પત્રો પણ બહાર પડતા હતા. મોટાભાગના પત્રો અને તેમની પ્રત ઉપલબ્ધ નથી. અમુક પત્રો શરૂ થયા પછી બંધ થયાનું વર્ષ માલૂમ પડતું નથી. સૌરાષ્ટ્રના શરૂઆતી પત્રોમાં જૂનાગઢના સૌરાષ્ટ્ર દર્પણ અને રાજકોટના કાઠિયાવાડ ટાઈમ્સનો વ્યવસ્થિત ઈતિહાસ – નોંધ હાથવગા રહ્યા છે.

સૌરાષ્ટ્રના પત્રકારત્વમાં ખરા અર્થમાં વર્તમાનપત્ર કહી શકાય એવું પ્રથમ વર્તમાનપત્ર એટલે 1888માં રાજકોટમાંથી શરૂ થયેલું કાઠિયાવાડ ટાઈમ્સ. શરૂઆતમાં સાપ્તાહિક અને અર્ધ સાપ્તાહિક તરીકે બહાર પડતું કાઠિયાવાડ ટાઈમ્સ 1 જાન્યુઆરી 1890થી દૈનિક બની ગયું હતું. આ વર્તમાનપત્રનો પ્રારંભ કરનાર મૂળ સિંઘના દિવાન ભવાનીદાસ નનુમલ વજીરાણી હતા. કાઠિયાવાડ ટાઈમ્સ શરૂ થયું ત્યારે તે સાપ્તાહિક હોવા છતાં હાલના દૈનિકો જેવડી રોયલ સાઈઝમાં છપાતું હતું. તેના પ્રથમ અડધા પાનાંની જગ્યાએ કાઠિયાવાડ ટાઈમ્સ માસ્ટરહેડ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં છપાતું હતું. પ્રથમ પાનાં પર મોટાભાગે અંગ્રેજીમાં અને અંદરના પાનાંઓમાં ગુજરાતીમાં સમાચાર આવતા હતા, તેમાં સમાચાર સાથે કાવ્યો અને ચર્ચાપત્રો પણ છપાતા હતા. તેની ન્યૂઝપ્રિન્ટ ચાઈનાથી આવતી હતી. કાઠિયાવાડ ટાઈમ્સની છૂટક નકલની કિંમત બે આના અને વાર્ષિક લવાજમ ચાર રૂપિયા હતું. એક સમયે ગુજરાતી ભાષાની સામગ્રી કાઠિયાવાડ ટાઈમ્સમાં છપાવવાનું સંપૂર્ણ બંધ થઈ ગયા બાદ તે ગુજરાતનું પ્રથમ અંગ્રેજી દૈનિક બન્યું હતું. જોકે અંગ્રેજી સાથે તેની દ્વિભાષી અને દ્વિસાપ્તાહિક આવૃત્તિઓ અલગથી ચાલુ રહી હતી.

સાપ્તાહિક સ્વરૂપે સફળતા મેળવ્યા બાદ અને દૈનિક થયા પહેલા કાઠિયાવાડ ટાઈમ્સ અર્ધસાપ્તાહિક હતું, એપ્રિલ 1888થી તે દર બુધવાર અને રવિવારના દિવસે સાંજેના સમયે પ્રગટ થવા લાગ્યું હતું. સાંજનું પત્ર કરવા પાછળ આ સમાચારપત્રના સંચાલકોનો આશય એવો હતો કે, રાજકોટના લોકો સવારને બદલે સાંજના સમયે વાળું કરી લીધા પછી નિરાંતે છાપું વાંચવાનું વધુ પસંદ કરે છે. કાઠિયાવાડ ટાઈમ્સના માલિક-તંત્રીઓની આ દૂરંદેશીતાને દાદ દેવાનું મન થઈ જાય. કાઠિયાવાડ ટાઈમ્સ સાંજે બહાર પડતું સમાચારપત્ર બન્યા બાદ ખૂબ સફળ થયું. વાંચકોમાં છવાઈ ગયું. ત્યારથી લઈ આજ સુધી રાજકોટ-સૌરાષ્ટ્રમાં સવારની જગ્યાએ સાંજના સમયે વધારે પ્રમાણમાં અખબારો વંચાઈ રહ્યાં છે. વર્તમાનમાં તપાસ કરો તો દુનિયામાં સૌથી વધુ સાંધ્ય દૈનિક સૌરાષ્ટ્રમાંથી બહાર પડે છે. એકલા રાજકોટમાંથી સાંજના સમયે ડઝનેક જેટલા અખબારો બહાર પડે છે. સાંધ્ય દૈનિકો વિના સૌરાષ્ટ્રવાસીઓને વાળું ભાવતું નથી. સાંધ્ય દૈનિકની પરંપરા શરૂઆત કરનારું અખબાર કાઠિયાવાડ ટાઈમ્સ હતું, કાઠિયાવાડ ટાઈમ્સ સૌરાષ્ટ્રનું પ્રથમ સાંધ્ય દૈનિક હતું.
વધારો : ગુજરાતી પત્રકારત્વની બે સદીની લેખનયાત્રામાં અગાઉ શારદા, પ્રિયવંદા, કૌમુદી, માનસી, સુદર્શન તેમજ ગુજરાત શાળાપત્ર અને સૌરાષ્ટ્ર દર્પણ જેવા સૌરાષ્ટ્ર – કાઠિયાવાડના શરૂઆતી પત્રોનો વિશેષ – અલગથી ઉલ્લેખ થઈ ગયો હોય અહીં તેમનું પુનરાવર્તન ટાળ્યું છે.

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

TAGGED: JOURNALISM, Kathiawar, KATHIYAWADIPOST, saurashtra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સર્વસ્વ સમર્પિત કરવાની ભાવના જાગે ત્યારે જ પ્રેમ સાર્થક થાય
Next Article TRAIએ ચેનલોના ટેરિફમાં 40%નો વધારો કરતાં મહત્ત્વની ચેનલો બંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?