લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા આડકતરી રીતે હાર સ્વીકારી લેતા કૉંગે્રસ પ્રમુખ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
- Advertisement -
ગુજરાતમાં લોકસભાના ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે અને આગામી તા.4 જૂને પરિણામ આવે તે પૂર્વે ગુજરાત કોંગે્રસના પ્રમુખ શકિતસિંહ ગોહિલ રવિવારે રાજકોટ આવ્યા હતા અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી રાજકોટ લોકસભા બેઠકનું પોસ્ટમોર્ટમ કર્યુ હતું. આ સમયે પત્રકારો સાથે વાતચિત કરતા આડકતરી રીતે પરાજ્ય સ્વિકાર્યો હોય તેમ બૂથલેવલ મેનેજમેન્ટમાં કોંગે્રસની ખામી રહી ગયાનું જણાવ્યુ હતું.ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે કોણ જીતશે કોણ હારશે તેની ચર્ચાઓ જોરશોર થી ચાલી રહી છે. એવામાં પરિણામ પહેલાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એવું નિવેદન આપ્યું કે જેણે નવી ચર્ચાઓ જગાવી છે. પરિણામ પહેલાં જ આ વખતે ચૂંટણી દરમિયાન શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસની ખામી રહી ગઈ હોવાનું જાહેરમાં સ્વીકાર્યું હતું.
દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં આગામી 4 તારીખે મત પેટી ખુલશે, મત ગણતરી બાદ હાર જીત નક્કી થશે ત્યારબાદ હાર જીત પાછળના કારણો પણ નક્કી થશે જોકે રાજકોટ આવેલા શક્તિસિંહ ગોહિલે તો ચૂંટણી પરિણામ પહેલાં જ ચૂંટણીમાં કોંગ્રેસની રહેલી ખામી સ્વીકારી લીધી છે.
તેમણે કહ્યું કે લોકો ગુજરાત કોંગ્રેસને મત માટે થન ગનતા હતા, પરંતુ બુથ લેવલે કોઈ કચાશ રહી ગઈ છે જે અગામી સમયમાં ન રહે તે માટે કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજાયો છે.
આ સાથે શક્તિસિંહ ગોહિલે સ્માર્ટ મીટર અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લઈને લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટરના નામે પણ જે કરે છે તે ભાજપનો જનતા પર બોજો છે. જે વસ્તુ ખરીદી જ નથી તેનો એડવાન્સમાં જીએસટી શા માટે ભરવાનો? તો સાથે જ ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવવી છે. અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની અને ગ્રાહકો ને ડામ આપવાના, ગ્રાહકોને ઓપ્શન આપો. ગ્રાહક જે ઈચ્છે તે આપવું જોઈએ સ્માર્ટ મીટરના નામે ભાજપ જે કરે છે તે ગુજરાત ઉપર અન્યાય છે.ભાજપને 10 વર્ષ થયા કામના બદલામાં મત નથી માંગ્યા, રાહુલ ગાંધી અને પાકિસ્તાન જેવા મુદ્દાથી ડરાવી મત માંગ્યા છે. લોકશાહીમાં લોકોનો અવાજ સાંભળવો જોઈએ. પરંતુ આજે કેટલાક અંધ ભક્તોને કારણે ભાજપનો અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે. તો બીજી તરફ સહકારી ક્ષેત્રમાં મેન્ડેડ પ્રથાને લઈને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ગોહિલે નિવેદન આપ્યું હતું. સહકારી ક્ષેત્રમાં ક્યારેય મેન્ડેડ પ્રથા ન હતી.