વંથલી પંથક માટે ડેમનું પાણી અનામત રાખવા કોંગ્રેસે કરી માંગ
વંથલીના ઓઝત ડેમમાંથી પાણી છોડવાનો મુદ્દો ગરમાયો
- Advertisement -
ધારાસભ્યનાં વિરોધના પગલે પાણી છોડવા આવેલા અધિકારીઓને ખાલી હાથે પરત ફર્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના વંથલી નજીક આવેલ ઓઝત વિયર ડેમમાંથી ઘેડ પંથકના ખેડૂતો માટે સિંચાઇ હેતુ પાણી છોડવાની રજૂઆતના પગલે સરકારમાંથી મંજૂરી આવી જતા જુનાગઢ સિચાઈ વિભાગના અધિકારીઓ આજરોજ વંથલી ડેમમાંથી પાણી છોડવા પહોંચ્યા હતા પરંતુ તે અંગેની જાણ વંથલી કોંગ્રેસ ને થતા ધારાસભ્ય અરવિંદ લાડાણીના નેતૃત્વમાં ડેમ સાઈડ પર પહોંચી ડેમનું પાણી વંથલીના નગરજનો અને સોરઠ પંથકના ખેડૂતો માટે અનામત રાખવાની માંગ સાથે આક્રમક રજૂઆતો કરી હતી જે અન્વયે સિંચાઇ વિભાગના અધિકારીઓએ પાણી ન છોડવાની વાત સ્વીકારી પાણી છોડ્યા વગર જ વિલા મોઢે પરત ફર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટર જુનાગઢને રજૂઆત કરી જણાવ્યું હતું કે ખનિજ માફિયાઓને રેતી ખનન કરવામાં સરળતા રહે તે માટે પાણી છોડવાની સાજિશ રચવામાં આવી હતી હાલ ડેમમાં રહેલ પાણીનો પ્રવાહ છોડવામાં આવે તો 40 કિલોમીટરનાં અંતરે આ પાણી પહોંચી સકે નહિ અને આ પાણી રેલાયને વેડફાઈ જાય તેમ જણાવી પાણી ન છોડવાની પણ માંગ કરી હતી. આજરોજ ઓઝત નદી ડેમ પર વંથલી માણાવદરનાં ધારાસભ્ય અરવિંદ લાડાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમિપરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શાહ,તાલુકા પ્રમુખ મનસુખ પાડલીયા સહિત અનેક કોંગ્રેસી આગેવાનો અને વંથલીના નગરજનો ઉપસ્થિત રહી ઓઝત ડેમ માથી પાણીનાં પ્રવાહને છોડવાની સાજિશનો જબ્બર વિરોધ વ્યક્ત કરી પાણી ન છોડવાની માંગ કરી હતી.
વંથલી ઓઝત વીયર ડેમમાંથી નાયબ કાર્યપાલ ઇજનેર સીંચાઇ યોજના પેટા વિભાગ નં.7-3 તા.7-12-23ના પત્ર ક્રમાંક નં.જા.નં.પીબી-2/ઓઝત વિયર વંથલી/રવિ સિંચાઇ 2023/730ના પત્રથી તેમણે તા.8/12/23ના રોજ વંથલી ઓઝત વિયર ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરેલ છે તે નિર્ણયનો અમો ખેડૂતોના હિતમાં સખત વિરોધ કર્યો હતો.
વંથલી ઓઝત વિયર ડેમ નાનો એવો ડેમ છે તે ડેમમાંથી પાણી છોડવામાં આવે તો ડેમથી માત્ર દસ કિ.મી. સુધી પાણી પહોંચે ત્યાંજ રેલાય જશે. જેના કારણે તે પાણીથી ન તો ઘેડ પંથકના ખેડૂતોને કે વિગેરે નિયાણવાળા વિસ્તારોને કોઇ જ ફાયદો થવાનો નથી. તે ડેમ નાનું એવુ ડેમ છે. જે માત્ર વંથલી પંથકના માણાવદર તાલુકાના ગામોને હાલ ફાયદો થઇ રહ્યો છે. તે ફાયદો પણ ડેમ ખાલી થઇ જવાથી તેમણે પણ નહીં મળે જેથી તે વંથલી ઓઝત વિયર ડેમમાંથી સિંચાઇ વિભાગનું પાણી છોડવાનો નિર્ણય મનઘડત અને સમજયા/વિચાર્યા વગરનું છે. તેટલુ જ નહીં તે ડેમ ખાલી કરીને રેત માફીયાઓ સહેલાઇથી રેતી કાઢી શકે માટે તેઓ તેમનો નિર્ણય હોય તે શકતાઓને પણ નકારી શકાય તેમ નથી.