શહેરના તમામ વોર્ડના દરેક બુથમાં પૂષ્પાંજલી કરવામાં આવી
જહા હુએ બલિદાન મુખરજી, વો કશ્મીર હમારા હૈ ના સુત્રને નરેન્દ્રભાઈ મોદી એ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ નાબુદ કરી ખરા અર્થમાં ડો. શ્યામાપ્રસાદ મુખરજીના સ્વપ્નને સાકાર કર્યું છે: ધનસુખ ભંડેરી, નિતીન ભારાજ, કમલેશ મિરાણી
જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્ટ્રભકત ડો.શ્યામાપ્રસાદ મુખરજીના તા.૨૩-જૂનના રોજ ‘બલિદાન દિવસ ‘ અંતગર્ત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, શિક્ષણસમિતિ ચેરમેન અતુલ પંડિતની ઉપસ્થિતિમાં શહેર ભાજપ ધ્વારા અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આર્ટગેલેરી, રેસકોર્ષ ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ. ત્યારબાદ શહેરના તમામ વોર્ડના દરેક બુથમાં ડો.શ્યામાપ્રસાદ મુખરજીના ફોટાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી અને પી.નલારીયન પંડિતે જહેમત ઉઠાવી હતી.
આ તકે ધનસુખ ભંડેરી, નિતીન ભારઘ્વાજ, કમલેશ મિરાણીએ જણાવેલ કે તા.૨૩ જૂન ‘બલિદાન દિવસ’ એટલે કે જનસંઘના સ્થાપક પ્રમુખ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીનું એક સ્વપ્ન હતુ કે એક દેશમાં દો વિધાન, દો પ્રધાન, દો નિશાન નહી ચલેગા ના નારા સાથે માર્ચ–૧૯૫૩માં દિલ્હી ખાતે સત્યાગ્રહનો પ્રારંભ કરી ૧૧ મે ૧૯૫૩ના રોજ કાશ્મીરમાં પ્રવેશ કર્યો અને કાશ્મીરના રાવી પુલ પરથી ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની ધરપકડ કરવામાં આવી અને ૪૦ દિવસ બાદ એટલે કે તા.૨૩ જૂન,૧૯૫૩ના રોજ વહેલી સવારે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી શહીદ થાય, એટલે કે ત્યારથી જનસંઘથી લઈ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાનું એક સૂત્ર હતુ કે ‘જહા હુએ બલિદાન મુખરજી, વો કશ્મીર હમારા હૈ’ના સુત્રને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ખરા અર્થમાં સાર્થક કર્યુ અને કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ નાબુદ કરી ખરા અર્થમાં ડો. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાનને સાર્થક કર્યું અને દેશના કરોડો કાર્યકર્તાઓના સ્વપ્નને સાકાર કર્યું છે.


