વિવિધ રૂટ પર ફુલોની પાંખડી, દેશભક્તિના ગીતો, રાસમંડળીની ૨મઝટથી યાત્રાનું ભ્યાતિભવ્ય સ્વાગત કરતું શહેર ભાજપ
પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડના નેતૃત્વમાં બક્ષીપંચના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડયા
જન આશિર્વાદ યાત્રાના સમગ્ર રૂટ પર શહેર ભાજપના તમામ વોર્ડ, સેલ અને મોરચાના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્વાગત સહીતની તમામ જવાબદારી સંભાળી
યાત્રા ઈન્ચાર્જ મહેન્દ્રસિંહ સરવૈયા, સહ ઈન્ચાર્જ ઝવેરીભાઈ ઠકરાર, મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ વિવિધ અગ્રણીઓ જવાબદારી સંભાળશે
જન આશિર્વાદ યાત્રાને સફળ બનાવતા શહેર ભાજપના કાર્યકર્તાઓ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારમાં નવનિયુક્ત મંત્રીશ્રીઓ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ‘જન આશિર્વાદ યાત્રા’ થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જનજન સુધી સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે ત્યારે રાજકોટ મહાનગર ખાતે ‘જન આશિર્વાદ યાત્રા’માં એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના આગમન સાથે એરપોર્ટથી શાનદાર પ્રારંભ થયો હતો અને શહેર ભાજપ ઘ્વારા આ યાત્રાનું બેન્ડ,ફુગ્ગા, બાળાઓના રાસ, ઢોલ, શરણાઈ, ડી.જે.ની રમઝટ, ફુલોની પાંખડીથી આ યાત્રાનું ભવ્ય સ્વાગત થયુ હતું અને ત્યારબાદ રેસકોર્ષ, કીસાનપરા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, બોમ્બેહોટલ, લોધાવાડ ચોક, કેનાલ રોડ,ગુંદાવાડી, જિલ્લા ગાર્ડન ચોક, પ્રજાપતીની વાડી, ચુનારાવાડ ચોક, પટેલ વાડી, પેડક રોડ, બાલક હનુમાન, ત્રીવેણી મેઈન રોડ, રીંગરોડ થઈ આ યાત્રાનું સમાપન થયેલ ત્યારે યાત્રાના સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ સર્જાયો હતો અને વિવિધ સમાજના લોકો ધ્વારા પરંપરાગત પહેરવેશમાં યાત્રાનું ભ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને ‘જન આશિર્વાદ યાત્રા’ ને સત્કારવા જનસમુદાય સ્વયંભુ ઉમટી પડયો હતો, શહેરીજનોએ ‘જન આશિર્વાદ યાત્રા’ ને ફુલડે વધાવી હતી ત્યારે વિવિધ રૂટ પર યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત, ગરબી મંડળની બાળાઓ ધ્વારા રાસની રમઝટ, દેશભક્તિના ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતું, યાત્રા દરમ્યાન સંતો મહંતોએ આર્શિવચન પાઠવેલ તેમજ વિવિધ કલાકારોએ પોતાની લા પીરસી ઘ્વારા આ યાત્રાને ચાર ચાંદ લગાવ્યા હતા. ત્યારે સમગ્ર રૂટ પર ભાજપના પાંચ હજારથી વધુ ઝંડા અને વીસ હજારથી વધુ ઠંડી લગાવી કેસરીયો માહોલ છવાયો હતો.ત્યારે વિવિધ આગેવાનોને સભા, ઓડીટોરીયમ સોશ્યલ ડીસ્ટન્સ, સમાજ બેઠક વ્યવસ્થા, ડોકટર બેઠક વ્યવસ્થા, રૂટ સુશોભન, રૂટ પર બેનર હોડીંગ્સ, રૂટ પર સ્વાગત, વાહન વ્યવસ્થા અંતગર્ત જવાબદારીની સોંપણી કરવામાં આવી હતી. ત્યારે આ જન આશિર્વાદ યાત્રા’ ખરા અર્થમાં જનમાનસના માનસપટ પર અંક્તિ થાય તે માટે શહેર ભાજપ પ્રમુખ ક્યુલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ આ યાત્રાને શાનદાર રીતે સત્કારવા માટે શહેર ભાજપ ઘ્વારા ભ્યાતિભવ્ય આયોજન થયુ હતું. ત્યારે આ જન આશિર્વાદ યાત્રામાં પ્રદેશ ભાજપ અગ્રણી અને યાત્રાના ઈન્ચાર્જ મહેન્દ્રસિંહ સરવૈયા, સહઈન્ચાર્જ ઝવેરીભાઈ ઠકરાર, મહેશભાઈ કસવાલા ના માર્ગદર્શન હેઠળ વિવિધ અગ્રણીઓ જવાબદારી સંભાળી રહયા છે.
- Advertisement -
ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે વિકાસના નવા સીમા ચિન્હો પ્રસ્થાપિત કરી સ્વરાજયથી સુરાજયના સંકલ્પ સાથે ઉતમથી સર્વોતમ બનવા પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી છે ત્યારે આ જન આશિર્વાદ યાત્રા મા માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જનજન ના આશિર્વાદ પ્રાપ્ત થાય અને નરેન્દ્રભાઈ મોદીનું ભારતને વિશ્વગુરૂ બનાવવાનું સપનું સાકાર થાય એ માટે પ્રાર્થના કરાઈ હતી, ત્યારે આ જન આશિર્વાદ યાત્રા’ ને સફળ અને યાદગાર બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેરના મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રક્ષાબેન બોળીયા, કશ્યપ શુકલ સહીતના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ દિવસ-રાત એક કરીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી.

- Advertisement -
ત્યારે ‘જન આશિર્વાદ યાત્રા’ નું એરપોર્ટ સામેના ગેઈટ ખાતે ફુલોની પાંખડી થી સ્વાગત થયેલ આ તકે સ્પોર્ટસના ખેલાડીઓ તેમજ વોર્ડ-૧, વોર્ડ-૨ તથા શહેર ભાજપ રમતગમત સેલ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ કીસાનપરા ચોક ખાતે વોર્ડ-૩ તથા વોર્ડ-૭ ના અગ્રણીઓએ જવાબદારી સંભાળેલ ત્યારબાદ મહિલા કોલેજ ચોક ખાતે સાંસ્કૃતીક સેલ, આર્થિક સેલ, વોર્ડ-૮ અને વોર્ડ-૯ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ એસ્ટ્રોન ચોક ખાતે સી.એ. સેલ તથા શહેર યુવા ભાજપ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ વિરણી ચોક ખાતે ડોકટર સેલ, વેપાર સેલ તથા વોર્ડ-૧૦ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે બક્ષીપંચ મોરચો, વ્યવસાયીક સેલ તથા વોર્ડ-૧૩ ના અગ્રણીઓ ઉપસ્થિત રહી જવાબદારી સંભાળેલ, ત્યારબાદ સત્યવિજય આઈસક્રીમ ખાતે સાધુ-સંતો ઉપસ્થિત રહી આ જન આશિર્વાદ યાત્રાને આર્શિવચન પાઠવેલ અને સહકારીતા સેલ અને વોર્ડ-૧૧ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ બોમ્બે હોટલ ખાતે શિક્ષણ સેલ અને વોર્ડ-૧૨ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ લોધાવાડ ચોક ખાતે લીગલ સેલ અને બૌધ્ધિક સેલ જવાબદારી સંભાળેલ, ત્યારબાદ ભુતખાના ચોક ખાતે સફાઈ કામદાર સેલ અને વોર્ડ-૧૭ જવાબદારી સંભાળેલ, ગુંદાવાડી ખાતે ગૌ સંવર્ધન સેલ અને વોર્ડ૧૪ના આગેવાનો જવાબદારી સંભાળેલ, ત્યારબાદ જિલ્લા ગાર્ડન ચોક ખાતે શહેર ભાજપ લઘુમતી મોરચો તેમજ વોર્ડ-૧૬ અને વોર્ડ-૧૮ના અગ્રણીઓ જવાબદારી સંભાળેલ, ચુનારાવાડ ચોક ખાતે માલધારી સેલ, શહેર ભાજપ અનુ.જાતી મોરચો અને વોર્ડ-૧૫ જવાબદારી સંભાળેલ, ભાવનગર રોડ શાળા નં.૧૩ સામે જયસિયારામ ગ્રુપ જવાબદારી સંભાળેલ, પટેલ વાડી ખાતે ઈમીટેશન માર્કેટ અને વોર્ડ૬ સન્માનની જવાબદારી સંભાળેલ, ત્યારબાદ બાલક હનુમાન ખાતે ભાષાભાષી સેલ, વોર્ડ-૪, વોર્ડ-૫ અને સીલ્વર એશોશીએશન સ્વાગતની જવાબદારી સંભાળેલ, ત્યારબાદ ઓડીટોરીયમ ખાતે પુરૂષાર્થ યુવક મંડળ, શાળા સંચાલકો, રાજપુત કરણી સેનાના અગ્રણીઓ સ્વાગતની જવાબદારી સંભાળેલ, ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અટલબીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા, ત્યારબાદ પંડીત દીનદયાલ કોમ્યુનીટી હોલ ખાતે પટેલ સમાજની બેઠક માં તેમજ અટલ બીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે ડોકટરો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહી વકતવ્ય આપેલ. અને ત્યારબાદ ગોંડલ ચોકડી રવાના થઈ જન આશિર્વાદ યાત્રા ખોડલધામ તરફ પ્રસ્થાન કરેલ.



