શૈલેષ સગપરિયા : શૈલવાણી
એક રાજાએ પોતાના રાજદરબારમાં જુદાં જુદાં વર્ગોના પ્રતિનિધિઓને સ્થાન આપ્યું હતું. કોઈએ રાજાનું ધ્યાન દોર્યું કે, ‘આપે બધાં જ વર્ગોના પ્રતિનિધિઓ આપના રાજદરબારમાં રાખ્યા છે; પરંતુ મૂર્ખાઓના કોઈ પ્રતિનિધિને
સ્થાન આપેલું નથી.’
રાજાએ મૂર્ખાના પ્રતિનિધિ માટે શોધ આદરી અને એક મોટો મૂર્ખ મળી પણ ગયો. એને રાજા સમક્ષ લાવવામાં આવ્યો એટલે રાજાએ કહ્યું, જો ભાઈ, મૂર્ખાઓના પ્રતિનિધિ તરીકે આજથી તને નિમણૂક આપવામાં આવે છે. તને એક
ઓળખકાર્ડ આપવામાં આવશે. તારે આ ઓળખકાર્ડ ગળામાં નાખીને રોજ રાજદરબારમાં આવવાનું. તારા રહેવા અને જમવાની બધી જ વ્યવસ્થા રાજ્ય તરફથી કરવામાં આવશે. અને આ ઉપરાંત પગાર પણ આપવામાં આવશે.
પેલા મૂર્ખને તો આ બહુ ગમ્યું. એણે પ્રતિનિધિ બનવા માટે હા પાડી અને પૂછ્યું, મારી આ નોકરી ક્યાં સુધી ચાલશે ? રાજાએ કહ્યું, જ્યાં સુધી તારા કરતા મોટો મૂર્ખ ન મળે ત્યાં સુધી.
- Advertisement -
અમુક સમય પછી રાજા ગંભીર બીમારીમાં સપડાયો અને મરણપથારીએ પડ્યો. પેલો મૂર્ખાઓનો પ્રતિનિધિ રાજાની ખબર પૂછવા ગયો.
રાજા સાહેબ, કેમ આપ પથારીમાં સૂતા છો?
ભાઈ, મારે લાંબી યાત્રાએ જવું છે એટલે થોડો આરામ કરું છું.
ઓહ, કેટલા દિવસની યાત્રાએ જવાના છો ?
બહુ જ લાંબી યાત્રા છે. અહીંથી ગયા પછી પાછો આવવાનો જ નથી.
જ જવાનો છું. તો તો અમને બધાંને પણ સાથે લઈ જવાના હશે ને? ના ભાઈ, કોઈને સાથે લઈ જવાના નથી. સાવ એકલો
અમને સાથે ન લઈ જાવ તો કંઈ નહીં; પણ આ બધી સંપત્તિ તો સાથે લઈને જશોને. જેથી રસ્તામાં તકલીફ ના પડે.
અરે ના, કોઈ સંપત્તિ પણ સાથે લઈ નથી જવી.
તમે અમને સાથે નથી લઈ જવાના, સંપત્તિ સાથે નથી લઈ જવાના, પરિવાર સાથે નથી લઈ જવાના અને સાવ
એકલા જ જવાના છો; તો પછી રાજા સાહેબ, આપે આ યાત્રાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હશે કેમ બરાબર ને !
રાજાએ ઉદાસ ચહેરે કહ્યું, ના, ભાઈ હું આ લાંબી યાત્રાની કોઈ જ તૈયારી કરી શક્યો નથી.
પેલા મૂર્ખાઓના પ્રતિ પ્રતિનિધિએ પોતાના ગળામાં રહેલું ઓળખ કાર્ડ કાઢી એ ફટાક કરતું રાજાના ગળામાં પહેરાવ્યું અને કહ્યું, આપણે શરત હતી કે, મારા કરતા મોટો મૂર્ખ મળે તે દી હું નોકરીમાંથી છૂટો. રાજા સાહેબ આપના
જેવો બીજો મોટો મૂર્ખ બીજો કયો હોય જે આવી યાત્રાની કોઈ તૈયારી કરી જ નથી શક્યો.
માત્ર પોતાના માટે જ નહીં બીજાના માટે પણ થોડું જીવીને લાંબી યાત્રાની કંઈ તૈયારી કરી છે કે આપણે પણ રાજા જેવા મહામૂર્ખ જ છીએ ? જાત સાથે સંવાદ કરજો જરા!
જે પોતાના માટે જીવે છે તે મરી જાય છે. જે સમાજના માટે મરે છે તે જીવતા રહે છે : અન્ના હજારે




