40 જેટલા વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, એક ને ફેક્ચર
108, ફાયર વિભાગ અને પોલીસે રેસ્ક્યુ કરીને ડુંગર પરથી ઉતાર્યા
- Advertisement -
રાજ્ય ભરના અનેક વિદ્યાર્થી ભાઈ – બહેનો ટ્રેકિંગ કેમ્પમાં જોડાય છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ ગિરનાર પર્વત પર વર્ષોથી દેશ અને રાજ્ય ભરમાંથી પ્રતિ વર્ષ હજારો વિદ્યાર્થી ભાઈ – બેહનો ગિરનારના ડુંગરાળ વિસ્તારમાં ટ્રેકિંગ કરીને ખડક ચઢાણની તાલીમ લેવા આવે છે. અને આ કેમ્પ 7 દિવસ ચાલતા હોઈ છે. ત્યારે આજ રોજ રાજ્યના અનેક જિલ્લા માંથી વિદ્યાર્થી ભાઈ – બેહનો પાજનાકા પુલ પાસે આવેલ જોગણીયા ડુંગર પર ટ્રેકિંગ કરવા પોહચ્યાં હતા ત્યારે સવારે 9 વાગ્યા આસપાસ મધમાખીના ઝુંડે અચાનક હુમલો કરી દીધો હતો જેમાં અંદાજે 130 જેટલા વિદ્યાર્થી ભાઈ – બેહનોમાં નાસભાગ મચી હતી જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ મારતા તમામને રેસ્ક્યુ કરીને 108 એમ્બ્યલન્સ દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મધમાખીના હુમલામાં મળતી વિગત મુજબ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહાણ કેન્દ્ર દ્વારા દેશ અને રાજ્ય ભરના વિદ્યાર્થીઓ અને અન્ય સંસ્થા દ્વારા ખડક ચઢાણની તાલીમ ચાલવામાં આવે છે જેમાં આજરોજ નેશનલ ફાયર એકેડમી અને અન્ય સંસ્થાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ દ્વારા સરકારી એડવેન્ચર કોર્ષ તારીખ 01 થી 07 મે સુધી એક ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જેમાં કુલ 101 શિબીરાર્થીઓ જોડાયા હતા અને તેમની ઉમર 8 થી 13 વર્ષની હતી જયારે સવારે 9 કલાક આસપાસ જોગણીયા ડુંગર, પાજ નાકા પુલ પાસેના ડુંગર પર પર્વતારોહણ પ્રવુતિ દરમ્યાન શીબીરાર્થીઓને ઉડીને આવેલ મધમાખીના ઝૂંડે હુમલો કરતા મધમાખીએ શીબીરાર્થીઓને કરડતા વિદ્યાર્થીઓ ગભરાય ગયા હતા અને આ મધમાખી હુમલામાં 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓને અસર થતા તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા જોકે તમામની તબિયત સારી હોવાનું હોસ્પિટલ સુપ્રિટેન્ડ દ્વારા જણાવ્યું હતું. આજ રોજ જોગણીયા ડુંગર પર 101 શિબીરાર્થીઓ ટ્રેકિંગ કેમ્પ કરી રહ્યા હતા ત્યારે અચાનક મધમાખીનું ઝુંડ ઉડીને આવ્યું હતું અને વિદ્યાર્થીઓને કરડતા સામાન્ય અસર થતા ટ્રેકિંગ કેમ્પમાં વિદ્યાર્થીઓને ડુંગર વિસ્તાર માંથી રેસ્ક્યુ કરીને નીચે ઉતાર્યા હતા જેમાં જૂનાગઢ મનપા ફાયર વિભાગના કર્મીઓ સાથે પોલીસ સ્ટાફ તેમજ ટ્રેકિંગ કેમ્પના ઇન્સ્ટ્કટરો સાથે રહીને વિદ્યાર્થીઓને જૂનાગઢ ચાર 108 એમ્બ્યુલન્સ મારફત સતત ખડેપગે રહીને તમામને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા જ્યાં તમામ શિબીરાર્થીઓની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ટ્રેકિંગ કેમ્પમાં જૂનાગઢ, રાજકોટ જામનગર અને મહુવાના વિદ્યાર્થી ભાઈ – બેહનો હોવાનું જાણવા મળ્યું છે.
ખડક ચઢાણ તાલીમમાં પ્રથમ વખત ઘટના બની
જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહાણ કેન્દ્ર અને રાજ્ય સરકારની સાંસ્કૃતિક રમત ગમત વિભાગ દ્વારા ઘણા વર્ષોથી ખડક ચઢાણ તાલીમ કેમ્પો યોજાય પણ આ પ્રથમ વાર આવી ઘટના બન્યાનું સામે આવ્યું છે અનેક ટ્રેકિંગ કેમ્પો યોજાય ગયા ત્યારે આ મધમાખીનું ઝુંડ અન્ય જગ્યા પરથી ઉડીને આવ્યું અને આ ઘટના બની ત્યારે લોકોનું કેહવું છે કે, હાલ જે રીતે આકરી ગરમી હોવાના લીધે મધમાખીના ઝુંડ ઉડવાના બનાવો જોવા મળતા હોઈ છે અને આ જે મધમાખીઓ હતી તે સાદી હતી કોઈ ઝેરી ન હતી જેના લીધે વિદ્યાર્થીઓને કોઈ વધુ અસર થઇ નથી તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે.



